Wednesday, February 21, 2018

અહિંસા પરમો ધર્મ. ખરેખર?

અહિંસા પરમો ધર્મ. આ સુત્ર આપણે ઘણીવાર સાંભળેલુ હશે. જીવ માત્રને જીવવાનો હક છે. દરેક સજીવ સુખની નજીક ને દુઃખથી ભાગે છે. પણ વિચારતા ને જોતા એવુ લાગે કે જીવો જીવસ્ય ભોજનમ. એ જ વધારે સાચુ લાગે છે. આપણા પુરાણોમાં જે દશ અવતાર ગણાવ્યા છેએમાં છેલ્લે માનવઅવતાર છે. વૈજ્ઞાનિક ઢબે સમજીએ તો ચોર્યાસી લાખ યોનીની વાત છે એવુ લાગે કે આપણે એકકોશી અમીબામાથી માનવ તરીકે ઉત્ક્રાતિ પામ્યા છીએ. આ બધા અવતારમાં આપણે માંસાહારી હતા ને આદિમાનવ એવા આપણા નજીકના વડવા પણ કાંચુ માંસ ખાતા. અગ્નિ ને ખેતીની શોધ પછી નાના પાયે થોડો વિકલ્પ ઉભો થયો. હજુ પણ દુનિયાની મોટાભાગની વસ્તી માંસ પર જ નભે છે. દુનિયામાં એવા સ્થળો છે જ્યા ખેતીને લાયક જમીન કે વાતાવરણ નથીત્યા લોકોને ફરજીયાત માંસાહારી રહેવુ પડે.ચાલો, આ તો સર્વાઇવલનો સવાલ થયો.પણ માણસે આ ઉપરાંત પોતાના મોજશોખ ને મોભા માટે ય પશુઓને યાતના આપી છે. જેમકે હાથીદાંતના ચુડલા માટે હાથી, વ્યાધચર્મ માટે વાધ, મગરના પાકિટ ને કોટ કે જે ઉચ્ચવર્ગની સ્ત્રી માટે મોભા ને ફેશન ગણાય, ફરના કોટ માટે રુવાવાળા પ્રાણીઓની નિર્મમ હત્યા, કસ્તુરી માટે મૃગની હત્યા, આપણા રાજા મહારાજા ને નવાબો,અગ્રેજશાષકો પોતાના શોખ ને સમય પસાર કરવા કે મર્દાનગી દાખવવા મૃગયા રમવા જતા. વાધ ને સિંહના શિકાર ત્રોફી માટે થતા. આબધી અકારણ હિંસા. એ રીતે જોઇએ તો માણસ ભલે પોતાને સભ્ય ગણતો હોય, પ્રાણીઓને જંગલી કહેતો હોય ને કયારેક એવા અસભ્ય માણસને જંગલી ગણાવતો હોય પણ સરવાળે માણસ વધારે હિંસક લાગે. પ્રાણીઓ તો પોતાની ભુખ સંતોષવા પુરતા જ શિકાર કરે છે ને એ પછી આજુબાજુમાંથી પસાર થતા હરણા કે સસલા પર નજર પણ કરતો નથી.       વધારે વિચારીએ તો માનવઇતિહાસ આવા યુધ્ધ ને હિંસાથી જ ભરેલો છે. આપણા જીનમાં આ પશૂવૃતિ અકબંધ સચવાયેલી છે.જુઓ કે ગરોળીથી માંડી માંસાકારી બધા જ પ્રાણીઓની પોતાના ખોરાક મેળવવાની સરહદ નક્કી હોય છે. એમાં કોઇ પ્રવેશ કરે એટલે મારામારી થાય ને મોત પણ થાય. એ જ પ્રમાણે આપણા રહેણાંક આજબાજુ આપણે વાડ કે વંડી કે દિવાલ બનાવીએ છીએ. વંડી પર પાછા તિક્ષ્ણ કાંચ પણ હોય. ધરને પાછા તાળા ને કયાક પોસાતુ હોય એ સિક્યોરીટી ગાર્ડ પણ રાખે. રાજા મહારાજા કિલ્લા ચણાવે. કોઇની સરહદમાં વગર આમંત્રણે જવુ એટલે ઝધડો કે મોતને નોતરવુ એવો અર્થ થાય, તો શેઢા માટે લોહિયાળ તકરારો અજાણ્યા કે સગા ભાઇ વચ્ચે નવાઇ નથી. દેશ દેશ વચ્ચે સરહદના ઝધડા એ પણ માનવસ્વભાવનુ જ પાસુ છે.પછી જુઓ કે પ્રાણીઓમાં એમની ટોળીમાં માણસની માફક ચડઉતર સ્થાન હોય છે. બે ટોળીના યુધ્ધમાં વિજેતા હારેલી ટોળીની માદાઓ પર કબજો લઇ લે જેમ માણસમાં વિજેતા રાજવી હારેલા શત્રુઓની સ્ત્રીઓ ભોગવતો. અમુક પ્રાણીઓમાં ખાસ કરીને સિંહ સામી ટોળીના આગેવાનને મારી નાખે ને માદાઓનો કબજો લઇ લે નર સાથે જ નાના બચ્ચાઓની હત્યા કરી નાખે. એમ જ આપણે માનવ સમુદાય જોઇએ તો સાવકા મા કે બાપને આગલા સંતાનો ખુંચતા હોય છે અમુક અપવાદ રુપ. એટલે આજસુધી ઘણા શાંતિના સંદેશવાહકો ને ફરિસ્તાઓ હિંસાનો ભોગ બન્યા છે. જીસસ શુળીએ ચડી ગયા. માર્ટીન લ્યુથર કિંગ ગોળીએ વિંધાઇ ગયા. સોક્રેટીસ ઝેર પી ગયા. એ પરંપરામાં આપણા ગાંધી. અહિંસાના પુજારી. લોહીના એક બુંદ વિના આઝાદી હાસલ કરવાનો વિરલ પ્રયાસ ને સફળ પણ થયા. દુનિયાને નવી મિશાલ આપી.પણ આઝાદીની એ મિશાલ ગોઝારી નીવડી. તાણ્યો વેલો થડે જાય એ કહેવત પ્રમાણે માણસનો મુળભુત સ્વભાવ કોમી રમખાણ રુપે પ્રગટ થયો ને લાખો લોકોને ભરખી ગયો. આઝાદીનો ઉજળો ઇતિહાર શોણિતની લાલ કલમે લખાયો. આજતક એક દેશના નાગરીક સારા પાડોશી, સારા મિત્રો કે સહકાર્યકરો એક ઘડીભરમાં એની ઓળખ માત્ર હિંદુ ને મુસ્લીમ તરીકે ઉભી થઇ ગઇ. એ આગ આજ સુધી બુઝાઇ નથી. આજે પણ આવી કેટલીય સળગતી સરહદો છે. માનવજાત ગમે એવી શાણી વાતો કરે પણ લડાઇ એના જીનમાં છે. પુરાણમાં દેવો ને દાનવો લડતા. શેતાન ને ભગવાન. આપણા મહાભારતના મહાનાયક કૃષ્ણે લડાઇ ટાળવાના પ્રયાસો કર્યા ને અંતે યુધ્ધ તો થયું જ. કોણ જીત્યુ તો કોઇ નહિ!બન્ને બાજુના સૈનિકોને તો રાજ લેવાનુ કે પરસ્પર વેર નહોતુ. કાઇ મેળવવાનું નહોતુ પણ ગુમાવવાનુ તો હતું. અંતે ખુદ કૃષ્ણ જ હિંસાનો ભોગ બન્યા ને સાથે આખુ યાદવકુળ. આપણા બે વિશ્ર્વયુધ્ધ. કેટલા નિર્દોષ લોકો હણાયા હશે ને બાકી રહેલાએ પણ યાતના ભોગવી હશે જેણે પોતાના પરિવાર ને જીવનના આધારરુપ સ્વજનો ગુમાવ્યા હશે. હવે આ દેખીતી હિંસા છે.આસિવાય સુક્ષ્મ હિંસા એ રામાયણમાં છે. કોઇની નિંદા, કુથલી, ચડામણી ને એનુ પરિણામ કોઇનુ અકારણ મોત.જેમ કે દશરથ,વિના વાંકે વનવાસ. ને વિના વાંકે વિરહ જેમ કે ઉર્મિલા. એક વ્યકિતની હલકી મતિને પરિણામે કેટલાલોકોને સહન કરવુ પડ્યુ. એક ધોબીની અવિચારી કોમેન્ટે એક આદર્શ દંપતીનુ જીવન બરબાદ કરી
નાખ્યું.મને એવુ લાગે છેકે માણસના પોતાના અંત સાથે જ આ વૃતિનો અંત આવે છે. એક ઓર વાત. આપણા એક જ માબાપના સંતાનો કેજે લોહીના સબંધો કહેવાય. એમાં પણ બચપણથી ભાઇ બહેનો વચ્ચે વૈમનસ્ય ચાલતુ જ હોય છે. પહેલા માબાપનો પ્રેમ મેળવવા ને પછી કયારેક સંપતિ માટે મારામારી કે ખુન પણ થઇ જતુ હોય છે. માણસની પોતાની અલગ ઓળખ ને અસ્તિત્વ માટેના જ આ પ્રયાસ છે ને એ દરેક સજીવના જીનમાં છે.

Tuesday, February 13, 2018

ગુજરાતી કહેવતો ૬

વાચકમિત્રો.કહેવતોની એજ મજા છેકે એ થોડામાં ઘણુ કહી નાખે છેઆજે થોડી નવી વાનગી. ૧  ગોર ફેરા ફેરવી દે ઘર ન ચલાવી દે.૨ ફરતી ગોકુળઆઠમ ને વચમાં એકાદશી. ૩  બાવો પહોળો ને મઢી સાંકડી.૪ ખુશામત તો ખુદાને ય પ્યારી.  ૫ ઝાઝા મળે ત્યા ખાવા ટળે.
૬  અન્ન પારકુ હોય પણ પેટ પારકુ ન હોય. પાકા ઘડે કાંઠા ન ચડે. ૭ બોર અપાય પણ બોરડી ન બતાવાય.૮  ઋષિનુ કુળ ને નદીનુ મુળ ન પુછાય.૯ બારે બુિધ્ધ ને સોળે શાન. ત્યારે ન આવે તો કયારેય ન આવે. ૧૦  ચડ જા બેટા શુળીએ,માથૂ સેવાળમાં ને પગ આભમાં.૧૧ અન્ન્  ને દાંતને વેર. ૧૨  ભુંજ્યો પાપડ પણ ભાંગી શકે એટલે નમાલુ. ૧૩ સોના કરતા ઘડામણ મોંઘુ.   ૧૪ વહેલા ઉઠ્યા ને ભુલા પડ્યા.  ૧૫ વાડેથી વઘાર લેવો. ૧૬ દુબળાને બે જેઠ મહીના.  ૧૭  ધરમના કામમાં ઢીલ નહિ. ૧૭ વખાણી ખીચડી દાંતે વળગે.   ૧૮ સો મણ સાબુથી ધોવો તો ય કોલસો ઉજળો ન થાય. ૧૯  સો માં સોસરવુ.   ૨૦   ધંધો થોડો ને ધાંધલ ઝાઝી.   થોડા વરસાદે ઝાઝો ગારો.  ૨૧ ચલકચલાણુ કયા ઘેર ભાણુ.? ૨૨ શાંત પાણી વધારે ઉંડા હોય.૨૩બોલ્યુ બહાર પડે ને રાંધ્યુ વરે પડે.૨૪.   દેખવુ ય નહિ ને દાઝવુ ય નહિ. ૨૫ મડાને વિજળીનો શું ભય?. ૨૬ ઘી ઢોળાય તો ય ખીચડીમાં.  ૨૭ગાડા નીચે કુતરુ.  ૨૮ દે દામોદર દાળમાં પાણી.  ૨૯ ઉંધ વેચીને ઉજાગરો ખરીદવો.  ૩૦  ઉંધ ન જુએ ઉકરડો ને ભુખ ન જુવે વાસી ભાત.   ૩૧  જાગતો હોય એ બમણુ ઘોરે.    ૩૨અવળી ટોપી ફેરવવી. ૩૩ સોનાની જાળ પાણીમાં નાખવી. ૩૩ તમાચો મારી ગાલ લાલ રાખવા