Sunday, September 11, 2016

આપણા સમાજમા સ્ત્રીનુ સ્થાન

 જગતમા માનવસમાજથી લઇને બધા જીવોનુ દ્રંદ્ર છેસફળતા પુર્વક બાલસવર્ધન ને ટકી રહેવા માટે નરમાદાનો સહકાર જરુરી છેશારીરિક ક્ષમતા પ્રમાણે કામની વંહેચણી કુદરતી રીતે થયેલી હોય છે.નર ઉપર આજીવિકા રળવાની ને પરિવારનુ રક્ષણ કરવાની ને માદા પર બાળઉછેર ને ઘરકામ. માનવસમાજ વિકાસ પામ્યો.માનવબાળને પોતાની રીતે સ્વતંત્ર  જીવવાની તાલીમ લાંબી ચાલતી બીજા પ્રાણીઓની સરખામણીમા. એટલે લગ્નપ્રથા ઉભી થઇ. સમાજના નિયમો નેએકબીજાની ફરજો નક્કી થઇ. સામાજિક બંધારણ તૈયાર થયુ. સ્ત્રી ને પુરુષ બન્નેના કામનુ સરખુ મહત્વ ને બન્ને એકબીજાના પુરક. બન્નેનેએ ેમના નિયત કામ માટે જરુરી તાલીમ પણ આપવામા આવતી. ધીમે ધીમે અહમનો ટકરાવ થવા લાગ્યો. કારણ  પુરુષો વિદ્યાલયોમા ભણીને તૈયાર થયા. આજીવીકાના સાધનો એના હાથમા આવ્યા. બહારની દુનિયામા એ નિર્ણાયક બન્યા. તમે પ્રાચીન ભારતના નાલંદા, તક્ષશીલા કે વલ્લભી જેવી વિખ્યાત વિદ્યાલયો વિષે જાણતા હશો.ઉપરાંત અનેક નાનીમોટી પાઠશાળા. પણછોકરીઓના ભણતર વિષેકોઇ સગવડ હોય એવુ જણાતુ નથી. 'વિદ્યાવિહિન નર પશૂ' પણ નારીનુ શુ?આવા જ્ઞાનથી છલકાતા દેશમા સ્ત્રી અભણ રહી ગઇ તે છેક આઝાદી સુધી. પરિણામશુ આવ્યુ? સ્ત્રી ને પુરુષવચ્ચે બૌધિક અસમાનતા ઉભી થઇ. એપુરુષના વિચારો ને માનસને સમજવામા પાછળ રહીગઇ.એની નજરમાથી ઉતરી ગઇ. ને પુરુષો કહેવત બનાવી કે 'સ્ત્રીની બુધ્ધી પાનીએ'   ત્યાથી શરુઆત થઇ. સમાજના મહત્વના નિયમો પુરુષની તરફેણમા. 'મોસાળે જમવાનુ ને મા પીરસે
એવો ઘાટ થયો.આજીવીકાના બધા સાધનો પર એનો કબજો. મહત્વના નિર્ણયો એના હાથમા.બહારની દુનિયામા સ્ત્રીનુ સ્થાન ગૌણ થઇ ગયુ ને લાજ, ઘુંધટ ને ઓઝલ પરદા પાછળ સંતાઇ ગઇ,        બાકી હતુ તે ધર્મે પુરુ કર્યુ. દિકરાને સર્વ સતાધીશ, કુલદિપક ને વારસ બનાવી દીધૌ. દિકરીના હાથનુ પાણી પણ મૃતવડીલોને ન પહોચે ને દિકરીના ઘરનુ પાણી પીવામા ય પાપ. પિતાની મિલ્કતમા હક નહિ.
નામ' માંગણાવાળી,' આજન્મથી એની ઓળખ.નાનપણમા પિતા આગળ પૈસા માટે હાથ લાંબો કરવાનો, પછી ભાઇ આગળ. રક્ષાબંધન,
વીરપસલી. પોષીપુનમ આણા, દહેજ,મામેરા. બસ માગવાનુ ને સાસરે પતિ આગળ. પોતાનુ આગવુ કશૂ જ નહિ. તો સ્વરક્ષણ માટેય
પિતા, ભાઇ, પતિ ને છેવટે પુત્રને અંગરક્ષક નીમી દઇને સ્વાવલંબી નબનાવી.લાંબો  સમય આમ રહ્યા પછી પોતાના રક્ષણ માટે સક્ષમહોય તોપણ પુરુષ પર આધીન થઇને છેવટે આબે મહત્વના ક્ષેત્રે એ પરાધીન બની ગઇ. આઉપરાંત રાજકીય ને સામાજિક અ રાજકતાના સમયમા કોઇ રક્ષણ કરવાવાળુ નહિ. સામાન્ય પ્રજા તો ક્ષત્રિયો પર રક્ષાનો ભાર છોડીને બેસી ગઇ હતી,એમા પરદેશી આક્રમણો ને બહારવટીયા, ડફેર, મિયાણા જેવી માથાભારે કોમોના ઉપદ્રવો સામે બહેનો દિકરીઓનુ રક્ષણ કરવા અસમર્થ ને કાયરો શસ્ત્ર ઉપાડવાને
બદલે દિકરી જ નહોય  એવુ ઇચ્છવા લાગ્યા. અમુક કોમોમા દિકરીને દુધપીતી કરીદેવાનો કુરિવાજ શરુ થયો. દહેજ  જેવા દુષણૌએ
દિકરીને બોજ ને અણગમતી બનાવી દીધી. આમ એનો જન્મ ઉદાસીનતાનો અવસર થઇ ગયોઆજે પણ ભ્રુણ હત્યા થાય છે ને
    ચાલો, મને કે કમને મોટી તો કરી. હવે પરણાવવાની ઉપાધી. વરની લાયકાતમા ખાસ નહિ,બે ટંક ખાવાનીજોગવાઇ હોય ને માથા
પર   છાપરુ હોય તો બીજુ શુ જોઇએ?પછી બધી રીતે કજોડુ વય,સ્વભાવ ,ને ઉપરથી બે ત્રણ અપલક્ષણ. એમા ય માબાપ વળાવે ત્યારે
શિખામણ આપી દે' સુખ દુઃખ, ત્રાસ, લડાઇઝઘડા બધુ સહન કરીલેવાનુ. બહાર ફરિયાદ નહિ કરવાની, ઘર ન વગોવાય. સહનશીલતા એ
સ્ત્રીનો મોટો ગુણ. સહન ન થાયતો વાવકુવો પુરવાનો પણ પિયરમા પાછુતો નહિ જ આવવાનુ. 'ત્યકતા' માબાપ માટે મોટી નાલેશી.છુટાછેડા તો અછુત શબ્દ. વિચાર પણન કરાય.હવે 'પિયરમા પોષાય નહિને સાસરે સમાય નહિ' તો એને ધરતીમા સમાવા સિવાય
બીજો કોઇ આશરો ખરો?સાસરે આવે, પછી ટુંકસમયમા સાનરસુ બને,વેપારધંધામાં ખોટ જાય, કોઇ સાજુમાંદુ થાયતો દોષનો ટોપલો નવી
વહુ ઉપર. 'અપશુકનિયાળ, છપ્પરપગી વગેરે અપમાનજનક શબ્દોથી એના પોખણા થાય.   પછીનો તબ્બકો, બાળકો નથાયતો વાંઝણી
નુ મેણૂ સ્ત્રીને માથે. દિકરાનીરાહમા દિકરી જન્મે તોય એનો વાંક.પતિ તો પરમેશ્ર્ર. એ સંપુર્ણ. આમ પણ 'સમરથકો દોષનહિ ગુસાઇ'
  પતિ ગમે તે કારણસર બીજા વિવાહ કરી શકે તો શોક્યનુ સાલ વેઠવાનુ, એ લડાઇઝધડા ને કંકાસનુ જીવતર પુરુ થઇ જાય. એટલે જ
વિવાહવિધિમા ગોરબાપા અખંડ સૌભાગ્યવતીના આશિષ આપતા હશૈ કે પતિ પહેલા મરી જજે. કેમકે વિધવાનુ જિવન એટલે જીવતુ જાગતુ નરક.અભણ ને જડ સમાજમા એને જ પતિના મૃત્યુનુ કારણ માનીને જે જુલ્મ ગુજારાય છે. સાજશણગાર તો બાજુમા રહે પણ
માથાના વાળ પણ કાઢી નાખવાના, જે સમયે એને દિલાસા ને આધારની જરુર હોય એ જ સમયે એને એકલી પાડી દઇ ને ઘરનો અંધારો
ખૂણો એનાયત કરી દેવામા આવે. ચાર દિવાલની કેદ ને આખૌ સમાજ એનો ચોકીદાર.આનાથીય સહેલો રસ્તો આપણા શાણા સાજચિંતકોે
એ શોધી કાઢેલો. પતિની ચિતા સાથે બાળી દો, 'ન રહે બાંસ ,ન બજે બાંસુરી,         ને સ્ત્રીનુ એથી ય કમનસીબ સ્વરુપ  એ પતિતા. જયારે યુવાન સ્ત્રી સમાજમાથી જીવનનો આધાર  ગુમાવે, માબાપનુ અકસ્માત મૃત્યુ કે સંજોગોમા એકલી સ્ત્રી આવા અસામાજિક તત્વોના
હાથમા સપડાય જાય ત્યારે બળજબરીથી દેહવ્યાપારમા ધકેલાઇ જાય. ત્યા રે એનુ સ્ત્રીત્વ સંપુર્ણ નાશ પામે છે. એ વ્યકિત મટી વસ્તુ બનીજાય છૈ. સહુ એનો ઉપયોય કરીલે છે પણ કોઇ એને અપનાવતુ નથી. હા. એને ભોગવનાર પુરુષ તો પ્રવિત્ર જ રહે છે.
  પેઢી દર પેઢી આ જ શીખામણો પછી તો સ્ત્રીઓમા આ જ કારણસર લઘુતાગ્રંથિ, આત્મવિશ્રવાસનો અભાવ, કાયમ બીકમા જ ઉભડક
શ્ર્વાસે જીવવુ, દરેક મુસીબત માટે પોતાને જ જવાબદાર માનવુ, અન્નાયનો સામનો કરવાની કે ન્નાય માગવાની હિંમત નકરવી, જુલ્મ સહન કરી લેવો. આએનો સ્વભાવ બની ગયો.         આટલા સમય પછી થોડો સુધારો થયો છે. નાતજાતના બંધનો ઢીલા પડ્યા છે. કાયદાકાનુન અમુક કિસ્સામા મદદરુપ બને છે. ખાસતો શિક્ષણવધતા બહેનોમા પોતાના અધીકારો વિષે જાગૃતિ આવી છે.આર્થિક રીતે પગભર બહેનો હવે અન્નાય સામે અવાજ ઉઠાવી શકે છે.  દિકરી દિકરા કરતા માબાપની વધારે સંભાળ રાખે છૈ ને જીવતા સ્વર્ગનો અનુભવ કરાવીશકે છે. હવે એ સાચા અર્થમા વહાલનો દરિયો છે. બીજી વાત  એ છે કે હવે એણે પોતાની ઓળખ ઉભી કરવાની છે. પિતા ભાઇ કે પતિના નામને સંપતિના ઓઠા નીચે એ સમાજમા પોતાનુ સ્થાન ઉભુ કરવા પ્રયત્ન કરશે તો હતા ત્યા ના  ત્યા. નોકરી કે સામાજિક
ક્ષેત્રમા આગળ આવવા એ જો પોતાનુ શોષણ થવા દે તો એમા એ પોતે જ જવાબદાર ગણાય.

No comments:

Post a Comment