Thursday, December 29, 2016

પ્રેમની જીત ભાગ ૫'

આગલા અંકથી ચાલુ. ભોગીલાલે એ જોયુ. એણે સામે  બિલકુલ શાંતિથી વાત આગળ ચલાવી,'આરવ,આ તે ઉભી કરેલી સમસ્યા છે. બાકી તો આ સબંધ નક્કી કરતા પહેલા તારી  સંમતિ લેવામાંઆવી હતી. તારો માર્ગ પ્રથમથી જ ખુલ્લો હતો. આ તો જીગીષા ની ગેરહાજરી ને એની રાહ  જોવાની તારી તૈયારી નહિ હોય. એટલે તે દર્શના માટે હા પાડી. બરાબર? તો હવે આટલા વરસોનો થાળે પડેલો સંસાર  ને બે બાળકોનો બાપ થયા પછી હવે ઉધામા  શા માટે કરે છે? દર્શનાને જોવા  જાણવા આટલા વરસો હતા ને આજે આટલા વરસો પછી કોઇ ફરિયાદ છે એના તરફથી? શાંતિથી જીવતા શીખ' ભોગીલાલે આરવને બરાબર ખખડાવ્યો.આરવની લગભગ બધા  સવાલોનુ સમાધાન થઇ ગયુ. એટલે એણે નવી સમસ્યા તરફ પપ્પાનુ ધ્યાન દોર્યુ. ' તો  પછી આનુ શુ કરવુ છે?મને તો એવુ લાગે છેકે પથુકાકાએ  એને વેરની વસુલાત માટે જ અહી ધકેલી લાગે છે. એણે આપણી વિરુધ્ધ આને એવુ તો શું સમજાવ્યુ હશે કે એ આટલી સળગી ઉઠી છે?જો કે એણે કબુલ તો કર્યુ છેકે એને તમારા બે વચ્ચે શુ ખટરાગ થયો એની જાણ નથી.એટલે એના માથે પર જે ભુત સવાર થયુ છે તે આપણી સમજાવટથી નહિ જાય.બીજો એક રસ્તો એ છે કે એને ઘાકઘમકી આપીને આ ગામ છોડાવી દેવુ'. આરવે કહ્યુ. 'નહિ, આરવ' ભોગીલાલે મક્કમતાથી કહ્યુ. ' પથુકાકા સ્વભાવે ઉગ્ર હતો પણ ડંખીલો નહોતો. એને જે કહેવુ હતુ  તે કહી નાખ્યુ. પછી બહાર કયાય એની ચર્ચા કે મારી નિંદા કરી નથી. એને જો બદલો લેવો જ હોત તો આપણી કંપનીનુ બધુ ખાનગી એ જાણતો હતો, આપણને પાયમાલ કરી શક્યો હોત. એને બદલે એ ચુપચાપ જતો રહ્યો ને આપણને કોઇ દિવસ નડ્યો નથી. એવો ઉમદા જણ એની દિકરીને આવી સલાહ આપે જ નહિ. આજે ગમે તે કારણસર એ આપણી દુશ્મન બનીને આવી હોય પણ એનામાં એના માબાપના સુ સંસ્કારો તો હશેજ. માત્રએને જાગૃત કરવાની જરુર છે.એને એક વાર સત્ય હકીકતની જાણ થાય ને આપણા પર વિશ્ર્વાસ બેસે એવુ વાતાવરણ ઉભુ કરી શકીએ તો બાકી બધૂ આસાન થઇ જાય. બીજી વાત એ કે એ મારા મિત્રની દિકરી છે. મારો મિત્ર આજે હયાત નથી તો એની ગેરહાજરીમાં એને સાચે રસ્તે દોરવાની મારી ફરજ છે.એટલે એને હેરાનગતિ થાય એવુ તો વિચારી પણ ન શકુ'       'પણ પપ્પા, એને સમજાવવા એવી વ્યકિત  જોઇએ જેનો એ વિશ્ર્વાસ કરતી હોય. બાકી આપણે સમજાવવા જઇએ તો અવળુ પડે ને વેરની આગ વધારે પ્રજવળે.' આરવે કહ્યુ ને સાથે એને યાદ આવ્યુ. 'એક એવી વ્યકિત છે મારા ધ્યાનમાં. ડો. વિરલ. બન્ને એકબીજાને ચાહે છે.એ એકલી છે ને વિરલનો સહવાસ ને આધાર મળે તો એના મનમાં પ્રેમની જ્યોત જાગે ને વેરની જ્વાળા ધીમી પડે.મને ખાતરી છે કે એની વાત જીગીષા માનશે'    'તો વાત પાકી, હુ કાલે જ જઇને દર્શનાને તેડી લાવુ.' ભોગીલાલે કહ્યુ ને આરવ હસી પડ્યો.' એમ કહો નેકે તમે સે જવુડ  જવાનુ બહાનુ જ ખોળતા હતા'. ભોગીલાલે પણ હસીને એકરાર કર્યો.  એસેજવુડ આવ્યા.      દર્શનાને ખુશખુશાલ જોઇને એને રાહત થઇ.મોડે સુધી બન્ને મિત્રો વચ્ચે 'કૃષ્ણ સુદામા 'જેવી ગોષ્ઠી ચાલી. દર્શનાની બુકનો પ્લાનની ચર્ચા થઇ. એણે એમાં સહર્ષ સંમતિ આપીને વળતે દિવસે બધાની વિદાય લઇ દર્શના ને બાળકો સાથે ઘેર આવ્યા.
એ રાત્રે આરવે દર્શનાને સત્ય હકીકત જણાવી ને માફી માગી. દર્શનાએ ઉદારતાથી માફી સ્વીકારી.'ચાલો.એક પ્રકરણ પુરુ થયુ.હવે નવી તરહથી જિંદગી શરુ કરીએ.' સાથે એણે પોતાની બુક વિષેની માહીતી પણ વહેતી મુકી.  આવખતે  આરવે કોઇ ટીકા ટીપ્પણ ન કરી. બાકી દર્શનાને એ યાદ હતુ. જ્યારે  પ્રથમ વખતે  સાસરે આવી ત્યારે આર્યુવેદની નવી જ બહાર પડેલી બુક પણ લાવેલી. એને ઉત્સુકતાથી આરવને એ બુક બતાવી. પણ આરવે એના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દીધુ. 'દર્શના, પુરાણા સમયમાં આ દવાઓ બરાબર હતી. એ જમાનામાં આપણી પાસે ઔષધિ તરીકે મુળીયા ને પાંદડા જ હતા. રોગો ય એટલા સાદા હતા. અત્યારે તો રોગો ય જીવન જેટલા જટીલ થઇ ગયા છે. એ હવે આવી દવાઓને ગાંઠે પણ નહિ. શરીરવિજ્ઞાન એટલુ આગળ વધી ગયુ છે કે આર્યુવેદ હવે પુરપાટ દોડતા વાહન વ્યવહારમા અટવાતી બિચારી બેલગાડી જેવો થઇ ગયો છે. લોકોમાં આટલી લાંબી સારવારનો વખત પણ નથી ને પરિણામની ધીરજ પણ નથી. હા, એના સિધ્ધાતો સાચા છે. પણ જે વનસ્પતિઓ પર એની સફળતાનો આધાર હતો એના ગુણધર્મો આજના હવા, ખાતર ને પાણીએ બદલી નાખ્યા છેને વધુમા માણસએ ભેળસેળ  કરીને એની અસરકારતાને આશંકામા નાખી દીધી છે. ભલે દિનુદાદા ગામડામાં એનો ઉપયોગ કરે. અહીએની કોઇ જરુર નથી' દર્શના તો આટલુ લાંબુ પ્રવચન સાંભળીને ઠરી જ ગઇ.આજસુધી એ આર્યુવેદને અમુલ્ય થાપણ માનીને પુજતી હતી.એને દુઃખ તો થયુ.પણ સાસરુ હજુ નવુ નવુ જ હતુ ને આરવ સાથે આવો વિવાદ કરવાનો આપહેલો પ્રસંગ હતો. એના આવા સ્વભાવથી એ અપરિચિત હતી. વાત આગળ વધારવાને બદલે એણે બુક સંતાડીને મુકી દીધી.     આજે  સમય એના પક્ષે હતો. વડીલોના આશિષ ને સાથ હતો. જો કે આરવનુ બદલાયેલુ ને નરમ વલણનુ રહસ્ય જીગીષાનુ અસલી સ્વરુપની જાણકારી હતુ, એઆરવે દર્શનાથી છાનુ રાખ્યુ હતુ.         બીજે દિવસે બાળકો સિવાય ઘરના લોકોની મિટિંગ મળી.  કોણે શુ ભાગ ભજવવાનો છે એની ચર્ચા થઇ. એ પ્રમાણે આરવે વિરલને જીગીષા સાથે ગોઠવી દીધો.એ સ્વભાવે મિલનસાર હતો. ટુંક સમયમાં એણે જીગીષાનો વિશ્ર્વાસ જીતી લીધો ને એના પ્રેમાળ સહવાસમાં જીગીષાનો વૈરાગ્નિ ઠંડો પડ્યો. એનુ સંતપ્ત મન શાંત થવા લાગ્યુ.         એક વખત દર્શના ને આરવ એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા. ત્યા જીગીષા ને વિરલ  આવ્યા. આરવે આગ્રહ કરીને પોતાના ટેબલ પર બેસાડયા. જીગીષા ને દર્શનાની પરસ્પર ઓળખાણ કરાવી.
દર્શના તો તૈયાર જ હતી. 'તો તમને મળવાનો લહાવો આજે મળ્યો.જીગીષાબેન, બહુ આનંદ થયો. તમારા ફોટા ઘરમાં જોયા છે, પણ પ્રત્યક્ષ આજે જ જોયા. હવે તો ઘેર આવો. મમ્મી પપ્પા પણ તમને  મળીને ખુશ થશે'  જીગીષાને દર્શનાની સરળતા સ્પર્શી  ગઇ. એણે સંકોચ સહ કહ્યુ.' જુઓને દર્શનાબેન, મને તોએમ કે આટલા લાંબા સમયના અંતરાલ પછી મને કોણ ઓળખતુ હોય?એટલે આવવામાં સંકોચ થતો હતો. પણ તમે બધા મને ભુલ્યા નથી એ જાણી આનંદ થયો'  એણે  વિવેક કર્યો.        'અરે જીગીષાબેન, હુ તો તમારી ભાભી થાઉ. આરવ પર તમારો ભાઇ તરીકેનો અધિકાર તો મારા કરતા ય આગળનો. હુ તો એની જિંદગીમા પછી આવી.તમે તો મારે માટે વિભાબેન કરતા કમ નથી.તમારુ જ ઘર સમજો'. કહેતા એણે આરવ  તરફ માર્મિક નજરે જોઇ લીધુ. આરવ મનમાં હસ્યો. કેવી ચાલાકીથી દર્શનાએ જીગીષાને સબંધોની સીમા સમજાવી દીધી હતી!      જીગીષા ચકિત થઇ ગઇ હતી. એનુ તો એવુ ધારવુ હતુ કે દર્શનાને આરવ ને જીગીષાના સબંધોની  જાણ થશે ત્યારે બન્ને વચ્ચે ઝઘડો થશે.ને દર્શના તક મળે તો જાહેરમાં તમાશો કરશે. જો ધારે તો આઘડી એ સંગ્રામ ચાલુ થઇ જાય એવી બધી સામગ્રી મોજુદ હતી. પણ તદન ઉલ્ટુ  એ તો  પ્રેમથી વાતો કરતી હતી ને સગી ભાભીની જેમ ઘેર આવવાનુ આમંત્રણ આપી રહી હતી!  જીગીષાને મનોમન પસ્તાવો થયો.      પછી તો દર્શનાના આગ્રહને માન આપી એ બધાને મળવા આરવને ઘેર પણ આવી.દિનાબેને છેક દરવાજે આવીને એનુ સ્વાગત કર્યુ.ભોગીલાલે સ્નેહથી માથા પર હાથ ફેરવીને આશિષ આપ્યા.ઘરના જુના નોકરચાકર વારા ફરતી આવીને મળી ગયા.જમવામાં એની મનપસંદ વાનગીઓ એને યાદ કરીને બનાવવામાં આવી હતી. આખા પરિવારનો આટલો પ્રેમ અનુભવ્યા પછી સ્વભાવિક એને પોતાના વર્તનનુ પૃથ્થકરણ કરવાની ફરજ પડી હતી.      આ પરિસ્થિિતનો લાભ લઇ એકવાર આરવે વિરલને સમજાવ્યો.' વિરલ હવે તારે લગ્ન કરી લેવા જોઇએ. આવુ પાત્ર વારંવાર ન મળે. હવે તમે બન્ને સારુ કમાવ છો. '   સામે વિરલે પોતાની પરિસ્થિિત સમજાવી.' હુ પણ એને ચાહુ છુ. પણ મારા ભણતરનો ખર્ચો ને માબાપની  જવાબદારી છે. એ લોકોએ બહુ બલિદાન આપ્યુ છે. હવે મારે મારા કરતા એમના આરામ ને સુખસગવડનો પહેલા વિચાર કરવો પડે. મારા કરતા જીવનનો આનંદ ભોગવવા એમની પાસે સમય ઓછો છે' 'વિરલ, જો બે જણની આવક ભેગી થાય  ને  સારી આવક હોય  તો તમે સરળતાથી સંસાર ચલાવી શકો ને એને પણ પરિવારની ખોટ છે એ   સંતોષાઇ જાય. વિચારી જો. સંજોગો તારે પક્ષે છે' આરવે સમજાવ્યુ.  'તમારી વાત બરાબર, પણ મારા માબાપ મારી જવાબદારી ગણાય. હુ સામી વ્યકિતને એ બોજો ઉપાડવા દબાણ ન કરી શકુ. કોઇ સમજીને  સ્વીકારે એઅલગ વાત છે'વિરલે પોતાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો' 'યાર તુ તો બહુ  વિચારે છે. એને સીધુ જ પુછી લેને'આરવે સલાહ આપી. હજુ વિરલ કઇક વિચારમા હતો.   'એક સવાલ પુછી લઉ. આરવભાઇ.તમે હવે સાચે જ જીગીષાને પ્રેમ નથીકરતા?  આરવ ખડખડાટ હસી પડયો ' ભઇલા,એવખત વીતી ગયો.એ દિવસે તે જોયુ નહિકે દર્શનાએ કેવી ચાલાકીથી અમને બેનભાઇના સબંધો સમજાવી દીધા?હવે જીગીષા વિશેઆ સબંધ સિવાય કશુ વિચારી પણ ન શકાય'આરવે ખાતરીપુર્વક કહ્યુ.           થોડી ચર્ચાવિચારણા પછી જીગીષા લગ્ન માટે સંમત થઇ.બન્નેએ સાદાઇથી લગ્ન કરવાનુ વિચાર્યુ.જીગીષાને પક્ષે કોઇ નહોતુ તો વિરલ પરપ્રાંતિય હતો.એ ના માબાપ બહુ દુર હતા.
   પણ ભોગીલાલે એની ય ગણતરી કરી રાખી હતી.આ લગ્ન આખા સમાજની સામે ગોઠવી ને દર્શનાથી માંડીને લાગતા વળગતા  બધાને આ સબંધની શુધ્ધતા સાબિત કરવા માગતા હતા.સાથે સાથે સદગત મિત્રને અંજલિ આપવા માગતા હતા.        કોઇ પણ જાતની આગોતરી જાણ કર્યા વિના પતિ પત્નિ જીગીષાને મળવા ગયા.જીગીષા એમને આમ અણધાર્યા ને અચાનક આવેલા જોઇને સ્તબ્ધ થઇ ગઇ.        ભોગીલાલ સમજ્યા. 'બેટા,અમારા આવવાથી જો  તારા કોઇ કાર્યક્રમમાં અડચણ તો ઉભી થઇ નથી ને' 'નહિ કાકા, પણ કુતુહલ તો જરુર થયુ'.જીગીષાએ કબુલ કર્યુ.  ' કુતુહલ તો થાય જ.કુતુહલ,શંકા, જીજ્ઞાસા એ તારો વિષય ને સફળતાની પાયાની શરતો છે. એણે હસીને કહ્યુ
 'બીજી વાત એછે કે આ લગ્ન  હુ મારા ઘરઆંગણે  ગોઠવવા માગુછુ. મારા મિત્ર   વતી તારુ કન્યાદાન કરવાની ઇચ્છા છે. જો તુ રાજી હોય  તો. ભોગીલાલના સ્વરમાં આનંદ સાથે વિનંતી પણ હતી. જીગીષા ખુશ થઇ ગઇ.જો કે એણે આટલી બધી અપેક્ષા રાખી નહોતી.ભોગીલાલને લાગ્યુ કે એક ગેરસમજણ વરસો પહેલા થઇ હતી એનો  ખુલાસો કરવાનો આ ઉતમ  સમય છે.' જીગીષા, વરસો પહેલા પથૂભાઇ ગામ છોડીને જતો રહ્યો હતો. એનુ કારણ તને આપ્યુ હશે.પણ એ અધુરુ હતુ. કારણકે મારી વાત પુરી સાંભળ્યા વિના જ ગુસ્સે થઇ ને જતો રહ્યો હતો.આજે એની ગેરહાજરીમાં મારો બચાવ એ આમતો એકપક્ષી વકીલાત જેવુ થાય. એ દિવસે મે એને ઓફીસમાં બોલાવી તારા ને આરવ વચ્ચેના સબંધની વાત કરી હતી. કરવી પડેએમ હતુ. કારણ કે આરવ ને દર્શનાનુ સગપણ નાનપણથી નક્કી થઇ ગયુ હતુ. હવે ગામડામાં આવા બચપણના સગપણ નવાઇ નથી. પણ કોઇ કારણસર ફોક થાય તો છોકરીની બદનામી થાય ને બીજી સગાઇમાં સામેપક્ષે શંકા કુશંકા થાય. કોઇ નિર્દોષ દિકરીને આપણા માટે સહન કરવુ પડે એસારુ ન કહેવાય.બાકી તારી યોગ્યતા વિષે ત્યારે કે અત્યારે પણ બેમત નથી. પણ પથુભાઇના મનમાં અમીરો તરફનો પુર્વગ્રહ હતો એને લઇને મારી વાત સમજવાની તો  બાજુમા રહી પણ સાંભળવાની ય પરવા ન કરી. પછી તો તુ પણ અજ્ઞાતવાસમાં જતી રહી. એટલે આરવ છેવટે દર્શના જોડે લગ્ન કરવા તૈયાર થયો. આ છેસત્ય. તુ વિચારી જોજે ને પછી સ્વીકારજે."  જીગીષાને કાકાના ખુલાસામાં તથ્ય લાગ્યુ.  પથુભાઇના સ્વભાવ પ્રમાણે આવુ થવાની શક્યતા નકારી  નશકાય.
પછીના અઠવાડીએ જ ભોગીલાલને આંગણે મંડપ રોપાયો. વિરલના માબાપ પણ આવી ગયા. શરણાઇ ને મંગલગીતો સાથે વરરાજાનુ સ્વાગત થયુ. દર્શનાએ પોખણા કર્યા. જીગિષાને પોતાના હાથે પાનેતર પહેરાવી નેમંડપમાં પધરાવી. દિનાબેન ને ભોગીલાલે કન્યાદાન આપ્યુ. હવે વારો આરવનો હતો.  એના મનમાં ખચકાટ હતો. જાણે પોતાના આત્માને છેતરતો હતો. ભોગીલાલે એને એકબાજુ લઇજઇને સમજાવ્યો' આરવ, આલગ્નનુ આયોજન જ એ છેકે આખાસમાજ સામે તારો જીગીષાનો બહેન તરીકેનો સ્વીકાર ને દર્શનાના મનના સમાઘાનનો છે.તુ અગ્નિની સાક્ષીએ જવતલ હોમી ભાઇ તરીકે સાબીતી આપ.યાદ રહે, આ ધરતીનો સપુત જેનો બહેન તરીકે સ્વીકારે એને પછી કોઇ વાસના વિચલિત કરી શકતી નથી.આરવ મંડપમાં આવ્યો ને લગ્નની વેદીના અગ્નિમાં જવતલ હોમ્યા, એની પાવક જ્વાળાએ એના મનમાં ખુણે ખાંચરે રહી ગયેલી વાસના પણ હોમાઇ ને  શૂધ્ધ બની ગઇ.  એ દિવસે પ્રેમ વેરને જીતી  ગયો.

No comments:

Post a Comment