Monday, April 3, 2017

બુમરેંગ ભાગ ૧

સુમનશાહ એ શહેરના અગ્રગણ્ય નાગરીક. જાહેર સંસ્થાઓમાં એનો નોંધપ્રાત્ર ફાળો. એટલે એની હાજરી એવા સમારંભોમાં અચુક ગણાતી.એવા જ શ્રધ્ધાળૂ ભગવાનના પાકા ભક્ત. સવારસાંજ મંદિરમાં આરતીના દર્શન કદી ના ભુલે. એ વખતે એમનો ભકિતભાવ થી છલકાતો ચહેરો એવો તેજસ્વી લાગતો કે ખૂદ ભગવાનને મુર્તિમાથી બહાર આવીને ભક્તને ભેટી પડવાનુ મન થાય. જોકે એવુ કયારેય બન્યુ તો નહિ. ભાઇ,એ તો અસલી નકલી ચહેરોનો અભ્યાસી. હા, એની કૃપા તો સમજ્યા પણ એના ધરવાળા લક્ષ્મીદેવીની પુરી મહેર હતી સુમનશા પર. આજના લાંચરીશવતના સમયમાં બાહોશ! લોકો સાહેબ કરતા એના ઘરવાળાને પ્રસન્ન કરીદેએટલે કામ સફળ. પછી સાહેબ ગમે એવા પ્રમાણિક હોય કે ધમપછાડા કરે પણ ધાર્યુ ધણીયાણીનુ જ થાય.ભગવાન પણ આમાથી બાકાત નહિ હોય.        તો  સુમનશા બે ફાર્મા કંપનીના માલિક.ધમધમતો ધંધો. સંતાનમાં એક દિકરો. એ પણ કંધૌતર થઇને બાપાની સાથે જ જોડાઇ ગયેલો. ઘરબહાર બધે જ ઘીકેળા હતા શેઠને.          હવે એની કંપનીમાં એક કેમિસ્ટ ' ક્વોલીટી કંન્ત્રોલર'ની પોસ્ટ પર જોડાયો. ે પરાગ એનુ નામ. ટુંકસમયમાં જ એણે કંપનીની કામગીરી ને ગેરરીતિ જોઇ લીધી. પ્રમાણિક માણસ હતો. એણે પોતાના હાથનીચેના ને ઉપરના કર્મચારીઓ જોડે આ બાબત ચર્ચા કરી. બધાએ સાંભળ્યુ ને એક બીજા સામે આંખમિચામણા કર્યા. નવાણિયો છે ને સમય જતા  ટાઢો થઇ જશે. આમ પણ વછેરા વધારે કુદે. પણ પરાગની આ બાબત દખલગીરી વધી ને અસંતોષી કર્મચારીઓએ  વાત ઉપર  પહોચાડી. ને શેઠની ઓફીસમાથી તેડુ આવ્યુ.
     પરાગ પણ તૈયાર હતો. એને આવા ઘણા અનુભવ હતા. માણસ બાહોશ હતો.એટલે એને કાઢી મુકવા કે ધમકાવવાને બદલે જો સમજાવી કે પટાવી લેવાય તો પોતાના ને કંપનીના હિતમાં હતુ. શેઠે એને ઓફીસમાં બોલાવ્યો. િસ્મતસાથે આવકાર આપ્યો ને કામકાજ વિષે વાતચીત શરુ કરી. તો પરાગે પોતે દવાની ગુણવતામાં જે બાંધછોડ થતી હતી ને એના પરિણામો વિષે જે જોયુ હતુ એ જણાવ્યુ. એની નવાઇ વચ્ચે શેઠ પોતે બધુ જાણતા હતા ને એને માટે સફળતા માટેનો આ રાજમાર્ગ અલબત પૈસાની દ્રષ્ટિએ. એને એ કંપનીના બંધારણનો એક ભાગ માનતા હતા ને દરેક કર્મચારીએ ગુપ્તતા ને વફાદારીના શપથનુ  પાલન કરવુ જોઇએ.  પરાગ તો આ સાંભળી છન્ન થઇ ગયો.  પછી તો શેઠે એને આ જમાનામાં ભેળસેળ આપણા રોજબરોજના જીવનમાં એક અનિવાર્ય અનિષ્ટ બની ગઇ છે એ વિગતવાર સમજાવ્યુ. આપણો ખોરાક, મસાલા, વનસ્પતિ, શાકભાજી ને આપણૂ શરીર જ જુઓ. મોઢામાં નકલી દાંત, હદયમાં બનાવટી વાલ્વ, હાથપગમાં લોખંડના સરીયા કે કયારેક બનાવટી હાડકા, કયારેક એવી બિમારીમાં આપણે બીજાનુ ઉછીનુ લોહી કે કીડની પણ અપનાવીએ છીએ તો આપણે પણ આમાં ભેળશેળમાથી બાકાત કેવી રીતે રહી શકીએ?. કદાચ પોતાના બચાવમાં વકીલ આવી દલીલ કરીને કેસ જીતી જાય,પણ એનાથી સત્ય સાબિત થતુ નથી.       પરાગ આ સારી સમજી ગયો. ભલે શેઠે એને સીધી ધમકી નઆપી  પણ હવે એ કંપનીનુ રહસ્ય જાણી ગયો હતો. આજે નહિ તો ભવિષ્યમાં એના પર તવાઇ આવે.  એણે ચુપચાપ નોકરી છોડી દીધી.        
      પછી તો ખાસ્સો સમય વીત્યો. શેઠ એકવખત કામકાજ અર્થે વિદેશના પ્રવાસે ગયા. એ દરમિયાન એનો દિકરો દિવ્ય  બિમાર પડ્યો. પહેલા તો સામાન્ય તાવ. તાવ વધ્યો ને છેવટે હોસ્પિટલમાં દાખલ કર્યો. બેચાર દિવસની દવા ને ડોક્ટરની મથામણ  છતા ય પરિણામ શુન્ય. શેઠને સમાચાર મળ્યા પણ એ પહોચે એ પહેલા જ દિકરાએ દમ તોડી દીધો.        

No comments:

Post a Comment