Saturday, August 19, 2017
આઝાદી
હમણા પંદર ઓગષ્ટ ગઇ. વિદેશી શાસનનો અંત. આઝાદી! વિચારીએ આ દિવસે કે ખરેખર આપણે આઝાદ થયા છીએ? એવુ સ્પષ્ટ લાગે છે કે આઝાદી દેશના લાખો લોકોને પહોંચી નથી કે સમજાઇ નથી. કારણ કે આગુલામી માત્ર અગ્રેજી શાસન પુરતી જ નથી. હવે જેને ગુલામી શું છે? એ જ ખબર ન હોય તો આઝાદી શું છે કે એની કિંમત કયાથી સમજાવાની? કારણ એમના જીવનમાં કોઇ ફરક નથી પડ્યો. આટલા વરસોના સ્વદેશી શાસન પછી પણ રોટલા ને ઓટલાનો સવાલ તો ઉકેલાયો નથી. આમ જુઓ તો દુનિયાના બધા જ સમાજમાં નેવુ ટકા બહુમતી પર દસ ટકા લઘુમતી રાજ કરતી આવી છે. પછી એ બુધ્ધિબળ હોયકે સતા કે સંપતિ કે ધર્મ. સદીઓથી આપણા જનજીવન પર ધર્મની અસર રહી છે. આપણા જીવનમુલ્યો જેવાકે દયા, શાંતિ, સુલેહ, સમાધાન, શ્રધ્ધા. પણ આ જ મુલ્યોનો અતિરેક થાય કે એની આડમાં દંભ ઉભો થાય ત્યારે એ જ ગુણો અવગુણ બની વિનાશ નોતરે છે. સમાધાન કે શાંતિ સારી વસ્તુ છે પણ એનો અતિરેક કાયરતા બને છે. આ ને કારણે જ આપણે ઘણા પરદેશી શાસનોના શિકાર બન્યા છીએ.' કજીયાનુ કાળુ મોં' શ્રધ્ધાનો અતિરેક પ્રમાદ નોતરે છે. ' યથા યથા ધર્મસ્ય ગ્લાની ભવતિભારતમ,સંભવામિ યુગે યુગે' બસ આશબ્દોને પકડીને આપણે આકાશ તરફ મીટ માંડીને બેસી રહીએ છીએ. અન્યાય સામે અવાજ ઉઠાવવાને બદલે' ભગવાનને ત્યા દેર છે પણ અંધેર નથી, એના કર્યા એ ભોગવશે', પાપનો ધડો ભરાશે ત્યારે ફુટશે'. આવા ઠાલા દિલાસા લઇને નિષ્ક્રિય બેસી રહીએ છીએ. આજે પણ ભગવાન નહિ તો સરકાર પર બધુ છોડી બસ બધા અગવડ કે અભાવ માટે ફરિયાદ કરીએ છીએ. કયારેક વધારે જાગી! જઇએ તો આંદોલન, ઉપવાસ એટલે કે ત્રાગા, કે હડતાલનો આશરો લઇએ છીએ. મોટે ભાગે તો આવા આંદોલનોમાં જાગૃતિ કે સમજણ કરતા અસામાજિક તત્વોનો હાથ હોય છે તો કવચિત અસંતુષ્ટ રાજકરણી પણ હોય છે. એમાં કશુ પામવા કરતા સમાજને ગુમાવવાનુ જ હોય છે. કારણ જાહેર મિલ્કતોને નુકશાન, માલમિલક્તની તોડફોડ,જનજીવન ઠપ્પ થઇ જાય, લોકોની રોજગારી બંધ થાય. આજને તબ્બકે પણ કહેવાતા નાગરીકોને અસરકારક તરીકાથી પોતાના સવાલને પેશ કરતા આવડતુ નથી. લોકશાહીની પાયાની જરુરિયાતએ કે દરેક નાગરીકની ફરજ કે જવાબદારી હોય છે. માત્ર હક જનહી. સગવડ ઉભી કરવા પૈસા જોઇએ. જો આપણે કરવેરા ન ભરીએ તો સગવડ ક્યાથી થવાની? એક સાદુ ગણીત. આટલા વરસો પછી પ ણ આ દેશના નાગરીકોને સમજાયુ નથી. જાહેર મિલ્કત બધાની જવાબદારી છે એને જાળવવાની. પણ આ સત્ય કોઇને સમજાતુ નથી એટલે તો આપણા મંદિરો, નદીઓ, શેરી, ગામ, શૌચાલયો અરે આખો દેશ એક વિશાલ ઉકરડો બની જાય છે. ' કોના બાપની દિવાળી અથવા સહિયારી સાસુની ઉકરડે મોકાણ' આવો ઘાટથાય. બીજી એવી જ કમનસીબી કે આપણે ધર્મ, જાતિ,જ્ઞાતિ, ભાષાની અલગતામાં એવા ફસાયેલા છીએ કે એક સમગ્ર દેશના નાગરીક તરીકે વિચારી શકતા જ નથી. આપણી આવી ફુટફાટનો ગેરલાભ બઘા જ આક્રમણકારોએ ઉઠાવ્યો છે. આજે પણ બિહારી મહારાષ્ટમાં જાય કે ગુજરાતી મદ્રાસમાં જાય કે પંજાબી યુપીમા જાય એને એક ભારતીય તરીકે નહિ પન જેતે રાજયના માણસ તરીકે જોવાય છે ને અણગમતા અતિથિ જેવો કે અન્યાય પુર્ણ વ્યવહાર થાય છે. નોકરીધંધામાં ભેદભાવ ને કનડગત થાય છે. વિચારીએ કે એ વીર શહીદોએ જે માનસિક ને શારિરીક યાતના વેઠી હશે ને જેના બલિદાન થકી આપણે આઝાદ થયા એ લોકોએ શુૂ માત્ર જે તે રાજ્ય કે જાતિ,જ્ઞાતિ વિષે જ વિચાર્યુ હશે?વિધીની વક્રતા તો જુઓ કે આ અલગતાવાદ ઘટવાને બદલે વકરતો જાય છે. રોજ નવા અલગ રાજ્ય માટે કે અનામતના બહાના નીચે નવી જ્ઞાતિકે જાતિની માગણી ને આંદોલન ફુટી નીકળે છે. ખરેખર આપણે કણકણમાં વેરાઇ ગયા છીએ. એટલે તો ત્રેત્રીસ કરોડ દેવો ય આપણને ઓછા પડે છે. રોજ એક નવી માતા કે દેવી પ્રગટ થાય છે ને એક નવો ધર્મ, નવી જાતિ, તો નવા રાજકીય પક્ષો ને નવા નેતાઓ ભારતમાતાની અંખડ ચુંદડીમાં ચીરા પાડતા જાય છે. ખરેખર આપણે આઝાદીને લાયક છીએ? એક ઓર વાત. દેશમાથી આવેલા આપણા શિક્ષીત ને જાગૃત નાગરીકો! અહી આઝાદી નિમિતે પરેડ તો કાઢે છે પણ એમાં નેતા નહિ પણ અભિનેતાની આગેવાની હોય છે. એટલા પુરતુ ય જો પ્રજા હાજરી આપે તો. ને આપણા સ્વભાવગત સંસ્કારો પ્રમાણે એમા પણ આયોજકો વચ્ચે ઝધડા ચાલતા જ હોય છે.
Saturday, August 5, 2017
મહાભારત ભાગ ૨
મહાભારતનુ મુખ્ય ને મહાનાયક કૃષ્ણ જેને આપણે હવે ભગવાન બનાવી મુર્તિસ્થાપીને મંદિરમાં કેદ કરી દીધા છે. પુજા કરી સંતોષ માન્યો છે એના ચરિત્રને સમજીએ તો એવુ લાગે કે એણે પાપીઓને જે સજાકરી એમાં એનો કોઇ વ્યકિતગત સ્વાર્થ કોઇપણ જગ્યાએ નથી. એણે માત્ર માનવમુલ્યોની રક્ષા માટે જ સત કહોકે અસતનો આશ્રય લીધો છે. એણે ક્યાય ગાદી કે સતાનો મોહ કે પદવીનો આગ્રહ રાખ્યો નથી. પરાજીત રાજા કે સતાધારીને પદભ્રષ્ટ કરીને એના લાયક વંશવારસને સતા સુપ્રત કરી છે. દ્વારીકા વસાવી પણ સતાધારી નથી બન્યા. એટલે એ હંમેશા મુક્ત રહ્યા છે. અત્યારસુધીના રાજકરણીઓમાં એકમાત્ર ગાંધીજી એમને બરાબર સમજ્યા હોય એમ લાગે છે. બીજી વાત એ કે મહાભારત વેર ને બદલાની પરંપરા છે. જુઓ કે બ્રાહ્મણો ને તપસ્વીઓનો ધર્મ ક્ષમા કરવાનો. ક્ષત્રિયનો ધર્મ પ્રજાનુ રક્ષણ કરવાનુ. પોતાના ધર્મનુ પાલન કરતા જતા મૃત્યુ આવે તો પણ આવકારદાયક છે. એનુ ઉદાહરણ દ્રોણ, એનો ધર્મ શિક્ષણનો. પણ માત્ર વેરની આગમાં લગભગ અંધ બનીને દ્રુપદનો વધકરાવે છે ને એનાથી આગળ એના પુત્ર અશ્ર્વત્થામાને વેરનો વારસો આપતા જાય છે. એ જરીતે એના પક્ષપાતને કારણે જ અર્જુન અને કર્ણને હાડોહાડ વેર ઉભા થાય છે. તો ભીમ ને દુર્યોધન, દુશાઃસન સાથે વેર એનો અંજામ સમસ્ત કૌરવવંશનો વિનાશ સર્જે છે. કદાચ માનવસ્વભાવનુ કે માનવસહજ નિર્બળતાનુ ઉતમ ઉદાહરણ આ કથામાં છે. માનવએની ઉત્પતિથી માંડી આજની ઘડી સુધી લડતો જ આવ્યો છે. પોતાની શારીરિક, આર્થિક ને માનસિક સલામતી માટે. કયારેક કથિત ભય સામે તો કયારેક સરસાઇ માટે. કયારેક માન અપમાનના બદલા માટે.આપણા ઘરમાંજ આ ભાવિના પગરણ મંડાઇ જાય છે જેને ભાંડુ વૈમનસ્ય કહેવાય છે. વ્યકિત તરીકેની અલગ પહેચાન માટેનો આ સંર્ધષ મહદઅંશે સમજણ આવતા ઓછો થઇ જાય છે તો એવા સંજોગો આવે તો વકરે પણ છેને ઘરમાંજ મહાભારત ને કુરુક્ષેત્ર ઉભુ થાય છે. આ જ વસ્તુ સમાજ, જ્ઞાતિ, જાતિ, રાજકીય પક્ષો, ધર્મના વાડા ને દેશ દેશ વચ્ચેના સંધર્ષને પણ લાગુ પડે છે.માણસને જ માણસ નડે છે. કમનસીબે આ વેર વ્યકિત, સમાજ ને દેશને કયારેક વારસામાં મળે છે.જેટલો અહમ વધારે એટલો પરાજય પણ પીડા જનક. ખાસ કરીને લડાયક કોમમાં જ્યા કહેવાય કે બાપના વેરનો બદલો એ જ સાચુ તર્પણ. એ સિવાય પુર્વજોનો આત્મા ભટકતો રહે. આવા વેરની વસુલાતોમાં પેઢીઓ ખતમ થઇ જતી હોય છે.આપણા દેશની વાત લઇએ તો આઝાદીની સાથે જ ભાગલાએ વેરની એવી ભેટ આપી કે આટલા વરસો બાદ પણ એ આગ શમી નથી. આજે દુનિયાના લગભગ મોટાભાગના દેશોને આ સરહદનો સંધર્ષ સતાવે છે. આજે પણ અશ્ર્વત્થામા જીવે છે. એના હાથમાં બ્રહ્માસ્ત્ર છેએટલે કે અણૂબોંબ છે ને એ કોઇને શાંતિથી સુવા દેતો નથી. કદાચ એ ભયથી જ માણસ ચુભાઇને મને કમને શાંતિ ને સુલેહનુ નાટક કરી લેછે
Thursday, July 6, 2017
મહાભારતને રામાયણ
આપણા બે મહાનગ્રંથ રામાયણ ને મહાભારત. આ સિવાયના વેદ,પુરાણ, ઉપનિષદ ને બીજા અનેક ગ્રંથો છે.પણ આ બે ગ્રંથોની જનજીવન ઉપર જે અસર છે એ આજે પણ ઓછી નથી થઇ. રામાયણ એ સંયુક્ત પરિવારની કથા છે જ્યા સામાન્ય માનવ સહજ નબળાઇ નિંદા કુથલી ને ચાડીચુગલી પણ છેજેનાથી ઘડીભર તો પરિવારની અખંડિતતા જોખમમાં આવી જાય છે પણ પરસ્પરનો સ્નેહ ને ત્યાગ કરવાની સમજણથી પરિવાર બચી જાય છે. એ આપણા સયુંકત પરિવાર માટે મિશાલ બની રહે છે. જ્યારે મહાભારત એ બે પિતરાઇ પરિવાર વચ્ચે સતા ને સંપતિ હક માટેની સાંઠમારી છે.મહાભારતની કેટલીક વસ્તુ આપણી નજરમા આવે છે ને એણે આપણા જનજીવન ને સમાજની વિચારસરણી પર બહુ મોટી અસર કરી છે. મહાભારતના મોટાભાગના ને મુખ્ય પાત્રો જપ,તપ,મંત્ર કે દેવદેવીઓની કૃપા,કે યજ્ઞનુ પરિણામ છે. ભીષ્મ ગંગાપુત્ર. નદી એક અમાનુષી તત્વ. વ્યાસના જન્મની એવીજ કહાણી. પાંડુ ને ધૃતરાષ્ત્ર વ્યાસની કૃપાનુ પરિણામ, તો સો કૌરવ જો કુદરતી ગણો તો એક સ્ત્રી સો વખત માતૃત્વ ધારણ ને પહેલા ને છેલ્લા સંતાન વચ્ચેનો ઉંમરનો તફાવત! તો પાંડવો જુદા જુદા દેવોનુ વરદાનનુ ફળ. કર્ણ સુર્યપુત્ર.તો દ્રૌપદી ને ધૃષ્ટધ્યુન બન્ને યજ્ઞનુ ફળ.બીજુ એ કે લગભગ બધા જ પાત્રો સાથે કોઇને કોઇ ઋષિમુનીઓનો શાપ કે વરદાન જોડાયેલુ છે. જાણે ઋષિમુનીઓને આસિવાય કશુ કરવાનુ જ ન હોય.હવે સમાજમાં જુઓ કે આટલુ શરીરવિજ્ઞાન વિકસ્યુ છે તો પણ મોટાભાગના હજુ પણ લોકો પુત્રપ્રાપ્તિ માટે સાધુબાબા કે કહેવાતા ચમત્કારીક લોકોના પગ પકડે છે. વ્રત.ઉપવાસ ને યજ્ઞ કરે છે. ત્યા સુધી તો ઠીક પણ અબુધ લોકો આવા સાધુના ચરણોમાં પુત્રપ્રાપ્તિની લાલચમાં યુવાન પુત્રવધુને ધકેલી દે છે. બાબા કદાચ વ્યાસમુનિનો અવતાર હોય!. બીજુ આ શાપની બીક એવી ઘુસી ગઇ છે કે આપણે આવા બાવાઓની ધતિંગ લીલા જાણીએ તો પણ એની સામે પડવાની હિંમત કરી શકતા નથી. પછી જુઓ કે આ આજ્ઞાંકિતતાએ મહાભારતમાં પરિવારનો કેવો દાટ વાળ્યો છે. શાંતનુ એની માયા છોડવાની ઉંમરે વિષય વાસનામાં લપટાય છે. આવા રાજા ને આવા પિતા! જે યુવાન દિકરાનુ સંસારસુખ છીનવી લે? દિકરાના ત્યાગ ઉપર પોતાની વાસના સંતોષે?તો સામે ભીષ્મે માત્ર સંસારસુખ જ નહિ પણ નવીમાતાના સંતાનો માટેનો સતાનો અધિકાર માન્ય કરી સતાત્યાગની સાથે રાજગાદીને વફાદાર રહેવાના શપથ લીધા ને નિભાવ્યા. પરિણામ! એ જ પ્રતિજ્ઞાએ એમને અન્યાય ને અસત્યને પક્ષે રહીને પોતાના જ પૌત્રૌ સામે લડવા મજબુર કરી દીધા. ગાંધારી એક અંધ જ નહિ પણ એક મોહાંધને સતીત્વને નામે જીવન સમર્પિત કરે છે. જાણીજોઇને અંધ થાય છે. શું અર્થ હોઇ શકે આવા ત્યાગનો? ને છેવટે એ પણ મોહાંધ બની કૌરવોના મૃત્યુ માટે કૃષ્ણને જવાબદાર માનીને શાપ આપે છે. તો યુધિષ્ઠીર કૌરવોની કપટલીલા ને કાકાનો પુત્રમોહ ને લાલચુવૃતિને બરાબર જાણે છે.પણ માત્ર વડીલ છેએજ વાત પર બાકીના ભાઇઓને સમજાવી લે છે. ભાઇઓ પણ વડીલબંધુ સામે અવાજ ઉઠાવતા નથી. સાચા ને ખોટાનો ભેદ બધા સમજે છે પણ એને સ્પષ્ટ કહેવાની હિંમત નથી. આનૈતિક હિંમતને અભાવે રણભુમિ સર્જાય છે. માત્ર કુરુક્ષેત્રમાં જ નહિ પણ આજે પણ વડીલશાહીના જમાનામાં સંતાનો માબાપની આમન્યા તોડીને એમને કઠતા નિયમો કે અન્યાય સામે બોલી શકતા નથી. પરિણામ કયારેક કુટુંબકલેશ તો પરિવાર વિખરાઇજાય ને જીવનભરના અબોલા ય થઇ જાય. તો એનાથી ય કરુણ તો માબાપ કયારેક યુવાન સંતાનને કાયમ માટે ગુમાવે. સમય આજે થોડો બદલાયો છે. એક અૌર વાત કે વાણી ને પાણીનો વ્યય સમસ્યા સર્જે. એ આપણને દ્રૌપદીનુ પાત્ર શીખવે છે. આ બધા 'અતિ'સાથે સહદેવનુ અતિજ્ઞાન મુશ્કેલીના સમયે મદદરુપ થવાને બદલે પીડાજનક બની રહે છે. એ દ્યુતનુ પરિણામ અને દ્રૌપદી વસ્ત્રહરણ બન્ને પ્રસંગો જોઇ શકે છે પણ વચનની મર્યાદાને કારણે વગર પુછ્યે કહી શકતો નથી. અહી પણ એને નાનો ગણીને એની સલાહલેવાનુ મોટા ભાઇને જરુરી લાગતુ નથી. કેટલીય પ્રતિજ્ઞાઓ, વેર, ને આ બધા અતિનો સરવાળો કુરુક્ષેત્રના મેદાનમાં ટકરાય છે. કદાચ એને પહેલુ વિશ્ર્વયુધ્ધ કહી શકાય.
Tuesday, June 27, 2017
દિક્ષા
આપણા ધર્મમાં ત્યાગને બહુ મહત્વ અપાયુ છે. સંસાર છોડી ભગવા પહેરી માળા ફેરવતા ને બેચાર ફિલોસોફીના એના જ ગાણાગાવાના. સંસાર અસાર છે. મોહમાયા છોડો. બધુ છોડી ને પ્રભુભજન કરો. ભવનુ ભાથુ બાંધો. વગેરે. સામાન્ય લોકો અહોભાવથી માથુ નમાવે, એના ચરણમાં ભેટરુપે કશુક અર્પણ કરી પુન્ય કમાવાનો સંતોષ લે.સમાજ, પરિવાર ને માબાપ આવા સંન્યાસ લેનાર માટે ગૌરવ અનુભવે.
વિચારતા એવુ લાગે કે આપણે ભળતે રસ્તે ચડી ગયા છીએ. ત્યાગ સંસારનો નહિ પણ આપણા મનમાં રહેલા સંસારનો કરવાનો છે. એટલે કે લોભ, લાલચ, કોધ્ર વગેરે વૃતિઓનો કરવનો છે. જેના મનમાં આવી માનવસહજ વૃતિ ઉપર કાબુ રાખવાની શકિત છે. એ સંસારી સાધુ છે. એને ભગવા પહેરવાની જરુર નથી. બાકી જેના મનમાં સંસાર રહી ગયો છે એ જંગલમાં જાય કે હિમાળે. એની વૃતિ જેવુ વાતાવરણ ખોળી જ લે છે. ઘર છોડી આશ્રમો ઉભા કરે છે. સંતાનો ને પરિવાર છોડી ચેલા ચેલીઓની લંગર ઉભી કરે છે. ઉપરથી કલ્ેેવર બદલાય છે પણ અંદરનો સંસાર અકબંધ રહે છે. એમાથી અનેક આશારામ જેવા પાંખડી પેદા થાય છે. ધર્મ વગોવાય છે. સમાજમાં સડો પેસે છે. જોવાનુ એજ કે આવા અનિષ્ટને પેદા કરનારા ને પોષનારા ને એનો બચાવ કરનારાઓની ફોજ મોટી છે. સત્ય સામે આંખમિચામણા કરનારા આવા દંભીઓને છારવે છે ને આડકતરીરીતે ઉતેજન આપે છે
આપણા ધર્મમાં સમાજરચના કરનાર મનીષીઓએ વિચાર પુર્વક આ માળખુ બનાવ્યુ હતુ. કે માણસ ચાર ઋણ લઇને અવતરે છે. સમાજને સારી રીતે ચલાવવા ને સમાજના દરેક સભ્યને વિકાસની તક મળે માટે ચાર આશ્રમ ચાર અવસ્થા ને એને અનુરુપ કર્તવ્ય. એ જ રીતે ચાર ઋણ. જન્મદાતા માબાપ બાળકનુ પાલનપોષણ કરે, મુળભુત સામાજિક રીતભાત શીખવે. પછી વિદ્યાભ્યાસ માટે ગુરુના આશ્રમ કે આજના સમયમાં નિશાળે જાય. આ વિદ્યાલયો એમને ભાવિજીવન માટે તૈયાર કરે. સારા નાગરીક ઉપરાંત ભવિષ્યમાં આજીવિકા રળવાના રાહ બતાવે. એરીતે વ્યકિત ગુરુ ને માબાપનો ઋણી બને. અભ્યાસ પુરો થાય એટલે ગુરુદક્ષિણા કે ફી ચુકવે ને સમાજમાં જવાબદાર સભ્ય તરીકે દાખલ થાય. પરણે, સંસાર વસાવે, પોતાના પરિવાર તરફનુ ઋણ. ભાવિ પેઢીને તૈયાર કરે ને માબાપની સંભાળ લે. એબીજુ ઋણ. માણસ એમાથી મુક્ત થાય. એટલે સમાજનુ ઋણ ચુકવવાનો વારો. જે સમાજને એને માણસ બનાવવા ફાળો આપ્યો છે એ સમાજને મદદરુપ થવાનુ. સામાજિક સંસ્થાઓમાં માનદ સભ્ય તરીકે એવા આપવાની. પોતાના જ્ઞાન ને અનુભવનો લાભ નવી પેઢીને આપવાનો ને જરુરિયાત મંદને મદદ કરવાની.ચોથુ ઋણ પોતાની જાત પ્રત્યે. હવે એ વૈરાગ્ય લઇને કોઇ એકાંત સ્થળે કે વનમાં જાય. સમાધિ,જપ તપ કરીને પોતામાં મગ્ન રહે. પોતાના ક્ષેમકુશળનો બોજો સમાજ પર ન નાખે.
હવે આ ચાર અવસ્થા ને એના કર્તવ્યને ઠુકરાવી માણસ ગમે તે કારણથી સંસારત્યાગ કરે ત્યારે સમાજવ્યવસ્થાનુ સંતુલન તુટે છે. કારણ સમાજ એક સાંકળ છે. એકબીજાના સહકારથી ટકી રહે છે. સવારના ઉઠીને ગણવાની શરુઆત કરીએ. આપણા ભાણામાં આવતુ અનાજ. દુધ, શાકભાજી, આપણા કપડા, રોજબરોજની અસંખ્ય ચીજો, એ આપણી આસપાસના સમાજના દ્રશ્ય કે અદ્રશ્ય અનેક લોકોની મહેનત ને આભારી છે. જેનો આપણે ભાગ્યે જ વિચાર કર્યો હશે. એટલે કે જીવનને ટકાવી રાખવા ને સરળતાથી ચલાવવા સમાજના દરેક સભ્યે પોતાનુ કર્તવ્ય એટલે કે અવસ્થા પ્રમાણે ફરજ કહો કે ઋણ અદા કરવુ જોઇએ.
હવે સમાજના ઉત્પાદક સભ્ય થવાના સમયે કોઇ યુવાન કે યુવતી દિક્ષા કે સન્યાસ વૈરાગ્યના અંચળા નીચે અપનાવે ત્યારે આ સાંકળ તુટે છે. માણસનો જન્મજાત કે આત્મપ્રેરણા યુક્ત વૈરાગ્ય એ અલગ વાત છે. આમ પણ આ દરેકનો વ્યકિતગત સવાલ ને જવાબ છે. પણ જ્યારે માત્ર સાંસારિક જવાબદારી કે કોઇ વ્યકિતગત સમસ્યા ઉભી થાય ત્યારે એનો સામનો કરવાને બદલે બીજા ઉપર બધૂ ઢોળી વૈરાગ્યના અંચળા નીચે નાસી જવુ એ પલાયનવાદ છે. આવો વૈરાગ્ય સમાજ ને માણસ પોતાના બન્ને માટે ઘાતક નીવડે છે. આને કારણે સમાજના ઉત્પાદક સભ્યો પર વધારાનો બોજ આવી પડે છે.
કારણ આવા કહેવાતા વેરાગી સંસારીઓના ભાણામાથી, અરે કયારેક એના બાળકોના મો માથી કોળીયો છીનવી લેછે. મહેનત કરીને માંડ બે ટંકનુ રળતા શ્રમજીવીઓને ટાણેકટાણે આવી ચડતા આવા મફતિયાને મનેકમને રોટલાનો ટુંકડો ધરવા પડે. દયા સમજીને.વૈરાગ્યમાં જયારે દંભનો અતિરેક થાય ત્યારે સમાજમાં કેવી અરાજકતા થાય એ તો આપણા દેશમાં રોજ અનુભવીએ છીએ. જીવનજરુરિયાતની ચીજવસ્તુની અછત, બેકારી, ઠેર ઠેર સાધુબાવાની જમાતો, રોજ નવા મંદિરો ને નવા ભગવાનનો ઉદભવ, કામ કે ફરજ તરફ બેદરકારી, નાની મોટી દરેક સમસ્યા માટે આવા બાબા કે દેવદેવીની માનતા, વૈજ્ઞાનિક અભિગમનો અભાવ. આજે ધર્મ કે એના નામે ચાલતો સૌથી નફાકારક ધંધો છે. એને સરકારના કાયદા કાનુન નડતા નથી. કારણ એને ઉપરવાળા તરફથી પરમીટ મળી ગઇ છૈ ને સમાજના અબુધો એનો ભાર વહન કરવા તૈયાર છે. આપણા દેશમાં મકાન કરતા મંદિરો વધારે છે. ઉત્પાદક સભ્યો કરતા આવા બિનઉત્પાદક સભ્યો વધારે છે. એવા સમાજની પ્રગતિ વિષે શું આશા રાખી શકાય?
પછી જુઓ કે આવા સંસારત્યાગીઓને નિભાવવાના તો સમાજે. સંસારને અસાર માનનારા ને શરીરને નાશવંત માનનારા જરુર પડે ત્યારે પાછા આઇ સીયુ માં દાખલ થઇજાય ને દવા ને દાકતરને શરણે જીવ બચાવવા દોડે. એનો ડ્ેસકોડ કેક્ષેમકુશળ સંસારીઓની ઉપર.
આનો એક ઉપાય. કે દિક્ષા લો કે સંન્યાસ. તમારી મરજી. આમ પણ તમે સંસારનુ ઋણ ચુકવ્યા વિના દેણદારની જેમ ભાગી ગયા છો એટલે તમને મોક્ષ કે નિર્વાણ મળશે કે કેમ,એ પણ આશંકા છે. પણ કમસે કમ વધારે ઋણી તો ન બનો. તમારો મોક્ષ તમને મુબારક. સંસારી ઉપર ઘણો બોજો છે. સરકારના કરવેરા, પોતાના બાળકોને તૈયાર કરવા,વડીલોની સારસંભાળ ને ઉપરથી તમારા મોક્ષ!નો કરિયાવર.
એવુ કરો કે વૈરાગીનુ અભયારણ બનાવો. આમંદિરો ને દેરાસરો ને એવા સ્થાનો ઉભા કરવા કરતા સંસાર ને દુનિયાથી દુર કોઇ એકાંત સ્થળે તમારી અલગ વસાહત બનાવો. વસ્તીમાંઆવવાનુ જ નહિ. આમ પણ સંસાર તો તમારે માટે વર્જય છે. એના મોહમાંથી બચવા તો તમે ભાગી નીકળ્યા છો. તો તમારા ક્ષેમકુશળની જવાબદારી જાતે જ ઉઠાવો.કમસે કમ સમાજના ઉત્પાદક સભ્યો પર બોજો તો ન બનો. આ મારી દરેક સાચા કે ખોટા વેરાગીને પ્રાર્થના છે. વિમળા હિરપારા
વિચારતા એવુ લાગે કે આપણે ભળતે રસ્તે ચડી ગયા છીએ. ત્યાગ સંસારનો નહિ પણ આપણા મનમાં રહેલા સંસારનો કરવાનો છે. એટલે કે લોભ, લાલચ, કોધ્ર વગેરે વૃતિઓનો કરવનો છે. જેના મનમાં આવી માનવસહજ વૃતિ ઉપર કાબુ રાખવાની શકિત છે. એ સંસારી સાધુ છે. એને ભગવા પહેરવાની જરુર નથી. બાકી જેના મનમાં સંસાર રહી ગયો છે એ જંગલમાં જાય કે હિમાળે. એની વૃતિ જેવુ વાતાવરણ ખોળી જ લે છે. ઘર છોડી આશ્રમો ઉભા કરે છે. સંતાનો ને પરિવાર છોડી ચેલા ચેલીઓની લંગર ઉભી કરે છે. ઉપરથી કલ્ેેવર બદલાય છે પણ અંદરનો સંસાર અકબંધ રહે છે. એમાથી અનેક આશારામ જેવા પાંખડી પેદા થાય છે. ધર્મ વગોવાય છે. સમાજમાં સડો પેસે છે. જોવાનુ એજ કે આવા અનિષ્ટને પેદા કરનારા ને પોષનારા ને એનો બચાવ કરનારાઓની ફોજ મોટી છે. સત્ય સામે આંખમિચામણા કરનારા આવા દંભીઓને છારવે છે ને આડકતરીરીતે ઉતેજન આપે છે
આપણા ધર્મમાં સમાજરચના કરનાર મનીષીઓએ વિચાર પુર્વક આ માળખુ બનાવ્યુ હતુ. કે માણસ ચાર ઋણ લઇને અવતરે છે. સમાજને સારી રીતે ચલાવવા ને સમાજના દરેક સભ્યને વિકાસની તક મળે માટે ચાર આશ્રમ ચાર અવસ્થા ને એને અનુરુપ કર્તવ્ય. એ જ રીતે ચાર ઋણ. જન્મદાતા માબાપ બાળકનુ પાલનપોષણ કરે, મુળભુત સામાજિક રીતભાત શીખવે. પછી વિદ્યાભ્યાસ માટે ગુરુના આશ્રમ કે આજના સમયમાં નિશાળે જાય. આ વિદ્યાલયો એમને ભાવિજીવન માટે તૈયાર કરે. સારા નાગરીક ઉપરાંત ભવિષ્યમાં આજીવિકા રળવાના રાહ બતાવે. એરીતે વ્યકિત ગુરુ ને માબાપનો ઋણી બને. અભ્યાસ પુરો થાય એટલે ગુરુદક્ષિણા કે ફી ચુકવે ને સમાજમાં જવાબદાર સભ્ય તરીકે દાખલ થાય. પરણે, સંસાર વસાવે, પોતાના પરિવાર તરફનુ ઋણ. ભાવિ પેઢીને તૈયાર કરે ને માબાપની સંભાળ લે. એબીજુ ઋણ. માણસ એમાથી મુક્ત થાય. એટલે સમાજનુ ઋણ ચુકવવાનો વારો. જે સમાજને એને માણસ બનાવવા ફાળો આપ્યો છે એ સમાજને મદદરુપ થવાનુ. સામાજિક સંસ્થાઓમાં માનદ સભ્ય તરીકે એવા આપવાની. પોતાના જ્ઞાન ને અનુભવનો લાભ નવી પેઢીને આપવાનો ને જરુરિયાત મંદને મદદ કરવાની.ચોથુ ઋણ પોતાની જાત પ્રત્યે. હવે એ વૈરાગ્ય લઇને કોઇ એકાંત સ્થળે કે વનમાં જાય. સમાધિ,જપ તપ કરીને પોતામાં મગ્ન રહે. પોતાના ક્ષેમકુશળનો બોજો સમાજ પર ન નાખે.
હવે આ ચાર અવસ્થા ને એના કર્તવ્યને ઠુકરાવી માણસ ગમે તે કારણથી સંસારત્યાગ કરે ત્યારે સમાજવ્યવસ્થાનુ સંતુલન તુટે છે. કારણ સમાજ એક સાંકળ છે. એકબીજાના સહકારથી ટકી રહે છે. સવારના ઉઠીને ગણવાની શરુઆત કરીએ. આપણા ભાણામાં આવતુ અનાજ. દુધ, શાકભાજી, આપણા કપડા, રોજબરોજની અસંખ્ય ચીજો, એ આપણી આસપાસના સમાજના દ્રશ્ય કે અદ્રશ્ય અનેક લોકોની મહેનત ને આભારી છે. જેનો આપણે ભાગ્યે જ વિચાર કર્યો હશે. એટલે કે જીવનને ટકાવી રાખવા ને સરળતાથી ચલાવવા સમાજના દરેક સભ્યે પોતાનુ કર્તવ્ય એટલે કે અવસ્થા પ્રમાણે ફરજ કહો કે ઋણ અદા કરવુ જોઇએ.
હવે સમાજના ઉત્પાદક સભ્ય થવાના સમયે કોઇ યુવાન કે યુવતી દિક્ષા કે સન્યાસ વૈરાગ્યના અંચળા નીચે અપનાવે ત્યારે આ સાંકળ તુટે છે. માણસનો જન્મજાત કે આત્મપ્રેરણા યુક્ત વૈરાગ્ય એ અલગ વાત છે. આમ પણ આ દરેકનો વ્યકિતગત સવાલ ને જવાબ છે. પણ જ્યારે માત્ર સાંસારિક જવાબદારી કે કોઇ વ્યકિતગત સમસ્યા ઉભી થાય ત્યારે એનો સામનો કરવાને બદલે બીજા ઉપર બધૂ ઢોળી વૈરાગ્યના અંચળા નીચે નાસી જવુ એ પલાયનવાદ છે. આવો વૈરાગ્ય સમાજ ને માણસ પોતાના બન્ને માટે ઘાતક નીવડે છે. આને કારણે સમાજના ઉત્પાદક સભ્યો પર વધારાનો બોજ આવી પડે છે.
કારણ આવા કહેવાતા વેરાગી સંસારીઓના ભાણામાથી, અરે કયારેક એના બાળકોના મો માથી કોળીયો છીનવી લેછે. મહેનત કરીને માંડ બે ટંકનુ રળતા શ્રમજીવીઓને ટાણેકટાણે આવી ચડતા આવા મફતિયાને મનેકમને રોટલાનો ટુંકડો ધરવા પડે. દયા સમજીને.વૈરાગ્યમાં જયારે દંભનો અતિરેક થાય ત્યારે સમાજમાં કેવી અરાજકતા થાય એ તો આપણા દેશમાં રોજ અનુભવીએ છીએ. જીવનજરુરિયાતની ચીજવસ્તુની અછત, બેકારી, ઠેર ઠેર સાધુબાવાની જમાતો, રોજ નવા મંદિરો ને નવા ભગવાનનો ઉદભવ, કામ કે ફરજ તરફ બેદરકારી, નાની મોટી દરેક સમસ્યા માટે આવા બાબા કે દેવદેવીની માનતા, વૈજ્ઞાનિક અભિગમનો અભાવ. આજે ધર્મ કે એના નામે ચાલતો સૌથી નફાકારક ધંધો છે. એને સરકારના કાયદા કાનુન નડતા નથી. કારણ એને ઉપરવાળા તરફથી પરમીટ મળી ગઇ છૈ ને સમાજના અબુધો એનો ભાર વહન કરવા તૈયાર છે. આપણા દેશમાં મકાન કરતા મંદિરો વધારે છે. ઉત્પાદક સભ્યો કરતા આવા બિનઉત્પાદક સભ્યો વધારે છે. એવા સમાજની પ્રગતિ વિષે શું આશા રાખી શકાય?
પછી જુઓ કે આવા સંસારત્યાગીઓને નિભાવવાના તો સમાજે. સંસારને અસાર માનનારા ને શરીરને નાશવંત માનનારા જરુર પડે ત્યારે પાછા આઇ સીયુ માં દાખલ થઇજાય ને દવા ને દાકતરને શરણે જીવ બચાવવા દોડે. એનો ડ્ેસકોડ કેક્ષેમકુશળ સંસારીઓની ઉપર.
આનો એક ઉપાય. કે દિક્ષા લો કે સંન્યાસ. તમારી મરજી. આમ પણ તમે સંસારનુ ઋણ ચુકવ્યા વિના દેણદારની જેમ ભાગી ગયા છો એટલે તમને મોક્ષ કે નિર્વાણ મળશે કે કેમ,એ પણ આશંકા છે. પણ કમસે કમ વધારે ઋણી તો ન બનો. તમારો મોક્ષ તમને મુબારક. સંસારી ઉપર ઘણો બોજો છે. સરકારના કરવેરા, પોતાના બાળકોને તૈયાર કરવા,વડીલોની સારસંભાળ ને ઉપરથી તમારા મોક્ષ!નો કરિયાવર.
એવુ કરો કે વૈરાગીનુ અભયારણ બનાવો. આમંદિરો ને દેરાસરો ને એવા સ્થાનો ઉભા કરવા કરતા સંસાર ને દુનિયાથી દુર કોઇ એકાંત સ્થળે તમારી અલગ વસાહત બનાવો. વસ્તીમાંઆવવાનુ જ નહિ. આમ પણ સંસાર તો તમારે માટે વર્જય છે. એના મોહમાંથી બચવા તો તમે ભાગી નીકળ્યા છો. તો તમારા ક્ષેમકુશળની જવાબદારી જાતે જ ઉઠાવો.કમસે કમ સમાજના ઉત્પાદક સભ્યો પર બોજો તો ન બનો. આ મારી દરેક સાચા કે ખોટા વેરાગીને પ્રાર્થના છે. વિમળા હિરપારા
Wednesday, May 17, 2017
વિકાસની કિંમત કોણ ચુકવે છે?
મિત્રો, દરેક વસ્તુની કિંમત હોય છે. વિકાસ હોય કે વિનાશ. અત્યારે સુખ સગવડ ને સાધનો એ માણસની રોજબરોજની જીંદગીને ઘણી સરળ બનાવી છે,મેડીકલ ને સંદેશવ્યવહારના સાધનોએ માણસના આયુષ્ય ને આરોગ્ય પર આર્શીવાદરુપ છે.પણ એક નાનકડો નેઅસહાય વર્ગ એની કિંમત ચુકવે છે.જુઓ,હાઇવે થાય કે કારખાના કે એરપોર્ટ.જમીન નાના ખેડુતોની છીનવાય. કોઇ જમીનદાર કે મોટા વગદારની નહિ. રસ્તા પહોળા થાય કે દબાણ હટાવાય, કોઇશ્રીમંતનો બંગલો નહિ પણ ગરીબોના ઝુંપડા કે લારીખુમચા વાળા પહેલો ભોગ બને. મારી વાત કરુ. હુ ખેડુતપુત્રી. મારા દાદા સફળ ખેડુ. ગુજરાતના ઉતમ ખેડુનુ પ્રથમ પારિતોષિક પામેલા. અમેરીકાના દસ વરસના વસવાટ પછી વતનની મુલાકાત લીધી. જે જોયુ તે થોડુ આધાતજનક હતુ. દાદા તો હયાત નહોતા પણ એમની સોના જેવી જમીન વેડફાઇ ગઇ હતી. એ જમીન પર મકાનો થઇ ગયા હતા. વાડીનો કુવો પુરાઇ ગયો હતો. એના પૈયામાં બન્ને બાજુના ઘટાદાર વૃક્ષો કપાઇ ગયા હતા.એ વૃક્ષોની છાયામાં બંધાતા ગાય,ભેંસ ને બળદ, વાછરડા જેવુ પશુધન કાળના પ્રવાહમાં ક્યાય તણાઇ ગયુ હતુ. હા, પ્રગતિને નામે ગણો તો મારા માબાપ પાસે ગારમાટી ને નળીયાવાળા કાચા મકાનની જગ્યાએ પાકા અગાસીવાળા મકાન હતા. પણ રહેવા વાળા એ બેજ રહ્યા હતા. મારા બધા ભાઇબહેનો વિદેશવાસી થઇ ગયા હતા. આબધુ જોઇને મને એ વેદના થઇ એ આ શબ્દોમાં રજુ કરુ છૂ
'ખોરડા ખેતરમાં ધસી ગયા
ઉભા મોલને ગળી ગયા
તોતિંગ વૃક્ષો ઢળી પડ્યા
પંખીઓના માળા ઉજડી ગયા.
પંખીઓ તો ઉડી વિજવાયરે બેઠા
પણ ગાયોના ધણ વિમાસીને ઉભા રહ્યા
પુછે જાણે કે અમે ક્યા જઇએ?'
જુઓ કે આજીવિકાની ખોજમાં યુવાન સંતાનો પરદેશ નીકળી જાય છે.પરિવારના માળા વિખાંઇ જાય છે પછી તો વિજવાયરે એટલે કે ફોન પર એની હાજરીનો અહેસાશ કરાવી લેછે. કવચિત મળવા આવે છે. ટુંકી મુલાકાત ને વિદાય વેળાએ એ વૃધ્ધ માબાપની આંખોમા આ જ સવાલ ડોકાય છે કે અમે ક્યા જઇએ. એ લોકો જુની ભુમિમાં પથરાયેલા મુળને કાપી નથી શકતા કે નવી ધરતીમાં એને રોપી શકતા. ન તો સંતાનો રોકાઇ શકતા કે નથી માબાપ એને રોકી શકતા. સંતાનોની પ્રગતિથી એ સુખી થાય છે. પણ એ પ્રગતિમાં આવા અનેક એકાકી વડીલોનો ભોગ લેવાય છે. તો સમાજનો એક બીજો અસહાય વર્ગ પ્રગતિની કિંમત ચુકવે છે. નાના બાળકો. આજે દુનિયાભરની માનુનીઓ હજારો વરસોનુ મેણુ ભાંગવા મેદાને આવી ગઇ છે. લગભગ બધા જ ક્ષેત્રમાં છવાઇ ગઇ છે. પોતાની બુધ્ધીમતા ને કૌશલ્ય સાબિત કર્યુ છે. પણ ભોગ નાના બાળકો બને છે કે જેને જન્મતા જ નર્સરી, બેબીસીટર, ડેકેર કે આંગણવાડીમાં ધકેલી દેવાય છે. એ જો બોલી શકતા હોત તો જરુર કહેત કે અમે ક્યા જઇએ? એક કવિએ સાચુ જ કહ્યુ છે કે'ભવાની ભોગ ન માગે વાઘ કે સિંહનો
એ તો માગે કુકડા, મરઘા કે બકરા'
'ખોરડા ખેતરમાં ધસી ગયા
ઉભા મોલને ગળી ગયા
તોતિંગ વૃક્ષો ઢળી પડ્યા
પંખીઓના માળા ઉજડી ગયા.
પંખીઓ તો ઉડી વિજવાયરે બેઠા
પણ ગાયોના ધણ વિમાસીને ઉભા રહ્યા
પુછે જાણે કે અમે ક્યા જઇએ?'
જુઓ કે આજીવિકાની ખોજમાં યુવાન સંતાનો પરદેશ નીકળી જાય છે.પરિવારના માળા વિખાંઇ જાય છે પછી તો વિજવાયરે એટલે કે ફોન પર એની હાજરીનો અહેસાશ કરાવી લેછે. કવચિત મળવા આવે છે. ટુંકી મુલાકાત ને વિદાય વેળાએ એ વૃધ્ધ માબાપની આંખોમા આ જ સવાલ ડોકાય છે કે અમે ક્યા જઇએ. એ લોકો જુની ભુમિમાં પથરાયેલા મુળને કાપી નથી શકતા કે નવી ધરતીમાં એને રોપી શકતા. ન તો સંતાનો રોકાઇ શકતા કે નથી માબાપ એને રોકી શકતા. સંતાનોની પ્રગતિથી એ સુખી થાય છે. પણ એ પ્રગતિમાં આવા અનેક એકાકી વડીલોનો ભોગ લેવાય છે. તો સમાજનો એક બીજો અસહાય વર્ગ પ્રગતિની કિંમત ચુકવે છે. નાના બાળકો. આજે દુનિયાભરની માનુનીઓ હજારો વરસોનુ મેણુ ભાંગવા મેદાને આવી ગઇ છે. લગભગ બધા જ ક્ષેત્રમાં છવાઇ ગઇ છે. પોતાની બુધ્ધીમતા ને કૌશલ્ય સાબિત કર્યુ છે. પણ ભોગ નાના બાળકો બને છે કે જેને જન્મતા જ નર્સરી, બેબીસીટર, ડેકેર કે આંગણવાડીમાં ધકેલી દેવાય છે. એ જો બોલી શકતા હોત તો જરુર કહેત કે અમે ક્યા જઇએ? એક કવિએ સાચુ જ કહ્યુ છે કે'ભવાની ભોગ ન માગે વાઘ કે સિંહનો
એ તો માગે કુકડા, મરઘા કે બકરા'
Monday, April 3, 2017
બુમરેંગ ભાગ ૨
આગલા અંકથી ચાલુ, સુમનશા આધાતથી લગભગ બેહોશ થઇ ગયા.કોઇપણ માબાપ માટે કંધોતર દિકરાનુ અવસાન કરતા વધારે કમનસીબી શું હોઇશકે?એમાં પણ યુવાન પુત્રવધુની વેદના જોતા હૈયામાં ઝાળ ઉઠતી. પણ ધીમે ધીમે એનો શોક એક ક્રોધમાં પલટાવા લાગ્યો. પણ કોના પર ઉપર એ ઉતારવાનો? ભગવાન તો હાથમાં આવે એમ નહોતો. તો કોનાપર વાંક ઢોળી શકાય? હા. એક વ્યકિત તે ડોક્ટર!એની સારવારમાં ભુલ હોય તોએ ડોક્ટરની જ. તો ડોક્ટરે એની ભુલની સજા ચુકવવીજ જોઇએ. એમા એક વકીલે મનગમતી સલાહ ને સમર્થન આપ્યુ. 'આ ડોક્ટરો ય માણસની જીંદગી સામે પૈસા ગણતા થઇ ગયા છે. માનવતા જેવુ કશુ રહ્યુ નથી.હવે તો પૈસાથી ડીગ્રી ય ખરીદી શકાય છે. ' બસ આવાત એમના મગજમાં ઉતરી ગઇ. એવો પાઠ ભણાવી દો કે ફરીથી એ આવી બેદરકારી કરવાની હિંમત ના કરે. સાથે જબરુ વળતર. આખરે લાલચ મોખરે આવી ને ેદિકરાના મોતને વટાવવા તૈયાર થઇ ગયા.
ડોક્ટર પર સમન્સ આવ્યુ ને કોર્ટમાં હાજર થવાનુ ફરમાન થયુ. નિયત સમયે ડોક્ટર,વકીલ ને એક ત્રીજી વ્યકિત જેને દેખીતી રીતે કેસ સાથે લાગતુવળગતુ નહોતુ. ફરીયાદીએ ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ મુક્યો હતો. જોકે કોઇ નક્કર પુરાવા વિના એ સાબિત થઇ શકે નહિ. તો સામે પોતાના બચાવમાં ડોક્ટરે એક ફાઇલ ને એક ઓડિયો ટેપ રજુ કરી. એના પરિક્ષણ પછી જજે જેચુકાદો આપ્યો એ શેઠ માટે મરણતોલ ફટકા સમાન હતો. તો જે દવા દિવ્યને બચાવવા આપવામાં આવી હતી એ સુમનશાની કંપનીની જ બનાવટ હતી. જયારે એની અસરકારતા વિષે ડોક્ટરને સંદેહ ગયો ત્યારે લેબમા એની ખરાઇ વિષે પરિક્ષણ થયુ. સાબિત થયુ કે આડઅસર ને એમાં રસાયણો સાથે ખિલવાડ કરવામાં આવ્યો હતો.એ જ દિવ્યના મૃત્યુનુ નિમિત હતુ. વધુમાં ે ઓડિયો ટેપ જેમાં સુમનશાએ પરાગને ભેળસેળ વિષે સહજતાથી સમજાવ્યુ હતુ ને આ માટેનો એનો બચાવ ટેપ પર રેકોર્ડ થઇ ગયો હતો.એ શેઠને આજે જ જાણ થઇ.જજે ચુકાદો જાહેર કર્યો' ' શેઠ, તમારો અપરાધ સાબિત થઇ ચુક્યો છે. તમારી દવાથી ઘણા કુળદિપકો બુઝાયા હશે ને ઘણા એની આડઅસરોથી પીડાતા હશે. આજે તમે જાતે જ તમારો કુળદિપક બુઝાવ્યો છે. 'બુમરેંગ'નો અર્થ તો જાણો છો ને? કુદરતે તો તમને સજા સુણાવી જ દીધી છે. તો અમારા જેવા શું સજા કરવાના? છતા તમારા જેવા નરરાક્ષસને સજા તો મળવી જ જોઇએ. તો તમને દસ વરસની સખત કેદ ને તમારી કંપનીને જપ્ત કરવામાં આવે છે. એ આશા સાથે તો આવા ગુના કરતા લોકો ગભરાય. સંપુર્ણ
ડોક્ટર પર સમન્સ આવ્યુ ને કોર્ટમાં હાજર થવાનુ ફરમાન થયુ. નિયત સમયે ડોક્ટર,વકીલ ને એક ત્રીજી વ્યકિત જેને દેખીતી રીતે કેસ સાથે લાગતુવળગતુ નહોતુ. ફરીયાદીએ ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ મુક્યો હતો. જોકે કોઇ નક્કર પુરાવા વિના એ સાબિત થઇ શકે નહિ. તો સામે પોતાના બચાવમાં ડોક્ટરે એક ફાઇલ ને એક ઓડિયો ટેપ રજુ કરી. એના પરિક્ષણ પછી જજે જેચુકાદો આપ્યો એ શેઠ માટે મરણતોલ ફટકા સમાન હતો. તો જે દવા દિવ્યને બચાવવા આપવામાં આવી હતી એ સુમનશાની કંપનીની જ બનાવટ હતી. જયારે એની અસરકારતા વિષે ડોક્ટરને સંદેહ ગયો ત્યારે લેબમા એની ખરાઇ વિષે પરિક્ષણ થયુ. સાબિત થયુ કે આડઅસર ને એમાં રસાયણો સાથે ખિલવાડ કરવામાં આવ્યો હતો.એ જ દિવ્યના મૃત્યુનુ નિમિત હતુ. વધુમાં ે ઓડિયો ટેપ જેમાં સુમનશાએ પરાગને ભેળસેળ વિષે સહજતાથી સમજાવ્યુ હતુ ને આ માટેનો એનો બચાવ ટેપ પર રેકોર્ડ થઇ ગયો હતો.એ શેઠને આજે જ જાણ થઇ.જજે ચુકાદો જાહેર કર્યો' ' શેઠ, તમારો અપરાધ સાબિત થઇ ચુક્યો છે. તમારી દવાથી ઘણા કુળદિપકો બુઝાયા હશે ને ઘણા એની આડઅસરોથી પીડાતા હશે. આજે તમે જાતે જ તમારો કુળદિપક બુઝાવ્યો છે. 'બુમરેંગ'નો અર્થ તો જાણો છો ને? કુદરતે તો તમને સજા સુણાવી જ દીધી છે. તો અમારા જેવા શું સજા કરવાના? છતા તમારા જેવા નરરાક્ષસને સજા તો મળવી જ જોઇએ. તો તમને દસ વરસની સખત કેદ ને તમારી કંપનીને જપ્ત કરવામાં આવે છે. એ આશા સાથે તો આવા ગુના કરતા લોકો ગભરાય. સંપુર્ણ
બુમરેંગ ભાગ ૧
સુમનશાહ એ શહેરના અગ્રગણ્ય નાગરીક. જાહેર સંસ્થાઓમાં એનો નોંધપ્રાત્ર ફાળો. એટલે એની હાજરી એવા સમારંભોમાં અચુક ગણાતી.એવા જ શ્રધ્ધાળૂ ભગવાનના પાકા ભક્ત. સવારસાંજ મંદિરમાં આરતીના દર્શન કદી ના ભુલે. એ વખતે એમનો ભકિતભાવ થી છલકાતો ચહેરો એવો તેજસ્વી લાગતો કે ખૂદ ભગવાનને મુર્તિમાથી બહાર આવીને ભક્તને ભેટી પડવાનુ મન થાય. જોકે એવુ કયારેય બન્યુ તો નહિ. ભાઇ,એ તો અસલી નકલી ચહેરોનો અભ્યાસી. હા, એની કૃપા તો સમજ્યા પણ એના ધરવાળા લક્ષ્મીદેવીની પુરી મહેર હતી સુમનશા પર. આજના લાંચરીશવતના સમયમાં બાહોશ! લોકો સાહેબ કરતા એના ઘરવાળાને પ્રસન્ન કરીદેએટલે કામ સફળ. પછી સાહેબ ગમે એવા પ્રમાણિક હોય કે ધમપછાડા કરે પણ ધાર્યુ ધણીયાણીનુ જ થાય.ભગવાન પણ આમાથી બાકાત નહિ હોય. તો સુમનશા બે ફાર્મા કંપનીના માલિક.ધમધમતો ધંધો. સંતાનમાં એક દિકરો. એ પણ કંધૌતર થઇને બાપાની સાથે જ જોડાઇ ગયેલો. ઘરબહાર બધે જ ઘીકેળા હતા શેઠને. હવે એની કંપનીમાં એક કેમિસ્ટ ' ક્વોલીટી કંન્ત્રોલર'ની પોસ્ટ પર જોડાયો. ે પરાગ એનુ નામ. ટુંકસમયમાં જ એણે કંપનીની કામગીરી ને ગેરરીતિ જોઇ લીધી. પ્રમાણિક માણસ હતો. એણે પોતાના હાથનીચેના ને ઉપરના કર્મચારીઓ જોડે આ બાબત ચર્ચા કરી. બધાએ સાંભળ્યુ ને એક બીજા સામે આંખમિચામણા કર્યા. નવાણિયો છે ને સમય જતા ટાઢો થઇ જશે. આમ પણ વછેરા વધારે કુદે. પણ પરાગની આ બાબત દખલગીરી વધી ને અસંતોષી કર્મચારીઓએ વાત ઉપર પહોચાડી. ને શેઠની ઓફીસમાથી તેડુ આવ્યુ.
પરાગ પણ તૈયાર હતો. એને આવા ઘણા અનુભવ હતા. માણસ બાહોશ હતો.એટલે એને કાઢી મુકવા કે ધમકાવવાને બદલે જો સમજાવી કે પટાવી લેવાય તો પોતાના ને કંપનીના હિતમાં હતુ. શેઠે એને ઓફીસમાં બોલાવ્યો. િસ્મતસાથે આવકાર આપ્યો ને કામકાજ વિષે વાતચીત શરુ કરી. તો પરાગે પોતે દવાની ગુણવતામાં જે બાંધછોડ થતી હતી ને એના પરિણામો વિષે જે જોયુ હતુ એ જણાવ્યુ. એની નવાઇ વચ્ચે શેઠ પોતે બધુ જાણતા હતા ને એને માટે સફળતા માટેનો આ રાજમાર્ગ અલબત પૈસાની દ્રષ્ટિએ. એને એ કંપનીના બંધારણનો એક ભાગ માનતા હતા ને દરેક કર્મચારીએ ગુપ્તતા ને વફાદારીના શપથનુ પાલન કરવુ જોઇએ. પરાગ તો આ સાંભળી છન્ન થઇ ગયો. પછી તો શેઠે એને આ જમાનામાં ભેળસેળ આપણા રોજબરોજના જીવનમાં એક અનિવાર્ય અનિષ્ટ બની ગઇ છે એ વિગતવાર સમજાવ્યુ. આપણો ખોરાક, મસાલા, વનસ્પતિ, શાકભાજી ને આપણૂ શરીર જ જુઓ. મોઢામાં નકલી દાંત, હદયમાં બનાવટી વાલ્વ, હાથપગમાં લોખંડના સરીયા કે કયારેક બનાવટી હાડકા, કયારેક એવી બિમારીમાં આપણે બીજાનુ ઉછીનુ લોહી કે કીડની પણ અપનાવીએ છીએ તો આપણે પણ આમાં ભેળશેળમાથી બાકાત કેવી રીતે રહી શકીએ?. કદાચ પોતાના બચાવમાં વકીલ આવી દલીલ કરીને કેસ જીતી જાય,પણ એનાથી સત્ય સાબિત થતુ નથી. પરાગ આ સારી સમજી ગયો. ભલે શેઠે એને સીધી ધમકી નઆપી પણ હવે એ કંપનીનુ રહસ્ય જાણી ગયો હતો. આજે નહિ તો ભવિષ્યમાં એના પર તવાઇ આવે. એણે ચુપચાપ નોકરી છોડી દીધી.
પછી તો ખાસ્સો સમય વીત્યો. શેઠ એકવખત કામકાજ અર્થે વિદેશના પ્રવાસે ગયા. એ દરમિયાન એનો દિકરો દિવ્ય બિમાર પડ્યો. પહેલા તો સામાન્ય તાવ. તાવ વધ્યો ને છેવટે હોસ્પિટલમાં દાખલ કર્યો. બેચાર દિવસની દવા ને ડોક્ટરની મથામણ છતા ય પરિણામ શુન્ય. શેઠને સમાચાર મળ્યા પણ એ પહોચે એ પહેલા જ દિકરાએ દમ તોડી દીધો.
પરાગ પણ તૈયાર હતો. એને આવા ઘણા અનુભવ હતા. માણસ બાહોશ હતો.એટલે એને કાઢી મુકવા કે ધમકાવવાને બદલે જો સમજાવી કે પટાવી લેવાય તો પોતાના ને કંપનીના હિતમાં હતુ. શેઠે એને ઓફીસમાં બોલાવ્યો. િસ્મતસાથે આવકાર આપ્યો ને કામકાજ વિષે વાતચીત શરુ કરી. તો પરાગે પોતે દવાની ગુણવતામાં જે બાંધછોડ થતી હતી ને એના પરિણામો વિષે જે જોયુ હતુ એ જણાવ્યુ. એની નવાઇ વચ્ચે શેઠ પોતે બધુ જાણતા હતા ને એને માટે સફળતા માટેનો આ રાજમાર્ગ અલબત પૈસાની દ્રષ્ટિએ. એને એ કંપનીના બંધારણનો એક ભાગ માનતા હતા ને દરેક કર્મચારીએ ગુપ્તતા ને વફાદારીના શપથનુ પાલન કરવુ જોઇએ. પરાગ તો આ સાંભળી છન્ન થઇ ગયો. પછી તો શેઠે એને આ જમાનામાં ભેળસેળ આપણા રોજબરોજના જીવનમાં એક અનિવાર્ય અનિષ્ટ બની ગઇ છે એ વિગતવાર સમજાવ્યુ. આપણો ખોરાક, મસાલા, વનસ્પતિ, શાકભાજી ને આપણૂ શરીર જ જુઓ. મોઢામાં નકલી દાંત, હદયમાં બનાવટી વાલ્વ, હાથપગમાં લોખંડના સરીયા કે કયારેક બનાવટી હાડકા, કયારેક એવી બિમારીમાં આપણે બીજાનુ ઉછીનુ લોહી કે કીડની પણ અપનાવીએ છીએ તો આપણે પણ આમાં ભેળશેળમાથી બાકાત કેવી રીતે રહી શકીએ?. કદાચ પોતાના બચાવમાં વકીલ આવી દલીલ કરીને કેસ જીતી જાય,પણ એનાથી સત્ય સાબિત થતુ નથી. પરાગ આ સારી સમજી ગયો. ભલે શેઠે એને સીધી ધમકી નઆપી પણ હવે એ કંપનીનુ રહસ્ય જાણી ગયો હતો. આજે નહિ તો ભવિષ્યમાં એના પર તવાઇ આવે. એણે ચુપચાપ નોકરી છોડી દીધી.
પછી તો ખાસ્સો સમય વીત્યો. શેઠ એકવખત કામકાજ અર્થે વિદેશના પ્રવાસે ગયા. એ દરમિયાન એનો દિકરો દિવ્ય બિમાર પડ્યો. પહેલા તો સામાન્ય તાવ. તાવ વધ્યો ને છેવટે હોસ્પિટલમાં દાખલ કર્યો. બેચાર દિવસની દવા ને ડોક્ટરની મથામણ છતા ય પરિણામ શુન્ય. શેઠને સમાચાર મળ્યા પણ એ પહોચે એ પહેલા જ દિકરાએ દમ તોડી દીધો.
Subscribe to:
Posts (Atom)