Sunday, November 10, 2019

નામને શું રડે?

વાંચકમિત્રો,તમે આ કવિતા સાંભળી હશે. કવિ કહે છે કે નામ પ્રમાણે ગુણ હોતા નથી. લક્ષ્મીચંદના ખિસ્સા ખાલી હોય. ભીખૂભાઇ ભીખ નથી માગતા પણ બંગલામાં રહે છે. ભોળાભાઇ આખી દુનીયાને શીશામાં ઉતારે. નામ એ આપણી વ્યકિગત દુન્યવી ઓળખ. આપણા પરિવાર તરફથી ભેટ. નામ પાડવાનો અધીકાર આજતક ફોઇનો ને એ પણ મફત નહિ. ઘણા પરિવારમાં નામ કરણ વિધિ ઉત્સવની જેમ ઉજવાય.નાંમ આપણને ગમે કે ન ગમે તો પણ એ જ આપણી ઓળખ. ઘણા લોકોને એક કરતા વધારે નામ હોય.એક કાયદેસર જે સરકારને ને સ્કુલને ચોપડે.બીજુ સગવડીયુ. નામને ટુંકાવીને નજીકના ને પરિવારના લોકો બોલાવે.જેને તખલ્લુસ કે ઉપનામ કહેવાય. તો કયારેક એવી વિશેષતા કે ખોડખાપણને લઇને હુલામણુ નામ બહારના લોકો પાડે. એ મોટે ભાગે વ્યકિતને ચીડવવા કે સતાવવા વપરાય.જેમ વ્યકિત ચીડાય એમ બીજા લોકોને વધારે મજા આવે.કયારેક તો સાચુ નામ લગભગ વિસરાઇ જાય એટલી હદે ઉપનામ પ્રચલિત થઇ જાય. એટલે જ ભગવાનના હજાર નામ છે ને.ઘણા પરિવારમાં નવી વહુનું નામ બદલવાનો રિવાજ હોય. કદાચ પિયરની બધી યાદ ભુલાવી દેવા જ સ્તો નામની સાથે બીજી એક વાત કે જમાના પ્રમાણે નામની ફેશન બદલાય. અજાણી વ્યકિતનું નામ સાંભળી એની વય નક્કી કરી શકો. શાંતા,કાંતા,સવિતા,કે વિમળા સાંઠને વટાવી ગયા હોય.જે તે સમયગાળામાં જે નામ પ્રચલિત હોય તેના પરથી વય ખબર પડે. નામ સાંભળતા વ્યકિતનું ચિત્ર મનમાં ઉપસે. હરિભાઇ કહો તો કોઇ ધોતિયા ધારી વયસ્ક વ્યકિતનું ચિત્ર નજરમાં આવે લે કદાવ ખોટૂ પણ પડે.એ સિવાય એક સમયમાં લોકોના નામ એના વ્યવસાય ને જાતિ પરથી નક્કી થતા. જેમકે ખેડુત એટલે શામજી,કાનજી,નાનજી,વાલજી.તો જે નામની પાછળ સિંહ,વાળા,બાપુ હોય તે વગર પુછ્યે માની લેવાય.લાલ,ચંદ,રાય એ બધા મહાજનો ને ગિરધર, દયારામ.જટાશંકર,પિતાંબર એટલે ભુદેવ.તો કચરો,ધુળો,પુંજો એ શુદ્ર ભલે સાધુસંતો કે વિચારકો કહેતા હોય કે નામ અસાર છે. પણ ખરી વાત તો એ છે કે નામ સાથે માણસનું સ્વમાન કે અહમ જોડાયેલો હોય છે.માણસ હંમેશા પોતાનું નામ રોશન કરવા મથતો હોય છે. માબાપ સંતાનો પોતાનું નામ ઉજાળે એવું ઇચ્છે. જો સંતાન કપાતર પાકે તો નામ બોળ્યુ કહેવાય. જુઓ.સંસારને અસાર માનનારા ને બધી મોહમાયાના ત્યાગની વાતો કરનારા પણ નામનો મોહ તજી શકતા નથી. એટલે તો વૈરાગ્ય ધારણ કરનારા પોતાને સંતશિરોમણિ,મહામંડલેસ્વર, ને એવીન કંઇક પદવી ધારણ કરે છે. બધા જ ધર્મોમાં કાંઇક આવી જ પ્રથા છે.સામાન્ય માણસ દાનપુન્ય કરે તો પોતાના નામની તક્તી મુકાવે. રાજામહારાજા મહેલ ને મકબરા બનાવે. જે નામ એ જીવતા સાંભળવાના નથી ને મરણ પછી તો સાંભળવા આવતા હશે કે કેમ એ આપણે જાણતા નથી તો પણ માણસનો પરિવાર એમનું નામ અમર રાખવા આવું જાહેર દાન કરતા હોય છે. આજે પણ ભુતકાળના વિલિન થઇ ગયેલી એવી વિરલ વિભુતિઓને યાદ કરીએ છીએ જે ભૌતિક કે સ્થુળ શરીરરુપે હાજર નથી પણ એના માનવજાતના ઉત્કર્ષના ફાળા માટે સ્મૃતિરુપે જીવિત છે. ગાંધીજી,સરદાર, માર્ટીન લ્યુથર કિંગ કે મહાન વૈજ્ઞાનિકો ને વિચારકો. એજ પ્રમાણે માનવજાત માટે વિનાશકારી એવા પણ પાત્રો છે.જેમકે હિટલર નેબીજા અનેક આસુરી તત્વો કે જે નકારત્મક કે દુઃખદ યાદ તરીકે પણ માનવસ્મૃતિમાં રહે છે.કોઇપણ વ્યકિત જીવતા દુનિયાની પરવા ના કરી હોય એ પણ મૃત્યુ પછી આદર ઇચ્છે છે. એટલે તો એક કવિએ ગાયુ છે કે'નામ ન રહંત,નાણા ન રહંત.કીર્તિ કેરા કોટડા પાડયા ન પડંત ઘણા

No comments:

Post a Comment