Sunday, September 30, 2018

સામાજિક સબંધો

નમસ્તે જિજ્ઞેશભાઇ, કુશળ હશો. હું હજારો ગુજરાતી ભાષાના ચાહકોને વાંચકો વતી તમારી કુશળતાની પ્રાર્થના કરુ છું.     વિશેષમાં  લધુવાર્તાઓ માણી. એ સંદર્ભમાં આર, એંજલ. સંજય ભાઇ લિખીત વાર્તા. વિષેમારા વિચારોરજુ કરુ છું.   આપણા ભારતીય સમાજમાં પરિવારના દરેક સભ્યનું પદ ને એને અનુરુપ
ફરજ જે વિશેષતા કે બંધારણ નક્કી હોય. સાસુ,સસરા, કાકા કાકી, ફોઇ, મામા, મામી, માસી. વિવાહ પછી યુવાન યુવતીના સંબધોમાં નવા હોદેદારો ઉમેરાય. યુવતી માટે વહુ, સાસુ, સસરા, નંણદ,દિયર,દેરાણી ,જેઠ જેઠાણી, યુવાનો માટે સાસુ સસરા, જમાઇની પદવી, સાળી, પાટલાસાસુ, સાઢુ,ઉપરાંત ભત્રીજા ને ભત્રીજી,ભાણેજ , બનેવી, આ બધી પદવીની ખાસ પકારના વર્તનની જે ફરજની અપેક્ષા હોય છે. પછી તો આ બંધારણ એટલુ જડ બની જાય કે એમાં ફેરફાર કરનારનો ઉદેશ ઉમદા હોય તો પણ એનું મુલ્યાકન એની ભુમિકા પ્રમાણે કરવામાં આવે છે. એક પુર્વગ્રહ સાસુને મા બનતા કે એક સમજદાર વહુને દિકરી બનતા અટકાવે છે, એક નણંદ ભોજાઇ એકબીજાની હરીફ મટી સારી મિત્ર બની શકતી નથી. દેરાણી જેઠાણી  એકબીજા સાથે નિખાલસતાથી ઘરના પ્રશ્નો  ઉકેલી શકતી નથી. ઘરની કોઇ સમસ્યામાં ઘરના બધા સભ્યો સાથે બેસીને ચર્ચા કરી શકતા નથી. આપણા સમાજમાં સાસુવહુનો સંબંધ સહુથી વગોવાયેલો ને કમનસીબ છે. કારણ બચપણથી જ  છોકરીઓને આ ,સાસુ નામના પ્રાણીથી  સાવચેત રહેવાની સાથે ગભરાવી દેવામાં આવે છે. એ પુર્વગ્રહ સાથે જ એ નવા સંસારમાં પ્રવેશે છે. જુઓ એક મા દિકરીને કે દિકરી મા ને કહે કે ‘ તને આટલુ ય નથી આવડતુ? ‘ અથવા કોઇ બાબત સલાહ આપે તો એકબીજાને માઠુ નહિ લાગે પણ એક વહુ સાસુ કે સાસુ વહુને આ જ શબ્દો કહે તો મહાભારત થઇ જાય. એમાં વરસો જુનો પુર્વગહ કામ કરી જાય છૈ. એમાં પાછા આપ ણા લોકગીતો. ફિલ્મો,ને એવી વાર્તા ,સાહિત્ય એની પુર્તિ કરે છે.
 આપણા લગ્નગીતો ને કન્યા વિદાયના ગીતો એટલા કરુણ ને કન્યાપક્ષની કાલ્પનિક અસહાયતાથી ભરપુર હોય છે કે દિકરીને નવજીવનને બદલે જાણે કસાઇવાડે ધકેલતા હોય.  એ જ માનસીકતાથી નવવધુ ઘરમાં પ્રવેશે ને દરેક સભ્યોના વર્તનનું એ પુર્વગ્રહ પ્રમાણે મુલ્યાંકન કરે ને ફરી એ જ વિષચક્ર ચાલુ થઇ જાય.
    કદાચ આજે થોડુ પરિવર્તન આવ્યુ હોય. પણ આપણા સહિત્ય ને સિનેમા હજુ પણ આ હરિફોને લઇને પ્રેક્ષકોને મનોરંજન પીરસે છેને સમાજ! સેવા કરે છે.

crime against women

નમસ્તે હર્ષદભાઇ, હું  વિમળા હિરપરા, આ લેખ મોકલું છું. પુર્વીબેન મલ્કાણની ભલામણથી, આશા સાથે કે આપને કાંઇક અર્થપુર્ણ લાગે તો અભિપ્રાય આપશો.
       આપણા સાંપ્રત   સમાજની એક સમસ્યા  જે દિવસે દિવસે વકરતી જાય છે એ છેસ્ત્રીઓ ઉપર થતો અત્યાચાર ને સામુહિક બળાત્કાર. નાની નિર્દોષ બાળકીથી લઇને વયસ્ક સ્ત્રી કોઇ સલામત નથી. બહુ ચિંતાજનક સામાજિક સમસ્યા છે. સમાજમાં દરેક સ્ત્રી કે દિકરીના માબાપને ઉંધ ઉડાવી દે. અત્યાર સુધી પરાઇ સ્ત્રી માતાકે બેન દિકરી મનાતી ને એના રક્ષણ માટે અજાણ્યા પુરુષો ય તૈયાર રહેતા.  આ એજ ધરતી છે જ્યા રાખડીની આબરુ સચવાતી ને  એવી માનેલી બેન માટે માથુ ઉતારી દેનારા નરવીરો પેદા થયા છે એ જ ધરતી પર આજે સ્ત્રી ગમે તે ઉંમર હોય સલામત નથી!શું થયુ આપણી સંસ્કૃતિ ને જીવનમુલ્યોને?
       ચાલો  થોડા ઉંડા ઉતરીએ કે આપણી કયા ભુલ થઇ.             આપણા સમાજમાં  શ્રમવિભાજનમાં ઘરકામ સ્ત્રીઓ ને બહારનું કામ પુરુષો માટે વંહેચાયેલું  હતું.    બન્નેના ઉંછેર જ એ રીતે થાય> છોકરાઓને  બહારના કામ માટે તૈયાર કરવામાં આવે. બહાદુર બનાવાય.જો ઢીલો પોચો હોય તો છોકરી જેવો નમાલો કહીને ઉતારી પાડવામાં આવે. સામે છોકરીઓને નમ્રતા ને શાંતિ રાખવાની સલાહ અપાય. એટલે એકનું ઘડતર બુધ્ધિ ને બીજાનું લાગણીથી. આ બન્નેના સહયોગથી જ સંસાર ચાલે. માણસ જયારે ટોળામાં રહેતો ત્યારે લગ્નસંસ્થા કે પતિપત્નીના સંબધો નહોતા. બાળકો ટોળાની સહિયારી સંપતિ ગણાતી. પછી ખેતીવાડી શરુ થઇ ને એની સાથે જોડાયેલા અનુસાંગિક વ્યવાસાયોનો વિકાસ થયો. આ બધુ શીખવા સમય ને સતત માર્ગદર્શનની જરુર પડે. એટલે માનવબાળનો વિકાસ લાંબા સમયની સ્થિરતા માગી લે. એમ કરતા પરિવાર ને સમાજની સ્થાપના થઇ. સમાજને ટકાવી રાખવા એનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું.      હવે શ્રમવિભાજન પ્રમાણે છોકરીને ઘરકામમાં નિપુણ બનાવાતી ને છોકરા વિદ્યાલય કે ગુરુના આશ્રમમાં ભણે. બન્નેના રાહ અલગ. આપણા શાસ્ત્રપ્રમાણે દારુ ને દેવતાને અલગ રાખવામાં આવ્યા. એટલે પુખ્ત કે વિવાહની વય સુધી બન્ને જાતિઓને આમનેસામને થવાનો મોકો જ નમળે. ઉપરાંત પરિવારો સંયુક્ત  હતા એટલે એકાંતનો માહોલ જ મળે નહિ.  
 ઉપરાંત છોકરી કે પરિણીત સ્ત્રીઓના પોષાક પણ મર્યાદાસરના રહેતા.બહારના,અજાણ્યા કે વડીલો સામે લાજ, ઘુમટ કે માથે ઓઢવાનો રિવાજ. પરિવારમાં યુવાન સ્ત્રીઓને બહારનું કામકાજ, ખરીદી માટે બજારમાં જવાનું કે બહાર જવાનૂ બહુ ઉચિત ન ગણાતું. ઘરની વડીલ કે વયસ્ક સ્ત્રીઓ એકામ કરતી. મુસા ફરી પુરુષોના રક્ષણ ને સાથમાં થતી. આપણા મનુભગવાને તો સ્ત્રીના ઉંમર પ્રમાણે ચાર રક્ષક નીમી દીધા છે. બચપનમાં પિતા, યુવાનીમાં ભાઇ, વિવાહ પછી પતિ ને વૃધ્ધાવસ્થામાં પુત્ર. એટલે તો ભારતીય સંસ્કૃતિમાં ભાઇનું આટલુ મહત્વ ને જવાબદારી છૈ.ભાઇબહેનનો સંબંધ સૌથી પવિત્ર મનાયો છે. આ સંબંધની પુષ્ટિ માટે રક્ષાબંધન, વીરપસલી ને પોષીપુનમ જેવા તહેવારો ગોઠવાયા છે. રક્ષાબંધન કે રાખડી એની પવિત્રતાની એટલી અસર હતી કે બહારવટીયા કે પરધર્મીઓ પણ એની આટ નીભાવતા. આમાં એક આડઅસર એ થઇ કે કાળક્રમે સ્ત્રીઓ પોતાના રક્ષણ માટે સંપુર્ણપણે પુરુષો પર આધારીત થઇ ગઇ. ત્યાસુધી કે રજપુતસ્ત્રીઓ ને રાજકન્યાઓ સસ્ત્રવિદ્યા જાણતી ને બહાદુર હતી પણ સમય આવ્યે પોતાના રક્ષણ માટે લડવાને બદલે સતી થતી,
 પછી સમય થોડો બદલાયો. છોકરીને શિક્ષણ આપવાનું શરુ થયું. પણ એ વખતે માત્ર ખપ પુરતું. સામાન્ય લખવાવાંચવાનું. એ વખતે સહશિક્ષણ નહોતું. બે પાચ વર્ષ આમતેમ ને પાછા હતા ત્યાને ત્યા. પછીના સમયમાં છોકરીઓનું શિક્ષણ શરુ થયુ.એમાં પણ કુમારશાળા ને કન્યાશાળા એમ અલગ હતું.     આખરે ખરા અર્થમાં બાલમંદિરથી માંડીને કોલેજ ને યુનિર્વસીટી સુધી નું ખરા અર્થમાં સહશિક્ષણ શરુ થયું. શરુઆતમાં માબાપ કે સાસરાપક્ષે છોકરીને ભણાવીને નોકરી કરાવવાનો હેતુ જ નહોતો. એટલે ભણ્યા પછી આમ તો ઘર જ સંભાળવાનું હતું.   પણ જયારે છોકરીઓ ભણીને બહાર કામ કરતી થઇ ત્યારેજ સ્ત્રી પુરુષ આમનેસામને આવી ગયા.પછી તો ઉતરોતર સ્ત્રીઓ લગભગ બધા જ બહારના ક્ષેત્રમાં છવાઇ ગઇ ને ત્યાથી જ એક છાનો સંધર્ષ શરુ થયો. હવે બન્ને એકબીજાના પુરક મટી હરીફ થઇ ગયા અથવા એવુંઅર્થધટન થવા લાગ્યું.  અત્યાર સુધી આજીવિકા ના સાધનો ને બહારની દુનિયા પર પુરુષોનો સંપુર્ણ કબજો હતો. હવે આર્મીથી માંડી ને કંપનીના હેડ તરીકે સ્ત્રીઓ આવી ગઇ. પુરુષમાં ઇર્ષા ને લધુતાગ્રંથિ ઉભી થઇ. એના પ્રત્યેનો આદર ઓછો થઇ ગયો.
      પરિણામે આજે બનતા અનુચિત બનાવોમાં આવી સાંકડી મનોવૃતિ ધરાવનારા  સ્ત્રીને જ જવાબદાર માનતા હશે. ‘ ઘર સંભાળીને બેસી રહોને તો કાંઇ નથાય. આ તો ઝાંસીની રાણી બનવા નીકળી પડયા છો તો ભોગવો’           બીજી વાત કે આપણા ધર્મ ને સંસ્કૃતિમાં બ્રહ્મચર્યને બહુ મહત્વ અપાયું છે. વિવાહ સુધી બન્ને પાત્ર ને સ્ત્રીએ તો ખાસ ,પોતાનું કૌમાર્ય જાળવવાનું.  હવે કામ કે વાસનાનો આવેગ જુઓ તો ઋષિમુનિઓ કે દેવો પણ બચી શક્યા નથી.આપણા બધા દેવો કે ભગવાન ને ઋષિમુનિઓ બધા સંસારી હતા. કામને નિયંત્રિત કરવા માટે જ લંગ્નસંસ્થા અસ્તિત્વમાં આવી છે.અમર્યાદિત શારીરિક સંબધો ,એટલે કે એક કરતા વધારે શય્યાસાથીઓ અનેક જાતિય રોગૌ નોતરે ને સરવાળે આખો સમાજ રોગિષ્ટ બનીને નાશ પામે. ઉપરાંત એ રીતે પેદા થયેલી સંતતિની જવાબદારી કોની?એ પણ સામાજિક સમસ્યા બની જાય. હવે સાચો વૈરાગ્ય તો સમજ્યા પણ પરાણે નિગ્રહ કરવામાં આવે ત્યારે દબાયેલી સ્પ્રીગ ઉછળે એમ મોકો મળે ત્યારે આવા અસંતુષ્ટ પાત્રો કોઇ નિર્દોષ  છોકરી કે સ્ત્રીને ભોગ બનાવે,   એ સિવાય આજે ટેકનોલોજીએ આ માહીતિ ઘર ના એકાંત માં તો કયારેક એવા સિનેમાગૃહોમાં આવી ફિલ્મો ઉપલબ્ધ બનાવી દીધી છે. કાચી ઉમરના પ્રેક્ષકો માટે આ ભારી ડોઝ સાબિત થાય છે.એ પણ હકીકત છે કે આપણુ યુવાધન જેને આપણે આજીવિકાના રાહ પુરા 
પાડી શક્યા  નથીએવા બેકાર ને નવરા ધુપ યુવાનો આવી હલકી મનોવૃતિનો ભોગ જલ્દી બની જાય છે.        એનો ઉપાય!    એક તો આ યુવાધનને પડકારરુપ કોઇ પ્રવૃતિઓ ને યુવતીઓએ  પોતાના રક્ષણ માટે તૈયાર થવાનું. માની લો કે હવે કોઇ વીરલો   તમારી રક્ષા માટે તલવાર તાણીને ઉભો નહિ થાય. માટે આ બ્યુટિપાર્લર ને કિટ્ટિ પાર્ટિના જલસા છોડીને શારીરિક કસરતો શીખો ને મજબુત બનો મનથી ને તનથી.