Sunday, September 18, 2016

દાન

વાંચકમિત્રો,'દાન' શબ્દ બધા જ જાણે. પ્રાચીન સમયથી આપણે 'દાનવીર કર્ણ' 'નુ નામ જાણીએ છીએ. નજીકના ઇતિહાસમા ં ભામાશા ને જગડૂશાના નામ પ્રખ્યાત છે. એસિવાય નાનામોટા દાતાઓ પોતાની સંપતિએક યા બીજા કારણસર સમાજને અર્પણ કરતા હોય છે. લગભગ દરેક ધર્મમા વર્ષને અંતે આવકનો અમુક હિસ્સો સમાજના કલ્યાણ અર્થે વાપરવાનો આદેશ હોય છે. આશય એ જ કે તમે સમાજ પાસેથી મેળવો છો તો સમાજનુ ઋણ ચુકવવુ જોઇએ. સંપતિ આ રીતે વંહેચાયેલી રહે તો સમાજમા ગરીબ અમીરને ભેદભાવ ઓછા થાય ને  ઇર્ષા, અદેખાઇ ને અસંતોષ કાબુમા રહે તો સમાજમા શાંતિ ને આબાદી જળવાઇ રહે. કારણકે સમાજના મોટાભાગના લોકોને પ્રાથમિક જરુરિયાત જેટલુ મળી રહે તો ચોરી, લુંટફાટ, મારામારી જેવા ગુના ઓછા બને. આપણા ધર્મમા દાનને પાપપુણ્ય ને સ્વર્ગ કે નરક સાથે
જોડી દેવામા આવ્યુ છે. લોકો પુણ્ય કમાવાને આવતોજન્મ સુધારવા કે મર્યા પછી સારી સગવડની લાલચમા દાન કરેછે. એ તો બરાબર પણ મર્યા બાદ પણ એના નામે આગળની મુસાફરીમા તકલીફ ન પડે એ માટે જાતજાતની વિધીને દાન કરવામા આવે છે. એના એજન્ટો છે
ભુદેવો. વિધીઓ દિવસો સુધી ચાલે. કયારેક ગરીબ આ ખર્ચમા ખૂવાર થઇને જીવતા નર્ક ભોગવે છે. બીજો પ્રકાર મંદિરમા ભગવાનને નામે
યથાશકિત અર્પણ કરવાનો. નવાઇની વાત એ કે કરોડોનુ દાન કરનારનુ સ્વાગત ને સન્માન થાય, એના નામની તક્તી મુકાય પણ એ કરોડ આવ્યા ક્યાથી?એ નીતિ કે અનીતિનિ કમાઇ છે, એ નતો ભગવાન પુછે કે નભક્ત. આબન્ને પ્રકારના દાન સહેતુક છે. આસિવાય સામાજિક
પ્રવૃતિમા લોકો ફાળો આપતા હોય છે. પણ આવા જાહેર કામોમા શરમે ધરમે લોકો મદદ કરે મનથી બહુ ઉત્સાહ હોતો નથી. કારણકે આપણા જાહેરકામોમા  પૈસાનો હિસાબ  પારદર્શક હોતો નથી. દાન આપનારને પોતાના પૈસા યોગ્ય જગ્યાએ જ વપરાશે કે જરુરિયાત મંદને જ મળશે એ વિષે શંકા રહે છે.એમા પણ ગેરરીતિના અહેવાલો બહાર આવે ત્યારે ખરેખર સાચી ભાવનાથી  દાન આપતા લોકોને છેતરાયાની લાગણી થાય છે.કોઇએ મુરખ બનાવ્યાની આ લાગણી જે તે વ્યકિતને અહમને એવી ચોટ પહોચાડે કે બવિષ્‌યમા આવા કામમા દાન કરતા એ અચકાય. એક જાતનો અવિશ્ર્વાસ ેએને રોકે છે. બાકી મનથી એ કઇક કરવા ઇચ્છેજ છે. એનુ દુઃખ પણ રહે છે.
એટલે જ નાના ગામોમા મંદિરને નામે રાતોરાત પૈસા ભેગા થઇઞ જાય પણ શાળાનો એક ઓરડો કરવો હોય તો સરકારની મદદની રાહ જોવાય ને વરસો વીતી જાય.    મજાકની વાત એ છે કે મંદિરમા મુકેલો પૈસો ભગવાનની માલીકી ગણાય. જો ચોર કે જરુરિયાતમંદ કે
ગિઝની જેવો લુંટારો લઇ જાય ને ભગવાનને વાંધો નહોય તોમાણસે વચ્ચે ન પડવુ જોઇએ. એને વાંધો હોય તો એ સર્વશકિતમાન છે. બરાબર ને?એ જો ખરેખર ત્યા હોય તો. કદાચ ગિઝની આ સત્ય વધારે સારી સમજી ગયો હશે

No comments:

Post a Comment