Wednesday, November 9, 2016

ફાધર્સ ડે .

થોદા સમય પહેલા અમેરિકામાં ફાધર્સ ડે ઉજવાઇ ગયો.  બધા સંતાનોએ અલગ અલગ તરહથી ઉજવણી કરી હશે. આવ્યકિતગત તહેવાર છે. એનુ કોઇ ચોક્કસ બંધારણ નથી. પોતાની મતિ ને શકિત પ્રમાણે સહુએ પિતૃ ઋણ અદા કર્યુ હશે.એકાદ ફોનથી લઇને કાર્ડ, નાની મોટી ભેટ કે રેસ્ટોરન્ટનુ જમણ વગેરે. આપણા સમાજમાં પિતા માટે આવો કોઇ મુકરર દિવસ નથી. હા, હયાત ન હોય એવા પિતાની મૃત્યુતીથી નિમિતે ભજન, બટુકભોજન કે બ્રહ્મભોજન કરાવવુ,સામાજિક સંસ્થાઓમા એ નિમિતે યથાશકિત દાન કરવુ, તર્પણ, શ્રાધ્ધ  વગેરે થી  સદગતને અંજલિ આપવાનો પ્રયત્ન થાય છે. કયારેક એવુ બને છે કે જીવતા જેને જાળવ્યા ન હોય એ આવી વિધિઓમાં વધારે માને છે.એમાં પ્રેમ કે ફરજ કરતા અમુક અંશે ગુનાહિત લાગણી કામ કરે છે. એ અલગ વાત છે પણ આપણે ત્યા હયાત માબાપ માટે આવી કોઇ ઉજવણી અલગથી થતી નથી. આપણે તો માતૃદેવો ને પિતૃદેવોનૂ સુત્ર આપીને શાસ્ત્રોએ માબાપની આમરણાંત જવાબદારી સંતાનો પર નાખી છે. એટલે બધા દિવસો ફાધર્સડે ગણાય.   હવે સમયના બદલાવ સાથે આ ભાવના ઓસરતી જાય છે. ખાસ તો આધુનિકતામા રાચતા પરિવારો કે  ને મધ્યમ વર્ગમા પણ વડીલો જેને સંતાનો કયારેક મજબુરીથી તો કયારેક જવાબદારીમાંથી છટકવા વૃધ્ધાશ્રમમાં ધકેલી દેછે ત્યારે આવે એકાદ દિવસે મળવા જઇને ઋણ અદા કરવાનો પ્રયત્ન કરે છે.    આ બધી વાતોની સાથે એક વાર્તા કદાચ સત્ય પણ હોઇ શકે. એ અહી રજુ કરુ છુ.એક ગરીબ પિતા  મજુરી કરીને પોતાના દિકરાને ભણાવે છે. એક જ લગન કે મારા દિકરાને મારા કરતા બહેતર જીવન આપવુ. એને માટે રાતદિવસના ઉજાગરા, ભુખતરસ,અપમાન, અન્નાય કેટલુ ય સહન કરીને દિકરાને દાક્તર બનાવે છે. કોલેજના પ્રાંગણમાં પદવીદાન સમારંભ યોજાય છે. બાપ દિકરા ને એટલી જ વિનંતી કરે છે કે  મારે તને એ ડીગ્રી લેતો નગરે જોવો છે. દિકરો કાંઇક ઉદાસીન ભાવે કહી દેછે કે તમારાથી ત્યાં ન અવાય. જે પિતાએ પોતાની હેસિયત કરતા કયાય વધારે દિકરાની જીંદગીમાં પ્રદાન કર્યુ છે એબાપનો એટલોતો હક બનતો જ હતો. છતા એ ગરીબ બાપ ચુપ રહી જાય છે . છેવટે કોલેજના મેદાનને છેવાડે આવેલા એક ઝાડ પર ચડીને પોતાના દિકરાનો પદવી દાન જુએ છેને હર્ષના આંસુ વહાવે છે. ત્યારે એક સવાલ એ થાય કે શા માટે આપણે ગરીબ, અભણ ને સામાન્ય દેખાતા માબાપથી શરમાઇએ છીએ. એના ભાગનો યશ બીજા સમક્ષ સ્વીકારતા શા માટે અચકાઇએ છીએ? એમાં પણ એક વાત કે આપણા
સાહિત્ય ને કવિતાઓમાં માતાની જેટલી કદર થઇ છે, એટલી પિતાની નથી થઇ. માતાનો જેટલો ઋણસ્વીકાર થયો એટલો પિતાનો નથી થયો.દુનિયામાં લગભગ દરેક સમાજમાં પિતાનુ કાર્યક્ષેત્ર રક્ષક ને પોષક તરીકેનુ રહ્યુ છે.પરિવાર માટે મહેનત કરે, પોતાના સુખદુઃખ, આરામ ને શોખનુ બલિદાન આપી દે.સમય આવ્યે પરિવારના રક્ષણ માટે જાન પણ જોખમમાં મુકે.પોતાની કોમળ લાગણી, આંસુઓને કાબુમાં રાખે, કહેવાય કે મર્દકો દર્દ નહિ.એની સામે  પરિવાર પાસે એ માનસન્માન ને આજ્ઞાપાલનની આશા રાખે.  આ સાથે આપણી નજર સામે કડક ને એક ગંભીર ચહેરો તરીઆવે. એ ભાગ્યે જ હસે.એના આવવાના સમયે મોટાભાગના ઘરોમાં હસતા રમતા કે ધમાલ કરતા બાળકો શાંત થઇ જાય. નાનામોટા બધા કોઇ મહત્વના કામમાં વ્યસ્ત હોવાનો દેખાવ કરે.છોકરા પોતાની સમસ્યા રજુ કરતા ય ડરે. માતાને મધ્યસ્થી થવુ પડે,એમાટે પણ અનુકુળ સમયની રાહ જોવી પડે. ખરી વાત એછેકે પિતા નઠોેર કે કઠોર નથી પણ એની લાગણી વ્યકત કરવાની રીત અલગ છે.એ શબ્દોમાં નહિ પણ કાર્યમાં દેખાય છે.પિતા કઇક અંશે રહસ્યમય લાગે છે કારણકે  બહારની દુનિયાની વાસ્વિકતા, પોતાના સિધ્ધાંતોને ટકાવી રાખવા કરવો પડતો સંધર્ષ, નોકરી કે ધંધામાં સહેવી પડતી મજબુરી,અન્નાય, કે અપમાન આબધા પ્રશ્ર્નોને નાના બાળકો
સામે કહી  દર્શાવી શકતા નથી.એટલે બાળકો જ્યા સુધી પોતે  પુખ્ત ન બને ત્યા પિતા એને માટે  અનજાન ને ક્યારેક સરમુખત્યાર જેવા લાગે છે.પિતાના એ સંધર્ષકાળની એને જાણ નથી હોતી,એટલે એક ગેરસમજણ ને પુર્વગ્રહ બંધાઇ જાય છે જે બન્નને જીવનભર નડે છે.
  એરીતે જોઇએ તો માતાનો પ્રેમ પારદર્શી છે. ખરેખર એમ કહી શકાય કે પિતાનો પ્રેમ નાળીયેર જેવો છે જે ઉપરથી કડક ને બરછટ દેખાય
એને પામવા ને સમજવા પ્રયત્ન કરવો પડે.જેમ નાળીયેરનો સ્વાદ માણવા એનુ ઉપરનુ આવરણ તોડવુ પડે. પછી જ એની કોમલતાની જાણ થાય. કમનસીબે ને મહદઅંશે બને છેકે એ જ સંતાનો જયારે પોતે પિતાના રોલમાં આવે ત્યારે જ પિતાની એ સમયની મજબુરી ને ત્યાગ ને પ્રેમનો અહેસાસ થાય છે. એટલે જો આપણે આપણા બાળકો પાસે ભવિષ્યમા ં માનસન્માનની આશા રાખતા હોઇએ તો આપણા માબાપએ આદર આપીએ. કારણ બાળકો સુત્રો ગોખાવવાતી નહિ, નિરિક્ષણથી વધારે શીખે છે.

No comments:

Post a Comment