Saturday, March 10, 2018

સ્ત્રી પુરુષ સમાનતાશક્ય છે?

વાંચક મિત્રો, આ એક સૃજન જુનો પ્રશ્ર્ન છે. પહેલા ઇંડુ કે મુર્ગી.વૃક્ષ કે બીજ. સ્ત્રી કે પુરુષ?આદમ ને ઇવ, પુરુષ ને પ્રકૃતિ.આ દ્વંદ્વ બધા ધર્મ ને સમાજે એક યા બીજા સ્વરુપે સ્વીકારેલું છે. બન્ને એકબીજાના હરીફ નહિપણ પુરક છે. એકને શારીરિક ક્ષમતા ને બાહ્ય કઠીનાઇ સહેવાની ને બીજાને માનસિક પરિતાપ સહેવાની શકિત આપી છે. સાથે મળીને એકબીજાની શકિત ને ખામીને નીભાવીને જીવવાનુ છે. એટલે કોઇ એકબીજાથી ચડીયાતુ કે ઉતરતું નથી. સંધર્ષ  ત્યારે થાય છે જ્યારે અહમનો ટકરાવ થાય છે. બન્ને વચ્ચે કામની સ્પષ્ટ વંહેચણી છે.એ પણ એમની શારીરિક ને માનસિક ક્ષમતા પ્રમાણે છે. સ્ત્રી ઘરકામ ને બાળઉછેર કરે ને પુરુષ આજીવીકા કમાય ને પરિવારનું રક્ષણ કરે. કાળક્રમે બહારનુ કામ નજરે ચડવા લાગ્યું ને એનુ મહત્વ વધી ગયું. ઘરકામ ને બાળઉછેર ગૌણ ગણાવા લાગ્યાં. બહારની દુનિયામાં સ્ત્રીનુ મહત્વ ઘટી ગયું. બહારની દુનિયાનુ સુકાન પુરુષના હાથમાં આવ્યું.એક જાણીતા વિચારકે ત્યા સુધી કહ્યું છેકે સ્ત્રી ને પુરુષ જો કયાય એકલા મળે તો છેલ્લો નિર્ણય માત્ર પુરુષનો જ હોય છે!સ્ત્રીને મને કે કમને અનુસરવાનું હોય છે.
        પછીના સમયમાં થોડી જાગૃતિ આવી ને સ્ત્રી ચાર દિવાલમાંથી બહારની દુનિયામાં આવી.પોતાની શકિતનો અહેસાસ થયો ને ' સ્ત્રીની બુધ્ધિ પાનીએ' એવી હલકી મશ્કરી કરનારાને ભોંઠા પાડ્યાં. પછી તો એ બહારના બધા ક્ષેત્રમાં છવાઇ ગઇ. તો અત્યાર સુધી મહત્વનાં સ્થાન પર પોતાનો અબાધિત અધિકાર સમજતા પુરુષોને એમાં પોતાનો પરાજય લાગ્યો ને એમાથી બન્ને પુરક મટી હરીફ બનીગયા.
   વિરોધી લોકોએ શાસ્ત્રોનો સહારો લઇને સમજાવ્યુ કે સ્ત્રીને સ્વતંત્રતા અપાય નહિ. એ ઘરમાં જ સલામત છે. તો બીજાએ આગળ વધીને એવુ પુરવાર કર્યુ કે શુદ્ર, સ્ત્રી ને જાર ધોકે જ પાધરા થાય. નામ તુલસીદાસનું. તો એજ શાસ્ત્રનો આધાર લઇને સ્ત્રીના પક્ષકારે એવુ કહ્યુ કે જ્યા નારીની પુજા એટલે કેઆદર  થાય છે, ત્યા જ દેવતા રમે છે.       આબધાને અંતે જોઇએ તો એજ વાત સાચી લાગે છે કે એક માતા સો
શિક્ષક બરાબર છે. જે હાથ પારણુ ઝુલાવે એ જ દુનિયા પર રાજ કરે છે. આ સાચી વાત છે. ભાવિ પેઢીના ઘડતર પર જ વર્તમાન પેઢીની સુખસલામતી છે. સ્ત્રી આજે એનુ મહત્વનું ને મુળભુત જવાબદારીને છોડી બહારના વિવિધ ક્ષેત્રે કાંઠુ કરી રહી છે. એમાં વધતી જતી જરુરિયાતો, પોતાની યોગ્યતાને સાબિત કરવાની ધુન,આર્થિક સંકટ વગેરેભાગ ભજવે છે. પણ એમાં ભોગ ઉછરતી પેઢીનો લેવાય છે. એને જ્યારે પ્રેમ, સલામતી ને માર્ગદર્શનની જરુરિયાત હોય છે ત્યારે એને માટે કોઇ હોતુ નથી. એનેભૌતિક સુખ અવશ્ય મળે છે. પણ એને એ સમયે જે હુંફની જરુર છે એનો એ વિકલ્પ નથી. પરિણામે આજની પેઢીમાં માબાપ કે વડીલો તરફ આદર કે સ્ત્રી દાક્ષિણ્યની ભાવના નથી. એટલે અવારનવાર નિર્ભયાકાંડ જેવી શરમજનક ધટનાઓ બનતી જાય છે.  હવે સમાનતાની બાબતમાં સત્તા કે કાયદો લાચાર બની જાય છે. કાયદાની સફળતા અમલ કરનાર ને કરાવનારની દાનત પર રહે છે. કાયદો એમ કહે કે બસ કે ત્રેનમાં બહેનો માટે અમુક સીટો અમાનત રાખવાની. વિવેક ત્યા ચુકાઇ જાય જ્યારે એવી સીટ પર યુવતીઓ આરામથી બેઠી હોય ને કોઇ બિમાર વૃધ્ધ દાદા ઉભા હોય! ત્યાં કાયદાનો પરાજય છે. તો માત્રના અનામતના નામ પર ચાલીસ ટકા વાળા ઉમેદવાર સામે નવાણુ ટકા માર્કસવાળો ઉમેદવાર પોતાનુ એડમીશન ગુમાવે ત્યારે ખોટ માત્ર જેતે વિદ્યાર્થીને નહિ પણ આખા સમાજને પડે છે.  આજકાલ બહેનોને પિતાની સંપતિમાં હિસ્સો આપવાનો કાયદો પસાર થયો છે. રાજીખુશીથી થાય તો ખોટુ નથી. પણ આમાં આપણા પુર્વજોએ વિચારી જ રાખ્યું જ છે જે આપણા ધ્યાન બહાર ગયુંછે. એક તો એણે છોકરો ને છોકરી મોટા થઇ ને હરીફ ન બને કે એકબીજાનું શોષણ ન કરે એટલા માટે બાલપણથી એકબીજાને આદર આપે ને લાગણી ને જવાબદારી સમજે. એમાટે  પોષી પુમન, વીરપસલી, રક્ષાબંધન જેવા તહેવારો ગોઠવીને એકબીજા માટે પ્રેમ ને આદરનું વાતાવરણ એવા સંસ્કારો નાની વયમાં જ રોપાય કે ભવિષ્યમાં એ સ્ત્રીને બહેન તરીકે આદર આપે. ભારતીય સમાજમાં 'બહેન' જેવો બીજો કોઇ પવિત્ર શબ્દ નથી. નહોતો. આજે એ સંસ્કાર કમનસીબે લુપ્ત થતા જાય છે. હવે વારસાની વાત કરીએ તો આમાં પણ આપણા પુર્વજોની દીર્ધદ્રષ્ટિ નજરમાં આવે છે. દિકરીના લગ્ન પછી આણા, પરિયાણા, મામેરુ, જીયાણુ એવા નાનામોટા પ્રસંગોમાં એના ભાગના પૈસા આડકતરી રીતે અપાય છે જે નજરમાં નથી આવતું. છેવટે એની અંતિમવિધિમાં ય ચુંદડી પિયરની હોય. એ ઉપરાંત માબાપની સેવા ચાકરીનો બોજો દિકરા ઉપર જ હોય છે. તો બહેનો , ભાઇઓને આહિસાબની ખબર પડે એ પહેલા કાયદાની બીક બતાવ્યા વિના ભાગ સમજી લેજો. તો ભાઇબહેનના સબંધો મીઠા બની રહેશે.

1 comment:

  1. વિમળા બહેન,
    સાદર વંદન. મારી ઈચ્છા છે કે આપના ચિંતનાત્મક લેખો આપના સૌજન્ય સહિત હું કોપી પેસ્ટ કરીને મારા બ્લોગમાં પોસ્ટ કરું. મારો બ્લોગ "મિત્રોની વાતો" પણ છે. જો શય હોય તો આપનો એક ફોટો મને ઈ મેઇલ કરજો.
    પ્રવીણ શાસ્ત્રી.

    ReplyDelete