Monday, November 14, 2016

વતન

આદિકાળથી માનવ સારી નેસગવડ ભરી જીંદગી માટે ભ્રમણ કરતો રહ્યો છે.માત્ર માણસજ નહિ પણ પશૂપંખીઓ ને જંગલી પ્રાણીઓ પણ સિઝનના બદલાવ પ્રમાણે નિયમિત પણે હજારો માઇલની સફર ખેડે છે. જો કે આપણા શાસ્ત્રોમાં મા ને માતૃભુમિનો મહિમા બહુ ગવાયો છે. ' જનની ને જન્મભુમિ સ્વર્ગાપી ગરીયસી' જનની ને જન્મભુમિનો દરેક માણસ ઋણી હોય છે. વતન સાથે માબાપ ને પરિવારનો પ્રેમ, પરવરીશ, બાળપણના અનેક સ્મરણો, બાળમિત્રો ને નચિંત , નિર્ભય રખડપટ્ટી આ બધુ જીવનભર યાદ રહે છે. કારણકે આપણા સારાનરસા કોઇ પગલાની જવાબદારી આપણી નથી હોતી. આપણી સુરક્ષાની જવાબદારી મોટાની. સાચુ કે ખોટુ પરિણામ એને જ ભોગવવાનુ. આપણે તો નિર્દોષ ને નાદાન. પણ વતન  કયારેક ઇચ્છા કે અનિચ્છા એ છોડવુ પડેછે૧. જે તે રાજ્યના શાષકો ઘાતકી કે શોષણખોર બને, જાનમાલની સલામતી જોખમાય, અન્નાય કે અત્યાચાર સામે રક્ષણ  કે ન્યાય નમળે.ઉપરથી ફરિયાદ કરનાર ઉપર જુલ્મ થાય એવા સંજોગોમાં માણસ મજબુરીથી વતનને અલવીદા કરે છે. આ રાજકીય સ્થિતિ . ૨  જયારે કોઇ કુદરતી આફત જેમકે ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ચક્રવાત, સુનામી. કયારેક દરિયો જમીનને ગળવા માંડે. એવા કુદરતી હોનારત માં જાનમાલની સલામતી જોખમાય, જીવનનિર્વાહ મુશ્‍કેલ કે અશક્ય બની જાય, આવે સમયે વતન છોડવુ પડે. ૩ માણસ સ્વભાવે કુતુહલપ્રિય ને સાહસિક છે. બધા નહિ તો અમુક સાહસિકો માત્ર નવુ પામવા માટે સુખસગવડની જીવન છોડી અનજાન વાટે, અફાટ સમુદ્ર કે અવકાશમાં ઝંપલાવે છે. કશુ પામવાની ગણતરી નથી. કોઇ વચનો નથી. માત્ર સાહસ છે. એ સાહસિકો પાસે સગવડ કે સાધનો થોડા ને જીજ્ઞાસા ને હિંમત વધારે છે. આપણે વાસ્કોડી ગામા કે કોલમ્બસ જેવા સાહસિક ઇતિહાસ વાંચીએ તો  ખ્યાલ આવે કે જીજીવિષા પર જીજ્ઞાસાનુ કેટલુ ખેંચાણ છે?૩   કયારેક સતાધારી લોકો નવી વસાહત ઉભી કરવા જરુરિયાતમંદલોકોને લાલચ કે બળજબરીથી સ્થળાતંર કરવાની ફરજ પાડે છે. જેમ કે બ્રિટીશ શાસનમાં આફ્રીકામાં કોલોનીઓ વસાવવા ને નિભાવવા ગુલામ દેશોમાથી ગરીબ લોકોને લઇ જવાતા. આરીતે ભારતમાથી એસમયમાં આપણા દેશી ભાઇ બહેનો ત્યા ગયા છેને ત્યાના કાયમી વતની બની ગયા છે. છતા ય તેલપાણી તરતા જરહે એમ રાજકીય ઉથલપાથલ થાય ત્યારે
એને પરદેશી ગણીને બેવતન કરી દેશબહાર કાઢી મુકવાનો જુવાળ સ્થાનિક પ્રજામાં ઉભો થાય ત્યારે માણસને વતન સાંભરે.વતન લગભગ ભુલી ચુકેલા ને સ્થાવર મિલ્કત,ધંધા વિકસાવી ને નચિંત જીવન જીવતા લોકોને હાથેપગે જીવ મુઠીમાં લઇને વતનમાં પાછા ફરવુ પડે એ પળ કેવી આકરી હોય એ તો જેને વીતી હોય એ જ જાણે. ૪   કયારેક બળજબરીથી અમુક પ્રજાનુ સ્થાળાંતર કરાવવુ. જેમકે અમેરીકાના શરુઆતના સમયમાં રસ્તા,ખેતી, રહેઠાણના બાંધકામોમાં મજુરોની જરુર હતી. મશીનો તો પ્રાથમિક કક્ષામાં હતા એટલે માનવ શકિતની જરુર પડી એના ઉપાયરુપે લાખોની સંખ્યામાં બ્લેક આફ્રીકન પ્રજાને ગુલામ તરીકે પકડીને લાવવામાં આવ્યા. કોઇ પણ પ્રકારના લાભ વિના માત્ર પશુની માફક કાળી મજુરી ને કારમી સજા. ઉભી બજારે એનુ વેચાણ થાય. પરિવાર વિખરાઇ જાય. એ લોકોનો સાંસ્કૃતિક વારસો, ભાષા, ને માણસ તરીકેની ઓળખ મટી ગઇ. એ પાછી મેળવતા બસ્સો વર્ષ લાગ્યા. ૫. માણસને દુરનુ આકર્ષણ હંમેશા વધારે હોય છે. આજે વાહનવ્યવહાર ને માહીતીનુ આદાનપ્રદાન વધ્યુ છે.એટલે લોકો સારી તકો મળે તો વતન કે પરિવારની મોહમાયા છોડી નીકળી પડે છે. ખાસ તો પરદેશથી આવેલ માણસ પાસે સારી વસ્તુઓ જોઇએનુ મન લલચાય.  જે માણસ લાંબા સમય પછી વતનમાં આવે  એને ગરીબ દેખાવુ ગમતુ નથી. આપણા તુલસીદાસે પણ કહ્યુ છે કે ગરીબ થઇને વતનમાં નજવુ. કારણ માણસ વતન છોડે તે કશુુ વધારે પામવા. એટલે જો ધોયેલા મુળા જેવો પાછો આવે તો એનુ માન સન્માન જળવાતુ નથી. બાકી આવનાર પોતાની સાચી હાલત જાણતો હોય પણ માભો જાળવી રાખે. થાય એવુ કે એનો સાચો કે ખોટો માભો બીજાને લલચાવે ને એમ દેખાદેખીથી માણસ વતન છોડે. પછી કયારેક પસ્તાય પણ પાછળવાળાને ચેતવે નહિ ને કદાચ કહે તો કોઇ માને નહિ. તો કયારેક પરદેશમાં સ્થાયી થયેલા સંતાનો પાછળ વતનમાં પાછળ રહી ગયેલા ને  એકલા      પડી ગયેલા માબાપને પરદેશ ઘસડાવુ પડેછે. પૌત્ર જે પૌત્રીઓના જન્મ પ્રસંગે ને સારસંભાળ લેવા જવુ પડેછે. ફાવે ન ફાવે, સુખે દુઃખે રહે ને આંટાફેરા કરે. હાથપગ ચાલે ત્યાસુધી.  પણ મન બે સંસાર વચ્ચે ડામાડોળ થઇજાય.  એક એવો પણ વર્ગ છે જે માત્રદેખાદેખીથી કે ખોટી  માહીતીથી પોતાની સારી નોકરી, ધંધા, સરસ વસાવેલો માળો બધુ વિખેરીને પરદેશ આવે છે. અહી એની ધારણાથી ઉલ્ટુ નીકળે ત્યારે પસ્તાવાનો પાર નથી રહેતો. માણસ હતાશ થઇ જાય ને વતનમાં પાછુ ફરવુ ય આસાન નથી હોતુ. બાવાના બે ય બગડ્યા  ને ધોબીનો કુતરો નહિ ઘરનો કે ઘાટનો'એવા હાલ થાય. તો પરદેશની જીંદગીથી ધરાઇ ગયેલા કેટલાક વળી વતનમા પાછા આવે છે. મનમાં વરસો પહેલાનુ વતનનુ સપનુ આંખોમાં આંજીને. પણ આપરિવર્તનશીલ જગતમાં કશું સ્થિર નથીહોતુ એ સત્ય ભુલી જાય છે. જે શેરીની ધુળમાં રમતા હતા ત્યા ડામરની સડક છે,નદી પર ડેમ બંધાયો ને એસુકાઇ ગઇ છે,તળાવની જગ્યાએ મકાન થઇ ગયા છે. વાડી ને વડપીપળા ને ખેતરની જગ્યાએ મકાનો થઇ ગયા છે ને એક સમયના મિત્રો વિખરાઇ ગયા છે અથવા પોતાના જ ઘરમાં અણગમતા મહેમાનની જેમ જીવી રહ્યા છે કેજે જુના મિત્રને હકદાવે ચાપાણી માટે આમંત્રી શકતા નથી. એ વતન કે જ્યા તમારી પહેચાન વાળા કોઇ નથી ને નવી પેઢી માટે ત્રાહીત છો. તમારા જ દેશમાં તમે પરદેશી બની જાઓ છો.  એતો ઠીક. પણ માણસ ક્યારેક સારા ઇરાદાથી વતનમાં આવે છે કે ખાસ નિવૃતિમાં કે આપણા જ્ઞાન ને ધનનો લાભ થોડો ક વતનને ય આપીએ. પણ આપણા સામાજિક ને ખાસ તો રાજકીય ઢાંચા પ્રમાણે એને ભાગ્યે જ સફળતા મળે છે. લોકો નિરાશ થઇને પાછાઆવે છે. કોઇ મક્કમ મનનો હોય તો જ ટકી શકે છે.      એક વિશેષ વાત આપણી ખાસીયત. આપણી પ્રજા  અર્થોપાર્જન નિમિતે જ પરદેશ ખેડે છે. સાહસ કે સતા માટે નહિ. જયા  રાજકીય સ્થિરતા હોય ને સતાધારી પક્ષ પરદેશી ને લઘુમતી તરફ ઉદાર હોય  ત્યા જાય છે ને રહી પડેછેન ેકાયમી વતનબનાવી  સ્થાવર ને જંગમ મિલ્કત ઉભી કરે છે. આ બધુ ઠીક છે પણ સતાપલટો કે  રાજકીય બળવો કે અંધાધુંધી થાય ત્યારે પરદેશી પહેલુ નિશાન બને છે. ઇતિહાસ આપણને આસત્ય વારંવાર શીખવે છે.  

No comments:

Post a Comment