Wednesday, July 24, 2019

ગાડરીયો પ્રવાહ

સુજ્ઞ મિત્રો, તમે આ શબ્દ 'ગાડરીયો પ્રવાહ' કયારેક સાંભળ્યો હશે. સામાન્ય રીતે ઘેટાનું ટોળુ આગળ જતા બીજા ઘેટાને અનુસરે. આ અનુકરણ એને કયા લઇ જશૈ? એનું શું પરિણામ કે અંત એનો વિચાર એ કરતું નથી. એ જ સંદર્ભમાં માનવપ્રાણી પણ આવી જાય કે જે વગરવિચાર્યે સમાજમાં થોડા બુધ્ધીજીવી કે પછી એમની નજરે જે શાણા લાગતા હોય એને વગરવિચાર્યે અનુકરણ કરે છે. આપણા ભારતીય સમાજની વાત કરીએ તો આપણે વિચારક કરતા અનુયાયી વધારે છીએ. અમુક પ્રસંગે તો આંધળુ અનુકરણ જ હોય છે. 'મહાજનો ગતા એન પંથા' બધા આમ જ કરે છે એજ બચાવ. આપણા વસ્ત્રો,ભોજન, લગ્નપ્રસંગોની ઉજવણી, આપણુ શિક્ષણ બધુ જ બધુ. આપણી આઝાદી સમયે બ્રિટીશ રાજ સામે લડવા ગાંધીજીએ અનશનનો રાહ અપનાવ્યો. કારણ કે આપણે સશત્રલડાઇમાં એમને પંહોચી ન શકત. એમની પાસે આધુનિક શસ્ત્રો ને સેના અલબત આપણા લોકો સામે આપણે વેરવિખેર.નાત જાત ને રજવાડામાં કણ કણમાં વિખરાયેલા. એટલે આ જ એક અહિંસક રસ્તો હતો. પછી સ્વરાજ આવ્યુ. આપણી જ સરકાર. પણ આપણી સરકાર સામે વિરોધ દર્શાવવાની પ્રણાલી તો એ જ રહી.આંદોલન કે એવી ચળવળમાં જાહેરમિલ્કતને બેફામ નુકશાનકરતી પ્રજાને આટલા સમય બાદ પણ એ નથી વિચાર આવતો કે આ આપણી જ મિલકત છે ને કાલે આપણા જ ખિસ્સામાંથી કરવેરા રુપે નુકશાન ભરપાઇ કરવા પૈસા જશે. આ તો જે ડાળ પર બેઠા એને કાપવા જેવું આ જ પ્રમાણે આપણે આપણી શકિત,રસરુચિ કે ઓકાત પ્રમાણે ભણવાને બદલે આપણી આજુબાજુ બીજા છોકરા શૂં ભણે છે? એની તુલના કરીને શિક્ષણ લઇએ છીએ. ખરેખર તો આપણી શૈક્ષણિક ઓકાત પ્રમાણે શિક્ષણ હોય તો સફળ થવાય. એટલે આ ગાડરીયા પ્રવાહમાં બધા વિદ્યાર્થી કાંતો ડોક્ટર થશૈ, એન્જીનીયર થશે, બહેનો પી.ટી સી કરીને શિક્ષક થશે કે નર્સ થશે. જે તે ક્ષેત્ર ઓવરફ્લો થઇ જાય ને ભણીને બહાર આવે ત્યારે નોકરીના ફાંફા.બેકારી. પાછી માન્યતા કેવી કે તમે જે ભણ્યા હો એ જ કામ કરાય. એમા પણ મહેનતમજુરી તો નહિ જ. ભલે ભુખે મરવું પડે. આપણા લગ્નપ્રસંગો જુઓ કે બધાને તો ગાલાવેડીંગ નજ પોસાય. પણ અમુકે આમ કર્યુ તો આપણે પણ એનાથી ચડીયાતું કરવું. પછી ભલે રહેવાના ને રોટલાના ફાંફા પડે. એ જ પ્રમાણે આપણા કપડા. આપણને કે આપણા શરીરને કે વાતાવરણને માફક હોય કે નહોય પણ ફેશન છે ભાઇ. બધાની સાથે ચાલવું પડે. નહિતર ફેંકાય જવાય. આ સિવાય આપણા ઘરમાં રાચરચીલુ કે આપણા ફોન,ટીવી જેવી વ્યકિગત ચીજોમાં પણ આપણી આસપાસનો લોકોના અભિપ્રાયની અસર પડે. આજના માહીતીપ્રસારણના યુગમાં કોઇ સારાનરસા સમાચાર ફેલાતા વાર નથી લાગતી. એ સમયે આપણી આ વગરવિચાર્યે માની લેવાની આદતને પરિણામે કોઇકને વ્યકિતગત ને કયારેક પ્રજાના અમુક સમુહને અકારણ શોષવું પડે છે. પછી જુઓ આપણા તહેવારો.ગણેશચતુર્થી હશે તો કોના ગણેશ મોટા એની હરીફાઇ. આજકાલ ભગવાનની પ્રતિમાને બદલે વિગત નેતાની પ્રતિમાઓ મુકવાની ચળ ઉપડી છૈ.એમાં પણ કોની પ્રતિમા કેટલી ઉંચી એની સ્પર્ધા.બાકી એના જીવનની ફિલસુફી કે ઉપદેશની એસીતેસી. આવું અંધશ્રધ્ધા ને ચમત્કારના કિસ્સામાં બને છે, કોઇ બાબતમાં ઉંડા ઉતરવાનું કે વિચારવાની તકલીફ જ નહિ લેવાની. કોઇ એમ તો વિચારે કે જે તમને મંત્રેલું પાણી આપીને કે એક ફુંક મારીને સાજા કરી દે એવા અલૌકીક મહાપુરુષ!ને એમની બિમારીમાં આસીયુમાં શું કામ દોડવું પડે? જે સાધુઓ નજરમાત્રથી શિલાઓ ખસેડી શકતા હોય કે પોતાના લિંગથી પાત્રમાંથી પાણી શોષી શકતા હોય એવા ચમત્કારીક બાબાઓ ખીણમાં ગબડેલી યાત્રાળુઓની બસો કેમ બહાર નથી કાઢથા કે નદીઓના પુરના પાણી શોષીને લોકોને કેમ નથી બચાવતા? કોઇ આવો સશંય કરે છૈ. તો એમ કહેશે કે સશંયાત્મા વિનશ્યતિ. જે પ્રજા વિચારીક કંગાળ હોય એનો ઉધ્ધાર કયાથી થાય. એટલે તો આપણે ઉપરથી કોક અવતાર લે એની રાહ જોઇએ છીએ.

Sunday, May 26, 2019

આવરણ

મિત્રો. આપણે માનવપ્રાણી આવરણ નીચે જીવીએ છીએ. એ વસ્ત્રોનું હોય,વાણીનું હોય, મેકપનું હોય કે આબરુનું હોય.     આજે આપને એ આવરણ વિષે વિચારીએ.
    આપણા પુર્વજો ગુફાવાસી આદિમનાવો  વસ્ત્રો નહોતા પહેરતા. પ્રાણીની માફક એમ જ ફરતાિ વચારશકિત આવી ટાઢ,તડકા ને વરસાદ જેવા કુદરતી પરિબળો સામે રક્ષણ મેળવવા ઝાડની છાલ, વેલા,પાંદડા ને પછી મૃત પ્રાણીઓના ચામડા વીંટાળતા થયા. ક્રમે  ક્રમે મગજના વિકાસ સાથે શાળ પર કાપડ બનાવવાનું ને અંતે પોતાના માપ પ્રમાણે કપડા પહેરતા શીખ્યો. જોકે આ પ્રકિયા બહુ લાંબી છે. પશુંપંખી ને પ્રાણીઓ તો હજુ પણ કુદરતી અવસ્થામાં જીવે છે.
      વસ્ત્રોનો મુળભુત ઉદેશ તો શરીરનું બહારના વિષમ સંજોગોમાથી રક્ષા કરવાનો હતો. જેવું વાતાવરણ ને જેવું જેનું કામ.એ પ્રમાણે લોકોએ પોષાક અપનાવ્યો. ખુલ્લા વાતાવરણ ને શારીરિક શ્રમજીવીઓને જાડા ને બરછટ પોષાક જોઇએ જેમ કે ખેડુતો ને મજુરો. જેને ટાઢે છાંયે બેસીને કામ કરવાનું હોય એવા વેપારીવર્ગ ને કારકુનો. શિક્ષકો એમનો પોષાક ઢીલો ને હળવો ને પાતળો હોય. એટલે વેશ એ માણસના વ્યવસાયની ઓળખ  બની ગઇ. બ્રાહ્મણનું પીતાંબર કે અબોટીયુ, ખેડુતને કેડીયુ ને ચોરણી, મહાજન કે વેપારીના ધોતીયા ને ટોપી,દરબારની પાઘડી,શુદ્રનું પંચીયુ.   અત્યારે પણ પોસ્ટમેન, પોલીસમેન, ડોક્ટર ને નર્સો,ને સૈનિકોને પોતાની નોકરી પ્રમાણે ઓળખ તરીકે યુનિર્ફોમ હોય છે જે એને જનસામાન્યથી અલગ તારવે છે ને પોતાના વ્યવસાયમાં મદદરુપ બને છે.
   પછીના સમયમાં પોશાક એ માનમોભા ને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતિક બની ગયો. એમા પણ મનોરંજન ને પછી ફિલ્મજગતમાં પોષાક શરીર ઢાંકવા કરતા એના પ્રદર્શનનો ભાગ બની ગયો. એક  પુરતા વસ્ત્રોને અભાવે અર્ધનગ્ન નારી ને એક અઢળક વસ્ત્રો સાથે અંગઉપાંગોનું પ્રદર્શન કરતી નારી. કોણ ગરીબ? એકની મજબુરી ને એકની સહેલાઇથી પૈસા કમાવાની લાલચ.  ટુંકમાં મુળભુત આશય અમુક અંશે કેંદ્રમાંથી ખસી ગયો.
  એજ રીતે વાણી એક વરદાન જે પ્રાણી ને માનવને અલગ તારવે. બાળક બોલતા શીખે ત્યારે જે વું જુએ એવુ જ બોલે. પછી એને સામાજિક રીતભાત નું શિક્ષણ પરિવાર તરફથી મળે. કોની સાથે કેમ વાત થાય, ઘરની વાત બહાર ન કરાય, આવો સામાજિક મેકપ શીખવાડાય. કવચીત ચાડીચુગલી, ખોટુ બોલતા પણ શીખવવામાં આવે.જેવા ઘરના સંસ્કાર!સાચુ બોલવા કરતા સારુ બોલવું. વગેરે. આજે પણ સત્યવક્તા લોકો અળખામણા બનતા હોય છે. જે લોકો કડવી વાત પણ મીઠી વાણીમાં કરી શકતા હોય એમના શત્રુંઓ ઓછા હોય.વાણીમાં વિવેક હોય તો ઘણા ઝધડા અટકી જાય. આને આપણે સામાજિક મેકપ  કહી શકીએ.
    હંમેશા હસતા લોકો સુખી નથી હોતા. ઘણા લોકો પોતાના દુઃખ છુપાવે છે ને હાસ્યનો નકાબ પહેરી રાખે છેટુંકમાં કહીએ તો એક આવરણ કે જેની નીચે માણસ પોતાની અસલીયાત છુપાવી રાખે છે.એનાથી માણસ સુરક્ષા અનુભવે છે .  આપણે સામાજિક પ્રાણી છીએ ને સામજિક સ્વીકૃતિની ઝંખના હોય છે. કોઇપણ સમાજના પ્રચલિત નિયમોની વિરુધ્ધ જતા માણસ ડરે છે. કયારેક ન પોષાતા ખર્ચા ને વિધિવિધાનો લગ્ન,મરણોતર ક્રિયાકાંડ  પણ સમાજમાં 'આબરુ ને સ્થાન ' બચાવવા કરવા પડે છે. એ છે સામાજિક પ્રતિષ્ઠાનું આવરણ જે અંદરથી માણસ ધિક્કારતો પણ હોય.  
   એમ તો આપણી પૃથ્વી  ફરતુ પણ એક આવરણ વાતાવરણનું છે જે આપણને સુર્યના આકરા તાપ સામે રક્ષણ આપે છે.  છેવટે માણસ જીવનના અંતેપણ આવરણ એટલે કે કફન ઓઢીને જાય છે!

Thursday, May 23, 2019

માતા

મા,માતાકે જનની વિષે એટલુ કહેવાયુ છે કે ધરતીનો કાગળ બનાવીને લખીએ તો પણ ઓછો પડે. સૃષ્ટિનો આધાર ને દેવતાને ય જન્મ લેવાનું મન થાય એવી એની ગોદ. આપણા રામાયણમાં પણ રામે આ જ મતલબની વાત કરી છેકે જનની જન્મભુમિ સ્વર્ગાદપિ ગરીયસી. એક માતા સો શિક્ષક બરાબર ને જે હાથ પારણુ ઝુલાવે એ જ દુનિયા રાજ કરે એવી ઉક્તિઓ પણ છે. માતાના એક આંસુ પર જાન ન્યાેછાવર કરનારા નેપોલિયન જેવા શુરવીરો છે કે તલવારોનો સામનો કરી શકે છે પણ માતાના આંસુનો નહિ. આપણા  કવિવર બોટાદકરે પૃથ્વી ને સ્વર્ગના તમામ સુખો સામે માતાનો પ્રેમ ને ત્યાગ મહાન બતાવ્યો છે. જનનીનો જોડ સખીનહિ જડે એ કવિતા કોણ ભુલી શકે. માતા કરુણાની દેવી,મમતાની મુરત,ત્યાગની પરાકાષ્ટા સંસારમાં બાળક માટેના એના ત્યાગ,બલિદાનસંતાન માટે વિકટ સંજોગોમાં ય ઝઝુમવાની એની શકિત .એની તુલનામાં શુરવીરોને હથિયાર પણ ઓછા પડે.
   આ સ્ત્રીનું માતા તરીકેનું સંતાન તરફના વાત્સલ્યનું એક સ્વરુપ છે. પણ એનું બીજુ પાસુ  જે એક સ્ત્રી તરીકે છે એમા એની માનવસહજ નબળાઇ ને ખુબી કે ખામી વ્યક્ત થાય છે. જયારે વાત્સલ્ય એક જ પાત્રમાં કેંદ્રિત થઇ જાય ત્યારે એ સ્વાર્થ બની જાય. વ્યકિત પ્રેમમાં અંધ બની  જાય ત્યારે એના ઉતમ ગુણો અવગુણ બની ને બીજા લોકોને અન્નાય કરે કે ઘાતક બને. મા તરીકે પ્રેમાળ સ્ત્રી જે પોતાની સાસરવાસી દિકરીની ચિંતા કરીને અર્ધી થઇ જાય,કયારેક એના કાલ્પનિક દુઃખમાત્રથી વલોવાય જાય. પ્રેમમાં પોતાની દિકરીના અવગુણ ન દેખાય. સામે વાળાનો  વાંક દેખાય.એજ માતા પોતાની પુત્રવધુને અન્નાય કરતા કે સતાવતા પહેલા  એક વાર પણ વિચારતી નથી. તો સામે દિકરી એની સાસરીયાની ફરિયાદ કરે, પિયરમાં ભાભી મા ને બરાબર સાચવતી નથી એવી રાવ કરે પણ પોતે સાસરીમાં સાસુને કેવી રીતે પજવે છે એનો વિચાર નથી આવતો. તો પોતાના સંતાનો માટે જાન કુરબાન કરનાર પ્રેમાળ મા સાવકી મા તરીકેના રોલમાં એક સિતમગારથી કમ નથી હોતી. જોકે આમાં પણ અપવાદ તો હોવાનાજ. પણ આ સામાન્ય પુર્વગ્રહ ને રામાયણ એનું સાક્ષી. પોતાના દિકરા માટે રાજ માગીને એ પણ હઠથી ને ઉપરથી રામને વનવાસ!પ્રેમનું આ વરવું સ્વરુપ.શોક્યના સાલમાં તો બે સ્ત્રીઓની પતિ માટેની સાંઠમારીમાં ખો તો પતિ ને નિર્દોષ બાળકોનો નીકળી જાય.   પતિ કે આજના સમયમાં બોયફ્ર્રેંડની આગલી સ્ત્રીને ખતમ સુધી વાત પંહોચી જાય છે.
    પ્રેમને બલિદાનની મુરત માતા સ્ત્રીના રુપમાં એની બધી નબળાઇ સાથે રજુ થાય છે.

Friday, May 17, 2019

'મા'



























































વાંચકમિત્રો, આજે 'મધરડે' કે આપણી ભાષામાં માતાનો દિવસ .એના વિષે વાત કરીએ. 'મધર ડે' એ તો વેસ્ટનપ્રજાએ શરુ કરેલી પ્રથા છે. જેમ વેલટાઇન ડે, ક્રિસમસ, જન્મદિવસ એવા તહેવારો દેખાદેખીથી વિશેષ કાંઇ નથી. આપણે માટે તો બધા જ દિવસો મધર ડે જ છે. વેસ્ટન દેશોમાં માબાપ ને સંતાનો અમુક ઉંમરે અલગ  ને દુર દુર રહેતા થઇ જાય છે,તો આ નિમિતે બધા એકબીજાને મળે એ જ હેતું.   મુળ હેતુ માતાનો આભાર માનવાનો.
    આ સૃષ્ટિનો આધાર માતા છે. એ માત્ર જન્મ જ નથી આપતી પણ જાળવે  પણ છે.બાળકના જન્મ પહેલા ને પછી પણ શારીરિક ને કયારેક માનસિક તકલીફ સહન કરે છે.કવચિત પરિવારમાં અસહ્ય લાગતી જીંદગી પણ માત્ર પોતાનું બાળક નમાયુ કે ઓછીયાળુ ન થઇ જાય માટે જીવી લેછે. દુનિયાના દરેક સમાજમાં ને દરેક વિચારક વ્યકિતઓએ મા નો આદર કર્યો છે. આપણા રામાયણમાં સોનાની લંકા જીતીને વિભીષણને સુપ્રત કરે છે, કારણ! તો 'જનની જન્મભુમિ સ્વર્ગાદપિ  ગરીયસી.'  તો આપણા શાસ્ત્રોએ માતૃદેવો ભવ નો આદેશ આપ્યો છે. આપણા કવિઓએ માતૃવંદનાના બહુ ભાવસભર ગીતો ગાયા છે. શાયર શ્રી મેઘાણી ને કવિ બોટાદકરની માતૃવંદનાની કવિતા વાંચીને કોની આંખમાં આંસુ ન આવે?દુનિયાની દરેક શ્રેષ્ઠ વસ્તુ જોડે માતાની તુલના થાય ને એમાં માતા ચડી જાય. માતા ગંગાના નીર કરતાય નિર્મળ, ચાંદની જેવી શીતળ ને વાદળી જેવી જીવનદાતા.  માનવસમાજના ઉત્કર્ષમાં એનો ફાળો એવો કે કોઇએ કહ્યુ કે જે કર ઝુલાવે પારણૂ એ જ દુનિયા પર રાજ કરે. તો માતાના ચરણમાં સ્વર્ગ છે એમ પણ કહેવાય છે.  મા કરુણાની મુર્તિ, દયાનો સાગર ને પ્રેમનો પર્યાય.
     હવે આપણે એના બીજા પાસાની વાત કરીએ તો દરેક માતા એક સ્ત્રી પણ છે ને એનામાં માનવસહજ નબળાઇ ને અવગુણ પણ છે. મા તરીકે એનો પ્રેમ જયારે એક જ પાત્રમાં સિમિત થઇ જાય ત્યારે એની સ્ત્રી  કે મનુષ્ય તરીકેની એની નબળાઇ છતી થાય છે. જે મા પોતાની દિકરીની સાસરીમાં કષ્ટની વાત સાંભળી કકળી ઉઠે એ મા સાસુ તરીકે ને એક સ્ત્રી તરીકે પોતાની પુત્રવધુને ત્રાસ આપતા વિચારતી નથી કે આ પણ કોઇની દિકરી છે. એ વખતે એની મમતા કે દયા કે પ્રેમ કયા જાય છે? સામે જે દિકરી પોતાની માતાને કષ્ટ આપતી ભાભીની ફરિયાદ કરેછે એ ભુલી જાય છે કે એની સાસુ પણ કોઇના મા છે. આ સમયે માનનીય સાહિત્યકાર ઘુમકેતુ યાદ આવે. એક મહાન બોધ કે વ્યકિત જયારે બીજાની નજરથી કોઇ સમસ્યાને જુએ ને સમજે તો દુનિયાના અર્ધા દુઃખો ઓછા થઇ જાય.જો કે આ  સત્ય પિતા કે પુરુષને પણ લાગુ પડે. બીજાની બહેન દિકરી પર બુરી નજર કરનાર એટલુ જ વિચારે કે આપણી બહેન કે દિકરીને કોઇ સતાવે તો આપણને કેવું દુઃખ થાય?
   કમનસીબે આપણા લોકસાહિત્ય,લોકગીતો ને એના આધારે બનતી ફિલ્મોએ આ પુર્વગ્રહને વધારે છંછેડયો છે. સમાજને એમાથી સત્યદર્શન કરાવવાને બદલે માત્ર મનોરંજનને નામે સાસુ વહુ કે નંણદભોજાઇના સંબધોને વિકૃત રજુ કર્યાછે તો  આપણા કન્યાવિદાયના ગીતો તો  જાણે દિકરી સાસરે નહિ પણ કસાઇ વાડે જતી હોય એવી અસહાયતા ઉભી કરે ને એવા જ ભાવ સાથે સાસરે આવતી કન્યા નવજીવનના ઉમંગથી નહિ પણ એક પુર્વગ્રહ સાથે નવુ જીવન શરુ કરે. મોટાભાગના કુટુંબમાં આમાથી જ ઝધડા ને મારામારી ને કયારેક કોઇની જીંદગીને લુણો લાગી જાય કે ખતમ પણ થઇ જાય.       એક એવી બાબત કે કયારેક સ્ત્રીને ઓરમાન મા  બનવુ પડે ને બીજાના બાળકો ઉછેરવા પડે. માનવેતર પ્રજાતિમાં પણ આગળપાછળના બચ્ચાને ઉછેરવા નવી માદા તૈયાર નથી હોતી. અંહી જ સ્ત્રીની મમતાની કસોટી થાય છે. પણ સમાજનો પુર્વગ્રહ આમા પણ ખતરનાક ભાગ ભજવે છે. રામની ઓરમાન માતાએ આમાજ રામાયણ ઉભુ કર્યુ ને દશરથના મૃત્યુનુ નિમિત બની. તો ધ્રુવની અપરમાના પ્રતાપે માસુમ બાળકને વનમાં જવુ પડ્યું. કદાચ એટલે જ આ પુર્વગ્રહ ઉગ્ર બન્યો હશે ને સમાજે સાવકી મા પર 'ત્રાસવાદી' નો સિક્કો લગાડી દીધો! એના આગલા ઘરના સંતાનો તરફના વર્તનને નકારત્મક રીતે જ જોવા ને મુલવવામાં આવે. આપણા સાહિત્ય ને ફિલ્મોએ આ જ રાગ આલાપ્યો છે.
     આશા રાખીએ કે એક સ્ત્રી તરીકે આપણે બીજી સ્ત્રીને સમજીએ તો દરેક મા ને સંતાનો તરફથી આદર ને પ્રેમ મળે.આનાથી વધારે મુલ્યવાન ભેટ શું હોઇ શકે?
     ીજી






































Thursday, March 21, 2019

સશંયાત્મા વિનશ્યતિ,

વાચકમિત્રો, ગીતા વિષે કોઇ અજાણ નહિ હોય. એના એક એક વાક્યમાં માત્ર અર્જુન માટે જ નહિ પણ માનવ માત્ર માટે માર્ગદર્શન રહેલુ છે. એવુ જ એક સુત્ર છે ' સંશયાત્મા વિનશ્યતિ'
 જીવનમાં આપણને પળેપળે નિર્ણય કરવાનો આવે છે. કેટલાક કામચલાઉ તો કેટલાકની દુરગામી અસર આપણા જીવનમાં રહે છે. આપણા સુખદુઃખનો  આધાર અમુક સમયે કરેલા નિર્ણય પર હોય છે. આ અસર માત્ર આપણા પુરતી સીમીત ન રહેતા આપણા પરિવાર ને કયારેક સમાજ પર પણ થાય. જેટલી આપણી સત્તા કે પદવી ને જવાબદારી વધારે એટલી અસર વધારે.     સામાન્ય રીતે જે લોકોને બચપણથી પોતાના માટે નાની બાબતોમાં જાતે વિચારતા ને નિર્ણય લેતા શીખવાય એવા લોકોમાં આત્મવિશ્ર્વાસ વધારે હોય. કમનસીબે અત્યાર સુધીના આપણા સમાજમાં વડીલો જ નિર્ણય લેતા હોય છે. કેવુ શિક્ષણ લેવુ, કેવા મિત્રો રાખવા કે કયા નેકોની જોડે વિવાહ કરવા આવી બાબતોમાં એમનો મત આખરી ગણાય. જીવન ભલે છોકરા કે છોકરીને જીવવાનું હોય પણ પોતાના જીવનસાથીની પસંદગીમાં એને હા ના કરવાનો અધીકાર ન હોય. અમુક અપવાદ બાદ કરતા હજુ પણ આવી જ માનસીકતા છે.      હવે જે લોકો આવી માનસીકતા સાથે મોટા થાય એ કોઇ દિવસ મોટા! થતા જ નથી. મહત્વના નિર્ણય માટે એ વડીલો, પોતાના શિક્ષકો, અથવા જેને એ પુજ્ય માને છે એવા ગુરુકે સંતો,બાબાઓ, મિત્રોનો આધાર લે છે. એક ફાયદો આવા નિર્ણયોમાં કે એમા વ્યકિતની કોઇ જવાબદારી નહિ. નિષ્ફળતાનો ટોપલો આસાનીથી જે તે સલાહકાર પર ઢોળી દેવાય. કાઇ નહિ તો ભગવાન તો છે જ. એમા વળી બીજુ આશ્ર્વાસન કે કર્મમાં જ તારો અધીકાર છે,ફળમાં નહિ.ગીતામાં ભગવાને અર્જુનને સમજાવ્યુ કે તારે બે ય હાથમાં લાડવો છે,જીતીશ તો પૃથ્વીનું રાજ મળશે ને હારીશ કે વીરગતિ પામીશ તો સ્વર્ગનું રાજ તો નક્કી જ છે.અર્જુન માની ગયો પણ એણે સામે દલીલ કરી હોત કે જીતુ તો સ્વર્ગનું રાજ ગુમાવુ ને હારુ તો  પૃથ઼વીનું રાજ ગુમાવુ!
    ખેર, આપણે સામાન્ય જ દાખલો લઇએ કે રસ્તાની સામી બાજુ જવા તમે ઉભા છો ને વાહનો  ઝડપથી આવે છે. તમે રસ્તામાં આવો ને ગભરાઇ પાછા પગથી પર ચડી જાય એવુ વારંવાર બને ને તમે નક્કી ના કરી શકો. છેવટે મરણીયા બનીને ઝંપલાવો ને અકસ્માતનો ભોગ બનો. ત્યારે લાગે કે સશંયાત્મા વિનશ્યતિ. એવી તો જીવનમાં અનેક પળો આવે છે.
     બીજી બાજુ વિજ્ઞાન કહે છે કે જો તમે સશંય નહિ કરો તો નવુ શીખી નહિ શકો. અત્યારસુધીની શોધખોળો આવી જીજ્ઞાસા ને સંશયનું જ પરિણામ છે. યાદ રહે કે યુરોપ કે જે મોટાભાગની વૈજ્ઞાનિક શોધનુ જનક છે એમા પણ એક સમયે આવી જ આજે બેહુદી લાગે એવી માન્યતાઓ પ્રચલિત હતી ને એની સામે વૈજ્ઞાનિક સત્યને શોધનારાને મૃત્યુદંડનો સામનો પણ કરવો પડયો છે. એટલે જ વિજ્ઞાનમાં કોઇ પણ શોધ કે નિયમ   આખરી સત્ય નથી મનાતું. આજનુ સત્ય કાલે ખોટુ પણ સાબિત થઇ શકે. એટલે એવું કહી શકાય કે સશંયાત્મા જ વિજયી બને છે. જીજ્ઞાસા જ માણસને જીવતો રાખે છે.

Friday, January 25, 2019

આપણે ખેલકુદમાં કેમ પાછળ છીએ?

આગલા અંકથી ચાલું. આપણી પાસે આજીવિકાના સાધનો મર્યાદિત. નવા શોધવાની ઝંખના નહિ. ઘરની છત્ર છાયા ને પરિવાર કે ગામ છોડવાની હિંમત નહિ. વડીલો કહેશે કે'આખો રોટલો ખાતા અર્ધો ખાવ 'પણ નજર સામે રહો. લોકો એક જ ઘરમાં ને ગામમાં કેટલીય પેઢી જીવી નાખે, અછત ભોગવે પણ સારા જીવનની આશામાં ગામની બહાર પગ નમુકે. એક પેઢીને તૈયાર કરતા આગલી પેઢી આખી હોમાય જાય ને હાંફી જાય. હવે  એને એ પેઢીને આશરે જ જીવવાનું છે. તો વચલી પેઢીને માબાપ ઉપરાંત પોતાનો સંસાર પણ સંભાળવાનો છે. એટલે લોકોનુ આખૂ જીવન મોટા થવામાં ને મોટાને સાચવવા ને પોતાના બાળકોને તૈયાર કરવામાં વિતી જાય એમાં રમત તો ઠીક પણ સામાન્ય નિયમિત કસરત કરવાનો પણ સમય હોતો નથી કે એ પ્રકારનુ વલણ જ કેળવાયુ નથી.
  એ પ્રમાણે સ્કુલમાં પણ  કસરત ને ખેલ તરફ ઉદાસીનતા જોવા મળે છે. કસરતના સાધનો હોય છે, મેદાન હોય, પી. ટી ના શિક્ષક પણ હોય પણ ખુદ શિક્ષકને પણ રસ નાહોય. બાળપણથી જ આવુ વલણ હોય તો આગળ જતા એનું પરિણામ કેવું હોય?
     બીજુ વ્યકિગત રીતે પણ આપણને પર્વતારોહણ કે દોરડાથી પર્વત પર ચડવો, નદી કે દરીયામાં વહાણવટુ કરવુ. આવી કોઇ સાહસવૃતિ આપણામાં નથી. કારણ આપણે શરીરવિજ્ઞાન બહુ મોડુ વિકસ્યું. આવી જોખમી રમતોમાં હાથપગ ભાંગે તો સારવારને અભાવે માણસ કાયમ માટે અપંગ થઇ જાય. હવે સાજા સમા માણસો ય નપોષાતા હોય તો અપંગનો ભાર કોણ ઉપાડે? એટલે આ બાબતમાં આપણે શરીરને બહુ સાચવવુંપડે છે. ઉપરાંત આપણે પરદેશની જેમ માંદગી,અકસ્માત કે જીવનવીમા પોલીસી હોય છે એવુ કોઇ રક્ષાકવચ નથી હોતુ એટલે વેસ્ટન દેશના લોકો જે જોખમ ઉઠાવે છે એવુ જોખમ  ઉઠાવતા આપણે સો વખત વિચાર કરવો પડે. સામાન્ય માંદગી ય મધ્યમવર્ગનું બજેટ ખોટવી નાખે. ઉપરાંત આવી જોખમી સાહસોમાં રેસ્કયુ મિશન એટલે કે બચાવ ની કોઇ વ્યવસ્થા હોતી નથી. એટલે સમાજના મોટા ભાગના લોકો આવા સાહસથી દુર રહે પછી તો એક સામાજિક આદત બની જાય. આજે પરદેશમાં વસેલા આપણા બંધુઓ પણ એમના સંતાનોને ખેલકુદ , આવા સાહસો તરફ પ્રોત્સાહન આપતા નથી હોતા.
      પરિણામ! આંતરરાષ્ત્રીય સ્તરે આપણો એકપણ  ખેલાડી નથી હોતો. કયારેક એકાદ અપવાદ સિવાય

આપણે ખેલકુદમાં પાછળ કેમ છીએ?

વાંચકમિત્રો, કયારેક એવો વિચાર આવે કે ઓલમ્પિકજેવી  ઇન્ટરનેશનલ રમતોમાં આપણી વિરાટ વસ્તીમાંથી એકપણ વીરલો વિજેતા તરીકે સ્ટેજ પર દેખાતો નથી. રમતગમતમાં કોઇ પણ વિશ્ર્વસ્તરની શ્રેણીમાં આપણુ નોંધપાત્ર પ્રદાન હોતું નથી. આપણે ત્યા આવા ખેલાડીની ખોટ તો નથી પણ એને ઘર,સ્કુલ કે સમાજ કે સરકાર તરફથી કોઇ પ્રોત્સાહન મળતું નથી. બીજા દેશોમાં રમતગમત એ આજીવિકાનું સાધન બની શકે છે. ખાસ કરીને સામ્યવાદી દેશોમાં આવા પ્રતિભાશાળી બાળકોને સ્કોલરશીપ ને નોકરીની ખાતરી અપાય છે. નાનપણથી જ એનો અલગ કાર્યક્રમ બનાવાય છે. એના માબાપને પણ રહેઠાણ ને સારી નોકરી અપાય છે. બાળકોને કયારેક ઘરથી દુર બીજા સ્થળે કે જયા આવા તાલીમ આપનાર શિક્ષકો રહેતા હોય ત્યા એમની સાથે રહેવું પડે. જેમ આપણે ત્યા પ્રાચીન સમયમાં છોકરાઓ ગુરુકુળમાં ભણવા જતા એમ જ. આવા બાળકો રાજ્યની સંપતિ ગણાય છે. કયારેક મળેલા ઇનામકે મેડલ સરકાર હસ્તક રહે છે.
    એકાદ પેઢી પહેલા આપણે સાદી રમતો હતી. એને માટે સ્ટેડિયમ, મોંધા સાધનો કે ખાસ ડ્રેસની જરુર નહોતી ને પોષાય પણ નહિ. ખો ખો, લંગડી,કબડી, રાજ્યકક્ષાએ અંગ્રેજોની દેન એવી ક્રિકેટ કે ટેનીસ કે બેમિંગટન.જોકે ક્રિકેટ એસમયે રાજારજવાડા ને રાજકુમારો માટે જ હતી. સમાજમાં માનમોભાનું પ્રતિક. આપણા સમાજની એક ખાસિયત કે અમુક વસ્તુને સ્ટેટસ બની જતા વાર નથી લાગતી.એટલે સામાન્ય લોકો 'આપણુ ગજુનહિ' કહીને પાછળ ખસી જાય છે.
          આ સિવાય બીજા પરિબળો પણ કામ કરે છે. આપણે મશીનોનો ઉપયોગ તો મોડેથી કરતા શીખ્યા ત્યા સુધી ચીજવસ્તુના ઉત્પાદનમાં હાથમહેનત હતી એટલે લોકોનો મોટાભાગનો સમય આજીવિકા રળવામાં જતો. એટલે જ સયુક્ત પરિવારો હતા.લોકો પાસે ફાજલ સમય જ નહોતો.ઘરના બધા જ સભ્યોને નાના બાળકથી લઇ વૃધ્ધલોકોને શકિત પ્રમાણે કામમાં ફાળો આપવાનો રહેતો. છોકરા ભણવા જાય પણ સ્કુલના આગળપાછળના સમયમાં ઘરના વ્યવસાયમાં હાથ બટાવવાનો. આ રીતે રમત પ્રયે આપણુ ઉદાસીન વલણ વારસાગત બની ગયું.
    માણસની શારિરીક શકિત ને આચારવિચાર ઉપર વાતાવરણ પણ ભાગ ભજવે છે. ખોરાગ પણ મહત્વનું ઘટક છે. પહાડી પ્રજા ખડતલ હોય, જયા જીવનજરુરિયાતના સાધનો માટે સંગ્રામ કરવો પડતોહોય ત્યા લોકો ઝનુની હોય. જેમકે રણમાં જયા પાણીના ટીપા માટે ટોળીઓ વચ્ચે લોહી યાળ સંગ્રામ થતા હોય એ પ્રજા ઝનુની હોય એમ જયા જીવનજરુરિયાતની ચીજો સહેલાઇથી મળતી હોય, ભલે મહેનત કરવી પડે પણ અંતે એનું ફળ મળવાનું છેએની ખાતરી હોયત્યા પ્રજા શાંત હોય ને કાળક્રમે કદાચ કાયર પણ બની જાય. આપણા દેશની વાત કરીએ તો આપણો ખોરાક શાકાહારી કહેવાય. પણ જરુરી પોષણ મેળવવા કઠોળ,અનાજ, શાકભાજી, દુધ, ફળો,મસાલા ઘણા ઘટકો ઉમેરવા પડે. આટલા માત્રથી એ સમતોલ આહાર નથી બની જતો.રસોઇ બનાવનાર વ્યકિત પોષકતત્વો    વિષે કેટલી જાણકાર છેએ  પણ જરુરી છે. નહિતર સોનાની જાળ પાણીમાં ' એવું બને. ખરેખર આપણે ત્યા યોગ્ય આહારવિહારને રસોઇ, એમા વપરાતા મસાલા ને એની ગુણવતા જળવાઇ રહે એવો ઉપયોગ આ વિષે બહુ અજ્ઞાન છે. એટલે એનાથી ભુખ સંતોષાય, જીભને સંતોષ થાય પણ શરીરને નહિ. આ મોટાભાગના રસોડાની વાત છે. એમા સમજુ ને સારી ગૃહીણીઓ પણ હોય કે જે સ્વાદ ને શરીર બન્નેને સંતોષી શકે.એ સિવાય આપણને આધુનિકતાને     નામે જે ખોરાક અનુકુળ નહોય તો પણ માત્ર માભા ખાતર ખાવાની આદત. એટલે પ્રજા તરીકે આપણે ખડતલ નથી.આખા દિવસના કામ પછી આપણામાં એટલી શકિત નથી હોતી કે આવી રમતો રમીએ.   ભાગ ૨ એના પરિણામો