Sunday, May 26, 2019

આવરણ

મિત્રો. આપણે માનવપ્રાણી આવરણ નીચે જીવીએ છીએ. એ વસ્ત્રોનું હોય,વાણીનું હોય, મેકપનું હોય કે આબરુનું હોય.     આજે આપને એ આવરણ વિષે વિચારીએ.
    આપણા પુર્વજો ગુફાવાસી આદિમનાવો  વસ્ત્રો નહોતા પહેરતા. પ્રાણીની માફક એમ જ ફરતાિ વચારશકિત આવી ટાઢ,તડકા ને વરસાદ જેવા કુદરતી પરિબળો સામે રક્ષણ મેળવવા ઝાડની છાલ, વેલા,પાંદડા ને પછી મૃત પ્રાણીઓના ચામડા વીંટાળતા થયા. ક્રમે  ક્રમે મગજના વિકાસ સાથે શાળ પર કાપડ બનાવવાનું ને અંતે પોતાના માપ પ્રમાણે કપડા પહેરતા શીખ્યો. જોકે આ પ્રકિયા બહુ લાંબી છે. પશુંપંખી ને પ્રાણીઓ તો હજુ પણ કુદરતી અવસ્થામાં જીવે છે.
      વસ્ત્રોનો મુળભુત ઉદેશ તો શરીરનું બહારના વિષમ સંજોગોમાથી રક્ષા કરવાનો હતો. જેવું વાતાવરણ ને જેવું જેનું કામ.એ પ્રમાણે લોકોએ પોષાક અપનાવ્યો. ખુલ્લા વાતાવરણ ને શારીરિક શ્રમજીવીઓને જાડા ને બરછટ પોષાક જોઇએ જેમ કે ખેડુતો ને મજુરો. જેને ટાઢે છાંયે બેસીને કામ કરવાનું હોય એવા વેપારીવર્ગ ને કારકુનો. શિક્ષકો એમનો પોષાક ઢીલો ને હળવો ને પાતળો હોય. એટલે વેશ એ માણસના વ્યવસાયની ઓળખ  બની ગઇ. બ્રાહ્મણનું પીતાંબર કે અબોટીયુ, ખેડુતને કેડીયુ ને ચોરણી, મહાજન કે વેપારીના ધોતીયા ને ટોપી,દરબારની પાઘડી,શુદ્રનું પંચીયુ.   અત્યારે પણ પોસ્ટમેન, પોલીસમેન, ડોક્ટર ને નર્સો,ને સૈનિકોને પોતાની નોકરી પ્રમાણે ઓળખ તરીકે યુનિર્ફોમ હોય છે જે એને જનસામાન્યથી અલગ તારવે છે ને પોતાના વ્યવસાયમાં મદદરુપ બને છે.
   પછીના સમયમાં પોશાક એ માનમોભા ને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતિક બની ગયો. એમા પણ મનોરંજન ને પછી ફિલ્મજગતમાં પોષાક શરીર ઢાંકવા કરતા એના પ્રદર્શનનો ભાગ બની ગયો. એક  પુરતા વસ્ત્રોને અભાવે અર્ધનગ્ન નારી ને એક અઢળક વસ્ત્રો સાથે અંગઉપાંગોનું પ્રદર્શન કરતી નારી. કોણ ગરીબ? એકની મજબુરી ને એકની સહેલાઇથી પૈસા કમાવાની લાલચ.  ટુંકમાં મુળભુત આશય અમુક અંશે કેંદ્રમાંથી ખસી ગયો.
  એજ રીતે વાણી એક વરદાન જે પ્રાણી ને માનવને અલગ તારવે. બાળક બોલતા શીખે ત્યારે જે વું જુએ એવુ જ બોલે. પછી એને સામાજિક રીતભાત નું શિક્ષણ પરિવાર તરફથી મળે. કોની સાથે કેમ વાત થાય, ઘરની વાત બહાર ન કરાય, આવો સામાજિક મેકપ શીખવાડાય. કવચીત ચાડીચુગલી, ખોટુ બોલતા પણ શીખવવામાં આવે.જેવા ઘરના સંસ્કાર!સાચુ બોલવા કરતા સારુ બોલવું. વગેરે. આજે પણ સત્યવક્તા લોકો અળખામણા બનતા હોય છે. જે લોકો કડવી વાત પણ મીઠી વાણીમાં કરી શકતા હોય એમના શત્રુંઓ ઓછા હોય.વાણીમાં વિવેક હોય તો ઘણા ઝધડા અટકી જાય. આને આપણે સામાજિક મેકપ  કહી શકીએ.
    હંમેશા હસતા લોકો સુખી નથી હોતા. ઘણા લોકો પોતાના દુઃખ છુપાવે છે ને હાસ્યનો નકાબ પહેરી રાખે છેટુંકમાં કહીએ તો એક આવરણ કે જેની નીચે માણસ પોતાની અસલીયાત છુપાવી રાખે છે.એનાથી માણસ સુરક્ષા અનુભવે છે .  આપણે સામાજિક પ્રાણી છીએ ને સામજિક સ્વીકૃતિની ઝંખના હોય છે. કોઇપણ સમાજના પ્રચલિત નિયમોની વિરુધ્ધ જતા માણસ ડરે છે. કયારેક ન પોષાતા ખર્ચા ને વિધિવિધાનો લગ્ન,મરણોતર ક્રિયાકાંડ  પણ સમાજમાં 'આબરુ ને સ્થાન ' બચાવવા કરવા પડે છે. એ છે સામાજિક પ્રતિષ્ઠાનું આવરણ જે અંદરથી માણસ ધિક્કારતો પણ હોય.  
   એમ તો આપણી પૃથ્વી  ફરતુ પણ એક આવરણ વાતાવરણનું છે જે આપણને સુર્યના આકરા તાપ સામે રક્ષણ આપે છે.  છેવટે માણસ જીવનના અંતેપણ આવરણ એટલે કે કફન ઓઢીને જાય છે!

Thursday, May 23, 2019

માતા

મા,માતાકે જનની વિષે એટલુ કહેવાયુ છે કે ધરતીનો કાગળ બનાવીને લખીએ તો પણ ઓછો પડે. સૃષ્ટિનો આધાર ને દેવતાને ય જન્મ લેવાનું મન થાય એવી એની ગોદ. આપણા રામાયણમાં પણ રામે આ જ મતલબની વાત કરી છેકે જનની જન્મભુમિ સ્વર્ગાદપિ ગરીયસી. એક માતા સો શિક્ષક બરાબર ને જે હાથ પારણુ ઝુલાવે એ જ દુનિયા રાજ કરે એવી ઉક્તિઓ પણ છે. માતાના એક આંસુ પર જાન ન્યાેછાવર કરનારા નેપોલિયન જેવા શુરવીરો છે કે તલવારોનો સામનો કરી શકે છે પણ માતાના આંસુનો નહિ. આપણા  કવિવર બોટાદકરે પૃથ્વી ને સ્વર્ગના તમામ સુખો સામે માતાનો પ્રેમ ને ત્યાગ મહાન બતાવ્યો છે. જનનીનો જોડ સખીનહિ જડે એ કવિતા કોણ ભુલી શકે. માતા કરુણાની દેવી,મમતાની મુરત,ત્યાગની પરાકાષ્ટા સંસારમાં બાળક માટેના એના ત્યાગ,બલિદાનસંતાન માટે વિકટ સંજોગોમાં ય ઝઝુમવાની એની શકિત .એની તુલનામાં શુરવીરોને હથિયાર પણ ઓછા પડે.
   આ સ્ત્રીનું માતા તરીકેનું સંતાન તરફના વાત્સલ્યનું એક સ્વરુપ છે. પણ એનું બીજુ પાસુ  જે એક સ્ત્રી તરીકે છે એમા એની માનવસહજ નબળાઇ ને ખુબી કે ખામી વ્યક્ત થાય છે. જયારે વાત્સલ્ય એક જ પાત્રમાં કેંદ્રિત થઇ જાય ત્યારે એ સ્વાર્થ બની જાય. વ્યકિત પ્રેમમાં અંધ બની  જાય ત્યારે એના ઉતમ ગુણો અવગુણ બની ને બીજા લોકોને અન્નાય કરે કે ઘાતક બને. મા તરીકે પ્રેમાળ સ્ત્રી જે પોતાની સાસરવાસી દિકરીની ચિંતા કરીને અર્ધી થઇ જાય,કયારેક એના કાલ્પનિક દુઃખમાત્રથી વલોવાય જાય. પ્રેમમાં પોતાની દિકરીના અવગુણ ન દેખાય. સામે વાળાનો  વાંક દેખાય.એજ માતા પોતાની પુત્રવધુને અન્નાય કરતા કે સતાવતા પહેલા  એક વાર પણ વિચારતી નથી. તો સામે દિકરી એની સાસરીયાની ફરિયાદ કરે, પિયરમાં ભાભી મા ને બરાબર સાચવતી નથી એવી રાવ કરે પણ પોતે સાસરીમાં સાસુને કેવી રીતે પજવે છે એનો વિચાર નથી આવતો. તો પોતાના સંતાનો માટે જાન કુરબાન કરનાર પ્રેમાળ મા સાવકી મા તરીકેના રોલમાં એક સિતમગારથી કમ નથી હોતી. જોકે આમાં પણ અપવાદ તો હોવાનાજ. પણ આ સામાન્ય પુર્વગ્રહ ને રામાયણ એનું સાક્ષી. પોતાના દિકરા માટે રાજ માગીને એ પણ હઠથી ને ઉપરથી રામને વનવાસ!પ્રેમનું આ વરવું સ્વરુપ.શોક્યના સાલમાં તો બે સ્ત્રીઓની પતિ માટેની સાંઠમારીમાં ખો તો પતિ ને નિર્દોષ બાળકોનો નીકળી જાય.   પતિ કે આજના સમયમાં બોયફ્ર્રેંડની આગલી સ્ત્રીને ખતમ સુધી વાત પંહોચી જાય છે.
    પ્રેમને બલિદાનની મુરત માતા સ્ત્રીના રુપમાં એની બધી નબળાઇ સાથે રજુ થાય છે.

Friday, May 17, 2019

'મા'



























































વાંચકમિત્રો, આજે 'મધરડે' કે આપણી ભાષામાં માતાનો દિવસ .એના વિષે વાત કરીએ. 'મધર ડે' એ તો વેસ્ટનપ્રજાએ શરુ કરેલી પ્રથા છે. જેમ વેલટાઇન ડે, ક્રિસમસ, જન્મદિવસ એવા તહેવારો દેખાદેખીથી વિશેષ કાંઇ નથી. આપણે માટે તો બધા જ દિવસો મધર ડે જ છે. વેસ્ટન દેશોમાં માબાપ ને સંતાનો અમુક ઉંમરે અલગ  ને દુર દુર રહેતા થઇ જાય છે,તો આ નિમિતે બધા એકબીજાને મળે એ જ હેતું.   મુળ હેતુ માતાનો આભાર માનવાનો.
    આ સૃષ્ટિનો આધાર માતા છે. એ માત્ર જન્મ જ નથી આપતી પણ જાળવે  પણ છે.બાળકના જન્મ પહેલા ને પછી પણ શારીરિક ને કયારેક માનસિક તકલીફ સહન કરે છે.કવચિત પરિવારમાં અસહ્ય લાગતી જીંદગી પણ માત્ર પોતાનું બાળક નમાયુ કે ઓછીયાળુ ન થઇ જાય માટે જીવી લેછે. દુનિયાના દરેક સમાજમાં ને દરેક વિચારક વ્યકિતઓએ મા નો આદર કર્યો છે. આપણા રામાયણમાં સોનાની લંકા જીતીને વિભીષણને સુપ્રત કરે છે, કારણ! તો 'જનની જન્મભુમિ સ્વર્ગાદપિ  ગરીયસી.'  તો આપણા શાસ્ત્રોએ માતૃદેવો ભવ નો આદેશ આપ્યો છે. આપણા કવિઓએ માતૃવંદનાના બહુ ભાવસભર ગીતો ગાયા છે. શાયર શ્રી મેઘાણી ને કવિ બોટાદકરની માતૃવંદનાની કવિતા વાંચીને કોની આંખમાં આંસુ ન આવે?દુનિયાની દરેક શ્રેષ્ઠ વસ્તુ જોડે માતાની તુલના થાય ને એમાં માતા ચડી જાય. માતા ગંગાના નીર કરતાય નિર્મળ, ચાંદની જેવી શીતળ ને વાદળી જેવી જીવનદાતા.  માનવસમાજના ઉત્કર્ષમાં એનો ફાળો એવો કે કોઇએ કહ્યુ કે જે કર ઝુલાવે પારણૂ એ જ દુનિયા પર રાજ કરે. તો માતાના ચરણમાં સ્વર્ગ છે એમ પણ કહેવાય છે.  મા કરુણાની મુર્તિ, દયાનો સાગર ને પ્રેમનો પર્યાય.
     હવે આપણે એના બીજા પાસાની વાત કરીએ તો દરેક માતા એક સ્ત્રી પણ છે ને એનામાં માનવસહજ નબળાઇ ને અવગુણ પણ છે. મા તરીકે એનો પ્રેમ જયારે એક જ પાત્રમાં સિમિત થઇ જાય ત્યારે એની સ્ત્રી  કે મનુષ્ય તરીકેની એની નબળાઇ છતી થાય છે. જે મા પોતાની દિકરીની સાસરીમાં કષ્ટની વાત સાંભળી કકળી ઉઠે એ મા સાસુ તરીકે ને એક સ્ત્રી તરીકે પોતાની પુત્રવધુને ત્રાસ આપતા વિચારતી નથી કે આ પણ કોઇની દિકરી છે. એ વખતે એની મમતા કે દયા કે પ્રેમ કયા જાય છે? સામે જે દિકરી પોતાની માતાને કષ્ટ આપતી ભાભીની ફરિયાદ કરેછે એ ભુલી જાય છે કે એની સાસુ પણ કોઇના મા છે. આ સમયે માનનીય સાહિત્યકાર ઘુમકેતુ યાદ આવે. એક મહાન બોધ કે વ્યકિત જયારે બીજાની નજરથી કોઇ સમસ્યાને જુએ ને સમજે તો દુનિયાના અર્ધા દુઃખો ઓછા થઇ જાય.જો કે આ  સત્ય પિતા કે પુરુષને પણ લાગુ પડે. બીજાની બહેન દિકરી પર બુરી નજર કરનાર એટલુ જ વિચારે કે આપણી બહેન કે દિકરીને કોઇ સતાવે તો આપણને કેવું દુઃખ થાય?
   કમનસીબે આપણા લોકસાહિત્ય,લોકગીતો ને એના આધારે બનતી ફિલ્મોએ આ પુર્વગ્રહને વધારે છંછેડયો છે. સમાજને એમાથી સત્યદર્શન કરાવવાને બદલે માત્ર મનોરંજનને નામે સાસુ વહુ કે નંણદભોજાઇના સંબધોને વિકૃત રજુ કર્યાછે તો  આપણા કન્યાવિદાયના ગીતો તો  જાણે દિકરી સાસરે નહિ પણ કસાઇ વાડે જતી હોય એવી અસહાયતા ઉભી કરે ને એવા જ ભાવ સાથે સાસરે આવતી કન્યા નવજીવનના ઉમંગથી નહિ પણ એક પુર્વગ્રહ સાથે નવુ જીવન શરુ કરે. મોટાભાગના કુટુંબમાં આમાથી જ ઝધડા ને મારામારી ને કયારેક કોઇની જીંદગીને લુણો લાગી જાય કે ખતમ પણ થઇ જાય.       એક એવી બાબત કે કયારેક સ્ત્રીને ઓરમાન મા  બનવુ પડે ને બીજાના બાળકો ઉછેરવા પડે. માનવેતર પ્રજાતિમાં પણ આગળપાછળના બચ્ચાને ઉછેરવા નવી માદા તૈયાર નથી હોતી. અંહી જ સ્ત્રીની મમતાની કસોટી થાય છે. પણ સમાજનો પુર્વગ્રહ આમા પણ ખતરનાક ભાગ ભજવે છે. રામની ઓરમાન માતાએ આમાજ રામાયણ ઉભુ કર્યુ ને દશરથના મૃત્યુનુ નિમિત બની. તો ધ્રુવની અપરમાના પ્રતાપે માસુમ બાળકને વનમાં જવુ પડ્યું. કદાચ એટલે જ આ પુર્વગ્રહ ઉગ્ર બન્યો હશે ને સમાજે સાવકી મા પર 'ત્રાસવાદી' નો સિક્કો લગાડી દીધો! એના આગલા ઘરના સંતાનો તરફના વર્તનને નકારત્મક રીતે જ જોવા ને મુલવવામાં આવે. આપણા સાહિત્ય ને ફિલ્મોએ આ જ રાગ આલાપ્યો છે.
     આશા રાખીએ કે એક સ્ત્રી તરીકે આપણે બીજી સ્ત્રીને સમજીએ તો દરેક મા ને સંતાનો તરફથી આદર ને પ્રેમ મળે.આનાથી વધારે મુલ્યવાન ભેટ શું હોઇ શકે?
     ીજી