Wednesday, May 17, 2017

વિકાસની કિંમત કોણ ચુકવે છે?

મિત્રો, દરેક વસ્તુની કિંમત હોય છે. વિકાસ હોય કે વિનાશ. અત્યારે સુખ સગવડ ને સાધનો એ માણસની રોજબરોજની જીંદગીને ઘણી સરળ બનાવી છે,મેડીકલ ને સંદેશવ્યવહારના સાધનોએ  માણસના આયુષ્ય ને આરોગ્ય પર આર્શીવાદરુપ છે.પણ એક નાનકડો નેઅસહાય વર્ગ એની કિંમત ચુકવે છે.જુઓ,હાઇવે થાય કે કારખાના કે એરપોર્ટ.જમીન નાના ખેડુતોની છીનવાય. કોઇ જમીનદાર કે મોટા વગદારની નહિ. રસ્તા પહોળા થાય કે દબાણ હટાવાય, કોઇશ્રીમંતનો  બંગલો નહિ પણ ગરીબોના ઝુંપડા  કે લારીખુમચા વાળા પહેલો ભોગ બને. મારી વાત કરુ. હુ ખેડુતપુત્રી. મારા દાદા સફળ ખેડુ. ગુજરાતના ઉતમ ખેડુનુ પ્રથમ પારિતોષિક પામેલા. અમેરીકાના દસ વરસના વસવાટ પછી વતનની મુલાકાત લીધી. જે જોયુ તે થોડુ આધાતજનક હતુ. દાદા તો હયાત નહોતા પણ એમની સોના જેવી જમીન વેડફાઇ ગઇ હતી.  એ જમીન પર મકાનો થઇ ગયા હતા. વાડીનો કુવો પુરાઇ ગયો હતો. એના પૈયામાં બન્ને બાજુના ઘટાદાર વૃક્ષો કપાઇ ગયા હતા.એ વૃક્ષોની છાયામાં બંધાતા  ગાય,ભેંસ ને બળદ, વાછરડા જેવુ પશુધન કાળના પ્રવાહમાં ક્યાય તણાઇ ગયુ હતુ. હા, પ્રગતિને નામે ગણો તો મારા માબાપ પાસે ગારમાટી ને નળીયાવાળા કાચા મકાનની જગ્યાએ પાકા અગાસીવાળા મકાન હતા. પણ  રહેવા વાળા એ બેજ રહ્યા હતા. મારા બધા ભાઇબહેનો વિદેશવાસી થઇ ગયા હતા. આબધુ જોઇને મને એ વેદના થઇ એ આ શબ્દોમાં રજુ કરુ છૂ
         'ખોરડા ખેતરમાં  ધસી ગયા
          ઉભા મોલને ગળી ગયા  
          તોતિંગ વૃક્ષો ઢળી પડ્યા
          પંખીઓના માળા ઉજડી ગયા.
           પંખીઓ તો ઉડી વિજવાયરે બેઠા
            પણ ગાયોના ધણ વિમાસીને ઉભા રહ્યા
           પુછે જાણે કે અમે ક્યા જઇએ?'
જુઓ કે આજીવિકાની ખોજમાં યુવાન સંતાનો પરદેશ નીકળી જાય છે.પરિવારના માળા વિખાંઇ જાય છે   પછી તો વિજવાયરે એટલે કે ફોન પર એની હાજરીનો અહેસાશ કરાવી લેછે.  કવચિત મળવા આવે છે. ટુંકી મુલાકાત ને વિદાય વેળાએ  એ વૃધ્ધ માબાપની આંખોમા આ જ સવાલ ડોકાય છે કે અમે ક્યા જઇએ. એ લોકો જુની ભુમિમાં પથરાયેલા મુળને કાપી નથી શકતા કે નવી ધરતીમાં એને રોપી શકતા. ન તો સંતાનો રોકાઇ  શકતા કે નથી માબાપ એને રોકી શકતા. સંતાનોની પ્રગતિથી એ સુખી થાય છે. પણ એ પ્રગતિમાં આવા અનેક એકાકી  વડીલોનો ભોગ લેવાય છે.      તો  સમાજનો એક બીજો અસહાય વર્ગ     પ્રગતિની કિંમત ચુકવે છે. નાના બાળકો. આજે દુનિયાભરની માનુનીઓ હજારો વરસોનુ મેણુ ભાંગવા મેદાને આવી ગઇ છે. લગભગ બધા જ ક્ષેત્રમાં છવાઇ ગઇ છે. પોતાની બુધ્ધીમતા ને કૌશલ્ય સાબિત કર્યુ છે. પણ ભોગ નાના બાળકો બને છે કે જેને જન્મતા જ નર્સરી, બેબીસીટર, ડેકેર કે આંગણવાડીમાં  ધકેલી દેવાય છે. એ જો બોલી શકતા હોત તો જરુર કહેત કે અમે ક્યા જઇએ?      એક કવિએ સાચુ જ કહ્યુ છે કે'ભવાની ભોગ ન માગે વાઘ કે સિંહનો
                                                                     એ તો માગે કુકડા, મરઘા કે બકરા'