Saturday, August 19, 2017

આઝાદી

હમણા પંદર ઓગષ્ટ ગઇ. વિદેશી શાસનનો અંત. આઝાદી! વિચારીએ આ દિવસે કે ખરેખર આપણે આઝાદ થયા છીએ? એવુ સ્પષ્ટ લાગે છે કે આઝાદી દેશના લાખો લોકોને પહોંચી નથી કે સમજાઇ નથી. કારણ કે આગુલામી માત્ર અગ્રેજી શાસન પુરતી જ નથી. હવે જેને ગુલામી શું છે? એ જ ખબર ન હોય તો આઝાદી શું છે કે એની કિંમત કયાથી સમજાવાની? કારણ એમના જીવનમાં કોઇ ફરક નથી પડ્યો. આટલા વરસોના સ્વદેશી શાસન પછી પણ રોટલા ને ઓટલાનો સવાલ  તો ઉકેલાયો નથી. આમ જુઓ તો દુનિયાના બધા જ સમાજમાં નેવુ ટકા બહુમતી પર દસ  ટકા લઘુમતી રાજ કરતી આવી છે. પછી એ બુધ્ધિબળ હોયકે સતા કે સંપતિ કે ધર્મ. સદીઓથી આપણા જનજીવન પર ધર્મની અસર રહી છે. આપણા જીવનમુલ્યો જેવાકે દયા, શાંતિ, સુલેહ, સમાધાન, શ્રધ્ધા. પણ આ જ મુલ્યોનો અતિરેક થાય કે એની આડમાં દંભ ઉભો થાય ત્યારે એ જ ગુણો અવગુણ બની વિનાશ નોતરે છે. સમાધાન કે શાંતિ સારી વસ્તુ છે પણ એનો અતિરેક કાયરતા બને છે. આ ને કારણે જ આપણે ઘણા પરદેશી શાસનોના શિકાર બન્યા છીએ.' કજીયાનુ કાળુ મોં' શ્રધ્ધાનો અતિરેક પ્રમાદ નોતરે છે. ' યથા યથા ધર્મસ્ય ગ્લાની ભવતિભારતમ,સંભવામિ યુગે યુગે' બસ આશબ્દોને પકડીને આપણે આકાશ તરફ મીટ માંડીને બેસી રહીએ છીએ. અન્યાય સામે અવાજ ઉઠાવવાને બદલે' ભગવાનને ત્યા દેર છે પણ  અંધેર નથી, એના કર્યા એ ભોગવશે', પાપનો ધડો ભરાશે ત્યારે ફુટશે'. આવા ઠાલા દિલાસા લઇને નિષ્ક્રિય બેસી રહીએ છીએ. આજે પણ ભગવાન નહિ તો સરકાર પર બધુ છોડી  બસ બધા અગવડ કે અભાવ માટે ફરિયાદ કરીએ છીએ. કયારેક વધારે જાગી! જઇએ તો આંદોલન, ઉપવાસ એટલે કે ત્રાગા, કે હડતાલનો આશરો લઇએ છીએ. મોટે ભાગે તો આવા આંદોલનોમાં જાગૃતિ કે સમજણ કરતા અસામાજિક તત્વોનો હાથ હોય છે તો કવચિત અસંતુષ્ટ રાજકરણી પણ હોય છે. એમાં કશુ પામવા કરતા સમાજને ગુમાવવાનુ જ હોય છે. કારણ જાહેર મિલ્કતોને નુકશાન, માલમિલક્તની તોડફોડ,જનજીવન ઠપ્પ થઇ જાય, લોકોની રોજગારી બંધ થાય. આજને તબ્બકે  પણ કહેવાતા નાગરીકોને અસરકારક તરીકાથી પોતાના સવાલને પેશ કરતા આવડતુ નથી. લોકશાહીની પાયાની જરુરિયાતએ કે દરેક નાગરીકની ફરજ કે જવાબદારી હોય છે. માત્ર હક જનહી. સગવડ ઉભી કરવા પૈસા જોઇએ. જો  આપણે કરવેરા ન ભરીએ તો સગવડ ક્યાથી થવાની? એક સાદુ ગણીત. આટલા વરસો પછી પ ણ આ દેશના નાગરીકોને સમજાયુ નથી. જાહેર મિલ્કત બધાની જવાબદારી છે એને જાળવવાની. પણ આ સત્ય કોઇને સમજાતુ નથી એટલે તો આપણા  મંદિરો, નદીઓ, શેરી, ગામ, શૌચાલયો અરે આખો દેશ એક વિશાલ ઉકરડો બની જાય છે. ' કોના બાપની દિવાળી અથવા સહિયારી સાસુની ઉકરડે મોકાણ' આવો ઘાટથાય.   બીજી એવી જ કમનસીબી કે આપણે ધર્મ, જાતિ,જ્ઞાતિ, ભાષાની અલગતામાં એવા ફસાયેલા છીએ કે એક સમગ્ર દેશના નાગરીક તરીકે વિચારી શકતા જ નથી. આપણી આવી ફુટફાટનો ગેરલાભ બઘા જ આક્રમણકારોએ ઉઠાવ્યો છે. આજે પણ બિહારી મહારાષ્ટમાં જાય કે ગુજરાતી મદ્રાસમાં જાય કે પંજાબી  યુપીમા જાય એને એક  ભારતીય તરીકે નહિ પન જેતે રાજયના માણસ તરીકે જોવાય છે ને અણગમતા અતિથિ જેવો કે અન્યાય પુર્ણ વ્યવહાર થાય છે. નોકરીધંધામાં ભેદભાવ ને કનડગત થાય છે. વિચારીએ કે એ વીર શહીદોએ જે માનસિક ને શારિરીક યાતના વેઠી હશે ને જેના બલિદાન થકી આપણે આઝાદ થયા એ લોકોએ શુૂ માત્ર જે તે  રાજ્ય કે જાતિ,જ્ઞાતિ વિષે જ વિચાર્યુ હશે?વિધીની વક્રતા તો જુઓ કે આ અલગતાવાદ ઘટવાને બદલે વકરતો જાય છે. રોજ નવા અલગ રાજ્ય માટે કે અનામતના બહાના નીચે નવી જ્ઞાતિકે જાતિની માગણી ને આંદોલન ફુટી નીકળે છે. ખરેખર આપણે કણકણમાં વેરાઇ ગયા છીએ. એટલે તો ત્રેત્રીસ કરોડ દેવો ય આપણને ઓછા પડે છે. રોજ એક નવી માતા કે દેવી પ્રગટ થાય છે ને એક નવો ધર્મ, નવી જાતિ, તો નવા રાજકીય પક્ષો ને નવા નેતાઓ ભારતમાતાની અંખડ ચુંદડીમાં ચીરા પાડતા જાય છે. ખરેખર આપણે આઝાદીને લાયક છીએ?      એક ઓર વાત. દેશમાથી આવેલા આપણા શિક્ષીત ને જાગૃત નાગરીકો! અહી આઝાદી નિમિતે પરેડ તો કાઢે છે પણ એમાં નેતા નહિ પણ અભિનેતાની આગેવાની હોય છે. એટલા પુરતુ ય જો પ્રજા હાજરી આપે  તો. ને આપણા સ્વભાવગત સંસ્કારો પ્રમાણે એમા પણ આયોજકો વચ્ચે ઝધડા ચાલતા જ હોય છે.

Saturday, August 5, 2017

મહાભારત ભાગ ૨

મહાભારતનુ મુખ્ય ને મહાનાયક કૃષ્ણ જેને આપણે હવે ભગવાન બનાવી મુર્તિસ્થાપીને મંદિરમાં કેદ કરી દીધા છે. પુજા કરી સંતોષ માન્યો છે એના ચરિત્રને સમજીએ તો એવુ લાગે કે એણે પાપીઓને જે સજાકરી એમાં એનો કોઇ વ્યકિતગત સ્વાર્થ કોઇપણ જગ્યાએ નથી. એણે માત્ર માનવમુલ્યોની રક્ષા માટે જ સત કહોકે અસતનો આશ્રય લીધો છે. એણે ક્યાય ગાદી કે સતાનો મોહ કે પદવીનો આગ્રહ રાખ્યો નથી. પરાજીત રાજા કે સતાધારીને પદભ્રષ્ટ કરીને એના લાયક વંશવારસને સતા સુપ્રત કરી છે. દ્વારીકા વસાવી પણ સતાધારી નથી બન્યા. એટલે એ હંમેશા મુક્ત રહ્યા છે. અત્યારસુધીના રાજકરણીઓમાં એકમાત્ર ગાંધીજી એમને બરાબર સમજ્યા હોય એમ લાગે છે.  બીજી વાત એ કે મહાભારત વેર ને બદલાની પરંપરા છે. જુઓ કે બ્રાહ્મણો ને તપસ્વીઓનો ધર્મ ક્ષમા કરવાનો. ક્ષત્રિયનો ધર્મ પ્રજાનુ રક્ષણ કરવાનુ. પોતાના ધર્મનુ પાલન કરતા જતા મૃત્યુ આવે તો પણ આવકારદાયક છે. એનુ ઉદાહરણ દ્રોણ, એનો ધર્મ શિક્ષણનો. પણ માત્ર વેરની આગમાં લગભગ અંધ બનીને દ્રુપદનો વધકરાવે છે ને એનાથી આગળ એના પુત્ર અશ્ર્વત્થામાને વેરનો વારસો આપતા જાય છે. એ જરીતે એના પક્ષપાતને કારણે જ અર્જુન અને કર્ણને હાડોહાડ વેર ઉભા થાય છે. તો ભીમ ને દુર્યોધન, દુશાઃસન સાથે વેર એનો અંજામ સમસ્ત કૌરવવંશનો વિનાશ સર્જે છે. કદાચ માનવસ્વભાવનુ કે માનવસહજ નિર્બળતાનુ ઉતમ ઉદાહરણ  આ કથામાં છે. માનવએની ઉત્પતિથી માંડી આજની ઘડી સુધી લડતો જ આવ્યો છે. પોતાની શારીરિક, આર્થિક ને માનસિક સલામતી માટે. કયારેક કથિત ભય સામે તો કયારેક સરસાઇ માટે. કયારેક માન અપમાનના બદલા માટે.આપણા ઘરમાંજ આ ભાવિના પગરણ મંડાઇ જાય છે જેને ભાંડુ     વૈમનસ્ય કહેવાય છે. વ્યકિત તરીકેની અલગ પહેચાન માટેનો આ સંર્ધષ મહદઅંશે સમજણ આવતા ઓછો થઇ જાય છે તો એવા સંજોગો આવે તો વકરે પણ છેને ઘરમાંજ મહાભારત ને કુરુક્ષેત્ર ઉભુ થાય છે. આ જ વસ્તુ સમાજ, જ્ઞાતિ, જાતિ, રાજકીય પક્ષો, ધર્મના વાડા ને દેશ દેશ વચ્ચેના સંધર્ષને પણ લાગુ પડે છે.માણસને જ માણસ નડે છે. કમનસીબે આ  વેર વ્યકિત, સમાજ ને દેશને કયારેક વારસામાં મળે છે.જેટલો અહમ વધારે એટલો પરાજય પણ પીડા જનક. ખાસ કરીને લડાયક કોમમાં જ્યા કહેવાય કે બાપના વેરનો બદલો એ જ સાચુ તર્પણ. એ સિવાય પુર્વજોનો આત્મા ભટકતો રહે. આવા વેરની વસુલાતોમાં પેઢીઓ ખતમ થઇ જતી હોય છે.આપણા દેશની વાત લઇએ તો આઝાદીની સાથે જ ભાગલાએ વેરની એવી ભેટ આપી કે આટલા વરસો બાદ પણ એ આગ શમી નથી. આજે દુનિયાના લગભગ મોટાભાગના દેશોને આ સરહદનો સંધર્ષ સતાવે છે. આજે પણ અશ્ર્વત્થામા જીવે છે. એના હાથમાં બ્રહ્માસ્ત્ર છેએટલે કે અણૂબોંબ છે ને એ કોઇને શાંતિથી સુવા દેતો નથી. કદાચ એ ભયથી જ માણસ ચુભાઇને મને કમને શાંતિ ને સુલેહનુ નાટક કરી લેછે