Sunday, December 13, 2020

આધુનિક લગ્નસંસ્થા

ભાગ ર  તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્નની વયમર્યાદા કે લગ્ન ચડતી યુવાનીમાં થાય. હજુ હરતાફરતા હોઇએ ત્યાજ બાળકો મોટા થઇ જાય. એક સમયે આયુષ્ય પચાસ કે સાઇંઠ વર્ષ ગણાતું. કામ સખત ને દરેક વ્યવસાયમાં મહેતન માગી લે. એટલે નાનીવયે વિવાહ ને તરત સંતાનો. માબાપ પૌઢાવસ્થામાં પંહોચે ત્યા  દિકરા દિકરી કામ સંભાળતા થઇ જાય. વહુ આવે એટલે સાસુને વેકેશન ને દિકરા કંધોતર થાય એટલે બાપને આરામ.  પણ આજે પરિસ્થતિ બદલાઇ ગઇ. શારીરિક ને ચિકિત્સા વિજ્ઞાન  વિકસ્યુ છે. સામાન્ય બિમારી જીવલેણ બનતી નથી. એટલે આયુષ્ય વધ્યુ છે. બીજુ પરિવર્તન આજીવિકાના નવા વિકલ્પો. શહેરીકરણ ને દેશાવરનું  ક્ષેત્ર  પરિવારના માળા વિખેરી રહ્યુ છે. સંતાનો તક મળે માબાપને છોડી શહેરોમાં નોકરીધંધા માટે વિચરણ કરી રહ્યા છે. માળામાં કયારેક એકલા વૃધ્ધમાબાપ રહી જાય છે. શહેરમાં સામાન્ય આવકમાં બધાનો સમાવેશ થઇ શકે એવા મકાનો બધાને મળતા નથી. પરિણામે માબાપને વતનમાં એકલારહેવાનો એક જ વિકલ્પ બાકી રહે. એમા પણ બેમાથી કોઇ બિમાર પડે કે વિદાય લે ત્યારેજ સમસ્યા ઉભી થાય છે. નછૂટકે શહેરમાં જાય પણ બધુ પરાયુ લાગે.પોતાના સંતાનો કે બાળકો  એનાથી દુર ભાગતા હોય એમ લાગે. કોઇને એને માટે સમય નથી તો આખો દિવસ ને રાત બાર ને બદલે બત્રીસ કલાકનો લાગે.  આ સંજોગોમાં કોઇએ એક નવો વિચાર તરતો મુક્યો. 'મેરેજ બ્યુરો'મોટી ઉંમરના લોકો માટે.  પણ આપણી સામાજિક આદત પ્રમાણે દરેક નવી વિચારસરણીનો વિરોધ,ઉહાપોહ ને પછી સ્વીકાર. જોકે પુરુષો માટે આ નવુ ન કહેવાય. એતો લગને લગને કુંવારા. એ ગમે તે કારણે ને ગમેતે વયે વિવાહ કરીશકે. સવાલ બહેનોનો હતો. પછી તો નવી વિચારસરણી ધરાવતા યુવાનોનો સાથ મળ્યો.આજે અમુક અપવાદ સિવાય એનો સ્વીકાર થાય છે. પણ કોઇપણ ઉંમરે સ્ત્રીપુરુષના સાયુજ્યમાં  નેખાસ તો મોટીવયે જયારે બન્ને પક્ષને પોતાનો પરિવાર.ઢળતી ઉંમરે નાનીમોટી શારીરિક બિમારી તો હોવાની. આમા કયારેક તો કોણ કોની ચાકરી કરે? જો બન્ને સાજામાંદા રહેતા હોય તો નવી સમસ્યા થાય. ઉપરાંત મિલ્કતના ઝધડા થવાની શક્યતા  પણ રહેવાની.  બન્નેના પરિવારની આવનજાવન રહેતી હોય ને એમા તારો પરિવાર ને મારો પરિવાર એકબીજાની આંખો ટકરાય ને આ તો ઉલમાંથી ચુલમાં પડવા જેવું થાય.   શાંતિથી છેલ્લી અવસ્થા પસાર કરવાને બદલે કયારેક કોર્ટકચેરીના ચક્કરમાં સમય પસાર થાય. વિલ સ્પષ્ટ હોય તો પણ વારસદારો માબાપની હયાતી કે ગેરહાજરીમાં બાખડવાના. કાયદાની એસીતેસી. એટલે ઘણા લોકો આવી પરિસ્થિતમાં મુકાવા કરતા એકલા રહેવાનું પસંદ કરે છે.

 

આધુનિક લગ્નસંસ્થા. ભાગ એક

 મિત્રો, આજે એક પ્રસંગની જાહેરાત જોઇ. લગ્નમેળો! આજના સમયમાં આ નવી વાત નથી.એક સમયે લોકો એક ચોક્કસ વિસ્તાર,ગામ,જાતિ ને ધર્મના વિસ્તારમાં રહેતા. એકબીજાને સાત પેઢીથી ઓળખતા. ઉપરાંત ધંધા પેઢી દરપેઢી વારસા ગત રહેતા એટલે લોકો સમાનધર્મી સાથે વિવાહસબંધો ગોઠવતા જેથી સાસરે જનાર દિકરી કે આવનાર વહુ સહેલાઇથી પરિવાર સાથે ગોઠવાઇ શકે. હવે  સમય બદલાયો. વતન સાથેનો નાતો તુટવા લાગ્યો.કારણ કે આજીવિકાના નવા રસ્તા ખુલ્યા. લોકો નાનું વર્ળુળ છોડી દેશાવર જતા થયા. અન્ય સમાજ ને લોકોનો પરિચય વધ્યો. શિક્ષણનો વ્યાપ વધતા નવા વિચારોની ક્ષિતિજ ખુલ્લી.લોકો કુપમંડુકતામાંથી બહાર આવ્યા. વિવાહ અજાણ્યા પરિવાર,ધર્મ,નર જ્ઞાતિમાં થવાનું સામાન્ય થવા લાગ્યુ  શરુઆતના થોડા  વિરોધ પછી. પછી તો યુવકયુવતીઓને જાહેરમંચ પર જીવનસાથી પસંદ કરવાની તક મળે એ માટે અમુક સામાજિક સંસ્થાઓ આવા લગ્નમેળા કે સમારંભોનું આયોજન કરે.દરેક પાત્ર પોતાનો પરિચય,પોતાની ભાવિજીવન માટેની પરિપાટી ને પોતાની લગ્નજીવનની ઇચ્છાઓ વ્યક્ત કરે. આમાથી જે બે પાત્ર એકબીજાને અનુકુળ લાગે એને આયોજકો મેળવી આપે.  પણ આ જાહેરાત તો વયસ્કો માટેની હતી.! આપણા સમાજ માટે કલ્પનાતીત. અરે ભાઇ, હવે ખાઇ પી ઉતર્યા. હવે પ્રભુભકિત કરવાને ટાણે આ નવે નાકે દિવાળી કયા કરવા નીકળ્યા? કેટલાકને તો ધર્મ રસાતળ જતો લાગ્યો. વાત તો સાચી.કારણ આપણા રુઢીગત માન્યતા પ્રમાણે સંસારના ત્રણ ઋણ ચુકવ્યા પછી હવે આત્માના ઉધ્ધાર માટે ભકિત કરવાની હોય. સંસારમાથી વિરક્ત થવાનું હોય એને બદલે આ તો અવળી ગંગા!         ભાગબીજો કાલે

Friday, December 4, 2020

સમસ્યા

 આપણે એકકોષી જીવમાથી માનવ બન્યા છીએ. આ બધા જન્મો એટલે કે આપણા શાસ્ત્ર પ્રમાણે ચોર્યાસી લાખ યોની.હવેઆ બધા જન્મોની ખુબી ખામી આપણામાં અકબંધ છે. ભલે આપણે અર્થશાસ્ત્ર, ધર્મ, સામાજિક માળખુ તૈયાર કર્યુ હોય પણ આપણા અસ્તિત્વનો સવાલ આવે એટલે એ પશુવૃતિ જાગી જાય. કદાચિત આપણું શિક્ષણ આપણને રોકે તો જાનામિ ધર્મ કહીને અથવા બધા આમ જ કરે છે કહીને આત્માના અવાજને દાબી દઇએ. આપણી સંગ્રહવૃતિ, સરહદ બનાવવાની વૃતિ, વણાશ્રમવ્યવસ્થા વગેરે. જુઓ કે કીડી,મંકોડા નેઉધઇ જેવા કીટકો સંગ્રહ કરે છે. એમાં પણ રાજા,રાણી ને દાસી જેવા વિભાગો છે તો એમની બનાવેલી કે માનેલી સરહદમાં કોઇ બહારનું આવે તો જીવલેણ યુધ્ધ થાય. એમાં પણ જે બળવાન હોય તેને જ માદાનો ભોગવટો મળે.સંતાનોની ઉછેરની જવાબદારી માદા નિભાવે. સિંહ જેવા પ્રાણીઓ માત્ર પરિવારનું રક્ષણ કરે.બાકીનું માદાઓને કરવાનું. શિકાર કરીને 'મહારાજાને ' સોંપી પછી વધેલુ ખાવાનું. એ જ પ્રમાણે સમાજમાં સ્ત્રીઓ આખાપરિવારને જમાડી ને વધ્યુ હોય તો ખાય. બાળઉછેર એ જ કરે. આપણા એવા દરબારો કે રજવાડા ને રાજાઓ ગામની સ્ત્રીઓ ભોગવવાનો એમનો પહેલો અધિકાર છે એમ માનતા.  આજે આપણે શિક્ષિત થાય છીએ તો પણ આપણે સંગ્રહવૃતિ ધરાવીએ છીએ. આજે પણ સરહદ માટે પાડોશી.ખેતરના શેઢા માટે ને દેશની સરહદો માટેના ઝધડા ચાલું જ છે. આ બધી સમસ્યાઓ ઉપર માણસના સ્વભાવ, આસપાસનું વાતાવરણ, ધર્મ વગેરે પરિસ્થતિની અસર પડે છે.એ ક્યારેક સામાજિક સમસ્યા ને એ રીતે વ્યકિત કે દેશની ઓળખ બની જાય. આજે આપણી એવી કેટલીક સમસ્યા જોઇએ. તો આપણે શાંતિપ્રિય પ્રજા છીએ એમ મનાય છે.પણ આ શાંતિના ઓઠા નીચે  કાયરતા છુપાઇ હોય એવું નથી લાગતું?  પરિસ્થિતિનો  સામનો કરવાને બદલે  એને સ્વીકારી લેવી, અન્યાયને સહન કરી લેવો.સત્ય બોલતા ડરવુ વગેરે. કારણકે આપણે મરતા ડરીએ છીએ.ગાંધીજીએ કહ્યુ છે કે મરતા ડરે એ પ્રજા મરવાની જ. જોખમ ઉઠાવવાને બદલે શરણે જવુ એમાં સલામતી લાગે છે. એ સલામતી મેળવવા કયારેક કોઇ નિર્દોષ    વ્યકિત કે કયારેક સમસ્ત દેશનો ભોગ આપી દઇએ. પરદેશીઓ આપણા દેશ પર આટલો લાંબો સમય રાજ કરી ગયા એનું કારણ આજ કે આપણી વ્યકિતગત સ્વાર્થવૃતિ. પછી એ જયચંદ હોય કે અમીચંદ. બીજી વાત તે આપણી  એકતાનો અભાવ. એમાં સેઢાસીમથી માંડી, ધર્મ,નાત,જાત,વર્ણ,પ્રાંત ને રાજ્ય. આપણે કણકણમાં વંહેચાયેલા છીએ. આપણે પહેલા આપણા માટે.પછી કુટુંબ,ગામ, ધર્મ, આપણુ રાજ્ય ને છેલ્લે આપણો દેશ માટે વિચારીએ છીએ.આવી ટુંકી વિચારસરણીથી દેશમાટે કોઇ કામ થાય નહિ. કેમકે દરેકને પોતાના વ્યકિતગત લાભ જોતા હોય.જેને આપણે નેતા બનાવીએ છીએ એમાપણ આપણા વ્યકિતગત લાભની ગણતરી હોય છે. આપણે જ એને અપ્રમાણિક બનાવીએ છીએ. લોકશાહીમાં જેમ હક છૈ એમ ફરજ પણ છે. પણ આપણા ધર્મ પ્રમાણે આપણે બધીજ જવાબદારી ભગવાન પર દીધી છે. તો ઘરમાં માબાપ કે વડીલો પર,પહેલા રાજાઓ પર  ને હવે નેતાઓ પર બધું છોડીને બસ,મત આપી દીધો એટલે આપણૂં કામ પુરુ એમ માનીને હાથ ખંખેરી નાખીએ. લોકશાહીમાં આવું ન ચાલે.નેતાઓ આ પ્રજા માંથી જ આવે છે એપણ પ્રજાના પ્રતિનિધિ સાથે  પ્રજાનું પણ પ્રતિબિંબ છે.  આમ જ દેશનુ ભાવિ ઘડાય છે. તો આ છે આપણી સમસ્યા