Saturday, November 10, 2018

ચરતા રહો ફરતા રહો.

આગલા અંકથી ચાલુ. તો આપણે ઐતરીય ઉપનિષદ ના આદેશ પ્રમાણે જોયુ કે માણસ એની ઉત્પતિથી લઇને આજે દુનિયાના ખંડખંડમાં પ્રસરી ગયો છે. અલાસ્કાના શુન્ય તાપમાન કે રણની લોહી ઉકાળતી ગરમી કે એમેઝોનના અવિરત વરસાદ ને ગાઢ જંગલોથી છવાયેલી ધરતી બધે જ માનવવસવાટ છે. એમાત્ર બેપગે ચાલવાથી જ નહિ પણ મન એટલે કે બુધ્ધિના ચાલવાને પણ આભારી છે. આવા દુર્ગમ સ્થળોએ પંહોચવા એણે વહાણો બનાવ્યા, વાહનો બનાવ્યા, પશુઓને ઉપયોગ કર્યો ને છેવટે હવામાં પક્ષીની માક ઉડવામાં પણ સફળ થયો. એજ પ્રમાણે આદર્શ ને સુખી સમાજ માટે ભૌતિક સંપતિ પણ ફરતી રહે એ પણ જરુરી છે. સમાજનો કોઇ સતાધારી રાજા કે નેતા અથવા નાનો સમુદાય જયારે સમાજની સંપતિ પર એકાધિકાર જમાવીને બેસી જાય ને બાકીનો સમુદાય મુળભૂત  જરુરિયાત થી  વંચિત રહી જાય ને છેવટે ઉમાશંકર જોષી કહે એ પ્રમાણે ભુખ્યા જનોનો જઠરાગ્નિ જાગે ત્યારે જે આગ લાગે એમાં આવા સતાધીશો ને સંગ્રહખોરો ભુંજાઇ જાય. ઇતિહાસ એવા બળવાઓનો સાક્ષી છે. એટલે સંપતિને પણ સમાજમાં ફેલાવવી જોઇએ એ વ્યકિત ને સમાજ બન્નેના અસ્તિત્વ માટે જરુરી છે. આપણે એવી વાતો પણ સાંભળીએ છીએ કે જેસમયમાં બેંકો નહોતી ત્યારે એવા લોભી લોકો જમીનમાં ચરુ દાટતા ને એના પરિવારને જાણ પણ નહોય ને છેવટે વરસો પછી કોઇ અજાણી વ્યકિતને હાથમાં આવે. તો આ છે ફરતા રહેવાનો ભાવાર્થ.
      આ સિવાય લોકોને પરાણે કે બળજબરીથી વતન છોડાવવામાં આવે. જેમ કે આફ્રીકાના મુળ વતની એવા હબસી લોકો. એના અજ્ઞાનનો લાભ લઇને પોતાના સ્વાર્થ માટે ગોરા લોકોએ એને પશુની જેમ પકડી હજારો માઇલ વતનથી દુર એવા અજાણ્યા મુલ્કમાં પશુની જેમ વેચ્યા ને મજુરી કરાવી. એમને એના વતન,ભાષા, સમાજને સંસ્કૃતિ થી માંડીને પરિવારના ટુકડા કરી નાખ્યા. બસો વરસની આવી યાતના ને ગુલામી એ મુક્ત થયા. માનવજાતિનુ એક કલંકિત પ્રકરણ.એ જ પ્રમાણે બ્રિટિશસતાના સમયમાં આપણા દેશમાથી પણ આવી રીતે લોકોને લાલચ કે બળજબરીથી આફ્ર્રીકામાં ને એવી એની કોલોની વસાવવા લોકોને લઇ જવાતા. એને 'ગિરમીટીયા' કહેવાતા. આવા લોકો સાથે પશૂ જેવું વર્તન થતું.
     આજે માનવઅધિકારોમાં પરિવર્તન આવ્યું છે. દુનિયાનો કોઇ ખુણો અજ્ઞાત નથી રહ્યો. એટલે કોઇ પણ સ્થળે માનવઅધિકારનો ભંગ થાય તો સમાચાર પ્રસરી જાય છે.  આજે પણ ચરવા ચરવાની વૃતિ અટકી નથી. એટલે તો આજે માણસ અવકાશમાં કોઇ પાડોશી  ને સારા રહેઠાણની શોધવા પ્રયત્ન કરે છે.
      છેલ્લે આપણા ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં વિચારીએ તો આ ઉપદેશને પણ આપણે પાપ, પુન્ય ને સ્વર્ગ સાથે જોડી દીધો છે. આજે તો વાહનવ્યવહાર ને રસ્તા, હોટલો,મોટેલો નેસ સંદેશ વ્યવહારની સગવડ છે. પણ એ સમયની વાત છે કે લોકોનું પોણા ભાગનું જીવન આગલી પેઢીને સાચવવા ને નવી પેઢીને તૈયાર કરવામાં વીતી જતું. આમાથી નિવૃત થયા પછી એની એક જ મહેચ્છા રહેતી. ચાર ધામની યાત્રા. આમા પણ મુખ્ય ઉદેશ તો પુન્ય કમાવાનો જ હતો.  બસ ને રેલ્વેના આગમન પહેલા લોકો પગપાળા સંઘમાં નીકળતા. સમુહમાં સલામતી લાગે. રસ્તામાં નાના ગામડા આવે ત્યા આ યાત્રાળુઓનું સ્વાગત થાય. ગામના મહાજન કે અગ્રગણ્ય વ્યકિતને  ત્યા ઉતારો ને ભોજનનો પ્રબંધ થાય. સમચારોનું આદાનપ્રદાન થાય. બન્ને પક્ષે નવું જાણવા મળે. માહીતીનો એક માત્ર સ્ત્રોત. છાપુ ગણો કે રેડીયો.  હવે જોવા જેવુ એ થાય કે જે ઘરડા લોકો દાદરો ય ચડવામાં ટેકો માગતા હોય ને ઉંબર તો ડુંગર થયા એમ રટતા હોય એ વા લોકો પુન્ય માટે ગિરનાર,પાવાગઢ કે પાલીતાણાના ડુંગરા ચડે, એતો ઠીક પણ કૈલાસ,માનસરોવર, કેદારનાથ ને બદ્રીનાથમાં ય ઢસડાતા ય પંહોચી જાય!. ઘેર નહાવા માટે ગરમ પાણીનો આગ્રહ રાખતા લોકો પુન્યની લાલચમાં નદીઓના એવા ઠંડા પાણીમાં  સ્નાન કરે ને એમાં ય ભક્તાણીઓ તો હદ કરી નાખે. માત્ર   પાતળા ને એકસરા      સાડલા . કોઇ સંકોચ નહિ કે ઠંડીની પરવા નહિ. એ તો જેવી જેની માન્યતા. કોઇ સાહસ માટે ડુંગરા ચડે તો કોઇ સ્વર્ગ માટે.          આખરે નદીઓના નીર પણ ફરતા જરહે છે. બંધીયાર પાણી ખાબોચીયુ થઇ જાય ને ગંધાઇ જાય.  એવુ જ માણસનું છે કે એક જ સ્થલે રહેતાલોકોની દ્રષ્ટિ  'કુવાના દેડકા ' જેવી બની જાય છે.એટલે જ ઉપનીષદ કહે છે'ચરવૈતિ

No comments:

Post a Comment