Saturday, December 10, 2016

અવશેષ ભાગ ૩

પ્રયોગશાલાના લોખંડના બારીબારણા ઉડીગયા હતા. કેટલા લોકોહશે નેકોણ હશે એનો અંદાઝ લગાવવો મુશ્કેલ હતો. કારણકે વિસ્ફોટને કારણે એમના શરીરના ટુકડા થઇ ગયા હતા ને કાચની રસાયણો  ભ ંરેલી બોટલો ફાટતા સળગતા રસાયણો ઉડીને માથે આવવાને કારણે હાડકા સુધી સળગી ગયા હતા. ઉપરાંત કાચની બોટલોના   કાચના ટુકડા હાડકા સુધી ખુંપી ગયા હતા. મૃત્યુનુ ભયાનક તાંડવ અહિ ખેલાઇ ગયુ હતુ. દુનિયાનુ અમુલ્ય બુધ્ધિજન બહુ ખરાબ રીતે ઘાયલ થઇને અહિયા પડ્યુ હતુ.  યુનો માટે તો હાલ પુરતુ એ જ આશ્ર્વાસન હતુ કે આ કાવતરાના પ્રથમ પ્રણેતા જ એના ભોગ બન્યા હતા.        પણ એને ખબર નહોતી કે એક વ્યકિત આમાથી બચી ગઇ છે. સજન કોઇ કારણથી હાજર નહોતો.      એક દિવસે સજને પોતે આપ્રયોગશાળાની મુલાકાત લીધી.પોતાના સાથી મિત્રો ને સહકાર્યકરો જે એક નાના સરખા પરીવાર જ બની ગયો હતો એની આહાલત જોઇ એ કંપી ઉઠ્યો.કદાચ આલોકોને તક આપવામાં આવી હોત તો દુનિયા કેવી સુંદર હોત.? પણ આ દિશામાં ધકેલનારા આરામથી જીવતા હતા ને એના કલ્યાણ માટે મથનારાની આ દશા હતી. નહિ, આ આત્માઓને ન્યાય મળવો જ જોઇએ. ને એના મનમાં એક ભયાનક આગ પ્રગટી.એની શાંતિની સીમા તુટી ગઇ.નૈતિક હિંમત વિનાના ને કાયરો  તરફ દયાની જગ્યાએ નફરત પ્રગટી.     બધુ જ તૈયાર હતુ.ગેસના સિલિન્ડરો વિમાનમાં ગોઠવાઇ ગયા.પ્રકાશના કિરણોની ઝડપે ઉડતા વિમાન માટે પૃથ્વીની પ્રદક્ષિણા માટે થોડા કલાક કાફી હતા.પોતાનો વિચાર બદલાઇ જાય એ પહેલા વિમાન ચાલુ કરી દીધુ.  છેલ્લી વાર સરજનહારને પ્રાર્થના કરી માફી માગી.પોતાની પરીક્રમા પુરી કરી ને ફરિ એકવાર આંટો માર્યો. પૃથ્વી શાંત થઇ ગઇ હતી.માત્ર ક્યાક આગની જ્વાળાઓ દેખાતી હતી. બાકી કુદરત તો સાક્ષી ભાવે જોઇ રહી હતી. આ વિનાશથી અલિપ્ત,      પોતાનુ કામ સમાપ્ત થયુ. એક સંતોષ સાથે મોં પરથી ઓક્સીજન માસ્ક હટાવી લીધો.  એન્જીન બંધ કર્યુ. સુકાન છોડી દીધૂ.  હવામાં ગુંલાટો ખાતુ વિમાન સાગરને તળીયે જઇને બેસી ગયુ.
    સજનના સમજણ પ્રમાણે પોતાની સાથે સાથે આખી જીવીત દુનીયા ખતમ થઇ ચુકી હતી.  પણ એક આત્મા માત્રએક   દસ વરસનો બાળક 'અહમદ' બચી ગયો હતો.     આ તાંડવનો એકમાત્ર સાક્ષી.     માનવ નાતનો અવશેષ. એની વાત     બીજીવાર    

અવશેષ ભાગ ૨

આ બનાવ પછી ઉશ્કેરાયેલા પાડોશી કામરુએ નદી પર બંધ બાંધીને પાણીનુ વહેણ એના રાજ્યમાં વાળી લીધુ. ત્યા એક પાવરસ્ટેશન પણ ઉભુ થઇ ગયુ. સજન આજોઇને આભો જ થઇ ગયો. આજ સુધી બે પાડોશી દેશો વચ્ચે સારા સબંધો હતા. નદી માલસામાનની હેરફેર ને માણસોની અવરજવરમાટે ધોરી માર્ગની ગરજ સારતી. જરુરિયાત પ્રમાણે બન્ને દેશએનો ઉપયોગ કરતા ને હવે?નદીનુ વહેણ સુકાઇ ગયુ હતું સજને આ બાબત ફરિયાદ કરી તો જેવી ધારણા હતી એવો જ તોછડો જવાબ મળ્યો. ' નદી તમારા એકલાની નથી. અમને મન ફાવે એવો ઉપયોગ કરી શકીએ. તમે  અમને રોકનાર કોણ ?જે વાત સજન જાણતો નહોતો એ કે એ દેશ  અમુક મોટા દેશનુ પીઠબળ ધરાવે છે. પૈસાથી માંડી ને શસ્ત્રો સુધીની મદદ મળે છે. યુનો જેવી વિશ્ર્વસંસ્થામાં એવા દેશોનુ વર્ચસ્વ છે.એ મહેરબાની બદલાની શુ ં કિંમત  હશે ?એતો એ જ જાણે. પણ મોટા રાષ્ટ આવા રક્ષિત રાજ્યના નાના મોટા ગુના છારવતા.  સજને પહેલા તો સમાધાન ને સમજાવટ માટે સદેશ મોકલ્યો. પણ  સામા પક્ષે એ વાતને એની કાયરતા   માનીને ઇન્કાર કર્યો.  તો શુ શાંતિ એ નબળાઇ છે?માણસે પોતાની વાતને  સમજાવવા હંમેશા લોહિયાળ માર્ગ લેવો?એના જીવનમાં પ્રથમવખત એણે ક્ષમા ને શાંતિનો રાહ છોડી કઇક દેખીતુ પરિણામ આવે એવો નિર્ણય લીધો ને બંધ તોડાવી નાખ્યો!!  ને આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો.  સજન એક શાંત ને શાણો માણસ ઘડીભરમાં આક્રમણખોર ગણાઇ ગયો. એ પાડોશી રાજ્યે વળતો હુમલો કર્યો ત્યારે અર્ધી દુનિયાને એનો નૈતિક ટેકો મળ્યો.ઉપરાંતઅસ્ત્ર શસ્ત્રનીય મદદ મળી. સામે સજન જેવા શાંતિ પ્રિય વ્યકિત પાસે આવા હથિયાર કે સૈન્ય હોય જ  ક્યાથી? હાર નક્કી જ હતી. દુશ્મનદેશે સચિવાલય, માહીતી પ્રસારણ ને તિજોરી પર કબજો લઇ લીધો. લશ્કરને વિખેરી નાખ્યું સામનો કરનારાને ખતમ કરીનાખ્યા. સજનની કાર્યવાહીથી નાખુશ એવા સમાજના સ્થાપિત હિતો તો દુશ્મન જોડે તરત ભળી ગયા. ઉપલા વર્ગે સહકાર આપીને પોતાના હિતની રક્ષા કરી લીધી. સામાન્ય પ્રજા તાબે થઇ ગઇ ને  એમને એમના નોકરી ધંધાની સલામતી ની ખાતરી શાષક પક્ષ તરફથી આપવામાં આવી, યુવાનોને નવા વિશ્ર્વના સપના બતાવવામાં આવ્યા ને બધાને મનગમતુ  મળવાની આશા સાથે પરદેશી શાસન યાને ગુલામી સ્વીકારી લીધી. યુધ્ધ ને એની પાયમાલી માટે સજનને જવાબદાર ગણીને એને દેશનિકાલ કરવામાં આવ્યો એના સમર્થકો ક્યારેય વિદ્રોહ નકરે એ માટે. સજન જેવી કોઇ વ્યકિત હતઇ એવી સ્મૃતિ પણ ભુંસી નાખવામાં આવી.        પણ ઘર કરતા બહારની દુનિયામાં એની ખ્યાતિ વધારે હતી. અનવર નામક એના એક વખતના મિત્ર ને સમર્થકે એને માનભેર પોતાના રાજ્યમાં આશરો આપ્યો. બધી સગવડ આપી. પણ સજન હિજરાતો હતો. જે દેશ માટે પોતાનુ વ્યકિતગત ને સાંસારિક કેપરિવારનુ સુખ જતુ કર્યુ કે એની આટલી જ કદર?એના બચાવ પક્ષે કોઇ ન આવ્યુ?શું શાંતિને નામે એણે કાચરોની ફોજ પેદા કરી હતી.? મનોમંથન ચાલ્યા જ કરતુ હતુ.      અનવરે આજોયુ. એણે એક વખત સજનને સમજાવ્યા. 'સજન, આપણે દુનિયાને બદલી શકતા નથી. હું જાણુ છુકે તમારા જેવા સ્વમાની આત્માને આવી રીતે મહેમાન તરીકે રહેવુ આકરુ લાગતુ હશે. આપણે કોઇની સાથે લડાઇ ના કરવી હોય તો પણ એવા  ઝધડાખોર માણસ પર તો આપણો કાબુ  નથી હોતો. હવે તમે હથિયાર ને સેનાનુ મહત્વ સમજ્યા હશ. આપણા  ને આપણા આશ્રિતોના રક્ષણની જવાબદારી સ્વીકાર્યા પછી એના રક્ષણ માટે સજ્જ રહેવુ જોઇએ' સજન એનો ઇશારો સમજ્યા. પોતાને આશરો આપીને  અનવરે કેટલાક લોકોની નારાજગી વહોરી લીધી હતી . એને પણ આવા આક્રમણનો ભય સતાવતો હોય. તો હવે સજનની નૈતિક જવાબદારી બનતી હતી  અનવરને શસ્ત્રસહાય કરવાની. એ પોતે તો આવા શસ્ત્રોબનાવવા વિરુધ્ધ હતો પણ ઋણીને પોતાની કોઇ શરત નથી. એણે અનવરનો પ્રસ્તાવ માન્ય રાખ્યો. અનવરે એની મુલાકાત એવી ત્રણ વ્યકિત જોડે કરાવી કે સજન જેવી પ્રતિભા ધરાવતા હતા ને એની માફક જે તે દેશના સતાધીશોથી છેતરાયેલા ને દુભાયેલા હતા. એક હતા મિલાન. ઉતમ કક્ષાના વૈજ્ઞાનિક ને વિચારક. એમણે બીજા બે મહાનુભાવીઓ વાલીદ ને નિષાદ સાથે સજનને મેળવ્યા. જાણે દુનિયાનુ બધુ જ બુધ્ધિધન અહિ યા એકઠુ થયુ હતુ. ચારે ય સમાનધર્મી વચ્ચે અર્થપુર્ણ ચર્ચા સાથે કયારેક સામાન્ય માણસોની માફક હૈયાવરાળ પણ નીકળી જતી.
 ચારે ય દાઝેલાહતા .પોતાના જ લોકોથી તરછોડાયેલા હતા.એમની મહેનત ને બુધ્ધિને  આપખુદ શાષકોએ રાજાજ્ઞાની બેડી પહેરાવી હતી.એમના આર્દશો વિરુધ્ધ અઘટિત કામો કરાવ્યા હતા.દેશભકિતને નામે માનવદ્રોહ કરવા મજબુર કર્યા હતા. એમના જ્ઞાન  ને શોધોનો દુરુપયોગ કર્યો હતો.કયારેક ધાકધમકી કે મૃત્યુદંડનો ભય બતાવી સત્ય બોલતા અટકાવ્યા હતા.        મિલાન સૌથી જ્ઞાન ને અનુભવમાં મોટા. એમણે પોતાનુ મંતવ્ય રજુ કર્યુ. ' અત્યાર સુધી  આપણે એવા લોકોની મનમાની ચલાવી લીધી. પણ હવે આપણુ જ્ઞાન એવા લોકોને નહિ વેચીએ.આવા સતાધિશો આપણા ભાડુતી સમજે છે? ના.હવે એની ધાકધમકી કે લાલચને વશ નહિ થઇએ.હવે આપણે જે કાંઇ સંશોધન કરીશુ એના પર માત્ર આપણો જ અધિકાર.એનો ઉપયોગ સમગ્ર માનવજાત માટે જ થશે. જરુર પડશે ત્યારે  ઘાતકી સરમુત્યારો, અવિચારી નેતાઓ,પોતાના સ્વાર્થ માટે નિર્દોષ નાગરીકોની જાનમાલને ખતરામાં  ધકેલનારા, વિના કારણે યુધ્ધ છેડી બહાદુર જુવાનોને દેશભકિતને નામે હોમી દેનારા, માનવઅધિકારોનો સરેઆમ ભંગ કરનારા આવા નરાધમોનો નાશ કરવામાં આપણા શસ્ત્રો વપરાશે. એની માલિકી ને સાચવવાની જવાબદારી આપણી. જ્યારે એનુ રક્ષણ કરવાની આપણી ક્ષમતા ખુટી જશે ત્યારે એનો નાશ કરી દઇશુ પણ કોઇ કુપાત્રનૅ હાથમાં નહિ જ જવા દઇએ .બાકી અન્નાયને સહન કરીલેવો એ પણ અન્નાયને સાથ આપવા જેવુ જ છે. સજનના દુભાાયેલા દિલને  આપ્રસ્તાવ બરાબર લાગ્યો. .     ભગવાન પણ કયારેક એની જ બનાવેલી સુષ્ટિ બેકાબુ બને ત્યારે પોતાના હાથે જ એને ખયતમ  ખતમ કરી દે છે ને. આપણને જે શકિત આપીછેએનાથી આપણે પણ  પૃથ્‌વી પર પાપી લોકોને સજા કરવામાં મદદ કરવી જોએ. આ
 દલીલ સાચી હોય કે ખોટી. સજનના અપરાધભાવને હળવો તો કર્યો.     અનવરે સંમતિ સાથે આર્થિક મદદ પણ કરી. રાજ્યની સરહદ એક બાજુ સમુદ્ર ને ત્રણ બાજુ દુર્ગમ પહાડો ને ગાઢ જંગલો હતો.પહાડની તળેટીમાં આધુનિક સાધનોથી સજ્જ લેબોરેટરી શરુ થઇ. આવા ખરાબા જેવા વિસ્તાર ને આસપાસ વસ્તીના અભાવે શરુઆતમાં કોઇને જાણ નથઇ. માલ સરકારને નામે આવતો ને અનવતર સર્વેસર્વા હતો. પણ આરસાયણો ને સાધનો વેચનાર વેપારીને સંદેહ ગયો. કોઇ સામાન્ય માણસ આવા રસાયણો શામાટે ખરીદે ને ક્યા વાપરે? રસાયણના ગુણધર્મોની વેચનારને તો જાણ હોય જ.એણે માલની ડીલીવરી કરનાર ડ્રાઇવરને ફોડ્યો ને પગેરુ પર્વતના પેટાળમાં નીકળ્યુ.  એને જોખમનો  અંદાજ આવી ગયો. લાગતીવળગતી સતાને જાણ કરવામાં આવી ને છેવટે મહાસતા સુધી વાત પહોચી  ગઇ. એ સાથે અનવર પર તવાઇ ઉતરી. આવૈજ્ઞાનિકોને પકડીને યુનોને હવાલે કરવાનો આદેશ  આપવામાં આવ્યો. સાથે  એની સામે પ્રજાએ પણ વિરોધ ઉઠાવ્યો કે આવા માણસોને આશ્રય આપીને પોતાના નાગરિકો માટે જોખમ ઉભૂ કર્યુ છે. અનવરે વૈજ્ઞાનિકોને પોતાની મુશ્કેલી જણાવી. મિલાને કહયુ' તમે યુનોને સંદેશ આપો કે આલોકો મારા નાગરિકો નથી. એમને પકડીને તમારે હવાલે કરવાની મારી ફરજ નથી
 કે એમને અેમની પ્રવૃતિમા રુકાવટ  કરવાની મને સતા નથી. પણ તમે ધારો તો એ લોકોનો કબજો લઇ શકો' ને અનવરે હાથ ઉંચા કરી દીધા.  જવાબદાર ને જાગૃત લોકોને કોઇ ભયાનક કાવતરાની ગંધ આવી ને યુનોએ તત્કાલ પગલા લીધા. આ કાવતરા ને એના પ્રણેતાઓને રંગે હાથ પકડવા એ દુર્ગમ પહાડોમાં લશ્કર  ઉતાર્યુ.પણ લક્ષ્ય નજીક પહોચતા પહેલા એ સલામત અંતરે ઉભુ રહી ગયુ.    કાનને ફાડી નાખે એવો ભયાનક વિસ્ફોટ  થયોને  એમની નજર સામે જ કાળમીંઢ પર્વતના ટુકડે ટુકડા થઇને આભમાં ઉડયા.આજુબાજુની ધરતી ધણધણી ઉઠી. પર્વતોની શિખરો ને મોટી મોટી શિલાઓ તોતિંઘ વૃક્ષોને  જડમુળમાથી ઉખાડીને પોતાની સાથે 
ઘસડીને ખીણંમા પટકવા લાગી. એસાથે આગ સળગી. એની જ્વાળાઓ ચારેબાજુ પ્રસરવા લાગી. આકોઇ સામાન્ય આગ નહોતી.અનેક પ્રકારના ઝેરી રસાયણો નાના મોટા ધડાકા સાથે રંગબેરંગી જ્વાળા સાથે સળગી રહ્યા. આકાશમાં  જાણે રસાયણોનુ મેધધનુષ રચાયુ. હવામાં એ જ્વાળા ભળી ને એની ભયાનકતા વધી ને લશ્કર સુધી પંહોચી ગઇ. લશ્કર પાછૂ હઠવા માંડ્યુ.         ત્રણેક માસ સુધી મોતના એ ડુંગરની કોઇએ મુલાકાત નલીધી.હવામાથી રસાયણોની ભયાનકતા ઓછી થઇ પછી થોડા સાહસિકોએ માસ્ક પહેરીને એ સમયની અતિ
આધુનિક પણ અત્યારે છિન્નભિન્ન થઇ ગયેલી પ્રયોગશાળામાં ધડકતા હૈયે પ્રવેશ કર્યો.કોઇ વ્યકિત કે વસ્તુ પુરાવા તરીકે અકબંડ મળે એમ નહોતુ. જે કોઇ અહી એસમયે હાજર હશે એણે કેવીવેદના અંત સમયે વેઠી હશે એઆપ્રયોગશાળાના હાલ પરથી ચોખ્ખુ જણાઇ આવતુ હતુ.

Friday, December 9, 2016

અવશેષ ભાગ ૧

 -સમી સાંજનો સમય. સુર્યાસ્ત થવા આવ્યો હતો.સજન પોતાની ગુફા જેવા રહેઠાણમાંથી બહાર આવ્યો.સાવધાનીથી ટેકરી ચડી ઉપર સપાટ જમીન પર પગ ટેકવી ઉભો રહ્યો.ચારેતરફ રમ્ય કુદરત પથરાયેલી હતી.આસપાસની વનરાઇમાંથી ગળાઇને આવતો સુર્યાસ્તનો સોનેરી તડકો, ખળખળવહેતી નદીના સ્વચ્છજળમાં   ઉતરીજતો હતો.વનરાજીમાં ખેલતા હરણા,સસલા ને વૃક્ષો પર સંતાકુકડી રમતા ખિસખોલી જેવા નિર્દોષ પ્રાણીઓ જેને  આધૂનિક સુખસગવડ કે માણસની પ્રગતિ કે અધૌગતિ સાથે કોઇ નિસ્બત નહોતી.એ તો સદીઓથી એમ જ પોતાની મસ્તીમાં જીવતા હતા. પ્રકૃતિમાં ક્યાય વિસંવાદિતા નહોતી.કોઇ દુષ્ટ માણસનુ હદય પણ કુણુ પડીજાય એવુ પવિત્રતાસભર વાતાવરણ હતુ.              પણ સજન જેવો સજ્જન માણસ પ્રકૃતિનુ આ મનોરમ દ્રશ્ય જોઇને આનંદવિભોર થવાને બદલે ઉદાસ થઇ ગયો.એની કરુણાસભર આંખોમાંવેદના છવાઇ ગઇ.કારણકે કાલે આ સુંદર સૃષ્ટિનો અંત આવી જવાનો હતો.જેમ સુર્યાસ્ત પછીના અંધકારમાં આસુંદર સૃષ્ટિઅલોપ થઇ જાય છે એમ જ.એ અલગ વાત હતી કે બીજે દિવસે સુર્યોદય થતા ફરીથી આ સુંદરતા આળસ મરડીને બેઠી થશે. પણ માનવ સર્જિત વિનાશ????   નહિ, સર્જને પોતાની ભુલ સુધારી. આરમણિય સૃષ્ટિ તો એમ જ રહેશે.જાણે કશુ બન્યુ જ નથી.સુર્યોદય, સુર્યાસ્ત, નદીઓના વહેણ, પવનની લહેરે ઝુમતા  વૃક્ષો,  બધુ યથાવત રહેશે. માત્ર એમાં માણસ નહિ હોય.એવો માણસ કે બંધ બાંધીને  જેણે નદીઓને વહેંણને રુંધી નાખ્યા છે,પર્વતોને કોતરી નાખ્યા છે,જંગલો કાપીને ધરતીને વેરાન કરી નાખી છે,ખાણો ખોદીને  ,ઝેરી રસાયણો શોધીને હવાને પ્રદુષિત કરી છે, કુદરતનુ સંચાલન ખોરવી નાખ્યુ છે, નિર્દોષ પ્રાણીઓને પાંજરામાં પુરી સતાવ્યા છે,અકારણ યુધ્ધ છેડીને વિનાશ વેર્યો છે, રાષ્ટહિતના નામે માનવઅધીકારોનો સરેઆમ ભંગ કર્યો છે,એવો માણસ કાલે આ દુનિયામાં નહિ હોય. હા, થોડા અફસોસની વાત એ પણ હતીકે એમાં અમુક  પાપીઓના નાશ સાથે  થોદા સારા ને સજ્જન લોકો ને નિર્દોષ પ્રાણીઓ પણ હોમાઇ જવાના હતા.સામાન્ય એવુ જ બનતુ હોયછે ને કે પહેલો ભોગ આવા બેકસુર  આત્મા  જ બનતા હોય છે.પછી એ વિનાશ માનવસર્જિત હોય કે કુદરત.           એણે આંખો બંધ કરી છેલ્લી ઘડીએ પોતાના મિત્રો ને સ્વજનોને યાદ કર્યા જે કેટલાય સમય થી ભુલી ગયો હતો.એ નવાઇની વાત હતી કે એ જીવનભર સજ્જન માણસ તરિકે આળખાયો હતો ને એ રીતે યર્થાથ જિવ્યો પણ હતો.પણ આજે એનુ નામ દુનિયાના એવા સજ્જન લોકોની યાદીમાંથી ભૂસાઇ  જવાનુ હતુ બલ્કે ઘાતકી ને સંહારક લોકોની યાદીમાં ઉમેરાઇ જવાનુ હતુ. કારણ એ આજે દુનિયાનુ વિસર્જન કરવા નીકળવાનો હતો!       સજન ખરેખર તો સજ્જન જ હતો. જાતે રસાયણ શાસ્ત્રી. નોબેલ પારિતોષિક વિજેતા.દુનિયાના જે થોડા શાંતિપ્રિય ને બુધ્ધિશાળી લોકો ગણાતા એમા એનુ નામ આદરપુર્વક લેવાતુ.એઞે પોતાની શકિત,સમય, સંપતિ ને જ્ઞાનનો ઉપયોગ માત્ર પોતાના રાજ્ય માટે જ નહિ પણ સમગ્ર માનવ હિત માટે કર્યો હતો.એને વ્યકિતગત  સુખ જતુ કર્યુ હતુ.રસાયણનાનિયમો માત્ર લેબોરેટરી પુરતા મર્યાદિત ન રહેતા માણસને પણ રોજ બરોજના પરસ્પરના વ્યવહારમાં પણ કેવી રીતે લાગુ પડે એ લોકોને સમજાવ્યુ હતુ.આપણુ શરીર ને મન પણ રસાયણોનુ જ બનેલુ છે. વાત પિત ને કફ. એમની વચ્ચે સમતોલન ખસી જાય તો શરીરમાં વિસંવાદિતતા ઉભી થાય ને માણસ બિમાર પડે.માનસિક સમતુલન પણ ખોરવાઇ જાય.એની અસર એના પુરતી નરહેતા પરિવારના લોકો ને એના સંપર્કમાં બીજા લોકો ને એમ આખા સમાજને અસર થાય. એ જ રીતે માણસ માણસ વચ્ચેવિસંવાદિતતા ઉભી થાય તો લડાઇ, ઝઘડા ને છેવટે સમાજ નષ્ટ થાય. સરખા રસાયણો સુમેળ સર્જે ને વિરુધ્ધ ગુણધર્મો ધરાવતા રસાયણો વિસ્ટોજ સર્જે.એ નિયમ પ્રમાણે એ જીવ્યો હતો નેએના સહવાસમાં આવતા લોકોને સમજવા ને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.એના આવા શાંતિપ્રિય ને સમાધાન કારી વલણ ને લઇને એ 'અજાતશત્રુ' ગણાતો. એના ઉમદા સ્વભાવને લઇને પ્રજાએ એને એ નાનકડા રાજ્યનો રાષ્ટપતિ બનાવ્યો હતો.એક આશાસાતે કે એ  માત્ર એના જ નહિ પણ આખી માનવજાતને સુખશાંતિ તરફ દોરી જશે.         પણ સજનના આવા સમાધાનકારી સ્વભાવને  નબળાઇ તો નહિ પણ ઢીલોપોચો ને કાયરતા ખપાવનાર એક નાનકડો વર્ગ હતો ખરો.જેણે આ જ કારણસર એને ચુંટાવામાં મદદ કરી હતી. મતલબ એ જ આવા માણસને સતા પર બેસાડી એની આડમાં આપણા ધંધા ચલાવવાના.આપણી ઇચ્છા પ્રમાણે એણે રાજ ચલાવવાનુ.કારણ આવા શાંત માણસો જલ્દીથી કોઇ વાત નો વિરોધ નથીકરતા.ખોટુ કરતા પકડાઇ જવાય તો માફી માગી લેવાની. આવા લોકો કોઇને શિક્ષા કરવાની હિંમત નથી કરતા. મનોમન દુઃખી થાય પણ બીજાને દુઃખી  ન થવા દે.એમાં આ તો રાષ્ટપિતા ને આપણે એના બાળકો. ને ભૂલ તો બાળકો જ કરે ને. થોડા સ્વાર્થી સ્થાપિત હિતો ને ઉદ્યોગપતિઓનીઆ માન્યતા ને ગહેરી ચાલ હતી.
     સજન હજુ વહિવટ સંભાળે કે સ્થિર થાય એ પહેલા જ આ ગીધોનુ ટોળૂ આવી  પંહોચ્યુ. ' જુઓ સજન. આપણી પાસે અઢળક ખનિજ સંપતિ છે. અમને રજા આપો તો ખનિજ ઉ્દ્યોગ વિકસે ને નિકાસ કરી શકાય.લોકોને નોકરી મળે ને નિકાસથી દેશની સંપતિ વધે' જેના હાથમાં ભુસ્તરસંપતિનુ સંચાલન હતુ એણે હળવેથી પોતાના સ્વાર્થના આવરણ આડે દેશના વિકાસનુ ચિત્ર રજુ કર્યુ.  સજનનો જવાબ હતો કે જે કાઇ જમીનમાં હોય એ ખોદી કાઢવુ ને વેચી નાખવુ એ ભાવિ પેઢીને લુંટવા બરાબર છે. આખનિજ બનાવતા કુદરતને હજારો વરસો લાગ્યા છે ને તમારે એક જ પેઢીમાં ખાલી કરી નાખવુ છે?હા, જરુરી હોય એટલુ વાપરવુ એમાં ના નથી. પણ છે એટલે બસ વાપરી કાઢવુ ને પછી એ  સુખસગવડની ટેવ પડી જાય એટલે બહાર  બીજા દેશ પાસે લેવા દોડવુ. માણસની જેમ રાજ્યનો આમજ નાશ થાય  છે. ' સજનનો આવો સ્પષ્ટ જવાબ  એવા લોકોની ધારણા બહારનો હતો.આવો જ પ્રસ્તાવ લઇને  એક વગદાર કોન્ત્રાકટર આવ્યા, જુઓ, સાહેબ, અમે આપના માટે ભવ્ય  આવાસ બાંધવા માગીએ છીએ. આપના હોદાને છાજે ને દેશનુ ગૌરવ વધે'. ' ભાઇ, આપણે એવો કોઇ દેખાડો કરવાની જરુર નથી. આપણે જરુર છે સારા રસ્તાની વાહનવ્યવહાર માટે. ગરીબ લોકો માટે ઘર બનાવો, બાળકો માટે સ્કુલો, ક્રીડાંગણો, આપણે એરપોર્ટની જરુર નથી. સારા રેલ્વેસ્ટેશન ને રેલ્વેત્રેકની જરુર છે. ' એક નિરાશા સાથે એ ભાઇ વિદાય થયા. માત્ર થોડા જ ાસમયમાં સજનને આવા સ્વાર્થી લોકોનો  પરિચય થવા  માંડયો તો એવાલોકોને સજનની મક્કમતા, સત્યનિષ્ઠા ને પ્રમાણિકતા પરચો થઇ ગયો.એને મોટે ઉપાડે ચુટીકાઢનારા ને એના ગુણગાન ગાનારા એ જલોકોને એવુ લાગવા માંડયુ કે આ માણસ નેતા થાવાને લાયક જ નથી, આને તો સંત,સાધુ કે તત્વજ્ઞાની થવાની જરુર હતી.જો કે એટલે પુરતો રાજકરણી જરુર કહી શકાય કે તડ ને ફડ કરવાને બદલે હીરે મઢીને જવાબ આપતો હતો. આ નારાજ પક્ષકારોએ એને હલકો પાડવાના પેંતરા કરવા માંડ્યા.એની વિરુધ્ધ  છાનો અસંતોષ  ઇરાદાપુર્વક ઉભો કરવાામાં આવતો. એના એક વખતના સમર્થકો હવે એની નાની નાની ભુલોને  મોટુ સ્વરુપ આપીને લોકોને ભડકાવવા લાગ્યા.એટલુ જ નહિ પણ બહારના રાજ્યની સંડોવણી કરવા લાગ્યા.     એવો મોકો પણ એને મળી ગયો ને સાથે સજનની કસોટી થઇ જાય એવો બનાવ અણધાર્યો ને બહારના પરિબળથી ઉભૌ થયો. દેશની સરહદ પર વિશાળ નદીને સામે એના જેવુ રાજ્ય હતુ.એનો નેતા સરમુત્યાર હતો ને સતા ને સરહદનો  મહત્વાકાંક્ષી  હતો.એણે સજન પાસે પ્રસ્તાવ મુક્યો. ' તમારા રાજ્યમાં ખનિજસંપતિ છે જે અમારી પાસે નથી. અમને તમારા રાજ્યમાં ખનિજઉદ્યોગ વિકસાવવા દો. તમારા લોકોને રોજગારી મળશૈ ને તમને અમે કમીશન આપીશુ. ' નહિ, મને એ મંજુર નથી. તમે તો ખાણ ખોદી તમારો મતલબ પુરો થઇ જાય એટલે ઘરભેગા થઇ જાવ. જમીન બગડે, હવા પાણી દુષીત તો અમારા ને સહન કરવાનુ અમારા લોકોને. ' સજને ઇન્કાર કરી દીધો. સામેવાળો માથાનો ફરેલો ને સરમુખત્યાર, ના સાંભળવા ટેવાયેલો નહોતો. એણે બીજો રસ્તો અપનાવ્યો          વધુ આવતા અંકે

Thursday, December 8, 2016

અમૃતા ભાગ ૨

સાથે સાથે એણે અમૃતાને પણ આવા પ્રત્યાધાતોનો સામનો કરવા તૈયાર કરીહતી. સમાજનો એ તો નિયમ કે કોઇ નવી વિચારસરણી એમને એમ સ્વીકારાતી નથી. બધાને એ બંધન  તોડવુ હોય પણ હોળીનુ નાળીયેર કોક વિરલો થાય પછી બાકીના માટે રસ્તો સરળ થઇ જાય. તો સગાવહાલા ને મિત્રોના મશ્કરી મિશ્રિત અભિનંદન બધુ મનમાં સમાવી ને રાયશેઠની કાર નવવધૂ અમૃતા સાથે બંગલામાં પ્રવેશી.એના શુભાગમન નિમિતે બંગલાને શણગારાયો હતો.રસોયાએ  નવા શેઠાણીના માનમાં લાપશી બનાવી હતી. શેઠની સુચના પ્રમાણે અમૃતાએ બધા નોકરચાકરોને ભેટસોગાદ આપી ખુશ કર્યા. સહુને એના આગમનથી આનંદ થયો.    લગભગ દસેક  વાગે અમૃતા પોતાના શયનકક્ષમાં આવી.રાયશેઠ પથારીમાં બેઠા બેઠા હિસાબ કિતાબના કાગળો તપાસી રહ્યા હતા.આ  આ ઉંમરે ય એની યાદશકિત ને વિચારશકિત સતેજ હતી. શરીર પણ ઉંમરના પ્રમાણમાં નિરોગી હતુ.    અમૃતા આવી તો ખરી પણ એના પગલામાં ખચકાટ હતો.રાયશેઠ સમજ્યા. પેપર બાજુમાં મુકી િસ્મતપુર્વક એને આવકારી. બાવીશ વરસની કોડભરી યુવતીની સુહાગરાતની કલ્પના કેવી રળીયામણી હોય?એનાથી એ અજાણ નહોતા. એટલે અમૃતાની મનોદશા સમજતા હતા, એણે એને પલંગને પર બેસવા નિર્દેશ કર્યો. એ બેઠી તો ખરી પણ હવે આવનારી પળ વિષેએ વિચારી પણ નહોતી શકતી. હૈયુ જોર જોરથી ધડકી રહ્યુ હતુ.    થોડીવાર રુમમા મૌન છવાઇ ગયુ. છેવટે રાયશેઠે મૌનભંગ કર્યો.' અમૃતા. સામે દિવાલ પર જો. ત્યા મારી પત્ની દિવ્યાનો ફોટો  દેખાય છે?એ તારી જેટલી જ ઉમરે  દુલ્હન બનીને મારા જીવનમાં આવી હતી. ત્યારે તો આ ઘર મધ્યમ વર્ગનુ સીધુ સાદુ. પણ એનો  સાથ ને સમજણનો સહારો મળતા  મારી મહેનત ફળી ને સારા દિવસો આવ્યા પણ  એને ભોગવવા એ નરહી. તને એ પણ ખબર હશેકે મારા દિકરા દિકરીને ત્યા પણ વસ્તાર છેને કદાચ તારા જેવડી તો મારી પૌત્રી છે. તને એમ પણ લાગે કે ગલઢા ગાંડા થયા કે શું? પણ ખરી વાત એ છે કે મારા દિકરા પરદેશમાં સ્થાયી થયા છે ને એને વતનમા વસવાનો કે મારા ધંધામાં કોઇ રસ નથી તો એના બાળકોને આપણની શુ માયા હોય? એકાદ વાર અમે બન્ને ફરવા ને દિકરાઓના મનનો તાગ લેવા ગયેલા. જે કાઇ જોયુ મન ન માન્યુ. મહેમાન તરીકે જ રહેવાનુ. આપણુ કશૂ જ નહિ. ને હવે આપણે આઉઁમરે અપનાવી પણ શું શકીએ? બાળકો આપણી સાથે વાત પણ શૂ કરે?હાઇ હલ્લો ને બાય સિવાય ત્રીજો શબ્દ જ નહી. એમનો ય શો દોષ? દિકરા વહુ રાતવરત એના કામમાં શનિરવિમાં બાળકો સાથેના એના પ્રોગ્રામો. જેમા આપણે ભળી ન શકીએ. સારુ હતુ કે અહીબધુ અકબંધ રાખીને ગયો હતો ને પાછા આવીને સંભાળી લીધુ.પછી તો દિવ્યા પણ જતી રહી ને એકલો પડી ગયો.  મારો કારોબાર તો હજુ સંભાળી શકુ છુ પણ ભીતર ખાલી થઇ ગયુ છે.ઘરની અંગત વ્યકિતની ખોટ સાલે છે. હુ જુના સંસ્કારોમાં મોટો થયો છું એટલે ઘરનુ બહાર ખોળવા ને ઘરનુ દુઃખ બહાર ગાવામાં માનતો નથી. બીજી એક વાત સમજી લે. આઉંમરે  મને સંસારસુખની કોઇ તૃષ્ણા નથી. હુ ભરપુર જીવન જિવ્યો છું તો કોઇ તારા જેવી નિર્દોષ સ્ત્રીને મારી વાસના ખાતર ફસાવવાની હલકી રમત હરગીઝ પસંદ ના કરુ. પણ આસમાજમાં પતિ પત્નિના સંબંધ સિવાયના અજાણ્યા સ્ત્રી પુરુષના સબંધને સમાજે માન્ય નથી રાખ્યો .એમાં પણ સ્ત્રીને બહુ સહન કરવુ પડે. સામાજિક બહિષ્કાર જેવુ જ.એટલે મે લગ્ન વિષયક જાહેર આપીને આ વિવાહનુ મહોરુ તને પહેરાવ્યુ છે. કારણકે મા બહેન કે દિકરી માટે જાહેરાત ન થાય ને થાય તો કોઇ માને પણ નહિ. સત્ય એ જ કે તું મારા માટે દિકરી ના રુપમાં છે. તું હંમેશા પ્રવિત્ર રહીશ. બાકી દુનિયાને જે સમજવુ હોય તે સમજે.    અમૃતાની આંખો આનંદ નેરાહતથી છલકાઇ ગઇ. એક અજાણ્યો પુરુષ એની જીંદગીમાં આવ્યો ને એ પણ તારણહાર બની ને. હે ભગવાન, તુ કયારેક એવો ચમત્કાર કરે છે કે નાસ્તિકને ય તારુ અસ્તિત્વ સ્વીકારવુ પડે છે.   સંપુર્ણ

અમૃતા ભાગ ૧

સિંતેર વરસના નરસિંહરાયે પુનઃલગ્ન કર્યા ને  પણ બાવીસ વરસની યુવતી  અમૃતા સાથે. ત્યારે સમાજમાં તળીયેથી ટોચ સુધી ખળભળાટ મચી ગયો.વાતોનો વાયરો ચડ્યો ને ટીકા ટિપ્પણીનો વરસાદવરસ્યો.મંદિરને ઓટલે  ને પરસાળેએની પારાયણ ચાલુ થઇ ગઇ.વયસ્કો જાણે આબનાવથી ડઘાઇ ગયા હતા.' હરિ હરિ ઘોર કળજુગ આવ્યો છે.નહિતર આમાયા છોડવાને ટાણે શેઠને આવી અવળી મતિ સુઝે ખરી? ઘેર વસ્તાર છે, દિકરા, દિકરીઓને ઘેર છોકરાવ છેને શેઠને વળી પૈણ ક્યાથી ચડ્યુ હશે' જાણે પોતાનો ગરાસ લુંટાઇ ગયો હોય એમ કપાળકુટતા હતા.જો કે ઘણા આધેડો મનમાં બળતા ય હશેકે આપણને આ વયે આવુ જુવાન બૈરુ ક્યાથી મળે? તો પોતાની અરસિક ને ઘરડી પત્નિઓને જોઇ જોને થાક્યા હોય ને મનમાં હજી અભરખા રહી ગયા હોય!પણ સમાજની બીકે મનમાં સોસવાઇ રહ્યા હોય  એવા  અસંતુષ્ટ આત્માઓ પણ  જાણે નરસિહરાયે આખી સંસ્કૃતિનુ ખંડન કરી નાખ્યુ હોય એમ ઉકળતા હતા.તો કોઇ જુવાનિયા  મશ્કરીના રુમમાં ટીકા કરતા કે  આવડીલો ય હવે 'લગને લગને  કુંવારા થવા'માંડશે તો આપણે તો અત્યારથી સંન્યાસ લઇ લેવો પડશે.તો સમાજસુધારકો બીજી લાયમાં હતા.'પૈસો બોલે છે,ભાઇ, આ પૈસાને જોરે જ શેઠે કોક કોડભરી કન્યાની જિંદગી બરબાદ કરી છે. કોકની મજબુરી પર  નવો સંસાર માંડયો છે.નહિતર આવી ભણેલી ગણેલી, રુપાળી ને જુવાન છોકરી આવા ઘરડા જોડે સંસાર શું કામ માંડે?સિવાય કે કોઇ માથાની ફરેલી હોય.તરત બીજી કોમેન્ટઆવે.' ભઇ, છોકરી નાદાન હોય પણ એના માબાપને સમજ નહિ હોય? છોકરી  તો સમજો કે પૈસાની લાલચમાં આવી ગઇ હોય.તૈયાર ભાણે જમવાનુ ને મોજશોખ કરવાના. પણ માબાપને દુનિયાદારીનુ ભાન હોય કે નહિ?એનો જવાબ બીજી વ્યકિત તરત જ આપે કે કોણ જાણે માબાપ પણ આમાં શામેલ નહિ હોય?દિકરીની ઓથે ભવની ભૂખ ભાંગ
વાની આવી તક ક્યાથી મળે?એમ પણ વિચારે ને કે ડોહા હવે જીવી જીવીને કેટલુ જીવવાના?પછી  તો બધુ દિકરીનુ જ ને'!
 નરસિંહરાય ગામમાં નગરશેઠ તરીકે ઓળખાતા.બેશક પૈસા હતા ને એનો સદઉપયોગ પણ કરી જાણતા હતા,એમનુ ઉજ્જવળ ચરિત્ર
સમાજમાં ઉદાહરણ રુપ ગણાતુ એટલે  એમનુ આપગલુ વધારે વિવાદાસ્પદ બન્યુ હતું રાયશેઠ આવાત સમજતા હતા. પણ એમને કશુ છાનુ છપનુ કરવુ નહોતુ. એણે છાપામાં છડેચોક લગ્નવિષયક જાહેરાત આપી હતી, એમની શરતો ચોખ્ખી હતી. એમનો ઇરાદો સ્પષ્ટ હતો.કોઇને છેતરવાની કે હલકી રમત રમવાની મુરાદ નહોતી.એની જાહેરાતના જવાબમાં  ઉમેદવારોની વિવિધતા ય હતી. યુવાનીની 
શરુઆતમાં એકાદ બે પ્રેમપ્રકરણ ખેલ્યા પછી જીવનમાં િસ્થર ન થઇશકી હોય, ઘણીવાર  લગ્નને બંધન માનતી યુવતીઓ મસ્ત  બેફિકર જિવન માણી  પછી એકલતાથી થાકી હારીને  અમુક વય પછી સાથી શોધવા નીકળી હોય,તો થોડી ખોડખાપણધરાવતી ને કયારેક મજબુરી થી ઉંમર વીતી ગઇ હોય તો કયારેક માનવ સેવા કે વડીલોની જવાબદારી ને એવી આર્દશવાદી સ્ત્રીઓ.તો  મોટી ઉંમરની વિધવા કે એકલી સ્ત્રીના પ્રશ્રો અલગ. એમને ઉંમર પ્રમાણે વા, બીપી કે ડાયાબીટીસ  એતો શેઠની સંભાળ રાખે કે પોતાની?ઉપરાંત એમનો આગલો પરિવાર  માલ મિલ્કત માટે દાવો કરે એ પણ શક્યતા.ઝધડા ઉભા થાય ને શેઠની ઇચ્છા જીવનના  પાછલા વરસો આવા કલહ ને કોર્ટકચેરી કે વકીલોની ઓફીસમાં ધક્કા ખાવાની નહોતી. જયારે નાની ઉઁમરની ઘણી સ્ત્રીઓની નજર બહુધા  શેઠની સંપતિ પર હતી. આટલા પાત્રોમાંથી અલગ તરી આવી અમૃતા.      આમ તો એ પણ જરુરિયાત મંદ હતી.માબાપ ગરીબ હતા. મહેનત મજુરી કરીને ય એને સારુ શિક્ષણ અપાવ્યુ  હતુ ને એ હાલમાં લાઇબ્રેરીમાં નોકરી કરતી હતી. હવે માબાપ સારુ પાત્ર જોઇને વિવાહ કરવા માગતા હતા પણ અમૃતાની સમજણ પ્રમાણે અહી જ સમસ્યા ઉભી થઇ હતી.મહેનત મજુરી તો હાથપગ સાજા હોય ત્યા સુધી જ થાય બચત તો હોય જ ક્યાથી? ઉપરાંત ઉંમર વધેએમ શારિરીક ક્ષમતા ઘટે ને બીમારી પણ આવે.પોતે જો પરણીને સાસરે જાય તો જે થોડો ઘણો આર્થિક ટેકો  પણ બંધ થાય. ઘડપણમાં એનુ કોણ?    અમૃતાએ શેઠની જાહેરખબર વાંચી.એનેય  પહેલા તો હસવુ જ આવ્યુ.એક વિચાર એવો પણ આવ્યો કે આ પણ એક ખેલ લાગે છે.છતાય કુતુહલ ખાતર શેઠની મુલાકાત લેવાનુ નક્કી કર્યુ. 'ચાલ , જોઉ  તો ખરી,  આપણે ક્યા બાનાખત પર સહી કરી છે?એ બહાને શેઠનો બંગલો ને વૈભવ જોવા તો મળશે' બસ, નોકરીનુ ઇન્ટરવ્યુ માનવાનુ. બીજે જ દિવસે સરનામા પ્રમાણે પંહોચી ને રિક્ષામાથી ઉતરી. એક પળશેઠનો બંગલો જોઇ એનો વિશ્ર્વાસ ડગી ગયો. આવો બંગલો કદાચ એણે મુવીમાં જ જોયો હશે. કદાચ મુલાકાત પણ નમળે. એક મિનિટ એ અવઢવમાં ઉભી રહી.  જવુ કે ન જવુ. અંદર જવા પગ ઉપાડ્યા .  મનોમન ભગવાનને પ્રાર્થનાકરી. ફજેતીનો કોઇ સાક્ષીનહોય. દરવાજા પાસે દરવાન બેઠો હતો.સારુ હતુ કે એક દિવસ પુરતા એણે સાહેલીના સારા કપડા ઉછીના લીધા હતા. એટલે દરવાનને કામ શોધવા નીકળેલી કોઇ જરુરિયાતમંદ કે શિક્ષાવૃતિ માટે આવેલી વિદ્યાર્થીની ન લાગી. ઉપકાર કરતો હોય એમ દરવાજો ખોલ્યો ને લોન પર આરામ ફરમાવતા શેઠ અંગુલિ નિર્દેશ કર્યો. અમૃતા ચારે તરફ કાતર નજરે જોતી ને અચોક્કસપણે પગલા ભરતી આગળ વધી. શેઠનુ દ્યાન એના તરફ દોરાયુ. એણે છાપુ બાજુમાં મુકીને એને નજીક આવવા ઇશારો કર્યો.  હવે અમૃતા ને ખરેખર મુંઝવણ થઇ. વાતકે મકરવી?છેવટે પર્સમાંથી કાપલી કાઢીને શેઠના હાથમાં મુકી.શેઠે ેને સામે ખુરશીમાં બેસવા કહ્યુ.વાત શરુ થઇ. 'નામ '? 'અમૃતા'એણે નીચુ જોઇને જવાબ આપ્યો.'તારો પરિવાર'? 'જી , મારા માબાપ જે મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવે છે, મે કોલેજનું શિક્ષણ લીધુ છે ન ેહાલમાં નોકરી કરુ છુ.' અમૃતાએ જવાબ આપ્યો.' અમૃતા, તુ પગભર છે, તારા પરિવારને મદદ કરે છે તો પછી' શેઠે અદ્યાહાર રાખીને કહ્યુ.  'વડિલ,  નોકરીની એવી કોઇ મોટી આવક નથી ને હવે સમાજના નિયમ પ્રમાણે મને પરણાવીને પોતાની જવાબદારી પુર્ણ કરવા માગે છે જે વયસ્ક દિકરીના દરેક માબાપની ઇચ્છા હોય. સવાલ એ છે કે જો હું સાસરે જાઉ એટલે મારી નવી જવાબદારી ઉભી થાય ને મારા માબાપને થોડો પણ જે આર્થિક ટેકો મળે છે એ પણ બંધ થાય'એણે પોતાની સમસ્યા સમજાવી.  'તુ ં કઇ ગણતરીથી આ સંબંધ  સ્વીકારવા માગે છે. આપણે સ્પષ્ટતા કરી લઇએ' શેઠે  તટસ્થભાવે કહ્યુ. લાગણીના તાણાવાણા વણાય એ પહેલા કેટલીક વાતો જાણવી બન્ને પક્ષે જરુરી હતી.' વડીલ, મને આમાથી કાઇ મળે નમળે એની બહુ પરવા નથી. આમ પણ આટલી મોટી મિલ્કત સંભાળવાની મારી હેસિયત કે હિંમત પણ નથી. મને તો મારી નોકરી જેટલુ મળે તો  પુરતુ છે. માત્ર મારા માબાપના ભવિષ્ય માટે મને જે કાઇ મળે એ જ મારો આશય છે.હું એ લખી આપવા તૈયાર છુ કે  સમય આવશે તો હું મિલ્કતમાથી મારો હિસ્સો નહિ માગુ' અમૃતાએ પોતાનો આશય જણાવ્યો.તો પણ શેઠને પક્ષે હજુ એક સંદેહ હતો કે છોકરીના ખાતામાં રકમ જમા થઇ પછી એ છટકી જાય, ફરી જાય કે ભાગી જાય તો પોતાને તો ડોબુ ખોઇને ડફોળ બનવા જેવુ થાય.આની પાછળ કોઇ એવુ અસામાજિક તત્વ કામ કરતુ હોય તો આ છોકરીને ફસાવવાનો આરોપ  પણ આવે. આમ  જુઓ તો બન્ને પક્ષે પરસ્પરને છેતરાવાનો ભય તો સરખો જ હતો.  ' અમૃતા , તારા માબાપને તારા આ પગલા વિષે ખબર છે'?શેઠે પુછ્યુ. 'નહિ' એણે એકાક્ષરી જવાબ આપ્યો.
' છોકરી, તુ ઘેર  જા ને તારા પરિવાર સાથે વાતચીત કરીને નિર્ણય લે. કદાચ તારા માબાપ એવો પણ આક્ષેપ કરે કે મે તને ફસાવી છે કે પૈસાથી ખરીદી છે કે બળજબરી કરી છે. મારા પક્ષે તો ખાસ ગુમાવવા  નથી પણ તારી તો આખી જિંદગી બાકી છે.' શેઠેસલાહ સાથે એક વડીલ તરીકે ચેતવણી આપી. અમૃતા એ જ્યારે એના માબાપઆગળ પોતાનો આશય રજુ કર્યો તો બન્ને ઉછળી પડયા. 'છોકરી. તારી બુધ્ધિ બહેર મારી ગઇ છે ?આવા લફરામાં પડાતુ હશે?એ તો મોટા લોકો, ગમે ત કરે ને છુંટી પણ જાય ને પાછા સમાજમાં ઉજળા થઇને ફરે.જ્યારે આપણા જેવા નંગપંગ વગરના માણસો હાંસી પાત્ર થઇએ ને ગાંડામાં ગણાઇ જઇએ.'     
  ' બા બાપુજી, મે આબાબત બધો વિચાર કર્યો છે. આ બધુ જાહેરમાં, કોર્ટમાં , સાક્ષીઓની હાજરી માં જજ સમક્ષથશે. વિધિ
સરની દસ્તાવેજ પર સહીસિક્કા થશે. નજદીકના પરિવાર સાથે સમાંરભ પણ થશે. તમારા ખાતામાં રકમ જમા થશે પછી જ હુ ત્યા રહેવા જઇશ' એના પરથી એટલુ તો સ્પષ્ટ હતુ કે અમૃતાએ બહુ કાળજીપુર્વક આયોજન કર્યુ હતુ, તો પણ 'લગ્ન" શબ્દ એ હજી ઉચ્ચારતા અચકાતી હતી.   પણ માબાપનુ દિલ હજુ માનતુ નહોતુ. દિકરી માત્ર એમના માટે જ આવુ બલિદાન આપી રહી હતી!'
' દિકરી , તે હજુ દુનિયા જોઇ નથી. લાગવગ આગળ કાગળના ટુકડાની કોઇ કિંમત નથી.કોર્ટ, કચેરી ને  સાક્ષીઓ ય પૈસા આગળ વેચાઇ જાય.બીજુ કે આટલી સંપતિના અનેક વારસદાર ફુટી નીકળે. તને ક્યા ખબર નથી કે પૈસા માટે કેવા કેવા ખેલ ખેલાતા હોય છે? આપણા જેવા નોધારા માણસો તો ચપટીમાં ચોળાઇ જાય.  સંપતિ તો જાયપણ કયારેક જાન પણ જાય. ભલે શેઠને વૈરાગ્ય આવી ગયો હોય કે દિકરાઓને બતાવી દેવા  આપગલુ લીધુ હોય તો પણ એવારસદારો આટલી મોટી મિલ્કત તારા હાથમાં આટલી સરળતાથી આવવા દે? ને તને સંપતિના વહિવટનુ કોઇ જ્ઞાન કે અનુભવ છે?માબાપે એનો આક્રોશ ઠાલવ્યો, જો કે એમણે વર્ણવી એ 
શક્યતાઓ બનચાજોગ હતી. આજના સમયમાં ગરીબની ફરિયાદ કોણ સાંભળે? એમનો ભય અકારણ નહોતો પણપણ અમૃતૅ પોતાના નિર્ણયમાં અડગ હતી.તો માબાપે બળતા હૈયે કહી દીધૂ. અમે તો આમાં જરાય રાજી નથી. પણ તું ભણેલી ને અમારા કરતા વધારે સમજદાર છો. જેવી તારી મરજી'     અમૃતાએ શેઠની શરતો સ્વીકારી. કોર્ટમાં સાદાઇથી લગ્ન થયા, જો કે એ લગ્ન કરતા 'બિઝનેસકરાર' વધારે લાગતો હતો.એના પ્રત્યાઘાતરુપે સમાજ ખળભળી ગયો. છાપા મેગેઝીન ને સમાચારનો ગરમાગરમ મસાલો મળી ગયો. શેઠે બહુ શાંતિથી પત્રકારો ને સામાજિક કાર્યકરોના  સવાલજવાબ ને ઇન્ટરવ્યુનો સામનો કર્યો.કુતુહલ પ્રિય વ્યકિતઓને જવાબ આપ્યા.ઘણાએ નિંદારસ ધરાઇ ધરાઇને પીધો.ટીકા ટિપ્પણી ને મશ્કરી પારાવાર હતી.પણ એણે આવણમાગી 
પ્રસિધ્ધને હસતા હસતા સ્વીકારી લીધી.     આવતા અંકે વધારે


 

Saturday, December 3, 2016

સામાજિક સમસ્યા ૨

આપણે અગાઉ જોયુ એમ આ માત્ર જગ્યા કે પાણીના અભાવની જ સમસ્યા નથી. પણ જ્યા પાણીની છત છે ત્યા પણ આ જ સ્થિતિ છે. મુળમાં આ કામ તરફની આપણી સુગ છે.અમુક કામ હલકુ ન ેઅમુક લોકો જ કરે એવી માન્યતા ઘર કરી ગઇ છે. એટલે જ આપણી જાહેર સંસ્થાઓ, સ્કુલો, દવાખાના, રેલ્વે કે બસસ્ટોપના સંડાસ  એટલા ગંદા હોય કે એનો ઉપયોગ કરવા કરતા લોકો ખુલ્લામાં જવાનુ પસંદ કરે છે ને મોટાભાગની આ સગવડો કરવા ખાતર હોય છે. એકવાર ઉદઘાટન થઇ જાય પછી એની સાફસફાઇ કે જાળવણી થતી નથી. તો આપણા ઘાર્મિક સ્થળો ને મંદિરો બાકાત કેમ રહે?આપણી પવિત્ર ગણાતી  ને માતા તરીકે પુજાતી નદીઓને આપણે ગટરો જ બનાવી દીધી છે. એમા સ્નાન કર્યા પછી ' વૈતરણી' પાર કરવાની ન રહે. અહી જ નર્કનો સાક્ષાત્કાર થઇ જાય જો તમે સ્વર્ગ કે નરકમાં માનતા હોતો. એવુ નથી લાગતુ કે આ સ્થિતિ નજરે જોયા પછી કે આપણી પ્રાચીન સંસ્કૃતિ ને  હાલની પ્રગતિ ઉપર આ સમસ્યા એક થપ્પડ  સમાન છે???

એક સામાજિક સમસ્યા

વાંચકમિત્રો.એક એવી સમસ્યા પર આજે વાત કરવી છે જે બધાને સતાવે છે પણ એનો ઉકેલ કોઇ એક વ્યકિત,ભલે એ  આપણા  પીએમ હોય કે ખુદ ભગવાન ,એને ઉકેલી નહિ શકે એને માટે સહિયારો પુરુર્ષાથ ને ખાસ તો એની જરુરિયાત સમજવાની તૈયારી.એ વાત એવી છે કે ગરીબ કે તવંગર, નોકર કે માલિક, સાધુ કે સંસારી, અરે,દુનિયાના દરેક સજીવને સ્પર્શે છે. રોટી,કપડા ને મકાન જેટલી જ તાતી જરુરિયાત. હવે સમજ્યા? મળવિસર્જન' એક આપણા દેશને બાદ કરતા આખી દુનિયામાં કોઇ ને કોઇ સ્વરુપે એની વ્યવસ્થા કરાયેલી છે. ખબર નહિ કેમ આપણા દેશમાં કેમ આ બાબત કોઇએ કશુ વિચાર્યુજ નથી?   આમ તો આપણી સંસ્કૃતિ વિષે આપણે ગૌરવ લઇએ છીએ. હજારો વર્ષની પરંપરા. જ્યારે બીજી દુનિયા તો  અજ્ઞાન ને અંધકારમાં ડુબેલી હતી. આપણા મનીષીઓ ને આર્ષદ્રષ્ટા એમને તો આત્મા પરમાત્મા,જીવાત્માથી લઇને અવકાશ ને પેલેપારનુ સઘળુ જ્ઞાન હતુ. એમને ય આ જરુરિયાત તો હશે જ ને.  આજે ય આપણે વેસ્ટન દેશોમાં નવી શોધખોળ થાય એટલે તરત જ કહિ દઇએ કે અમને તો ખબર  જ છે. આતો અમારા ઋષિમુનિઓને ફલાણા ગ્રંથમાં લખેલુ જ છે.  વિમાન તો રાઇટ બંધુઓએ હમણા જ શોધ્યુ. અમારે તો રામના વખતમાં ય પુષ્પક વિમાન હતુ. એ તો અમારા શાંતાક્રુઝ એરપોર્ટ પર પાર્ક કરેલુ જ હતુ. આવી તો અનેક વાતોના સાચા ખોટા બણગા આપણે ફુંકીએ છીએ. પણ એક પાયાની જે જરુરિયાત વિષે આપણા  એ મનીષીઓએ શું  વ્યવસ્થા વિચારી હતી એ તો કોઇ કહેતુ નથી. આપ્રશ્ર્ન અત્રતત્ર સર્વત્ર  નજરે પડે છે ને વિચારીએ છીએ ત્યારે માથુ શરમથી ઝુકી જાય છે. રોજ સવાર પડે ને બધાને આસવાલ સતાવે છે ને કોઇ પાસે એનો ઉકેલ નથી. આપણા ભુતકાળમાં જ્યારે વસ્તી ઓછી હતી ને ખુલ્લી જમીન,ખેતરો,જંગલો  હતા ત્યારે આસમસ્યા એટલી ગંભીર નહોતી લાગતી. લોકો આવળબાવળ, નદીના કોતરો, ખેતરો વગેરેનો સંડાસ  તરીકે ઉપયોગ કરતા. પછી તો વસ્તીવધારો થતો ગયોને જમીન તો એટલી જ રહી. પાણીનો વપરાશ વધ્યો પણ એનો  યોગ્ય ઉપયોગ કરવાની વિચારસરણી કોઇને નસુઝી. પાણીનો બગાડ અટકાવવાનિ કે એને શુધ્ધ કરીને ફરી ઉપયોગમાં લઇ શકાય એવી સમજ જ નહોતી. પરિણામે વરસાદ પુષ્કળ હોય ત્યારે નુકશાન થાય, ખાસ તો ખેતીને.વરસાદ ઓછો કે નહિવત હોય  ત્યારે પાણીના વલખા. પણ પાણીને બચાવી શકાય કે સંગ્રહ કરી શકાય એવુ કોઇ વિચારેનહિ.    પછી તો ખેતર ઓછા થતા ગયા, જંગલોને ઝાડીઓ કપાઇ ગઇ, ખુલ્લી જમીનોમાં કારખાના ને ઉદ્યોગો ઉભા થયાને આસમસ્યા નજરે ચડવા લાગી. લોકો ને ખાસ તો બૈરાઓને માટે આસમસ્યા વધારે કઠીન બની. રાતવરત ને મકાનોની આડશ કે આવળબાવળની ઓથ એ જ ઉગારો. થોડી ઘણી સગવડવાળા લોકો પાસે ઘરમાં સંડાસ બાથરુમ સગવડ હોય પણ એની સાફસફાઇ માટે સમાજનિયુકત કામદારનો જ આધાર. બાકીના ત્રણેય જાતિ  શુદ્રો પર આજવાબદારી છોડીને નિર્ભર થઇ ગયેલા.પોતાના સંડાસ ધોવા એ પણ શરમજનક!આપણી કહેવાતી પ્રગતિ પછી પણ દેશના મોટા ભાગના લોકો પાસે હજુ પણ યોગ્ય વ્યવસ્થા નથી. આજની વીસમી સદીમાં!આએ જદેશ છે જ્યા વડિલોની હાજરીમાં લાજનો ઘુંધટ તાણવાને મર્યાદા કહેવાય છે. ન કાઢનાર વહુને બેશરમ ને નફ્ફટ કહેવાય છે. એ જ વહુ અને જુવાન બેનદિકરીઓને ખુલ્લામાં હાજતે જાવુ પડે એ કોઇને શરમજનક કે વિચારવા જેવુ લાગતુ નથી. છે કોઇ ઉકેલ?