Friday, September 16, 2016

આપણે 'માગણ ' કેમ? બાબા

વાચક મિત્રો,કયારેક એવો વિચાર આવે કે આપણે 'માગણ" કેમ? ભગવાનથી માંડીને કોઇ પણ ભગવાધારી બાબાને જોયા નથી કે એની પાછળ દોટ મુકી નથી. આ આપો ને તે આપો, નોકરી, છોકરી, સંતતિ, રોગનિવારણથી માંડીને ચુંટણી જીતવા ય આવા બાબાના આશિષની જરુર પડે.જો તમે આપણો ધાર્મિક ઇતિહાસ વાંચો તો સમજાઇ  જશેકે આપણા મહાપુરુષો ને મહત્વના પાત્રો વ્રત, તપ, જપ,યજ્ઞ ને ઋષિમુનિઓના વરદાનથી જનમ્યા છે. લગભગ દરેક પાત્ર સાથે વરદાન ને શાપ જોડાયેલા છે. રામ,દશરથ, પાંડવો, ભીષ્મ, પાંચાલી, પાંડૂ, કર્ણ,ખુદ વ્યાસમુનિના જન્મવિષે દંતકથા આવા તો અસંખ્ય ઉદાહરણો છે. એવુ લાગે કે આ મહાપુરુષોના પરાક્રમ કે સફળતામા એમના પુરુષાર્થ કરતા શાપ કે વરદાન વધારે ભાગ ભજવે છે. જો આમ જ હોય તો મહેનત શુ કામ કરવાની? કોઇ સંત, સાધુ
બાબાને પ્રસન્ન કરી લો એટલે બેડો પાર. ને આવા ભગવાધારી બાબાઓનો આપણે પાર નથી. ખૂદ ગાંધીજીએ કહ્યુ  હતુકે હિંદુ્સ્તાનની ભોળી પ્રજા હંમેશા ભગવા રંગથી હંમેશા છેતરાઇ છે. એમા એકપક્ષી વાંક તો નથી જ. લોકોના મનમા આ વરદાન  ને આશિષની લાલચ ને 'તૈયાર ને તત્કાલ પરિણામનો 'શોર્ટ  કટ' એવો ફીટ થઇ ગયો છે કે મહેનત કરવાને બદલે આરતી, સ્તુતી, સ્તવન, યજ્ઞો, ને યાત્રાધામોને આશ્રમોમા આટાફેરા કરે છૈને એમ કરતા જો કોઇ સિધ્ધપુરુષ મળી જાય તો એમની સિધ્ધીમાથી આપણને થૌડો ટુકડો મળી જાય
એટલે જ આપણને શ્રમ ને શ્રમજીવી પ્રત્યે આદર નથી. માંદગીને ભગવાનનો કોપ કે ગયા જન્મનુ પાપનુ કારણ માનવુ, એને માટે બાધા
આખડી કે દોરાધાગાનો આધાર કે સાધૂબાવાના આશિષ માગવા પણ કોઇ વૈજ્ઞાનિક અભિગમથી  કારણ જાણવાની કોશીશ નહિ કરવાની
આમ કરીને આપણે વિચારવાનો માનસિક શ્રમ પણ છોડી દીધૌ છે.  આવૃતિમા બહુ ફેરફાર થયો નથી હવે આપણે નેતાઓ ને સરકાર પર
બધો આધાર રાખીએ છીએ. નાગરીક તરીકે આપણી પણ અમુક ફરજ છે એ કોઇ વિચારતુ  નથી. લાંચકે ભષ્ટાચાર સામે આપણને ફરિયાદ
છે પણ અમુક ઓળખાણ કે લાગવગથી આપણૂ કામ થઇ જાય ત્યારે આપણે ગર્વ લઇએ છીએ. જો આવી માગણ વૃતિ છોડીને મહેનત નહિ કરીએતો આકાશમાથી ખુદ ભગવાન ઉતરશે તો ય આપણો ઉધ્ધાર નહિ થાય. ખબર નહિ કોણે આવા આળસુઓને આશા બંધાવી
દીધી છેકે જરુર પડશે તોમ કોક   ઉપરથી ઉતરીને આવશે ને તમારુ ભાણુ ભરી દેશે.

No comments:

Post a Comment