Tuesday, November 14, 2017

તાજમહાલ

વાચકમિત્રો, દરેક ભારતીયને 'તાજમહાલ' સાંભળતા એક ગર્વની લાગણી ઉઠે. જોવા લાયક સ્થળ. સાવ કાઠીયાવાડી  ભાષામાં કહીએ તો 'સારા રાચમાં સાંબેલુ' દુનિયાની સાતમી અજાયબી. ભલે જોવાનુ સદભાગ્ય ન મળ્યુ હોય પણ એના વિષે સાંભળ્યુ ન હોય એવા તો કોઇક જ હોય. પણ ગામડાના આ એક બાપા તાજમહાલને કેવી રીતે મુલવે છે? એ રમુજી કહાણી સાંભળો.
     આ બાપા ગામડા બહાર કયારેય નીકળેલા નહિ. હા, દિકરાઓને જમાના અનુસાર શિક્ષણ આપેલુ. બાપા પણ            એમ તો જમાનાના જાણકાર. ખપજોગુ છાપા વાંચીલેતા ને ગામના માસ્તર સાથેના સત્સંગમાં વર્તમાનમાં જીવવા જોગ માહીતી મેળવી લેતા. પણ એ બધુ મનમાં સંધરી રાખવાનુ.એ નો દેખાડો નહિ.     છોકરા ભણી  ગણીને શહેરમાં સારી નોકરી કરતા થયા. એક વખત દિકરાઓને સદવિચાર આવ્યો કે બાપાને યાત્રા કરાવીએ. એ તો ગામ બહાર ગયા જ નથી. પણયાત્રા એટલે 'ગંગા, જમુના, સરસ્વતી, હરદ્વાર, કાશી કે મથૂરા નહિ પણ આપણા અૈતિહાસિક સ્થળો, શિલ્પ સ્થાપત્યના ધામ, નહેરો વગેરે. આધૂનિક યાત્રા.      મુસાફરી શરુથઇ. તાજમહાલ આગળ વાન ઉભુ રહ્યુ. દિકરા બાપાને તાજમહાલ પાસે લઇ ગયા. ' બાપા, આ દુનિયાની સાતમી અજાયબી' દિકરાએ ગર્વથી કહ્યુ. બાપાએ ઝીણી નજરે જોઇને પુછ્યુ.' ભાઇ, આ ક્યા ભગવાનનુ ધામ છે?' હસવુ દબાવી દિકરાએ જવાબ આપ્યો' ' બાપા આ મંદિર ન હોય. આ તો કબર છે. શાહજહાની સૌથી પ્રિય બેગમની યાદગીરી. આરસપહાણમાથી બનાવેલી.એ જમાનામાં વીસ  વરસ બાંધતા થયા ને એટલા જ મજુરો ને પૈસાના ખર્ચે આવી બેનમુન ઇમારત બની છે'. બાપા વિચારમાં પડી ગયા . પછી એણે જે જવાબ આપ્યો એ કોઇ સમાજશાત્રીને જ સાંભળવો પડેએવો હતો. તમે પણ સાંભળો. બાપા ઉવાચ' બાંધી બાંધીને બાંધી તો છેવટે કબર જ ને. આમાં પ્રજાનુ શું ભલુ થયુ?  અને ભાઇ, એને આ બેગમ એટલી વહાલી હોય તો બીજી ઢગલાબંધ બેગમોનુ શું?મતલબ બીજી બેગમની જરુર જ શું?આ તો અનેકમાની એક.
ને  કોઇ ઇમારત લાંબા સમયે પુરી થાય એ એની મહાનતાની સાબીતી નથી. કામદારો ને કોન્ત્રાકટરો બધા જમાનામાં સરખા. આપણી  નર્મદા યોજના જેવી કેટલીય યોજનાઓ હશે જેને પુરી કરવામાં મુદત કરતા ત્રણ ગણો સમય લાગ્યો હશે. છતા આપણા પુલ, તળાવો, નહેરો કે બંધ વિષે છેકોઇ  ગેરંટી?કરોડોને ખર્ચે બનેલા નદી પરના બંધો એક જ વરસાદમાં હોનારત  સર્જે છે. એના કરતા તો બંધ વગરના સારા એવુ ભોગ બનનારને લાગે. આપણા હાઇવે ને બાઇવે કેટલીય ખેતીની કિંમતી જમીનનો ભોગલે પણ પરિણામ?એક જોરદાર ઝાપટુ જે રસ્તો ધોઇ નાખે. ત્રીજી વાત કે મહેનત સિવાયના પૈસા માણસમાં સદબુધ્ધિ લાવતો નથી.એટલે કે એ પૈસાથી કોઇ સારુ કામ કરવાના વિચાર માણસને આવે નહિ, પૈસો જે રસ્તે આવે એ જ રસ્તે જાય. શાહજહાના મહેનતના હતા નહિ. પ્રજાની કાળી મજુરીના હતા. '
થોડી વાર અટકીને બાપાએ આગળ ચલાવ્યુ.' સાચો પ્રેમ કોને કહેવાય? જાણવુ છે?બિહારનો ખેતમજુર. પતિ પત્ની ખેતરમાં કામ કરતા હતા ને પત્નીને સર્પ કરડ્યો. માણસ એને લઇને દવાખાને જવા દોડ્યો. દવાખાનુ બાજુના ગામમાં જ હતુ, પણ બે ગામ વચ્ચે મોટો ડુંગર હતો. એટલુ ફરીને જતા જતામાં તો બાઇ મરી ગઇ. એ માણસે પત્નિની યાદમાં ને ખાસ બીજા કોઇની આવી હાલત ન થાય એ માટે ડુંગરમાંથી રસ્તો ખોદવાનુ શરુ કર્યુ. એની પાસે હૈયુ, હાથ, ને હથૌડી છીણી ને ત્રિકમ  ને પાવડો આટલુ જ હતુ. શરુઆતમાં લોકોએ એને ગાંડો ગણી કાઢ્યો. માન્યુ કે પત્નીના મૃત્યુના આધાતમાં પાગલ થઇ ગયો લાગે છે. આમ પણ દુનિયામાં સાહસિકો ને શંસોધકો ને સુધારકો દુનિયાની નજરમાં જ્યાસુધી એ સફળ નથાય ત્યા સુધી પાગલ જ ગણાયા છે. એ રીતે દુનિયાની પ્રગતિમાં ડાહ્યા  કરતા પાગલ! લોકોનો ફાળો વધારે છે. પછી તો ગામના લોકોના ધ્યાનમા આવ્યુ કે પાગલ! મહેનતનુ પરિણામરુપે ધીમે ધીમે પણ કેડી કંડારાઇ રહી છૈ. પછી તો લોકો નો સહકાર ને છેક છેલ્લે સરકાર પણ જાગી ને બે  ગામ વચ્ચે પાકો રસ્તો બન્યો.   છોકરાઓ પણ અજબપ્રેમની ગજબ કહાણી સાંભળી રહ્યા ને લાગ્યુ કે બાપા ભલે ગામડા બહાર નથી નીકળ્યા પણ ગામડુ બાપામાંથી નીકળી ગયુ છે.     એ જ વિમળા હિરપારા







Saturday, August 19, 2017

આઝાદી

હમણા પંદર ઓગષ્ટ ગઇ. વિદેશી શાસનનો અંત. આઝાદી! વિચારીએ આ દિવસે કે ખરેખર આપણે આઝાદ થયા છીએ? એવુ સ્પષ્ટ લાગે છે કે આઝાદી દેશના લાખો લોકોને પહોંચી નથી કે સમજાઇ નથી. કારણ કે આગુલામી માત્ર અગ્રેજી શાસન પુરતી જ નથી. હવે જેને ગુલામી શું છે? એ જ ખબર ન હોય તો આઝાદી શું છે કે એની કિંમત કયાથી સમજાવાની? કારણ એમના જીવનમાં કોઇ ફરક નથી પડ્યો. આટલા વરસોના સ્વદેશી શાસન પછી પણ રોટલા ને ઓટલાનો સવાલ  તો ઉકેલાયો નથી. આમ જુઓ તો દુનિયાના બધા જ સમાજમાં નેવુ ટકા બહુમતી પર દસ  ટકા લઘુમતી રાજ કરતી આવી છે. પછી એ બુધ્ધિબળ હોયકે સતા કે સંપતિ કે ધર્મ. સદીઓથી આપણા જનજીવન પર ધર્મની અસર રહી છે. આપણા જીવનમુલ્યો જેવાકે દયા, શાંતિ, સુલેહ, સમાધાન, શ્રધ્ધા. પણ આ જ મુલ્યોનો અતિરેક થાય કે એની આડમાં દંભ ઉભો થાય ત્યારે એ જ ગુણો અવગુણ બની વિનાશ નોતરે છે. સમાધાન કે શાંતિ સારી વસ્તુ છે પણ એનો અતિરેક કાયરતા બને છે. આ ને કારણે જ આપણે ઘણા પરદેશી શાસનોના શિકાર બન્યા છીએ.' કજીયાનુ કાળુ મોં' શ્રધ્ધાનો અતિરેક પ્રમાદ નોતરે છે. ' યથા યથા ધર્મસ્ય ગ્લાની ભવતિભારતમ,સંભવામિ યુગે યુગે' બસ આશબ્દોને પકડીને આપણે આકાશ તરફ મીટ માંડીને બેસી રહીએ છીએ. અન્યાય સામે અવાજ ઉઠાવવાને બદલે' ભગવાનને ત્યા દેર છે પણ  અંધેર નથી, એના કર્યા એ ભોગવશે', પાપનો ધડો ભરાશે ત્યારે ફુટશે'. આવા ઠાલા દિલાસા લઇને નિષ્ક્રિય બેસી રહીએ છીએ. આજે પણ ભગવાન નહિ તો સરકાર પર બધુ છોડી  બસ બધા અગવડ કે અભાવ માટે ફરિયાદ કરીએ છીએ. કયારેક વધારે જાગી! જઇએ તો આંદોલન, ઉપવાસ એટલે કે ત્રાગા, કે હડતાલનો આશરો લઇએ છીએ. મોટે ભાગે તો આવા આંદોલનોમાં જાગૃતિ કે સમજણ કરતા અસામાજિક તત્વોનો હાથ હોય છે તો કવચિત અસંતુષ્ટ રાજકરણી પણ હોય છે. એમાં કશુ પામવા કરતા સમાજને ગુમાવવાનુ જ હોય છે. કારણ જાહેર મિલ્કતોને નુકશાન, માલમિલક્તની તોડફોડ,જનજીવન ઠપ્પ થઇ જાય, લોકોની રોજગારી બંધ થાય. આજને તબ્બકે  પણ કહેવાતા નાગરીકોને અસરકારક તરીકાથી પોતાના સવાલને પેશ કરતા આવડતુ નથી. લોકશાહીની પાયાની જરુરિયાતએ કે દરેક નાગરીકની ફરજ કે જવાબદારી હોય છે. માત્ર હક જનહી. સગવડ ઉભી કરવા પૈસા જોઇએ. જો  આપણે કરવેરા ન ભરીએ તો સગવડ ક્યાથી થવાની? એક સાદુ ગણીત. આટલા વરસો પછી પ ણ આ દેશના નાગરીકોને સમજાયુ નથી. જાહેર મિલ્કત બધાની જવાબદારી છે એને જાળવવાની. પણ આ સત્ય કોઇને સમજાતુ નથી એટલે તો આપણા  મંદિરો, નદીઓ, શેરી, ગામ, શૌચાલયો અરે આખો દેશ એક વિશાલ ઉકરડો બની જાય છે. ' કોના બાપની દિવાળી અથવા સહિયારી સાસુની ઉકરડે મોકાણ' આવો ઘાટથાય.   બીજી એવી જ કમનસીબી કે આપણે ધર્મ, જાતિ,જ્ઞાતિ, ભાષાની અલગતામાં એવા ફસાયેલા છીએ કે એક સમગ્ર દેશના નાગરીક તરીકે વિચારી શકતા જ નથી. આપણી આવી ફુટફાટનો ગેરલાભ બઘા જ આક્રમણકારોએ ઉઠાવ્યો છે. આજે પણ બિહારી મહારાષ્ટમાં જાય કે ગુજરાતી મદ્રાસમાં જાય કે પંજાબી  યુપીમા જાય એને એક  ભારતીય તરીકે નહિ પન જેતે રાજયના માણસ તરીકે જોવાય છે ને અણગમતા અતિથિ જેવો કે અન્યાય પુર્ણ વ્યવહાર થાય છે. નોકરીધંધામાં ભેદભાવ ને કનડગત થાય છે. વિચારીએ કે એ વીર શહીદોએ જે માનસિક ને શારિરીક યાતના વેઠી હશે ને જેના બલિદાન થકી આપણે આઝાદ થયા એ લોકોએ શુૂ માત્ર જે તે  રાજ્ય કે જાતિ,જ્ઞાતિ વિષે જ વિચાર્યુ હશે?વિધીની વક્રતા તો જુઓ કે આ અલગતાવાદ ઘટવાને બદલે વકરતો જાય છે. રોજ નવા અલગ રાજ્ય માટે કે અનામતના બહાના નીચે નવી જ્ઞાતિકે જાતિની માગણી ને આંદોલન ફુટી નીકળે છે. ખરેખર આપણે કણકણમાં વેરાઇ ગયા છીએ. એટલે તો ત્રેત્રીસ કરોડ દેવો ય આપણને ઓછા પડે છે. રોજ એક નવી માતા કે દેવી પ્રગટ થાય છે ને એક નવો ધર્મ, નવી જાતિ, તો નવા રાજકીય પક્ષો ને નવા નેતાઓ ભારતમાતાની અંખડ ચુંદડીમાં ચીરા પાડતા જાય છે. ખરેખર આપણે આઝાદીને લાયક છીએ?      એક ઓર વાત. દેશમાથી આવેલા આપણા શિક્ષીત ને જાગૃત નાગરીકો! અહી આઝાદી નિમિતે પરેડ તો કાઢે છે પણ એમાં નેતા નહિ પણ અભિનેતાની આગેવાની હોય છે. એટલા પુરતુ ય જો પ્રજા હાજરી આપે  તો. ને આપણા સ્વભાવગત સંસ્કારો પ્રમાણે એમા પણ આયોજકો વચ્ચે ઝધડા ચાલતા જ હોય છે.

Saturday, August 5, 2017

મહાભારત ભાગ ૨

મહાભારતનુ મુખ્ય ને મહાનાયક કૃષ્ણ જેને આપણે હવે ભગવાન બનાવી મુર્તિસ્થાપીને મંદિરમાં કેદ કરી દીધા છે. પુજા કરી સંતોષ માન્યો છે એના ચરિત્રને સમજીએ તો એવુ લાગે કે એણે પાપીઓને જે સજાકરી એમાં એનો કોઇ વ્યકિતગત સ્વાર્થ કોઇપણ જગ્યાએ નથી. એણે માત્ર માનવમુલ્યોની રક્ષા માટે જ સત કહોકે અસતનો આશ્રય લીધો છે. એણે ક્યાય ગાદી કે સતાનો મોહ કે પદવીનો આગ્રહ રાખ્યો નથી. પરાજીત રાજા કે સતાધારીને પદભ્રષ્ટ કરીને એના લાયક વંશવારસને સતા સુપ્રત કરી છે. દ્વારીકા વસાવી પણ સતાધારી નથી બન્યા. એટલે એ હંમેશા મુક્ત રહ્યા છે. અત્યારસુધીના રાજકરણીઓમાં એકમાત્ર ગાંધીજી એમને બરાબર સમજ્યા હોય એમ લાગે છે.  બીજી વાત એ કે મહાભારત વેર ને બદલાની પરંપરા છે. જુઓ કે બ્રાહ્મણો ને તપસ્વીઓનો ધર્મ ક્ષમા કરવાનો. ક્ષત્રિયનો ધર્મ પ્રજાનુ રક્ષણ કરવાનુ. પોતાના ધર્મનુ પાલન કરતા જતા મૃત્યુ આવે તો પણ આવકારદાયક છે. એનુ ઉદાહરણ દ્રોણ, એનો ધર્મ શિક્ષણનો. પણ માત્ર વેરની આગમાં લગભગ અંધ બનીને દ્રુપદનો વધકરાવે છે ને એનાથી આગળ એના પુત્ર અશ્ર્વત્થામાને વેરનો વારસો આપતા જાય છે. એ જરીતે એના પક્ષપાતને કારણે જ અર્જુન અને કર્ણને હાડોહાડ વેર ઉભા થાય છે. તો ભીમ ને દુર્યોધન, દુશાઃસન સાથે વેર એનો અંજામ સમસ્ત કૌરવવંશનો વિનાશ સર્જે છે. કદાચ માનવસ્વભાવનુ કે માનવસહજ નિર્બળતાનુ ઉતમ ઉદાહરણ  આ કથામાં છે. માનવએની ઉત્પતિથી માંડી આજની ઘડી સુધી લડતો જ આવ્યો છે. પોતાની શારીરિક, આર્થિક ને માનસિક સલામતી માટે. કયારેક કથિત ભય સામે તો કયારેક સરસાઇ માટે. કયારેક માન અપમાનના બદલા માટે.આપણા ઘરમાંજ આ ભાવિના પગરણ મંડાઇ જાય છે જેને ભાંડુ     વૈમનસ્ય કહેવાય છે. વ્યકિત તરીકેની અલગ પહેચાન માટેનો આ સંર્ધષ મહદઅંશે સમજણ આવતા ઓછો થઇ જાય છે તો એવા સંજોગો આવે તો વકરે પણ છેને ઘરમાંજ મહાભારત ને કુરુક્ષેત્ર ઉભુ થાય છે. આ જ વસ્તુ સમાજ, જ્ઞાતિ, જાતિ, રાજકીય પક્ષો, ધર્મના વાડા ને દેશ દેશ વચ્ચેના સંધર્ષને પણ લાગુ પડે છે.માણસને જ માણસ નડે છે. કમનસીબે આ  વેર વ્યકિત, સમાજ ને દેશને કયારેક વારસામાં મળે છે.જેટલો અહમ વધારે એટલો પરાજય પણ પીડા જનક. ખાસ કરીને લડાયક કોમમાં જ્યા કહેવાય કે બાપના વેરનો બદલો એ જ સાચુ તર્પણ. એ સિવાય પુર્વજોનો આત્મા ભટકતો રહે. આવા વેરની વસુલાતોમાં પેઢીઓ ખતમ થઇ જતી હોય છે.આપણા દેશની વાત લઇએ તો આઝાદીની સાથે જ ભાગલાએ વેરની એવી ભેટ આપી કે આટલા વરસો બાદ પણ એ આગ શમી નથી. આજે દુનિયાના લગભગ મોટાભાગના દેશોને આ સરહદનો સંધર્ષ સતાવે છે. આજે પણ અશ્ર્વત્થામા જીવે છે. એના હાથમાં બ્રહ્માસ્ત્ર છેએટલે કે અણૂબોંબ છે ને એ કોઇને શાંતિથી સુવા દેતો નથી. કદાચ એ ભયથી જ માણસ ચુભાઇને મને કમને શાંતિ ને સુલેહનુ નાટક કરી લેછે

Thursday, July 6, 2017

મહાભારતને રામાયણ

આપણા બે મહાનગ્રંથ રામાયણ ને મહાભારત. આ સિવાયના વેદ,પુરાણ, ઉપનિષદ ને બીજા અનેક ગ્રંથો છે.પણ આ બે ગ્રંથોની જનજીવન ઉપર જે અસર છે એ આજે પણ ઓછી નથી થઇ. રામાયણ એ સંયુક્ત પરિવારની કથા છે જ્યા સામાન્ય માનવ સહજ નબળાઇ નિંદા કુથલી ને ચાડીચુગલી પણ છેજેનાથી ઘડીભર તો પરિવારની અખંડિતતા જોખમમાં આવી જાય છે પણ પરસ્પરનો સ્નેહ ને ત્યાગ કરવાની સમજણથી પરિવાર બચી જાય છે. એ આપણા સયુંકત પરિવાર માટે મિશાલ બની રહે છે. જ્યારે મહાભારત એ બે પિતરાઇ પરિવાર વચ્ચે સતા ને સંપતિ હક માટેની સાંઠમારી છે.મહાભારતની કેટલીક વસ્તુ આપણી નજરમા આવે છે ને એણે આપણા જનજીવન ને સમાજની વિચારસરણી પર બહુ મોટી અસર કરી છે.  મહાભારતના મોટાભાગના ને મુખ્ય પાત્રો જપ,તપ,મંત્ર કે દેવદેવીઓની કૃપા,કે યજ્ઞનુ પરિણામ છે. ભીષ્મ ગંગાપુત્ર. નદી એક અમાનુષી તત્વ. વ્યાસના જન્મની એવીજ કહાણી. પાંડુ ને ધૃતરાષ્ત્ર વ્યાસની કૃપાનુ પરિણામ, તો સો કૌરવ જો કુદરતી ગણો તો એક સ્ત્રી સો વખત માતૃત્વ ધારણ ને પહેલા ને છેલ્લા સંતાન વચ્ચેનો ઉંમરનો તફાવત! તો પાંડવો જુદા જુદા દેવોનુ વરદાનનુ ફળ. કર્ણ સુર્યપુત્ર.તો દ્રૌપદી ને ધૃષ્ટધ્યુન બન્ને યજ્ઞનુ ફળ.બીજુ એ કે લગભગ બધા જ પાત્રો સાથે કોઇને કોઇ ઋષિમુનીઓનો શાપ કે વરદાન જોડાયેલુ છે. જાણે ઋષિમુનીઓને આસિવાય કશુ કરવાનુ જ ન હોય.હવે સમાજમાં જુઓ કે આટલુ શરીરવિજ્ઞાન વિકસ્યુ છે તો પણ મોટાભાગના હજુ પણ લોકો પુત્રપ્રાપ્તિ માટે સાધુબાબા કે કહેવાતા ચમત્કારીક લોકોના પગ પકડે છે. વ્રત.ઉપવાસ ને યજ્ઞ કરે છે. ત્યા સુધી તો ઠીક પણ અબુધ લોકો આવા સાધુના ચરણોમાં પુત્રપ્રાપ્તિની લાલચમાં યુવાન પુત્રવધુને ધકેલી દે છે. બાબા કદાચ વ્યાસમુનિનો અવતાર હોય!. બીજુ આ શાપની બીક એવી ઘુસી ગઇ છે કે આપણે આવા બાવાઓની  ધતિંગ લીલા જાણીએ તો પણ એની સામે પડવાની હિંમત કરી શકતા નથી.        પછી જુઓ કે આ આજ્ઞાંકિતતાએ મહાભારતમાં પરિવારનો કેવો દાટ વાળ્યો છે. શાંતનુ એની માયા છોડવાની ઉંમરે વિષય વાસનામાં લપટાય છે. આવા રાજા ને આવા પિતા! જે યુવાન દિકરાનુ સંસારસુખ છીનવી લે? દિકરાના ત્યાગ ઉપર પોતાની વાસના સંતોષે?તો સામે ભીષ્‌મે માત્ર સંસારસુખ જ નહિ પણ નવીમાતાના સંતાનો માટેનો સતાનો અધિકાર માન્ય કરી સતાત્યાગની સાથે રાજગાદીને વફાદાર રહેવાના શપથ લીધા ને નિભાવ્યા. પરિણામ! એ જ પ્રતિજ્ઞાએ એમને અન્યાય ને અસત્યને પક્ષે રહીને પોતાના જ પૌત્રૌ સામે લડવા મજબુર કરી દીધા. ગાંધારી એક અંધ જ નહિ પણ એક મોહાંધને સતીત્વને નામે જીવન સમર્પિત કરે છે. જાણીજોઇને અંધ થાય છે. શું  અર્થ હોઇ શકે આવા ત્યાગનો? ને છેવટે એ પણ મોહાંધ બની કૌરવોના મૃત્યુ માટે કૃષ્ણને જવાબદાર માનીને શાપ આપે છે. તો યુધિષ્ઠીર  કૌરવોની કપટલીલા ને કાકાનો પુત્રમોહ ને લાલચુવૃતિને બરાબર જાણે છે.પણ માત્ર વડીલ છેએજ વાત પર બાકીના ભાઇઓને સમજાવી લે છે. ભાઇઓ પણ વડીલબંધુ સામે અવાજ ઉઠાવતા નથી. સાચા ને ખોટાનો ભેદ બધા સમજે છે પણ એને સ્પષ્ટ કહેવાની હિંમત નથી. આનૈતિક હિંમતને અભાવે રણભુમિ સર્જાય છે. માત્ર કુરુક્ષેત્રમાં જ નહિ પણ આજે પણ વડીલશાહીના જમાનામાં સંતાનો માબાપની આમન્યા તોડીને એમને કઠતા નિયમો કે અન્યાય સામે બોલી શકતા નથી. પરિણામ કયારેક કુટુંબકલેશ તો પરિવાર વિખરાઇજાય ને જીવનભરના અબોલા ય થઇ જાય. તો એનાથી ય કરુણ તો માબાપ કયારેક યુવાન સંતાનને કાયમ માટે ગુમાવે. સમય આજે થોડો બદલાયો છે. એક અૌર વાત કે વાણી ને પાણીનો વ્યય સમસ્યા સર્જે. એ આપણને દ્રૌપદીનુ પાત્ર શીખવે છે.   આ બધા 'અતિ'સાથે સહદેવનુ અતિજ્ઞાન મુશ્કેલીના સમયે મદદરુપ થવાને બદલે પીડાજનક બની રહે છે. એ દ્યુતનુ  પરિણામ અને દ્રૌપદી વસ્ત્રહરણ બન્ને   પ્રસંગો જોઇ શકે છે પણ વચનની મર્યાદાને કારણે વગર પુછ્યે કહી શકતો નથી. અહી પણ એને નાનો ગણીને એની સલાહલેવાનુ મોટા ભાઇને જરુરી લાગતુ નથી. કેટલીય પ્રતિજ્ઞાઓ, વેર, ને આ બધા અતિનો સરવાળો કુરુક્ષેત્રના મેદાનમાં ટકરાય છે. કદાચ એને પહેલુ વિશ્ર્વયુધ્ધ કહી શકાય.    

Tuesday, June 27, 2017

દિક્ષા

  આપણા ધર્મમાં ત્યાગને બહુ મહત્વ અપાયુ છે. સંસાર છોડી ભગવા પહેરી માળા ફેરવતા ને બેચાર ફિલોસોફીના એના જ ગાણાગાવાના. સંસાર અસાર છે. મોહમાયા છોડો. બધુ છોડી ને પ્રભુભજન કરો. ભવનુ ભાથુ બાંધો. વગેરે. સામાન્ય લોકો અહોભાવથી માથુ નમાવે, એના ચરણમાં ભેટરુપે કશુક અર્પણ કરી પુન્ય કમાવાનો સંતોષ  લે.સમાજ, પરિવાર ને માબાપ આવા સંન્યાસ લેનાર માટે ગૌરવ અનુભવે.
    વિચારતા એવુ લાગે કે આપણે ભળતે રસ્તે ચડી ગયા છીએ. ત્યાગ સંસારનો નહિ પણ આપણા મનમાં રહેલા સંસારનો કરવાનો છે. એટલે કે લોભ, લાલચ, કોધ્ર વગેરે વૃતિઓનો કરવનો છે. જેના મનમાં આવી માનવસહજ વૃતિ ઉપર કાબુ રાખવાની શકિત છે. એ સંસારી સાધુ છે. એને ભગવા પહેરવાની જરુર નથી. બાકી જેના મનમાં સંસાર રહી ગયો છે એ જંગલમાં જાય કે હિમાળે. એની વૃતિ જેવુ વાતાવરણ ખોળી જ લે છે. ઘર છોડી આશ્રમો ઉભા કરે છે. સંતાનો ને પરિવાર છોડી ચેલા ચેલીઓની લંગર ઉભી કરે છે. ઉપરથી કલ્ેેવર બદલાય છે પણ અંદરનો સંસાર અકબંધ રહે છે. એમાથી અનેક આશારામ જેવા પાંખડી પેદા થાય છે. ધર્મ વગોવાય છે. સમાજમાં સડો પેસે છે. જોવાનુ એજ કે આવા અનિષ્ટને પેદા કરનારા ને પોષનારા ને એનો બચાવ કરનારાઓની ફોજ મોટી છે. સત્ય સામે આંખમિચામણા કરનારા આવા દંભીઓને છારવે છે ને આડકતરીરીતે ઉતેજન આપે છે
     આપણા ધર્મમાં સમાજરચના કરનાર મનીષીઓએ વિચાર પુર્વક આ માળખુ બનાવ્યુ હતુ.  કે માણસ ચાર ઋણ લઇને અવતરે છે. સમાજને સારી રીતે ચલાવવા ને સમાજના દરેક સભ્યને વિકાસની તક મળે માટે ચાર આશ્રમ ચાર અવસ્થા ને એને અનુરુપ કર્તવ્ય. એ જ રીતે ચાર ઋણ. જન્મદાતા માબાપ બાળકનુ પાલનપોષણ કરે, મુળભુત સામાજિક રીતભાત શીખવે. પછી વિદ્યાભ્યાસ માટે ગુરુના આશ્રમ કે આજના સમયમાં નિશાળે જાય. આ વિદ્યાલયો એમને ભાવિજીવન માટે તૈયાર કરે. સારા નાગરીક  ઉપરાંત ભવિષ્યમાં આજીવિકા રળવાના રાહ બતાવે. એરીતે વ્યકિત ગુરુ ને માબાપનો ઋણી બને. અભ્યાસ પુરો થાય એટલે ગુરુદક્ષિણા કે ફી ચુકવે ને સમાજમાં જવાબદાર સભ્ય તરીકે દાખલ થાય. પરણે, સંસાર વસાવે, પોતાના પરિવાર તરફનુ ઋણ. ભાવિ પેઢીને તૈયાર કરે ને માબાપની સંભાળ લે. એબીજુ ઋણ. માણસ એમાથી મુક્ત થાય. એટલે સમાજનુ ઋણ ચુકવવાનો વારો. જે  સમાજને એને માણસ બનાવવા ફાળો આપ્યો છે એ સમાજને  મદદરુપ થવાનુ. સામાજિક સંસ્થાઓમાં માનદ સભ્ય તરીકે એવા આપવાની. પોતાના જ્ઞાન ને અનુભવનો લાભ નવી પેઢીને આપવાનો ને જરુરિયાત મંદને મદદ કરવાની.ચોથુ ઋણ પોતાની જાત પ્રત્યે. હવે એ વૈરાગ્ય લઇને કોઇ એકાંત સ્થળે કે વનમાં જાય. સમાધિ,જપ તપ કરીને પોતામાં મગ્ન રહે. પોતાના ક્ષેમકુશળનો બોજો સમાજ પર ન નાખે.
 હવે આ ચાર અવસ્થા ને એના કર્તવ્યને ઠુકરાવી માણસ ગમે તે કારણથી સંસારત્યાગ કરે ત્યારે સમાજવ્યવસ્થાનુ સંતુલન તુટે છે. કારણ સમાજ એક સાંકળ છે. એકબીજાના સહકારથી ટકી રહે છે. સવારના ઉઠીને ગણવાની શરુઆત કરીએ. આપણા ભાણામાં આવતુ અનાજ. દુધ, શાકભાજી, આપણા કપડા, રોજબરોજની અસંખ્ય ચીજો, એ આપણી આસપાસના સમાજના દ્રશ્ય કે અદ્રશ્ય અનેક લોકોની મહેનત ને આભારી છે. જેનો આપણે ભાગ્યે જ વિચાર કર્યો હશે. એટલે કે જીવનને ટકાવી રાખવા ને સરળતાથી ચલાવવા સમાજના દરેક સભ્યે પોતાનુ કર્તવ્ય એટલે કે અવસ્થા પ્રમાણે ફરજ કહો કે ઋણ અદા કરવુ જોઇએ.      
 હવે સમાજના ઉત્પાદક સભ્ય થવાના સમયે કોઇ યુવાન કે યુવતી  દિક્ષા કે સન્યાસ વૈરાગ્યના અંચળા નીચે અપનાવે ત્યારે આ સાંકળ તુટે છે. માણસનો જન્મજાત કે આત્મપ્રેરણા યુક્ત વૈરાગ્ય એ અલગ વાત છે. આમ પણ આ દરેકનો વ્યકિતગત સવાલ ને જવાબ છે. પણ જ્યારે માત્ર સાંસારિક જવાબદારી કે કોઇ વ્યકિતગત સમસ્યા ઉભી થાય ત્યારે એનો સામનો કરવાને બદલે બીજા ઉપર બધૂ ઢોળી વૈરાગ્યના અંચળા નીચે નાસી જવુ એ પલાયનવાદ છે. આવો વૈરાગ્ય સમાજ ને માણસ પોતાના બન્ને માટે ઘાતક નીવડે છે. આને કારણે  સમાજના ઉત્પાદક સભ્યો પર વધારાનો બોજ આવી પડે છે.
       કારણ આવા કહેવાતા વેરાગી સંસારીઓના ભાણામાથી, અરે કયારેક એના બાળકોના મો માથી કોળીયો છીનવી લેછે. મહેનત કરીને માંડ બે ટંકનુ રળતા શ્રમજીવીઓને ટાણેકટાણે આવી ચડતા આવા મફતિયાને મનેકમને રોટલાનો ટુંકડો ધરવા પડે. દયા સમજીને.વૈરાગ્યમાં જયારે દંભનો અતિરેક થાય ત્યારે સમાજમાં કેવી અરાજકતા થાય એ તો આપણા દેશમાં રોજ અનુભવીએ છીએ. જીવનજરુરિયાતની  ચીજવસ્તુની અછત, બેકારી, ઠેર ઠેર સાધુબાવાની જમાતો, રોજ નવા મંદિરો ને નવા ભગવાનનો ઉદભવ, કામ કે ફરજ તરફ બેદરકારી, નાની મોટી દરેક સમસ્યા માટે આવા બાબા કે દેવદેવીની માનતા, વૈજ્ઞાનિક અભિગમનો અભાવ. આજે ધર્મ કે એના નામે ચાલતો સૌથી નફાકારક ધંધો છે. એને સરકારના કાયદા કાનુન નડતા નથી. કારણ એને ઉપરવાળા તરફથી પરમીટ મળી ગઇ છૈ   ને સમાજના અબુધો એનો ભાર વહન કરવા તૈયાર છે. આપણા દેશમાં મકાન કરતા મંદિરો વધારે છે. ઉત્પાદક સભ્યો કરતા આવા બિનઉત્પાદક સભ્યો વધારે છે. એવા સમાજની પ્રગતિ વિષે શું આશા  રાખી શકાય?
    પછી જુઓ કે આવા સંસારત્યાગીઓને નિભાવવાના તો સમાજે. સંસારને અસાર માનનારા ને શરીરને નાશવંત માનનારા જરુર પડે ત્યારે પાછા આઇ સીયુ માં દાખલ થઇજાય ને દવા ને દાકતરને શરણે જીવ બચાવવા દોડે. એનો ડ્ેસકોડ કેક્ષેમકુશળ સંસારીઓની ઉપર.
 આનો એક ઉપાય. કે દિક્ષા લો કે સંન્યાસ. તમારી મરજી. આમ પણ તમે સંસારનુ ઋણ ચુકવ્યા વિના દેણદારની જેમ ભાગી ગયા છો એટલે તમને મોક્ષ કે નિર્વાણ મળશે કે કેમ,એ પણ આશંકા છે. પણ કમસે કમ વધારે ઋણી તો ન બનો. તમારો મોક્ષ તમને મુબારક. સંસારી ઉપર ઘણો બોજો છે. સરકારના કરવેરા, પોતાના બાળકોને તૈયાર કરવા,વડીલોની સારસંભાળ ને ઉપરથી તમારા મોક્ષ!નો કરિયાવર.
 એવુ કરો કે વૈરાગીનુ અભયારણ બનાવો. આમંદિરો ને દેરાસરો ને એવા સ્થાનો ઉભા કરવા કરતા સંસાર ને દુનિયાથી દુર કોઇ એકાંત સ્થળે તમારી અલગ વસાહત બનાવો. વસ્તીમાંઆવવાનુ જ નહિ. આમ પણ સંસાર તો તમારે માટે વર્જય છે. એના મોહમાંથી બચવા તો તમે ભાગી નીકળ્યા છો. તો તમારા ક્ષેમકુશળની જવાબદારી  જાતે જ ઉઠાવો.કમસે કમ સમાજના ઉત્પાદક સભ્યો પર બોજો તો ન બનો. આ મારી દરેક સાચા કે ખોટા વેરાગીને પ્રાર્થના છે.        વિમળા હિરપારા



Wednesday, May 17, 2017

વિકાસની કિંમત કોણ ચુકવે છે?

મિત્રો, દરેક વસ્તુની કિંમત હોય છે. વિકાસ હોય કે વિનાશ. અત્યારે સુખ સગવડ ને સાધનો એ માણસની રોજબરોજની જીંદગીને ઘણી સરળ બનાવી છે,મેડીકલ ને સંદેશવ્યવહારના સાધનોએ  માણસના આયુષ્ય ને આરોગ્ય પર આર્શીવાદરુપ છે.પણ એક નાનકડો નેઅસહાય વર્ગ એની કિંમત ચુકવે છે.જુઓ,હાઇવે થાય કે કારખાના કે એરપોર્ટ.જમીન નાના ખેડુતોની છીનવાય. કોઇ જમીનદાર કે મોટા વગદારની નહિ. રસ્તા પહોળા થાય કે દબાણ હટાવાય, કોઇશ્રીમંતનો  બંગલો નહિ પણ ગરીબોના ઝુંપડા  કે લારીખુમચા વાળા પહેલો ભોગ બને. મારી વાત કરુ. હુ ખેડુતપુત્રી. મારા દાદા સફળ ખેડુ. ગુજરાતના ઉતમ ખેડુનુ પ્રથમ પારિતોષિક પામેલા. અમેરીકાના દસ વરસના વસવાટ પછી વતનની મુલાકાત લીધી. જે જોયુ તે થોડુ આધાતજનક હતુ. દાદા તો હયાત નહોતા પણ એમની સોના જેવી જમીન વેડફાઇ ગઇ હતી.  એ જમીન પર મકાનો થઇ ગયા હતા. વાડીનો કુવો પુરાઇ ગયો હતો. એના પૈયામાં બન્ને બાજુના ઘટાદાર વૃક્ષો કપાઇ ગયા હતા.એ વૃક્ષોની છાયામાં બંધાતા  ગાય,ભેંસ ને બળદ, વાછરડા જેવુ પશુધન કાળના પ્રવાહમાં ક્યાય તણાઇ ગયુ હતુ. હા, પ્રગતિને નામે ગણો તો મારા માબાપ પાસે ગારમાટી ને નળીયાવાળા કાચા મકાનની જગ્યાએ પાકા અગાસીવાળા મકાન હતા. પણ  રહેવા વાળા એ બેજ રહ્યા હતા. મારા બધા ભાઇબહેનો વિદેશવાસી થઇ ગયા હતા. આબધુ જોઇને મને એ વેદના થઇ એ આ શબ્દોમાં રજુ કરુ છૂ
         'ખોરડા ખેતરમાં  ધસી ગયા
          ઉભા મોલને ગળી ગયા  
          તોતિંગ વૃક્ષો ઢળી પડ્યા
          પંખીઓના માળા ઉજડી ગયા.
           પંખીઓ તો ઉડી વિજવાયરે બેઠા
            પણ ગાયોના ધણ વિમાસીને ઉભા રહ્યા
           પુછે જાણે કે અમે ક્યા જઇએ?'
જુઓ કે આજીવિકાની ખોજમાં યુવાન સંતાનો પરદેશ નીકળી જાય છે.પરિવારના માળા વિખાંઇ જાય છે   પછી તો વિજવાયરે એટલે કે ફોન પર એની હાજરીનો અહેસાશ કરાવી લેછે.  કવચિત મળવા આવે છે. ટુંકી મુલાકાત ને વિદાય વેળાએ  એ વૃધ્ધ માબાપની આંખોમા આ જ સવાલ ડોકાય છે કે અમે ક્યા જઇએ. એ લોકો જુની ભુમિમાં પથરાયેલા મુળને કાપી નથી શકતા કે નવી ધરતીમાં એને રોપી શકતા. ન તો સંતાનો રોકાઇ  શકતા કે નથી માબાપ એને રોકી શકતા. સંતાનોની પ્રગતિથી એ સુખી થાય છે. પણ એ પ્રગતિમાં આવા અનેક એકાકી  વડીલોનો ભોગ લેવાય છે.      તો  સમાજનો એક બીજો અસહાય વર્ગ     પ્રગતિની કિંમત ચુકવે છે. નાના બાળકો. આજે દુનિયાભરની માનુનીઓ હજારો વરસોનુ મેણુ ભાંગવા મેદાને આવી ગઇ છે. લગભગ બધા જ ક્ષેત્રમાં છવાઇ ગઇ છે. પોતાની બુધ્ધીમતા ને કૌશલ્ય સાબિત કર્યુ છે. પણ ભોગ નાના બાળકો બને છે કે જેને જન્મતા જ નર્સરી, બેબીસીટર, ડેકેર કે આંગણવાડીમાં  ધકેલી દેવાય છે. એ જો બોલી શકતા હોત તો જરુર કહેત કે અમે ક્યા જઇએ?      એક કવિએ સાચુ જ કહ્યુ છે કે'ભવાની ભોગ ન માગે વાઘ કે સિંહનો
                                                                     એ તો માગે કુકડા, મરઘા કે બકરા'                                        


Monday, April 3, 2017

બુમરેંગ ભાગ ૨

આગલા અંકથી ચાલુ, સુમનશા આધાતથી લગભગ બેહોશ થઇ ગયા.કોઇપણ માબાપ માટે કંધોતર દિકરાનુ  અવસાન કરતા વધારે કમનસીબી શું હોઇશકે?એમાં પણ યુવાન પુત્રવધુની વેદના જોતા હૈયામાં ઝાળ ઉઠતી. પણ ધીમે ધીમે એનો શોક એક ક્રોધમાં પલટાવા લાગ્યો. પણ કોના પર ઉપર એ ઉતારવાનો? ભગવાન તો હાથમાં આવે એમ નહોતો. તો કોનાપર વાંક ઢોળી શકાય? હા. એક વ્યકિત તે  ડોક્ટર!એની સારવારમાં ભુલ હોય તોએ ડોક્ટરની જ. તો ડોક્ટરે એની ભુલની સજા ચુકવવીજ જોઇએ. એમા એક  વકીલે મનગમતી સલાહ ને સમર્થન આપ્યુ. 'આ ડોક્ટરો ય  માણસની જીંદગી સામે પૈસા ગણતા થઇ ગયા છે. માનવતા જેવુ કશુ રહ્યુ નથી.હવે તો પૈસાથી ડીગ્રી ય  ખરીદી શકાય છે. ' બસ આવાત એમના મગજમાં ઉતરી ગઇ. એવો પાઠ ભણાવી દો કે ફરીથી એ આવી બેદરકારી           કરવાની હિંમત ના કરે. સાથે જબરુ વળતર. આખરે લાલચ  મોખરે આવી ને ેદિકરાના મોતને વટાવવા તૈયાર થઇ  ગયા.
       ડોક્ટર પર સમન્સ આવ્યુ ને કોર્ટમાં હાજર થવાનુ ફરમાન થયુ. નિયત સમયે ડોક્ટર,વકીલ ને એક ત્રીજી વ્યકિત જેને દેખીતી રીતે કેસ  સાથે લાગતુવળગતુ નહોતુ. ફરીયાદીએ ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ મુક્યો હતો. જોકે કોઇ નક્કર પુરાવા વિના એ સાબિત થઇ શકે નહિ. તો સામે પોતાના બચાવમાં ડોક્ટરે એક ફાઇલ ને એક ઓડિયો ટેપ રજુ કરી. એના પરિક્ષણ પછી જજે જેચુકાદો આપ્યો એ શેઠ માટે મરણતોલ ફટકા સમાન હતો. તો જે દવા દિવ્યને બચાવવા આપવામાં આવી હતી એ સુમનશાની  કંપનીની જ બનાવટ હતી. જયારે એની અસરકારતા વિષે ડોક્ટરને સંદેહ ગયો ત્યારે લેબમા એની ખરાઇ વિષે પરિક્ષણ થયુ. સાબિત થયુ કે   આડઅસર ને એમાં રસાયણો સાથે ખિલવાડ કરવામાં આવ્યો હતો.એ જ દિવ્યના મૃત્યુનુ નિમિત હતુ. વધુમાં ે ઓડિયો ટેપ જેમાં સુમનશાએ પરાગને ભેળસેળ વિષે સહજતાથી સમજાવ્યુ હતુ ને આ માટેનો એનો બચાવ ટેપ પર  રેકોર્ડ થઇ ગયો હતો.એ  શેઠને આજે જ જાણ થઇ.જજે ચુકાદો જાહેર કર્યો'  ' શેઠ, તમારો અપરાધ સાબિત થઇ ચુક્યો છે. તમારી દવાથી ઘણા કુળદિપકો બુઝાયા હશે ને ઘણા એની આડઅસરોથી  પીડાતા હશે. આજે તમે જાતે જ તમારો કુળદિપક બુઝાવ્યો છે. 'બુમરેંગ'નો અર્થ તો જાણો છો ને? કુદરતે તો તમને સજા સુણાવી જ દીધી છે. તો અમારા જેવા શું સજા કરવાના? છતા તમારા જેવા નરરાક્ષસને સજા તો મળવી જ જોઇએ. તો તમને દસ વરસની સખત કેદ ને તમારી કંપનીને જપ્ત કરવામાં આવે છે. એ આશા સાથે તો આવા ગુના કરતા લોકો ગભરાય.    સંપુર્ણ

બુમરેંગ ભાગ ૧

સુમનશાહ એ શહેરના અગ્રગણ્ય નાગરીક. જાહેર સંસ્થાઓમાં એનો નોંધપ્રાત્ર ફાળો. એટલે એની હાજરી એવા સમારંભોમાં અચુક ગણાતી.એવા જ શ્રધ્ધાળૂ ભગવાનના પાકા ભક્ત. સવારસાંજ મંદિરમાં આરતીના દર્શન કદી ના ભુલે. એ વખતે એમનો ભકિતભાવ થી છલકાતો ચહેરો એવો તેજસ્વી લાગતો કે ખૂદ ભગવાનને મુર્તિમાથી બહાર આવીને ભક્તને ભેટી પડવાનુ મન થાય. જોકે એવુ કયારેય બન્યુ તો નહિ. ભાઇ,એ તો અસલી નકલી ચહેરોનો અભ્યાસી. હા, એની કૃપા તો સમજ્યા પણ એના ધરવાળા લક્ષ્મીદેવીની પુરી મહેર હતી સુમનશા પર. આજના લાંચરીશવતના સમયમાં બાહોશ! લોકો સાહેબ કરતા એના ઘરવાળાને પ્રસન્ન કરીદેએટલે કામ સફળ. પછી સાહેબ ગમે એવા પ્રમાણિક હોય કે ધમપછાડા કરે પણ ધાર્યુ ધણીયાણીનુ જ થાય.ભગવાન પણ આમાથી બાકાત નહિ હોય.        તો  સુમનશા બે ફાર્મા કંપનીના માલિક.ધમધમતો ધંધો. સંતાનમાં એક દિકરો. એ પણ કંધૌતર થઇને બાપાની સાથે જ જોડાઇ ગયેલો. ઘરબહાર બધે જ ઘીકેળા હતા શેઠને.          હવે એની કંપનીમાં એક કેમિસ્ટ ' ક્વોલીટી કંન્ત્રોલર'ની પોસ્ટ પર જોડાયો. ે પરાગ એનુ નામ. ટુંકસમયમાં જ એણે કંપનીની કામગીરી ને ગેરરીતિ જોઇ લીધી. પ્રમાણિક માણસ હતો. એણે પોતાના હાથનીચેના ને ઉપરના કર્મચારીઓ જોડે આ બાબત ચર્ચા કરી. બધાએ સાંભળ્યુ ને એક બીજા સામે આંખમિચામણા કર્યા. નવાણિયો છે ને સમય જતા  ટાઢો થઇ જશે. આમ પણ વછેરા વધારે કુદે. પણ પરાગની આ બાબત દખલગીરી વધી ને અસંતોષી કર્મચારીઓએ  વાત ઉપર  પહોચાડી. ને શેઠની ઓફીસમાથી તેડુ આવ્યુ.
     પરાગ પણ તૈયાર હતો. એને આવા ઘણા અનુભવ હતા. માણસ બાહોશ હતો.એટલે એને કાઢી મુકવા કે ધમકાવવાને બદલે જો સમજાવી કે પટાવી લેવાય તો પોતાના ને કંપનીના હિતમાં હતુ. શેઠે એને ઓફીસમાં બોલાવ્યો. િસ્મતસાથે આવકાર આપ્યો ને કામકાજ વિષે વાતચીત શરુ કરી. તો પરાગે પોતે દવાની ગુણવતામાં જે બાંધછોડ થતી હતી ને એના પરિણામો વિષે જે જોયુ હતુ એ જણાવ્યુ. એની નવાઇ વચ્ચે શેઠ પોતે બધુ જાણતા હતા ને એને માટે સફળતા માટેનો આ રાજમાર્ગ અલબત પૈસાની દ્રષ્ટિએ. એને એ કંપનીના બંધારણનો એક ભાગ માનતા હતા ને દરેક કર્મચારીએ ગુપ્તતા ને વફાદારીના શપથનુ  પાલન કરવુ જોઇએ.  પરાગ તો આ સાંભળી છન્ન થઇ ગયો.  પછી તો શેઠે એને આ જમાનામાં ભેળસેળ આપણા રોજબરોજના જીવનમાં એક અનિવાર્ય અનિષ્ટ બની ગઇ છે એ વિગતવાર સમજાવ્યુ. આપણો ખોરાક, મસાલા, વનસ્પતિ, શાકભાજી ને આપણૂ શરીર જ જુઓ. મોઢામાં નકલી દાંત, હદયમાં બનાવટી વાલ્વ, હાથપગમાં લોખંડના સરીયા કે કયારેક બનાવટી હાડકા, કયારેક એવી બિમારીમાં આપણે બીજાનુ ઉછીનુ લોહી કે કીડની પણ અપનાવીએ છીએ તો આપણે પણ આમાં ભેળશેળમાથી બાકાત કેવી રીતે રહી શકીએ?. કદાચ પોતાના બચાવમાં વકીલ આવી દલીલ કરીને કેસ જીતી જાય,પણ એનાથી સત્ય સાબિત થતુ નથી.       પરાગ આ સારી સમજી ગયો. ભલે શેઠે એને સીધી ધમકી નઆપી  પણ હવે એ કંપનીનુ રહસ્ય જાણી ગયો હતો. આજે નહિ તો ભવિષ્યમાં એના પર તવાઇ આવે.  એણે ચુપચાપ નોકરી છોડી દીધી.        
      પછી તો ખાસ્સો સમય વીત્યો. શેઠ એકવખત કામકાજ અર્થે વિદેશના પ્રવાસે ગયા. એ દરમિયાન એનો દિકરો દિવ્ય  બિમાર પડ્યો. પહેલા તો સામાન્ય તાવ. તાવ વધ્યો ને છેવટે હોસ્પિટલમાં દાખલ કર્યો. બેચાર દિવસની દવા ને ડોક્ટરની મથામણ  છતા ય પરિણામ શુન્ય. શેઠને સમાચાર મળ્યા પણ એ પહોચે એ પહેલા જ દિકરાએ દમ તોડી દીધો.        

Saturday, March 11, 2017

જે પોષતુ એજ મારતુ ભાગ ૪

એ એક દિવસ જાણે અચાનક સુરખીને રસ્તામાં મળી ગયો!' હાય સુરખી, શાદી મુબારક. હુ લગ્નમાં હાજર ના રહી શક્યો. હમણા જ બહારગામની આવ્યો. ભઇ તુ તો પરદેશીને પરણીને દેશીને ભુલી ગઇ હોઇશ. જવા દે. તુ સુખી તો છે ને?' એણે આખી વાતને બહુ સહજ બનાવવાનો અભિનય કર્યો. સુરખીના મનમાં ગુનાહિત લાગણી તો હતી જ,સાથે ભવાનીનુ આવુ ઉદાર વર્તન! એને વધારે ભીંજવી ગયુ. એ લગભગ રડી પડી.' સુરખી, જે થયુ તે, તારા સુખને ખાતર એકલી જીંદગી તારી યાદમાં  આપણા પ્રેમના સહારે જીવી જઇશ' એણે દેવદાસની અદામાં કહ્યુ.      આવી એકાદ બે અછડતી મુલાકાતમાં એણે સુરખીને મનાવી લીધી. એ પ્રમાણે સુરખી કેનેડા જાય, કોઇપણ કારણ બતાવી એના પતિને છુટાછેડા આપવા મજબુર કરે, એ દરમ્યાન ભવાની પણ ત્યા પંહોચી જાય ને બન્ને પરદેશની ધરતી પર પરણી જાય ને બહારથી એમ લાગે કે ભવાનીએ એનો હાથ પકડીને એના પર ઉપકાર કર્યો છે.          સુરખીને આ સમયે આ યોજનામાં કશુ અજુગતુ ન લાગ્યુ.  નિયત સમયે વિસા મળતા એ કેનેડા આવી ગઇ. યોજના પ્રમાણે ઘરના સભ્યોથી અતડા રહેવુ, કોઇ વાતમાં ભાગ ન લેવો, ચિરાગ તરફ ઉદાસીનતા ને ઉપેક્ષા. કોઇના લાગણીના બંધનમાં કે દબાણમાં ન આવવુ. છેવટ  આલોકો થાકીને સામેથી એને છુટી કરી દે. એટલે એનો કયાય વાંક ન આવે.      પણ એની ઇચ્છા વિરુધ્ધ એ ઘરમાં બધા જોડે એટલી ભળી ગઇ કે આગલી યોજના ભુલાઇ ગઇ. કારણકે ઘરમાં એને એટલો પ્રેમ ને આદર મળ્યો. હવે આ ધર છોડવાનુ એ સપને ય ન વિચારી શકે.        પણ ભવાની નહોતો ભુલ્યો ને એના વચનની યાદ અપાવવા જ આ ફોન આવ્યો હતો. હા, એ કેનેડા આવી ગયો હતો, કઇ લાયકાતે? આમ તો પૈસા સિવાય એની કોઇ યોગ્યતા નહોતી. આવા એકાદ બે સંદેશા સુરખીએ અવગણ્યા પછી એ આજે છેલ્લે પાટલે બેસી ગયો હતો. એની ધમકી કાનમાં પડધાતી હતી'  યાદ રાખજે, અહી તો ઠીક પણ દેશમાં ય તારા પરિવારના બુરા હાલ કરીશ. હુ તારા જેવી દગાખોર પ્રેમિકાઓને એવો પાઠ ભણાવીશ કે   આવી વિશ્રવાસઘાતીઓની યાદગીરી સતેજ રહે. બાકી તારા જેવી તો મારી કામવાળીઓ છે' તો 'જે પોષતુ તે મારતુ'એ કેટલુ સત્ય હતુ?નાનપણની એ રોટીની કિંંમત વસુલ કરવા એ પણ વ્યાજ સાથે શરીફ આવી ગયો હતો!         એ ઘેર તો માંડ  પહોંચી. રોજની માફક આખો પરિવાર સાંજના  જમણ માટે એની રાહ જોતો બેઠો હતો. નણંદે મીઠી મજાક કરતા કહ્યુ. 'આજે તોભાભીની મનપસંદ મીઠાઇ છે એટલે આપણા માટે કશું નહિ બચે.' આવી કેટલીય રસપ્રદ ને મજાક વચ્ચે જમણ પુરુ થયુ.       પણ બધાએ એ તો જોયુ કે આજે સુરખી ચુપ હતી. ઉદાસ કે વધારે જોઇએ તો ગમગીન હતી.         ચિરાગે પણ એ જોયુ. પણ જાહેરમાં પુછવાનુ ટાળ્યુ. રાતે શયનકક્ષમાં એને વિશ્રવાસમાં લઇ આખી વાત જાણી. તો સુરખીએ બધુ જ જણાવી દીધુ. આ પાર કે પેલે પાર. એકને  તો ગુમાવવાનો જ હતો.વાત સાંભળી ચિરાગ પણ વિચારમાં પડી ગયો. થોડો વિચારકરી  એણે પોતાની યોજના સમજાવી. બીજે દિવસે સુરખીની નોકરી પાસેના કોફી શોપમાં એનો આખરી ફંેસલો સાંભળવા ભવાની આવવાનો હતો. સુરખી એ યોજના પ્રમાણે જાણે કોઇથી ભાગતી હોય એમ ચારેબાજુ કાતરનજરથી જોતી કોફીશોપમાં ભરાઇ. એ જ સમયે ભવાની એની પાછળ પાછળ દોડયો ને એની પાછળ પોલીસ દોડી. ભવાની કાઇ સમજે એ પહેલા પોલીસે એના હાથમાં હાથકડી પહેરાવી ને કહ્યુ. 'તમને એક સ્ત્રીનો એની ઇચ્છા વિરુધ્ધ પીછો કરવાના ગુનામા પકડવામાં આવે છે. હવે બીજો સવાલ.તમારી પાસે આ દેશમાં રહેવાનુ કાયદેસર કોઇ પ્રમાણ હોય તો બતાવો' ભવાની શું બોલે કે શું બતાવે.    એ ધોયેલા મુળા જેવો દેશમાં પાછો આવ્યો ને પોતાની દાઝ ઉતારવા માસ્તરને ધેર દોડ્યો તો એ પણ પરિવાર સાથે અદ્રશ્ય થઇ ગયા હતા.          પુર્ણ

Friday, March 10, 2017

જે પોષતુ તે મારતુ ભાગ ૩

પછી તો સુરખીની હાલત કાઇક આવી થઇ. મન જરાક નવરુ પડે એટલે ભવાનીના જ વિચાર આવે.એને યાદ કરતા જ મોઢા પર સ્મિત ફરકી જાય. અકારણ કોઇ પ્રેમગીત યાદ આવી જાય. સુખ ને સુરક્ષાની અનુભુતિ થવા માંડે.એની હાજરી કરતા ગેરહાજરીમાં એ વધારે મોહક લાગે. શું આને જ પ્રેમ કહેવાતો હશે?શું એને પણ આવી જ લાગણી થતી હશે?જોકે હજુ સુધી એવો કોઇ અણસાર પોતે આપ્યો નહોતો કે સામેથી એને મળ્યો નહોતો. પણ પ્રેમ છુપ્યો છુપાતો નથી ને! હવે કયારેક આયોજીત કે અચાનક મુલાકાતો થવા લાગી. બન્નેની એમાંસંમતિ હતી. જોકે નાના શહેરમાં સાવચેતી રાખવી પડે. આવા સબંધોને જ્યા સુધી સમાજમાન્ય સંમતિ ન મળે ત્યા સુધી .
   સુરખીના માબાપને જાણ થઇ. એણે દિકરીને ભયસ્થાન સમજાવ્યા'બેટા, અાપણા સમાજમાં હજુ ધનવાન ગરીબના ભેદ છે. ભવાનીના માબાપ સજ્જન માણસો છેએમાં ના નથી. પણ એના દિકરા વિષે મે તપાસ કરી છે. અભ્યાસમાં ઠીક પણ ચારિત્ર્ય બરાબર નથી. હુ સામાન્ય યુવાનોના સ્વભાવિક વલણ કે છોકરમતની વાત નથી કરતો. એટલે અમારી નામરજી છે. છતા તારે આગળ વધવુ હોય તો એને ચકાસી જોજે'       આ  ચેતવણી પછી એ થોડી સાવધાન થઇ ગઇ.   એટલામાં એક બીજી ધટના બની. એક દિવસ એ કોલેજથી ધેર આવી તો આંગણામાં કાર જોઇ.  આવા ઠાઠથી આવવા વાળુ કોણ હશે? હા, કોઇ અજાણ્યા મહેમાનો હતા. એને લઇને આવનારા સુરખીના કાકા ને સાથે એક સુંદર યુવાન  ને કદાચ એના માબાપ. જેવી એ આવી કે બધાનુ ધ્યાન એના તરફ ખેંચાયુ. એ જાણે ધ્યાનનુ કેન્દ્ર બની ગઇ. એની જ રાહ જોવાતી હતી!    સામાન્ય વાતો થઇ ને જમી પરવારી મહેમાનો ગયા. પછી એને જાણ થઇ કે આ તો "પરદેશી પોપટ'એના વરણ કે હરણ માટે જ આવ્યો હતો.  એકાદ દિવસમાં કાકાનો ખુશીનો સંદેશો આવી ગયો.વધારે વાત ચેરાય એ પહેલા માસ્તરદંપતીએ માગુ સ્વીકારી લીધુ. સામી પાર્ટી પાસે ખાસ સમય નહોતો એટલે એક જ અઠવાડીયામાં કોર્ટમેરેજ થઇ ગયા ને એકાદ અઠવાડીયાનુ સહજીવન, કોન્સયુલેટમાં વિઝા માટે અરજી કરીને ટુંક સમયમાં મિલનની આશા આપી 'પોપટ' પાછો ઉડી ગયો.        હવે ભવાનીએ આજાણ્યુ,એ પહેલા તો મરુ કે મારુ થઇ ગયો. એનો અહમ ઘવાયો ને આ બેવફાઇ ને વિશ્રવાસઘાતની પ્રેમિકાને શુ સજા કરવી? એની યોજના વિચારવા લાગ્યો. પણ એના એક દોસ્તે આવા મારકાપ કરતા બીજી જ તરકીબ બતાવી.      ક્રમશઃ

જે પોષતુ તે મારતુ ભાગ ૨

હા. આ ભુત કબરમાથી  નહિ પણ દરીયાપારથી આવીને એના ફોનમાં પ્રગટ થયુ હતુ. એ હતો ભવાની. એનો પ્રથમ પ્રેમ. કંઇક અંશે પોષક.
    સુરખી એને બચપણથી જાણતી હતી. સુરખીના બા રમાબેન હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતા. પણ એની આવડત ને નવુ શીખવાની ધગશ. એટલે નર્સોની સાથે કામ કરતા કરતા  અનુભવે ઘણુ જ્ઞાન હતુ. કયારેક એવી આળસુ નર્સો એના પર પોતાનુ કામ છોડીદેતી ને એ કુશળતાપુર્વક પાર પાડતા. દિપાબેન ને ભાઇલાલ ગામના સંપન્ન્  માણસો,ભવાની એમનો મોટો દિકરો. ભવાની ત્રણ વરસનો હતો ને દિપાબેનને બીજી પ્રસુતિ માટે હોસ્પિટલમા જવાનુ થયુ. પ્રસુતિ બહુ કષ્ટદાયક હતી. એ સમયે એમની સારવારમાં રમાબેને દિલ દઇને કામ કર્યુ. ઘરના માણસની જેમ. એમને બે માસ જેવુ હોસ્પિટલમાં રહેવાનુ થયુ. એ દરમિયાન બન્ને વચ્ચે નવો જ નાતો બંધાઇ  ગયો. દિપાબેનને રજા મળી,પણ હજુ બહુ નબળાઇ લાગતી હતી. સાથે નાના બાળકની જવાબદારી. એમણે રમાબેનને સમજાવ્યા. એમની અત્યારની નોકરી કરતા વધારે પગારઆપવાની તૈયારી દર્શાવી. રમાબેન માની ગયા.એ સમયે સુરખી પણ ભવાનીની ઉંમરની. સુરખીના પપ્પા પ્રાથમિક શાળાના શિક્ષક. એટલે દિપાબેને સુરખીને પણ સાથે લાવવાનુ સુચન કર્યુ. એ રીતે સુરખી ને ભવાની સાથે ઉછરવા લાગ્યા.
       ભવાની એક બાળક તરીકે બહુ સરળ હતો. એ પોતાની ખાવાપીવાથી માંડી રમકડા બધી વસ્તુ   સુરખીને  આપતો. એટલે રમાબેનને આનંદ ને રાહત થતી. તો સુરખીને પોતાના ઘર જેવો અહેશાસ થતો. તો શ્યામભાઇ સુરખીના પપ્પા ભવાનીને  ભણાવતા. એમ પરસ્પર ચાલતુ. બન્ને બાળકોએ પ્રાથમિક શાળા પુરી કરી. પછી તો સુરખી જાતે ઘેર એકલી રહી શકતી. બાપદિકરી સાથે શાળામાં આવતા જતા. એ જ સમયે ભાઇલાલે સોસાયટીમાં નવુ મકાન લીધુ. રમાબેને પણ એ કામ છોડી દીધુ. એટલે હાઇસ્કુલમા બન્નેનો સંપર્ક નહિવત થઇ ગયો.સહશીક્ષણ હજુ શરુ થયુ નહોતુ
   પણ કોલેજમાં પાછા બન્ને ભેગા થઇગયા. પણ હવે એ શૈશવ ને એ ભોળપણ નહોતુ રહ્યુ. યૌવનનો પ્રથમ સ્પર્શ ને પરસ્પરની જોવાની દ્રષ્ટિ બદલાઇ ગઇ હતી. બન્ને એકબીજાને ચોરીછુપીથી જોઇ લેતા . ખાસતો સુરખી     ક્રમશઃ

જે પોષતુ જે મારતુ ભાગ ૧

        સુરખી વરસ દાડા પહેલા જ દેશ  ને પ્રેમાળ પરિવાર પરિવારની વિદાય લઇને કેનેડા સાસરે આવી હતી.  માબાપ ને ભાઇભાંડુનો વિરહ સાલતો. કદીક આંસુ આવી જતા. કેવુ હશે સાસરુ? પોતે નાના ગામની સામાન્ય પરિવારની છોકરી.  આખી મુસાફરીમાં એ જ વિચારો.મિલન ને વિરહની મિશ્ર લાગણી વચ્ચે પ્રવાસ પુરો થયો. કસ્ટમ બતાવી બીજા મુસાફરો જોડે વેઇટીંગ રુમમાં આવી. બારીના કાચમાથી બરફ વર્ષા  કદાચ પ્રથમ વખત જોઇ. થોડી ઉતેજના થઇ. સાથે પવનનુ જોર હતુ. એટલે બરફ ઉડતો હતો. બારણુ ખુલે ત્યારે ઠંડા પવનની લહેરખી ધ્રુજાવી જતી. લોકો લાંબા ભારેસલ્લ કોટ ને હેટ  ગરમ પોશાકમાં સજ્જ હતા.      એ પણ બધા ઉતારુની માફક પોતાના તેડાગર ને મનના માણીગરના ઇંતજારમાં હતી.      ને કલાકેક પછી એની પ્રતિક્ષાનો અંત આવ્યો. ચિરાગ એને ખોળતો કાઉન્પર આવ્યો ને એક નજર મુસાફરોના લિસ્ટ નાખી. એની નજરમા ય તડપન હતી. બે નજર એક થઇ. જાણે ધરતી ને આભનુ મિલન. જોકે આટલા લોકોની સામે ચિરાગનુ આલિંગન એને શરમાવી ગયુ. એણે ચહેરો દુપ્પટામાં સંતાડી દીધો. ચિરાગ હસી પડ્યો ને કમરે હાથ વિંટાળી નવી દુલ્હનને બહાર લાવ્યો. રસ્તામાં બરફના તોેફાનને લઇને ખાસ વાહનવ્યવહાર નહોતો. બરફને કારણેજ એ સમયસર આવી નહોતો શક્યો.           છેવટે  ઘર આવ્યુ! હા પોતાનુ ઘર! એ ઉતરી ને સાથે  પવનના જોરદાર ઝાપટથી પડતા પડતા રહી ગઇ. હા,એનો વેશ ને ચપ્પલ આ વાતાવરણને જરા ય અનુસંગત નહોતા. છેવટે ગૃહપ્રવેશ ને ઉષ્માભર્યુ સ્વાગત. બહાર ભલે ઠંડી હતી પણ ઘરમાં ઉષ્મા હતી ને ખાસ તો સાસુસસરા ને દિયરનંણદનો પ્રેમાળ આવકારમાં એ બધુ ભુલી ગઇ.     ને આખરે પિયુમિલન. સમય અહી હંમેશ માટે થંભી જાય તો!       પણ કાળનુ ચક્ર તો ફરતુ જ રહે છે. સારાનરસી પળો સરતી જાય છે.  માણસને એના પ્રવાહમાં ઘસડાવાનુ જ રહે છે જો પ્રવાહ સાથે  સરવા કે તરવાની તૈયારી ન હોય. નવજીવનનુ પરોઢ. એ તૈયાર થઇને નીચે આવી ત્યા સુધીમાં સવારનો નાસ્તો ડાઇનીંગ ટેબલ પર ગોઠવાઇ ગયો હતો. દેશ પરદેશ બન્ને પ્રકારની વાનગી હતી. માત્ર  એની જ રાહ જોવાતી હતી. એને આનંદ સાથે થોડો સંકોચ પણ થયો.
       પછી તો સરલાબેને એને બધી રીતરસમ શીખવી ને ટુંકસમયમાં ઘરકામમાં માહીતગાર કરી દીધી. કારણ બધા જ નોકરી કરતા હોય એટલે સહકારથી જ ઘર ચાલે.  પછી તો સુરખીએ પણ ભણવાનુ ચાલુ કરી દીધુ. સાથે પાર્ટટાઇમ નોકરી પણ શરુ કરી. બે વરસમાં એનુ ભણતર પુરુ થયુ ને સારી નોકરી પણ મળી ગઇ.           પછી જીવનનુ બીજુ પ્રકરણ એ એણે ભારતમાં અધુરુ છોડ્યુ  હતુ એ શરુ થયુ.
     એક સાંજે ઓફિસ છુટવાનો સમય થઇ ગયો ને એ પોતાનુ કામ આટોપતી હતી ને ફોનની રીંગ વાગી. કોઇ અજાણ્યો સંદેશો હતો. સંદેશો વાચતા એને ઘડીક તો સમજાયુ નહિ. નહિ એ અહીયા કયાથી હોય ?ને હોય તો મારો ફોન કેવી રીતેમળે?  જો કે આજના ટેકનોલોજીએ પ્રાઇવસી જેવુ રહેવા નથી દીધુ.માણસને  માણસથી સંતાવાની જગ્યા નથી રહી. સંદેશો વાચતા એ ધ્રુજી ગઇ. એરકંડીશન ઓફીસમાં ય પરસેવો થઇ ગયો. નજર સામે ભુતકાલનુ ભુત ધુણવા માંડ્યુ      ક્રમશ

Wednesday, March 1, 2017

આધુનિક વાલ્મિ કી

   પ્રતાપભાઇ એના નામ પ્રમાણે પ્રતાપી હતા. એના પ્રતાપથી ખોટુ કરવા વાળા ડરતા. એના હાથ નીચેકામ કરવાવાળા ને ઉપરી અધિકારીઓ પણ એ વાત કબુલ કરતા. એની નિષ્ઠા વિષે  બે મત નહોતા. લાંચ કે બક્ષિસને પોતાનો અધિકાર સમજતા કેટલાક કર્મચારીઓને  એની સામે અસંતોષ ખરો.  સાથે એ પણ હતુ કે પ્રતાપભાઇ કોઇને અકારણ હેરાન ન કરતા. સાચી ફરિયાદને સાંભળીને એનો તરત નિકાલ લાવતા. એટલે એમનુ માન ખરુ. પણ કોઇને ખટકે તો પાછળથી બળાપો કાઢે કે સાલો ખાતો ય નથી ને ખાવા દેતો ય નથી.
      આવા નીતિમાન માણસોની કસોટી  પણ આગમાં થાય  છે  સોનાની જેમ.બહાર તો  પરાયા લોકો પણ ઘણીવાર ઘરના જ ધાતકી હોય છે. લાગણીઓનુ દબાણ પણ ઓછુ નથીહોતુ.  ગૃહસ્થાશ્રમને શાંત રાખવા કમાતા માણસને કયારેક પોતાની નીતિમતાનુ બલિદાન આપવુ પડતુ હોય છે.     પ્રતાપભાઇની હાલત કાંઇક આવી હતી. ઘરમાં બે ટીનેજર દિકરો ને દિકરી ને શોખીન પત્નિ. મોટો હોદ્દો જોઇને પરણેલી. બાળકોને ય આવા જ સંસ્કાર ને કેળવણી. પરિણામ એ કે  રોજ બજારમાં કાંઇક નવુ આવે. ત્રણે ય તૈયાર જ હોય.વસાવેલુ સરસ ધર તો ખરુ જ. એક જમાનામાં જે મોજશોખ ને માભાની ચીજો ગણાતી  ફ્રિજ,ટીવી, વોશરડ્ાયર કેફોન આ સમયમાં જરુરિયાત ને સામાન્ય બની ગઇ છેએ તો બરાબર. પણ એ સિવાયની વસ્તુઓ કે જે માત્ર દેખાદેખીથી ને દેખાડા માટે જ. આ જ તો તકલીફ છે ને કે જેને પૈસો કમાવા જવુ નથી પડતુ કે પૈસો આસાનીથીઆવે છે,એને  જરુરી કે બિનજરુરી ખરીદીનો વિવેક નથી હોતો.
     પ્રતાપભાઇ ઘરના લોકોની આવી મનોવૃતિ કંટાળ્યા હતા. ઘરમાં છાંસવારે નાનામોટા ઝઘડા, અસંતોષ, અણગમો ને મેણાટોણા,  ને બીજા લોકો સાથેની સરખામણી. ખાસ કરીને આપણા કરતા ઓછુ કમાતા લોકો પાસે આપણા કરતા વધારે સારી ચીજો હોય.  એક વખત આ બાબત એણે વિચાર કરીને એક યોજના બનાવી. સાંજે જમીપરવારી બધાને બેઠકરુમમાં બોલાવ્યા. ' જુઓ. આજે તમારા બધાની માગણીઓ ઉપર મે વિચાર કર્યો છે. મારાથી બનતુ કરીશ. તમે તમારી જોઇતી વસ્તુઓનુ લિસ્ટ બનાવી મને આપો'      ત્રણે ખૂશ થઇ ગયા. આખરે પપ્પા પીગળ્યા ખરા!  મોકો માંડ મળ્યો છે તો બધાએ જરુરી કે બિનજરુરી ચીજોનુ લાંબુ લિસ્ટ બનાવી નાખ્યું.
   પ્રતાપભાઇએ ત્રણે ય લિસ્ટ જોયા. પછી પોતાની બેગ ખોલી  ત્રણ ફોર્મ કાઢીને ત્રણેના હાથમાં પકડાવ્યા.' આ વાંચો, બરાબર વિચારો ને પછી સહી કરી મને પાછા આપો'.   ફોર્મ વાંચીને ત્રણે ય ઉછળી પડ્યા. ' આ તમે શૂ માંડયુ છે? આવી તે કાંઇ શરતો હોય' તો છોકરા તો કલબલ કરવા માંડયા.' પપ્પા, અમને ઉછેરવાનો ને અમારી જરુરીયાત પુરી પાડવાની તમારી ફરજછે તો તમારી ભુલની સજા અમે શુંકામ ભોગવીએ'?. ' બાળકો, તમારી પ્રાથમિક જરુરિયાતો  જેમ કે રોટી,કપડા ને મકાન, શિક્ષણ ને એને લગતી સવલતો એ મારી ફરજ. બાકી તમારા મોજશોખ માટે કમાતા શીખો. બાકી તમારા લિસ્ટ પ્રમાણે મારી આવક ઓછી પડે.તો પુરી કરવા વધારાના પૈસા માટે લાંચ રુશ્વત જ બાકી રહે. ધારો કે તમારા માટે એ પણ કરુ. પણ હુ પકડાઇ જાવ તો મારી સાથે તમારે પણ જેલમાં આવવુ પડે ને બદનામી આપણા બધાની સરખી.એ કબુલ હોય તો'.     બન્ને બાળકો અણગમા સાથે રુમમાથી જતા રહ્યા. પછી એણે એની પત્નિને ઉદ્ેશીને કહ્યુ.' તું તો સવારમાં રામાયણનો પાઠ કરે છે. પારાયણ સાંભળવા જાય છે. તને એટલુ ન સમજાયુ કે વાલિયાના પરિવારે એના પાપમાં ભાગીદાર થવાની ના પાડી ને એણે પરિવારના પોષણ માટે એ લુંટફાટ કરતો તો એ છોડી દીધી. તમારા બિનજરુરી નખરા પોષવા હુ અનીતિ આચરુ ને કવચિત સજા ભોગવુ ને તમે છૂટી જાવ? ના, હુ આધુનિક વાલ્મિકી છુ. શોખ પુરા કરવા હોય ને તો આ કીટી પાર્ટીઓ, ઓટલાપરિષદો, સિરિયલોનુ વળગણ છોડો ને ગૃહઉદ્યોગો શરુ કરો. શરમ કામમાં નહિ, ખોટુ કરવામાં છે'.

Sunday, January 1, 2017

આઝાદી ભાગ ૨

આગલા અંક થી ચાલુ   ' ઘંટડી  માત્ર મે જ નહિ, આજુબાજુના ફલેટના લોકોને પણ  સંભળાઇ હશે. ઘણા લોકોને ઉંઘમાં ખલેલ પણ પડી હશે. ને તને નવ વાગે  ઘેર આવી જવાનો આદેશ હતો. અત્યારે રાતના બાર વાગ્યા છે.  અર્ધી રાત્રે ભર ઉંઘમાથી ઉઠીને બારણુ ખોલવાનો મારો કોઇ પ્રોગ્રામ નહોતો.અમુલભાઇએ  લાગણીવિહિન સ્વરે કહ્યુ.         આરોહી એક પળ તો  ઓઝપાઇ  ગઇ. પપ્પા આજે બરાબર ના ગુસ્સે થયા છે ને પોતે થોડી વાંકમા ય હતી. એટલે વ્યાજબી લાગે એવા ખુલાસા વગર પુછ્યે કરવા માંડી.      'તમે કહોછો કે હવે હુ સ્વતંત્ર છું પુખ્ત થઇ ગઇ છુ તો નાની કિકલીની જેમ કોને ઘેર રમુ છુ ને કોની સાથે રમુ છે , કયારે  ઘેર આવવાની છુ .આવા સવાલોના જવાબ આપવાના હોય? આરોહીએ   જાણે કોઇએ એની સ્વતંત્રતા પર પ્રહાર કર્યો હોય એવા આક્રોશથી કહ્યુ.         ' અહિ આવ ને મારી  બાજુમા બેસ. આજે આપણે સ્વતંત્રતાની વ્યાખ્યા ને મયાર્દા સમજી લઇએ' એણે આરોહીને સોફા પર પોતાની બાજુની જગ્યા બતાવી.     ' પપ્પા, આજે બહુ મોડુ થઇ ગયુ છે ને હુ પણ થાકી ગઇ છું. આપણે કાલે  ચર્ચા ન કરી શકીએ? એણે છટકવાનો પ્રયત્ન કર્યો. સમજાઇ ગયુ હતુ કે આજે બહુ મોટુ ભાષણ મળવાનુ છે.   ' કલ હો ના હો. કાલે કદાચ મોડુ થઇ ગયુ હશે. હવે તો તુ ઘરમા જછે ને.સવાર પડી જાય તો ય શું?અમુલભાઇના સ્વરમાં આદેશ હતો.ન છુટકે એ બાજુમા બેઠી.      ' પહેલી વાત સમજી લે કે આઝાદીનો  અર્થ  અમર્યાદિત રઝળપાટ નથી. શિસ્ત વિનાની સ્વતંત્રતા એ બ્રેક વિનાની બાઇક જેવી છે.તમે ત્રાફિકના નિયમોનુ પાલન કરોછો ને, કોઇને ધક્કા મારીને આંતરીને આગળ નથી જવાતુ.તમારી માફક બાકીના બધાને રોડ પર ચાલવાનો હક છે.તમે ગમે કે ન ગમે પણ સ્કુલમાં શિસ્તનુ પાલન કરો છો. તો જ તમે ભણીશકો.એવુ જ ઘરમા ને વ્યકિતગત જીવનમાં છે.આઝાદી અંદરથી આવે છે. તમારી સ્વતંત્ર વિચારસરણી તમને નિર્ણયાત્મક પળે સાચો રાહ બતાવે છે.   ધાર કે તારા થોડા મિત્રો દારુપીતા હોય કે કેફી પદાર્થ ની મજા માણતા હોય ને તુ ત્યા હાજર હોય ને તને એ  લેવા માટે કે પીવા માટે  એન કેન પ્રકારે  આગ્રહ કરે તો તુ શુ કરે? તુ એના આગ્રહને વશ થઇ જાય એ બીકમાં કે તુ એકલીપડી  જઇશ. તને કોઇ ગ્રુપમા બોલાવશે નહિ.તુ જુનવાણી ગણાઇશ.અથવા તારા મિત્રોની લાગણી દુભાશે.એનુ માન રાખવા, એ જાણવા છતા ય કે આ દારુ ને કેફી ડ્રગ બહુ જ હાનિકારક છે, આવા વ્યસનો માણસને વિનાશ તરફ લઇ જાય છે. છતાજ ઉપર બતાવ્યા કારણ સર તુ એલોકોના આગ્રહ કે દુરાગ્રહને વશ થઇ જાય તો એટલે અંશૈ તુ  વૈચારિક ગુલામ ને નિર્બળ છે. નિર્બળ વ્યકિત સ્વતંત્ર નથી હોતી. તમારા નિર્ણયો માટે બધાની સંમતિ જરુરી નથી. તમારી નૈતિક હિંમત ને  સત્યજાણ્યા પછી મક્કમ રહેવુ એ જ આઝાદી છે,  અમુલભાઇએ સમજાવ્યુ.  ' પણ પપ્પા , તમે જુના મિત્રો મળો કે એકબીજાને ત્યા બેસવા જાવ ને ત્યારે મોડુ  નથી થઇ જતુ? કયારેક એવો વિષય નીકળી આવે ને બધા વાદવિવાદ કે ચર્ચા પર ઉતરી આવે ત્યારે સમયનુ ભાન ભુલાઇ જાય એવુ પણ બને ' આરોહીએ કાઇક વાજબી લાગે એવી દલીલ કરી.    
 'તારી વાત એટલા પુરતી સાચી, કવચિત એવુ બને પણ ખરુ.પણ તારી બાબતમાં તો છેલ્લા ઘણા વખતથી અનિયમીતતા આવી ગઇ છે.શુ દરેક વખતે આ જ કારણ હોય છે? બીજુ કે અમારા અમારા જીવનમાં જેમેળવવાનુ હતૂ એ સમયે અમે પુરતી મહેનત કરી છે.સફળતા હાંસિલ કરી છે. અત્યારે તમારો સમય છે.જીવનમાં કશુ મેળવવા માટે અત્યારે મહેનત કરવાને બદલે આવી અર્થવિહિન રઝળપાટ તમને તમારા રાહથી ભટકાવી દેશે. પછી તો જીવનભર  પસ્તાવાનુ ને અભાવમાં સબડવાનુ જ રહેશે. ને આરોહીએ વધુ એક  દલીલ કરી. એની મનગમતી કારણ કે દરેક વખતે એ પપ્પાને આ દલીલથી મહાત કરીદેતી.' તમારી વાત આટલા પુરતી સાચી, પણ આજના માહોલ પ્રમાણે સ્ત્રી પુરુષોને બધી જગ્યાએ સાથે કામ કરવાનુ થાય. એટલે એકબીજાને સમજતા શીખવુ પડે. સ્ત્રી દાક્ષિણ્યની વાતો હવે જુની થઇ ગઇ. હવે તો સ્પર્ધાત્મક દુનિયામાં બધા ક્ષેત્રે હરીફાઇ કરવાની રહેશે.કોઇ પોતાની સીટ ખાલી નહિકરે.એટલે અત્યારથી પરસ્પરની ખાસિયતો, જમા ઉધાર પાસા સમજી લેવામાં આવે તો છેતરાવાનો ભય નરહે.' ' પણ દિકરી,એને માટે રાતદિવસના ઉજાગરા, મોડી રાતોની રઝળપાટ જરુરી નથી.બધી વસ્તુના અખતરા નથી હોતા.શીખવાનુ આસિવાય ઘણી જગ્યાએ મળી રહે છે' અમુલભાઇએ જવાબ આપ્યો. " પણ પપ્પા, હુ કોઇ અજાણ્યા જોડે તોનથી રખડતી. એ બધા મારા જુના ને જાણીતા મિત્રો છે. આજના જમાનામાં છોકરા  છોકરીઓની દોસ્તી ની    નવાઇ નથી.  તમે પણ એમને ઓળખો છો'      આરોહીએ કહ્યુ.           ' તારા મિત્રઓને હુ ઓળખુ એ મહત્વનુ નથી. પણ તારે જે રીતે ઓળખવા  જોઇએ એ રીતે તુ ઓળખેછે.? મારુ કહેવાનુ  એમની ચાલ ચલગત, એમના વિચારો, છોકરીઓ  તરફનુ એમનુ વલણ. કારણકે એ પણ તમારી માફક કાચી ઉમરના જહોય. એમને મન તમે ઘડીભર રમવાનુ રમકડુ.આવા સંજોગોમાં ગુમાવવાનુ છોકરીઓને જ થાય.એટલે તમારે અમુક ભયસ્થાનો ઓળખી લેવા જોઇએ.પ્રત્યેક સમાજગમે તેટલો આધુનિક હોય, કુદરતી શારિરીક રચના પ્રમાણે પુરુષનો હાથ ઉંચો રહે છે.આસત્ય દરેક જમાનામાં સરખુ જ છે.પોતાને બિન્દાસ,આધુનિકને હોશિયાર માનતી છોકરીઓ છોકરાઓના પડકાર ઝીલી પોતાની બહાદુરી બતાવવા જે જોખમ ખેડે છે. કયારેક એની બદનામી સાથે જાન પણ ગુમાવે છે ને માબાપને જીવનભરનો જખમ આપી જાય છે. ' અમુલભાઇએ એની ઇચ્છા વિરુધ્ધ પણ મોટુ ભાષણ આપી દીધૂ.     આરોહી પ્રથમ વખત ચુપચાપ સાંભળી રહી. જોકે મનમાં તો ધુંધવાતી હતી.          અમુલભાઇએ ઉભા થતા  થતા છેલ્લુ શસ્ત્ર છોડયુ.' એમ છતા તને ઘરમા બંધન લાગતુ હોય, માબાપ જુનવાણી ને જેલર જેવા લાગતા હોય, તારો સ્વતંત્ર આત્મા રુંધાતો હોય તો એક રસ્તો છે'.  આરોહીએ પશ્ર્નસુચક સામે જોયુ.    ' કાલથી તારો રહેવાનો બંદોબસ્ત કયાક કરી લેવાનો. નોકરી શોધી કાઢો. કમાવા માંડો. આ ગેસ,મોબાઇલ ને ઘરનો ખર્ચ તમારા ખિસ્સામાથી કાઢો. તમારા પગ પર ઉભા રહેવા માંડો.પછી કોઇ નહિ પુછે કે મોડીકેમ આવી? બાકી આઘરમા રહેવુ હોય તોઅમારા નિયમ પ્રમાણે રહેવુ પડશે' અમુલભાઇ ભાષણ સમેટી ઉભા થયા ને એને એ જ હાલતમા છોડીને પોતાની રુમમા જતા રહ્યા.   આરોહીએ પપ્પાનુ આવુ સ્વરુપ પ્રથમ વખત જોયુ. પપ્પાએ જાણે સણસણતો તમાચો માર્યો હોય એમ ગાલ તમતમવા લાગ્યા.આંખો આસુથી છલકાઇ ગઇ.આજ સુધી એ હકપુર્વક આ ઘરમાં જીવી હતી,એ ઘર  ઘડીકમા પરાયુ થઇ ગયુ!શું આઝાદીની કિંમત આટલી આકરી હશે?  એ રડતા રડતા જ સોફા પર સુઇ ગઇ.       બીજે દિવસે સવારે ઉઠીને એને  સમાચાર જાણવા ટીવી ચાલુ કર્યુ. સમાચાર સાંભળતા જ એણે ચીસ પાડી. બન્ને માબાપ બહાર દોડી આવ્યા. આરોહીએ  ટીવી સામે આંગળી ચિંધી. એ હજુ પણ થરથર ધ્રુજતી હતી. કોઇ અજનબી યુવતીની ચુથાયેલી નિર્વસ્ત્ર લાશ ફુટપાથ પર પડી હતી સમાચારપ્રવક્તા  જણાવતી હતી' યુવતીએ દમ તોડતા પહેલા ચાર યુવકોના નામ આપ્યા છે, પોલીસ શોધી રહી છે એ નરાધમોને.  એમને જાણતા હો તો પોલીસને મદદ કરવા વિંનતી'
   ને આરોહીની નજર સમક્ષ આખી ઘટનાનો સિલસિલો તરવા લાગ્યો.એણે એ કમભાગી યુવતીને ઓળખી લીધી હતી.એ હતી તન્વી. પણ છોકરાઓ એને 'હરણી' કહીને બોલાવતા.એવી ચંચળ , ભોળી ને બિન્દાસ. ખાસ કરીને છોકરાઓ સાથેના સબંધોમા સાવ નાદાન હતી.વિધવા  માતાની દિકરી. મા એ સંયુક્ત પરિવારમાં બહુ સહન કર્યુ હતુ. એટલે દિકરી  કોઇથી ડરે નહિ,કોઇની શેહમા ના આવે, બોલતા અચકાય નહિ એવી નીડર તો બનાવી પણ છોકરીની જાતને  જે થોડા ભયસ્થાનો,સાવધાની,એની શકિતની મર્યાદા બતાવવાનુ ચુકાઇ ગયુ. મા અહી જ થાપ ખાઇ ગઇ.પછી તો છોકરી  બેકાબુ બની ગઇ.     છોકરાઓ એના થોડા વખાણ કરીને ફુલાવે, ' અરે, આ તન્વી બીજી છોકરીઓ જેવી બીકણ નથી.મણિબેન નથી, અથવા આ તો તન્વીનુ જ કામ. અથવા બીજી રીતે ફુલેકે ચડાવે,' તન્વી  રહેવા દે,તારા કરતા પેલી રીમા વધારે બહાદુર છે,એના જેવી છોકરી જ આ કરી શકે' બન્ને તરીકાથી    એને પાનો ચઢતો. એ છોકરાઓ સાથે મોડી રાત્રે સુમસામ રસ્તા પર સ્કુટરની હરિફાઇમા ઉતરતી. એમની સાથે બિયરની બોટલ લઇને બેસતી, જે નચાવે એની સાથે નાચતી, જયા  લઇ જાય ત્યા જતી. આખરે એની અમર્યાદ દોડનો અંત  એક શરમ સાથે ફુટપાથ પર આવ્યો હતો.! મરતા પહેલા એણે કેટલી યાતના વેઠી હશે એ તો કોણ કહી શકે?  જોવાનુ તો એ હતુ કે આરોહીનો કદાચ આવો જઅંજામ હોત. આ ચારેય હવે જે નરાધમો તરીકે જાહેર થયા હતા, એની સાથે જ આગલી રાતે હતી. એ લોકોના આગ્રહને વશ થઇને તન્વીની જેમ એ રોકાઇ ગઇ હોત તો આજે ફુટપાથ પર એક નહિ પણ  બે લાશ રઝળતી હોત!      એણે અરુણાબેનના ગોદમાં મોં છુપાવી દીધુ.  કહેવાની જરુર નહિ કે આરોહીની આઝાદીને આપોઆપ લગામ લાગી  ગઇ.              સંપુર્ણ