Saturday, November 10, 2018

ચરતા રહો ફરતા રહો.

આગલા અંકથી ચાલુ. તો આપણે ઐતરીય ઉપનિષદ ના આદેશ પ્રમાણે જોયુ કે માણસ એની ઉત્પતિથી લઇને આજે દુનિયાના ખંડખંડમાં પ્રસરી ગયો છે. અલાસ્કાના શુન્ય તાપમાન કે રણની લોહી ઉકાળતી ગરમી કે એમેઝોનના અવિરત વરસાદ ને ગાઢ જંગલોથી છવાયેલી ધરતી બધે જ માનવવસવાટ છે. એમાત્ર બેપગે ચાલવાથી જ નહિ પણ મન એટલે કે બુધ્ધિના ચાલવાને પણ આભારી છે. આવા દુર્ગમ સ્થળોએ પંહોચવા એણે વહાણો બનાવ્યા, વાહનો બનાવ્યા, પશુઓને ઉપયોગ કર્યો ને છેવટે હવામાં પક્ષીની માક ઉડવામાં પણ સફળ થયો. એજ પ્રમાણે આદર્શ ને સુખી સમાજ માટે ભૌતિક સંપતિ પણ ફરતી રહે એ પણ જરુરી છે. સમાજનો કોઇ સતાધારી રાજા કે નેતા અથવા નાનો સમુદાય જયારે સમાજની સંપતિ પર એકાધિકાર જમાવીને બેસી જાય ને બાકીનો સમુદાય મુળભૂત  જરુરિયાત થી  વંચિત રહી જાય ને છેવટે ઉમાશંકર જોષી કહે એ પ્રમાણે ભુખ્યા જનોનો જઠરાગ્નિ જાગે ત્યારે જે આગ લાગે એમાં આવા સતાધીશો ને સંગ્રહખોરો ભુંજાઇ જાય. ઇતિહાસ એવા બળવાઓનો સાક્ષી છે. એટલે સંપતિને પણ સમાજમાં ફેલાવવી જોઇએ એ વ્યકિત ને સમાજ બન્નેના અસ્તિત્વ માટે જરુરી છે. આપણે એવી વાતો પણ સાંભળીએ છીએ કે જેસમયમાં બેંકો નહોતી ત્યારે એવા લોભી લોકો જમીનમાં ચરુ દાટતા ને એના પરિવારને જાણ પણ નહોય ને છેવટે વરસો પછી કોઇ અજાણી વ્યકિતને હાથમાં આવે. તો આ છે ફરતા રહેવાનો ભાવાર્થ.
      આ સિવાય લોકોને પરાણે કે બળજબરીથી વતન છોડાવવામાં આવે. જેમ કે આફ્રીકાના મુળ વતની એવા હબસી લોકો. એના અજ્ઞાનનો લાભ લઇને પોતાના સ્વાર્થ માટે ગોરા લોકોએ એને પશુની જેમ પકડી હજારો માઇલ વતનથી દુર એવા અજાણ્યા મુલ્કમાં પશુની જેમ વેચ્યા ને મજુરી કરાવી. એમને એના વતન,ભાષા, સમાજને સંસ્કૃતિ થી માંડીને પરિવારના ટુકડા કરી નાખ્યા. બસો વરસની આવી યાતના ને ગુલામી એ મુક્ત થયા. માનવજાતિનુ એક કલંકિત પ્રકરણ.એ જ પ્રમાણે બ્રિટિશસતાના સમયમાં આપણા દેશમાથી પણ આવી રીતે લોકોને લાલચ કે બળજબરીથી આફ્ર્રીકામાં ને એવી એની કોલોની વસાવવા લોકોને લઇ જવાતા. એને 'ગિરમીટીયા' કહેવાતા. આવા લોકો સાથે પશૂ જેવું વર્તન થતું.
     આજે માનવઅધિકારોમાં પરિવર્તન આવ્યું છે. દુનિયાનો કોઇ ખુણો અજ્ઞાત નથી રહ્યો. એટલે કોઇ પણ સ્થળે માનવઅધિકારનો ભંગ થાય તો સમાચાર પ્રસરી જાય છે.  આજે પણ ચરવા ચરવાની વૃતિ અટકી નથી. એટલે તો આજે માણસ અવકાશમાં કોઇ પાડોશી  ને સારા રહેઠાણની શોધવા પ્રયત્ન કરે છે.
      છેલ્લે આપણા ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં વિચારીએ તો આ ઉપદેશને પણ આપણે પાપ, પુન્ય ને સ્વર્ગ સાથે જોડી દીધો છે. આજે તો વાહનવ્યવહાર ને રસ્તા, હોટલો,મોટેલો નેસ સંદેશ વ્યવહારની સગવડ છે. પણ એ સમયની વાત છે કે લોકોનું પોણા ભાગનું જીવન આગલી પેઢીને સાચવવા ને નવી પેઢીને તૈયાર કરવામાં વીતી જતું. આમાથી નિવૃત થયા પછી એની એક જ મહેચ્છા રહેતી. ચાર ધામની યાત્રા. આમા પણ મુખ્ય ઉદેશ તો પુન્ય કમાવાનો જ હતો.  બસ ને રેલ્વેના આગમન પહેલા લોકો પગપાળા સંઘમાં નીકળતા. સમુહમાં સલામતી લાગે. રસ્તામાં નાના ગામડા આવે ત્યા આ યાત્રાળુઓનું સ્વાગત થાય. ગામના મહાજન કે અગ્રગણ્ય વ્યકિતને  ત્યા ઉતારો ને ભોજનનો પ્રબંધ થાય. સમચારોનું આદાનપ્રદાન થાય. બન્ને પક્ષે નવું જાણવા મળે. માહીતીનો એક માત્ર સ્ત્રોત. છાપુ ગણો કે રેડીયો.  હવે જોવા જેવુ એ થાય કે જે ઘરડા લોકો દાદરો ય ચડવામાં ટેકો માગતા હોય ને ઉંબર તો ડુંગર થયા એમ રટતા હોય એ વા લોકો પુન્ય માટે ગિરનાર,પાવાગઢ કે પાલીતાણાના ડુંગરા ચડે, એતો ઠીક પણ કૈલાસ,માનસરોવર, કેદારનાથ ને બદ્રીનાથમાં ય ઢસડાતા ય પંહોચી જાય!. ઘેર નહાવા માટે ગરમ પાણીનો આગ્રહ રાખતા લોકો પુન્યની લાલચમાં નદીઓના એવા ઠંડા પાણીમાં  સ્નાન કરે ને એમાં ય ભક્તાણીઓ તો હદ કરી નાખે. માત્ર   પાતળા ને એકસરા      સાડલા . કોઇ સંકોચ નહિ કે ઠંડીની પરવા નહિ. એ તો જેવી જેની માન્યતા. કોઇ સાહસ માટે ડુંગરા ચડે તો કોઇ સ્વર્ગ માટે.          આખરે નદીઓના નીર પણ ફરતા જરહે છે. બંધીયાર પાણી ખાબોચીયુ થઇ જાય ને ગંધાઇ જાય.  એવુ જ માણસનું છે કે એક જ સ્થલે રહેતાલોકોની દ્રષ્ટિ  'કુવાના દેડકા ' જેવી બની જાય છે.એટલે જ ઉપનીષદ કહે છે'ચરવૈતિ

આપણા ઉપનિષદ એતરીયમાં એક સંદેશ છે કે ફરતા રહો ને ચરતા રહો. પ્રાણી ને મનુષ્ય બન્ને માટે. પ્રાણી ઓ તો આ સંદેશો પુરેપુરો સમજ્યા હશે. કારણ કે આફ્રિકામાં પ્રાણીઓની વર્તણૂકના અભ્યાસીઓના નિરીક્ષણ પ્રમાણે ઘાસને લીલોતરી પર જીવનાર પ્રાણીઓ ઘાસના વિશાળ મેદાનોમાં જેમ વરસાદ એકછેડેથી બીજે છેડે આગળ પાછળ જાય ને ઘાસ ઉગે એ પ્રમાણે આ પ્રાણીઓ એની પાછળ ફરે ને ચરે છે તો એના પર જીવનારા શિકારી પ્રાણીઓ વાઘ,સિંહ, વરુ વગેરે આ પ્રાણીઓની પાછળ એટલે કે પોતાના ખોરાકની પાછળ સ્થળાંતર કરતા રહે છે. એજ પ્રમાણે યાયાવર પંખીઓ સિઝન પ્રમાણે  હજારો માઇલની સફર ખેડે છે. તો દરીયાઇ જીવો ખાસ તો માછલીઓ પાણીના ઠંડા ને ગરમ પ્રવાહો પ્રમાણે ફરતી રહે છે ને એની પાછળ એનો કાળ એટલે કે વ્હેલ ને શાર્ક જેવા શિકારી પણ ફરતા રહે છે. આમ પ્રાણીજગતમાં તો શિકાર ને શિકારીનો ખેલ ફરવા ,ચરવા ને તરવા પર દેખાઇ આવે છે.
      માણસની વાત આ સંદર્ભમાં લઇએ તો માણસ એક સ્થળે પેદા થયો ને ભ્રમણ કરતો થયો. ચાલતા ચાલતા એ આજે દુનિયાના દરેક સ્થળે સહરાના રણથી માંડી અલાસ્કાના દુર્ગમ ભાગોમાં પણ વસે છે. માણસની એ વાતાવરણને અનુકુળ થવાની ફાવટને કારણે એ  હિમાલયના પહાડો પર, બરફના ઘરોમાં, લોહી ઉકાળતી ગરમીમાં તંબુ બાંધીને રહી શકે છે. વાતાવરણને અનુકુળ ખોરાક  શોધી કાઢે છે . રહેઠાણ ને પોશાક બનાવે છે. આગળ જતા એ પ્રમાણે તહેવારો,રિરિવાજો ને મનોરંજનના સાધનો શોધીને એક વ્યવસ્થિત સમાજરચના કરે છે.
      આ બધૂ હાંસલ કરવા જરુરિયાત પ્રમાણે સ્થંળાંતર પણ કરવું પડે છે. માણસ સારા જીવન માટે ફરતો રહે છે. એટલે તો  વિશ્ર્વની મહાન પ્રાચીન સંસ્કૃતિઓ નદીઓના તટ પર વિકસી છે. નદી એટલે તો લોકમાતા કહેવાય છે કે બારેમાસ પાણી પુરુ પાડે, વરસાદની ખેંચમાં સિંચાઇથી ખેતી થાય, અનાજ ને પાણી એ માણસના અસ્તિત્વ માટેની મુળભુત જરુરયાત સંતોષાયા પછી આગળનો વિચાર આવે.માનવઇતિહાસમાં ઇજીપ્તની નાઇલ, ઇરાકની યુક્રેટીસ ને ટાયગ્રસ, હડપ્પા ને મોએન જે ડેરોની સંસ્કૃતિ સિંધુ નદીને આભારી છે. આમ માણસ સારા ને સુખસગવડ ભર્યા જીવન માટે ફરતો જ રહ્યો છે. એ ભ્રમણ આજે પણ ચાલુ જછે ને એ જીજ્ઞાસાવૃતિ જે માણસને અવકાશ યાત્રા તરફ દોરે છે.                 મનુષ્ય ને પ્રાણોઓને ભ્રમણમાં તફાવત એ છે કે પ્રાણીના ભ્રમણના કેંદ્રમાં માત્ર ભુખ તરસ ને માદા મેળવવાની વૃતિ જેને પશુવૃતિ કહેવાય.એટલે કે એવા માણસોને જેને જીવનમાં માત્ર આ જ ઉદેશ હોય ને એને પશુ ગણવામાં આવે છે. માણસ એ છૈ કે જે માત્ર તનથી જનહિ પણ મનથી ને ધનથી પણ ફરતો રહે છે. એપ્રગતિ ને હાલના જીવન કરતા સારા જીવન માટે ફરતો રહે છે. રોજીરોટી ને સલામત જીવન માટે એ વતન છોડી પરદેશને પારકી ભુમિને પોતાની કરે છે. વતન છૌડવાના ઘણા કારણ હોય. જયા આજીવિકા સહેલાઇથી મળતી હોય, શાષકપક્ષ શોષણખોર નહોય, કાયદો ને વ્યવસ્થા હોય, ભેદભાવ નહોય, વિકાસની તકો હોય. ત્યા જવા માટેલોકો ઉત્સુક થાય. એજ પ્રમાણે  જે દેશોમાં રાજકીય ને કાયદાકાનુનની અરાજકતા હોય,   ..વિકાસની તકો નહોય, દેશની કુદરતી સંપતિ ને સમૃધ્ધિ પર સમાજના નાના વર્ગનો ઇજારો હોય ટુંકમાં કહી શકીએ તો બળીયાના બેભાગ જેવી હાલત  હોય ત્યારે મજબુરી થી લોકોને વતન છોડવું પડે.
એક વર્ગ એવો છે કે જે સાહસિક છે જે માત્ર કુતુહલ કે નવી ભુમિ શોધવા દરિયાના અફાટજળરાશી ઉપર નાના વહાણલઇને નીકળી પડે છે. એની પાસે છે માત્ર જીજ્ઞાસા ને હિંમત. કયારેક પરિવારનો વિરોધ હોય, મુસાફરી માટે જરુરી સામગ્રી ખરીદવાના પૈસા નહોય કે એવા સાધનો મળતા પણ નહોય.છતા દુનિયાને કોલંબસ, વાસ્કો ડી ગામા,માર્કો પોલો ,એડમંડ સ્મીથ ને હ્યુ એન સાંગ જેવા સાહસીકો મળી રહ્યા છે જે લોકોએ જાનના જોખમે દરિયો, રણ ને ઉતરધ્રુવના દુર્ગમ સ્થાનોનો પ્રવાસ કર્યો છે ને દુનિયા સમક્ષ નવા સ્થાનો ખુલ્લા મુક્યા છે.       વધુ આવતા અંકે

Saturday, November 3, 2018

લગ્નસંસ્થા ૪

આગળથી ચાલુ.    આપણે આગળના ત્રણભાગમાં આપણી ધાર્મિક વિધિઓને ને તેનુ મહત્વ, એને અનુરુપ મંગલ ગીતો માણ્યા. એકવાત બાકી રહી ગઇ. વરકન્યાની પસંદગીના ધોરણ. એ સમય પ્રમાણે નાતજાત,ધર્મ ને પરિવારની શાખને ધ્યાનમાં લેવાતી. વાહનવ્યવહાર ને સંદેશાની મર્યાદિત સગવડને કારણે વિવાહ પરિચિતોના માધ્યમથી, નજીકના જાણીતા પરિવારમાં, આસપાસના ગામમાં ને સમાન વ્યવસાયીમાં કરવાનું વલણ રહેતું. એક કારણ એ હતુ કે નાનીઉંમરે સાસરે ગયેલી દિકરીને વારતહેવારે તેડુ કતવાનો રિવાજ.એમાટે પણ પુરુષવર્ગની ઓથ જોઇએ કેમ કે એકલા મુસાફરી બેનો માટે સલામત નહોતી ને એવી સગવડ પણ નહોતી. બીજુ કે સમાન વ્યવસાય હોય તો આવનાર વહુ કે જનાર દિકરી જલ્દીથી પરિવારમાં ભળી શકે. એ પણ કારણ હતુ કે દરેક કારીગર ને ખેડુત, વિપ્ર ને વણિક એક જ સમાજમાં રહેવા છતા ખાનપાનથી માંડી પોશાક, ધાર્મિક માન્યતાઓ, ખોરાક તૈયાર કરવાની રીત બહુ અલગ હતી. એ સમયે ભણતર  હતુ નહિ. સ્ત્રી શિક્ષણ નહિવત હતું. આર્થિક બાબત માત્ર પુરુષ માટે જ હતી. આજે પણ ઘણા પરિવારમાં જ્યા સ્ત્રી બહાર કામ ન કરતી હોય ત્યા પુરુષ એને આર્થિક બાબતમાં માહીતી આપવાનું જરુરી માનતા નથી. એ સમયે તો બહુધા સંયુક્ત પરિવાર હતા ને ઘરના વડીલ આર્થિક નિર્ણયો લેતા હોય. પછી જરુર પડે પતિ ને પછી યુવાન દિકરાઓ. આજે સંયુક્ત પરિવાર નથી રહ્યા. છતા કોઇ આવી માનસીકતા રાખે તો અચાનક એવી પરિસ્થિતિ આવી પડે તો પરિવાર રાતોરાત અનાથ થઇજાય.  એ સમયે તો દિકરીની પાસે આટલી જ અપેક્ષા રખાતી. પરણવાની એની યોગ્યતામાં ગાણુ, જોણુ,વલોણુ ને રોણુ જોવાતુ. એસમયે નીશાળે જવાનું નહોય એટલે નાનપણથી કામથી પરવારી એ ભાવિ ઘરને શણગારવાની તૈયારીમાં લાગી જતી. એટલેકે ભરતગુંથણ એમાં મોતીના ગણેશસ્થાપના, તોરણ, ચાકળા, ટોડલીયા, વીંઝણા, ઘૌડલા, લોટી,નાળીયેર, ઇંઢોણી, હિરના ચંદરવા, પછીતપાટી, પરદા આવી અનેક ગૃહસુશોભન ઉપરાંત ઘણા લોકો ઘેર ઘોડી રાખે તો એનો શણગાર. ઘોડીનું કાંધીયુ, મથરાવટી, બળદની ઝુલો, મોડ, શિંગડાના મોરા. ઉપરાંત રસોઇ શીખવાની. વડિલો બીક બતાવ્યા કરે. પારકા ધરની.એ સમયે શારીરિક દેખાવ કરતા કામકાજે મજબુત એટલે કે શારીરિક ક્ષમતા મહત્વ હતી. જમાનો કમરતોડ ઢસરડાનો હતો. નાજુક સ્ત્રી કરતા લોંઠકી મેદાન મારી જતી. ગાણા માં એને ગાતા આવડે, સમય સમયના અલગ ગીતો. એટલે દિકરીઓ ઘરની કે પાડોશની વડીલ સ્ત્રીઓ પાસે ગીતો શીખે. ભજન, ગરબા, પ્રભાતીયા, મંગળગીતો ને છેવટે મરશીયા પણ આવડવા જોઇએ!. એટલે તો ગામડામાં છોકરીઓ મોળાકત એટલે કે ગૌરીવ્રત કરે ત્યારે 'દેદો કુટે' એટલે કે મરશિયા ગાતા શીખે. દેદાની વાત સૌરાષ્ટ્રમાં એવી છે કે દેદા નામનો રજપુત યુવાન પરણવા જતો હતો ને ગામ પર બહારવટીયાનો હુમલો થયો ને કુંવારી કન્યાઓ જે ગૌરી પુજા કરતી હતી ગામના વડલા નીચે એની આબરુ જોખમમાં આવી. આ મોડબંધો  તલવાર તાણી કુદી પડયો. દિકરીઓ બચી ગઇ પણ એ શહીદ થઇ ગયો. એની અધૂરી ઇચ્છાને પુર્ણ કરવા વચન અપાયુ કે કુવાંરી દિકરીઓ આ પાંચ દિવસો ઉપવાસ કરશે ને એની યાદમાં શોક મનાવશે. જેમ મુસ્લીમધર્મમાં 'ધાસુરા' હોય છે એમ જ. એ જ રીતે 'વલોણુ'. એસમયમાં લગભગ દરેક પરિવારમાં દુધાળા ઢોર હોય. ખેડુત ને ભરવાડમાં તો ખાસ. એટલે  દિકરીને દુધ ગરમ કરવાનુ, યોગ્ય ઉષ્ણતામાને મેળવણ નાખવાનુ એટલે કે દંહી જમાવવાનું ને વહેલી સવારે વલોણુ કરવાનુ. એટલે કે દંહી વલોવી માખણ ને છાંસ અલગ કરવાના. આ પણ એક આવડત  કે જે એ સમયે અપેક્ષિત હતી. નહિતર દિકરી ને એના માબાપને આખી જીંદગી મેણા સાંભળવાના.  આજે તો નોકરી કરતી છોકરી એ લાયકાત મુખ્ય ગણાય છે.        સંપુર્ણ

Thursday, November 1, 2018

લગ્નગીતો ભાગ ૩

આગળથી ચાલુ. હવે વરપક્ષ જોરમાં આવી જાય. 'આજ અમે ઇડરીયો ગઢ જીત્યા' વિદાયનો વસમો વખત આવે. જોકે એ સમયે નાની કુમળી દિકરીઓને અસહાય ગાયની જેમ અજાણ્યા વર ને ઘરમાં વળાવી દેવાતી ને પછી માબાપનો દિકરીના સુખદુઃખ પર કોઇ કાબુ ન રહેતો. એટલે એના અનજાન ભાવીની કલ્પના કે આશંકાથી સ્નેહી હૈયા ફફડી ઉઠતા. સાંભળો આ ગીત. દિકરી બાપને વિદાય લેતા શું કહે છે
' દાદાને આંગણ આંબલો, આંબલો ઘેર્યો ગંભીર જો'
'એક જ પાન મે તો ચુંટીયુ,દાદા ગાળ ન દેશો જો.'
'દાદને વહાલા દિકરા, અમને દીધા પરદેશ જો'
દુઃખડા પડશે તો કદી ના બોલશુ, નજાવા દેશું મૈયરની લાજ જો.     તો સાહેલીઓ છેલ્લો ટોળો વરને મારી લે
' મે ચંપાબેન તમને વારીયા,ન રમશો માંડવા હેઠ ધુતારો ધુતી જાશે'
  'એક આવ્યો પરદેશી પોપટ. ભોળા મારા બેન ભરમાઇ ગયા. '
'મોઢાનો મીઠડો ધુતારો ધુતી ગયો.'    ગાડામાં વરની બાજુમાં કન્યા    ગોઠવાય ને ફરીથી ગાડાના પૈડાનું પુજન થાય. હવે વરવધુનો ગીત રુપે સંવાદ થાય       વર આંસુ સારતી નવવધુને સમજાવે   'પરણ્યા એટલા પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે'    તો વધુ રજા  માગે ' ઉભા રો તો માગુ મારા દાદા પાસે શીખ રે'     વર કહેશૈ'  હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે'         જાન ઘેર આવે. નવવધુનું સ્વાગત થાય. વિધ્નહર્તા ગણેશની સાક્ષીએ કોડીકરડા રમાય, મીંઢોળને છેડાછેડીની ગાંઠો છુટે ને નવજીવનની ગાંઠે બન્ને બંધાય જે અદ્રશ્ય ગાંઠ જીવનભર ટકી રહે.  આ સિવાય
     અનેક ગીતો   જેમકે પોંખણૂ થાય એટલે ગવાય   ' સીતાને તોરણ રામ પધાર્યા, લે રે પનોતી પહેલુ પોખણુ,'