Saturday, November 10, 2018

આપણા ઉપનિષદ એતરીયમાં એક સંદેશ છે કે ફરતા રહો ને ચરતા રહો. પ્રાણી ને મનુષ્ય બન્ને માટે. પ્રાણી ઓ તો આ સંદેશો પુરેપુરો સમજ્યા હશે. કારણ કે આફ્રિકામાં પ્રાણીઓની વર્તણૂકના અભ્યાસીઓના નિરીક્ષણ પ્રમાણે ઘાસને લીલોતરી પર જીવનાર પ્રાણીઓ ઘાસના વિશાળ મેદાનોમાં જેમ વરસાદ એકછેડેથી બીજે છેડે આગળ પાછળ જાય ને ઘાસ ઉગે એ પ્રમાણે આ પ્રાણીઓ એની પાછળ ફરે ને ચરે છે તો એના પર જીવનારા શિકારી પ્રાણીઓ વાઘ,સિંહ, વરુ વગેરે આ પ્રાણીઓની પાછળ એટલે કે પોતાના ખોરાકની પાછળ સ્થળાંતર કરતા રહે છે. એજ પ્રમાણે યાયાવર પંખીઓ સિઝન પ્રમાણે  હજારો માઇલની સફર ખેડે છે. તો દરીયાઇ જીવો ખાસ તો માછલીઓ પાણીના ઠંડા ને ગરમ પ્રવાહો પ્રમાણે ફરતી રહે છે ને એની પાછળ એનો કાળ એટલે કે વ્હેલ ને શાર્ક જેવા શિકારી પણ ફરતા રહે છે. આમ પ્રાણીજગતમાં તો શિકાર ને શિકારીનો ખેલ ફરવા ,ચરવા ને તરવા પર દેખાઇ આવે છે.
      માણસની વાત આ સંદર્ભમાં લઇએ તો માણસ એક સ્થળે પેદા થયો ને ભ્રમણ કરતો થયો. ચાલતા ચાલતા એ આજે દુનિયાના દરેક સ્થળે સહરાના રણથી માંડી અલાસ્કાના દુર્ગમ ભાગોમાં પણ વસે છે. માણસની એ વાતાવરણને અનુકુળ થવાની ફાવટને કારણે એ  હિમાલયના પહાડો પર, બરફના ઘરોમાં, લોહી ઉકાળતી ગરમીમાં તંબુ બાંધીને રહી શકે છે. વાતાવરણને અનુકુળ ખોરાક  શોધી કાઢે છે . રહેઠાણ ને પોશાક બનાવે છે. આગળ જતા એ પ્રમાણે તહેવારો,રિરિવાજો ને મનોરંજનના સાધનો શોધીને એક વ્યવસ્થિત સમાજરચના કરે છે.
      આ બધૂ હાંસલ કરવા જરુરિયાત પ્રમાણે સ્થંળાંતર પણ કરવું પડે છે. માણસ સારા જીવન માટે ફરતો રહે છે. એટલે તો  વિશ્ર્વની મહાન પ્રાચીન સંસ્કૃતિઓ નદીઓના તટ પર વિકસી છે. નદી એટલે તો લોકમાતા કહેવાય છે કે બારેમાસ પાણી પુરુ પાડે, વરસાદની ખેંચમાં સિંચાઇથી ખેતી થાય, અનાજ ને પાણી એ માણસના અસ્તિત્વ માટેની મુળભુત જરુરયાત સંતોષાયા પછી આગળનો વિચાર આવે.માનવઇતિહાસમાં ઇજીપ્તની નાઇલ, ઇરાકની યુક્રેટીસ ને ટાયગ્રસ, હડપ્પા ને મોએન જે ડેરોની સંસ્કૃતિ સિંધુ નદીને આભારી છે. આમ માણસ સારા ને સુખસગવડ ભર્યા જીવન માટે ફરતો જ રહ્યો છે. એ ભ્રમણ આજે પણ ચાલુ જછે ને એ જીજ્ઞાસાવૃતિ જે માણસને અવકાશ યાત્રા તરફ દોરે છે.                 મનુષ્ય ને પ્રાણોઓને ભ્રમણમાં તફાવત એ છે કે પ્રાણીના ભ્રમણના કેંદ્રમાં માત્ર ભુખ તરસ ને માદા મેળવવાની વૃતિ જેને પશુવૃતિ કહેવાય.એટલે કે એવા માણસોને જેને જીવનમાં માત્ર આ જ ઉદેશ હોય ને એને પશુ ગણવામાં આવે છે. માણસ એ છૈ કે જે માત્ર તનથી જનહિ પણ મનથી ને ધનથી પણ ફરતો રહે છે. એપ્રગતિ ને હાલના જીવન કરતા સારા જીવન માટે ફરતો રહે છે. રોજીરોટી ને સલામત જીવન માટે એ વતન છોડી પરદેશને પારકી ભુમિને પોતાની કરે છે. વતન છૌડવાના ઘણા કારણ હોય. જયા આજીવિકા સહેલાઇથી મળતી હોય, શાષકપક્ષ શોષણખોર નહોય, કાયદો ને વ્યવસ્થા હોય, ભેદભાવ નહોય, વિકાસની તકો હોય. ત્યા જવા માટેલોકો ઉત્સુક થાય. એજ પ્રમાણે  જે દેશોમાં રાજકીય ને કાયદાકાનુનની અરાજકતા હોય,   ..વિકાસની તકો નહોય, દેશની કુદરતી સંપતિ ને સમૃધ્ધિ પર સમાજના નાના વર્ગનો ઇજારો હોય ટુંકમાં કહી શકીએ તો બળીયાના બેભાગ જેવી હાલત  હોય ત્યારે મજબુરી થી લોકોને વતન છોડવું પડે.
એક વર્ગ એવો છે કે જે સાહસિક છે જે માત્ર કુતુહલ કે નવી ભુમિ શોધવા દરિયાના અફાટજળરાશી ઉપર નાના વહાણલઇને નીકળી પડે છે. એની પાસે છે માત્ર જીજ્ઞાસા ને હિંમત. કયારેક પરિવારનો વિરોધ હોય, મુસાફરી માટે જરુરી સામગ્રી ખરીદવાના પૈસા નહોય કે એવા સાધનો મળતા પણ નહોય.છતા દુનિયાને કોલંબસ, વાસ્કો ડી ગામા,માર્કો પોલો ,એડમંડ સ્મીથ ને હ્યુ એન સાંગ જેવા સાહસીકો મળી રહ્યા છે જે લોકોએ જાનના જોખમે દરિયો, રણ ને ઉતરધ્રુવના દુર્ગમ સ્થાનોનો પ્રવાસ કર્યો છે ને દુનિયા સમક્ષ નવા સ્થાનો ખુલ્લા મુક્યા છે.       વધુ આવતા અંકે

No comments:

Post a Comment