Wednesday, November 2, 2016

પાણી

પાણી પૃથ્વીલોકનુ અમૃત. એના વિના જીવન શક્ય નથી. માત્ર મનુષ્ય જ નહિ પણ વનસ્પતિ, ધાન્ય, જે ના પર આખી દુનિયા નિર્ભર છે એ ખેતી બધા જ પાણી પર આધારિત છે. છતા ય આપણે પાણીનુ મુલ્ય સમજ્યા નથી. કોઇ પણ વસ્તુ સસ્તી હોય તો લોકો કહેશે કે આતો પાણીને ભાવે મળે છે.ખરેખર તો જેમ જીવતા માબાપ કે સ્વજનની કદર એના ગયા પછી જ સમજાય એમ જ જ્યારે દુષ્કાળ કે અછતમા પાણીની કિંમત સમજાય. જયારે પાણીની છત હોય ત્યારે એ 'અમુલ્ય'એટલે કે એની કોનુ કોઇ મુલ નહી. તો અછતમા 'અમુલ્ય' એટલે કે એનુ મુલ્ય આંકી ન શકાય. આપણા શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે 'વાણી ને પાણીનો દુરુપયોગ નકરો'. પણ આ બધુ માથે આવી ન પડે ત્યાં સુધી સમજાતુ નથી. જ્યારે માણસ નજર સમક્ષ વિશાળ સરોવરો, સમુદ્રો, ને બે કાંઠે છલકાતી નદીઓ, કે હિમાચ્છાદિત પર્વતો જુએ છે ત્યાસુધી એને પાણી માટેનો વિવેકપુર્ણ વપરાશ કે એની અછત વિષેના વિચારો વાહિયાત લાગે છે. એના માનવામાંજ નઆવે કે પાણીનુ રેશંનિગ પણ આવી શકે. એ હકીકત છે કે પીવાલાયક પાણીનો જથ્થો ઓછો થઇ રહ્યો છે. અૌદ્યોગિક ક્રાંતિએ માનવજાતિને ઘણી સુખસગવડ આપી છે. પણ એમાં કુદરતી સંપતિનો ભોગ પણ લેવાયો છે. વિશાળ કાર.ખાના ને પાવરપ્લાન્ટ, રિફાઇનરીઓ  આદેખાતો વિકાસ  પ્રગતિનો અહેવાલ આપે છે. પણ આવિરાટ મશીનોને અમુક અમુક સમયે  શાંત કરવા પાણીના મોટા જથ્થાની જરુર પડે છે. સમયાન્તરે એ પાણીને શુધ્ધ કરી ફરીવાર વપરાય પણ છેવટે એનો નિકાલ કરવો પડે એ દુષિત પાણી નકામુ બની જાય.એવી જ રીતે પાણી વિતરણની અયોગ્ય પધ્ધતિ ને લોકોની એ વ્યવસ્થાને અનુસરવાનુ અજ્ઞાન કે અનિચ્છા ને કારણે પાણીનો  બગાડ થાય. એ પણ માણસની વિચિત્રતા છેકે જે વસ્તુ વિના મુલ્યે  કે મહેનત વિના મળે એની કિંમત સમજાતી નથી. એક સમયે પાણી દુર દુરથી ઉંચકીને માથા ઉપર બેડા લઇને લાવવુ પડતુ હતુ, ખાસ કરીને સ્ત્રીઓને. વધારામા કુવા કે વાવમાથી સીચવુ પડતુ'તુ. ત્યારે એની કિંમત અલગ હતી ને પછી ઘેર બેઠા નળમાં પાણી આવવા માંડ્યુ એટલે એનો વપરાશ ને બગાડ વધી ગયો. ઉપરાંત વસ્તીવધારો પણ અછતમાં કારણભુત બન્યો. આજે ખેતી ને ઉદ્યોગો વચ્ચે પાણીની વંહેચણીમાં ખેંચાખેચી થાય છે. જે પ્રજા સંગઠિત ને સ્વયમ શિસ્તપાલન કરે છે એ પ્રજા કુદરતી સંપતિનો વિવેકપુર્ણ ઉપયોગ કરીને પ્રગતિ કરે છે જેમ બુધ્ધિશાળી માણસ થોડી પુંજીમાંય સુખેથી જીવે  ને સામે અવ્યવસ્થિત ને ઉડાઉ માણસ લાખોની સંપતિ વેડફીને પાયમાલ થઇ છે.  આપણી પવિત્ર ગણાતી નદીઓ ને જળાશયોમાં ગટરોના પાણી, ઉદ્યોગોના ઝેરી રસાયણો, કચરો, આપણા તહેવારોમાં જળમાં પધરાવાતી મુર્તિઓ, કરમાયેલા ફુલોના ઢગલા, મોક્ષના નામે મૃતદેહો ને હાડકા, માનવ ને પશૂઓના મળમુત્ર વિસર્જન નદી કે કુદરત કેટલુ સહન કરે? પછી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તો પાછા યજ્ઞયાગના ધુમાડા. તો પ્રગતિશીલ દેશોને એની આગવી સમસ્યા છે. વધારે ઉત્પાદનની લ્હાયમાં આડપેદાશ પેદા થયેલા કચરાને ક્યા નાખવો?હવે તો દરિયા પણ બાકાત નથી રહ્યા. એવુ કહેવાય છે કે ત્રીજુ વિશ્ર્વયુધ્ધ થશે તો પાણી માટે થશે.

No comments:

Post a Comment