Thursday, March 1, 2018

અન્યની નજરે આપણુ મુલ્ય

વાંચકમિત્રો, આપણે આવા ઘણા સુવિચારો પચાવ્યા છે. જેમકે ડુંગરા દુરથી રળીયામણા. પારકે ભાણે મોટો લાડુ.આપણા માનનીય શ્રી ધુમકેતુના કહેવા પ્રમાણે 'માણસ બીજાની નજરે પોતાની પરિસ્થિતિ મુલવે તો દુનિયાનું અર્ધુ દુઃખ ઓછું થઇ જાય. કોઇ પણ કામ જયારે એકધારુ થઇ જાય ત્યારેએમાથી જીજ્ઞાસા રહેતી નથી. કામ બોજારુપ ને વળતર વિનાનુ લાગે છે. એક ખેડુતને કોસ ખેચતો કે હળ ચલાવતો જોઇને જેણે આવુ કામ કર્યુજ નહોય એને જોવાની મજા આવે ને કવચીત કવિતા ય સુઝે. એને જગતનો તાત લાગે. પણ એ 'તાત' ને પુછો તો કહેશે કે હું તાત નહિ પણ પોઠીયો કે વેઠીયો છુ. એને શહેરમાં ઉજળા કપડા પહેરીને ફરતા ને મહીનાની પહેલી તારીખે પગાર લેતા માણસ સામે ફરિયાદ હશે કે અમારે તો આભ ને ધરતી જે આપે તે લેવાનું. કુદરત રુઠે તો કોને ફરિયાદ કરવાની? તમારે તો પહેલી તારીખે વાદળા હોય કે વરસાદ,દુકાળ હોય કે સુકાળ પૈસા તો મળવાના જ. એ પણ ટાઢા છાયામાં. તો આપણે એક દિવસ ખેતરમાં ઉજાણી કરીએ તો વનભોજન કર્યાનો આનંદ મહીના  સુધી ચાલે ને ખેડુતને રોજ વનભોજનની નવાઇ જ નહિ. પછી જુઓ કે એકાદ દિવસ નદી કે દરીયામા બોટમાં ફરીએ તો મનમાં થાય આપણે બોટીંગમાં ગયા હતા. અઠવાડીયાની ક્રુઝ તો જાણે આખી જીંદગીનુ સંભારણુ. હવે માછીમારને પુછો તો એને તો રોજનું થયુ. કહેશે કે ધાડ મારી તમે. અમે તો રોજ જઇએ છીએ. હિમાલય પર ફરવા ને ત્રેકીંગ કરવા જનારને માટે એ ગિરિરાજ ને સૌંદર્યનો પુંજ. એના બરફથી છવાયેલા શિખરો ને એના સુર્યોદય ને સુર્યાસ્ત પ્રવાસીને મુગ્ધ કરી દે. પણ એને પોતાના ખંભા પર ઉંચકીને ડુંગરા ચડતા મજુરને પુછો! એક માળીની નજરમાં બગીચો ને લટાર મારવા આવતા માણસની દ્રષ્ટિ અલગ હોય છે.દરેકને બીજો માણસ વધારે સુખી દેખાય છે.

No comments:

Post a Comment