Friday, December 30, 2016

થાપણ ભાગ ૨

આગલા અંકથી ચાલુ   આ પ્રમાણે બંદિશ દાદા દાદી ને પછી મા ની છત્રછાયામાં મોટો થયો.પછી તો પ્રભુદાસનુ આવવાનુ ક્રમશઃઓછુ થઇ ગયુ. પણ સરોજબેને કયારેય એ વિશે અફસોસ ન વ્યક્ત કર્યો. જેવુ હતુ એવુ જીવન જીવી નાખ્યુ. ને જીવનના અંતે પ્રભુદાસ પાછા આવ્યા. જીવન ને પરિવારની જાણે વિદાય લેવા જ. તન મનથી ભાંગી પડેલા ને રોગોથી ઘેરાયેલા.સરોજબેને કોઇ મેણા ટોણા કે વાંધાવચકા વિના મહિનોમાસ સેવા કરી. આ આખરી ઋણ સ્વીકારી એણે સંસારમાથી વિદાય લીધી.  સરોજબેન ફરી એકલા થઇ ગયા.     બંદિશ એવખતે ચોવીસ વરસનો થઇ ગયો ને ભણવાનુ પુરુ થતા જ સારી નોકરી મળી ગઇ હતી. હવે છોકરીની તલાશ હતી. સુમતિને એ જાણતો હતો. સરોજબેનને પણ પસંદ પડીને  બન્નેના વિવાહ ગોઠવાયા.   સુમતિને ટુંક સમયમાં ખ્યાલ આવી ગયો કે બંદિશ સંપુર્ણ પણે મા ના કબજામાં છે. મા ની કોઇપણ વાત સારી કે નરસી,સાચી કે ખોટી   તપાસ કર્યા વિના શબ્શઃ સ્વીકારી લેછે.  કારણ  એ મા આગળ જ મોટો થયા હતો. પપ્પા તો એના નામ પાછળ જોડવાનુ એક લટકણીયુ જ હતા.  ફોટામાં ને કયારેક  મહેમાન તરીકે જોયા હતા. પિતા પુત્ર વચ્ચે જે લાગણીનુ આદાનપ્રદાન કે આત્મીયતા  હોય એ સબંધ વિક્સ્યો જ નહોતો. એટલે પપ્પા એને માટે અજનબી  છેક સુધી રહ્યા પુરુષની હેસિયતથી દુનિયાને જોવાની ને મુલવવાની સમજણ એને મા આગળથી મળી હતી. પરિણામે પતિ કે પુરુષ તરીકેની એની ફરજ કે બે સ્ત્રી વચ્ચે સતાનુ સમતોલન  કેમ રાખવુ?એ કુનેહ એની પાસે ક્યાથી હોય?  એ તો  નાનપણથી મા ના આંસુ, કરડાકી.  વહાલ કે શિક્ષાને વશ થઇ જતો.તો સુમતિ જેવી સરળ છોકરીનુ શુ ગજુ કે એ પોતાની હાલત એને સમજાવી શકે?      એક દિવસ એ ખુશખુશાલ ઘેર આવ્યો. ને સરોજબેનને સમાચાર આપવાની સાથે સંમતિ માગી.'મા. મારી કંપનીની એક શાખા દુબઇમાં ખુલવાની છે. કંપનીના માલિકની ઇચ્છા મને ત્યા ચિફ એન્જીનીયર તરીકે મોકલવા માગે છે. તારુ શુ  કહેવુ  છે?'આટલુ સાંભળતા તો સરોજબેન આનંદથી ઉછળી પડ્યા. ' અરે, આવી તક હાથમાંથી જવા દેવાય?હા પાડી દે. જુવાનીનો આ સમય જ કમાવા માટે જ હોય છે.હુ ને સુમતિ અહી રહીશુ' એણે બધાના વતી નિર્ણય જાહેર કરી દીધો.       સુમતિ બાજુની રુમમાં ઉભી ઉભી મા દિકરાની વાતો સાંભળતી હતી.  બંદીશના વિદેશગમનથી એ ઘડીભર ખુશ થઇ. ચાલો. હવે સાસુની કેદમાથી મુક્તિ મળશે. છેવટે બંદિશ મારો થશે. પણ સાસુનો  ફેંસલો સાંભળતા એ ઠરી જ ગઇ. એને સમજાઇ ગયુ કે મા એ હા પાડી દીધી પછી સુમતિ ગમે એટલા ધમપછાડા કરે. કાઇ વળવાનુ નહોતુ. હવે તો એક સારા સમાવાર આપવાનો એનો ઉત્સાહ ઓસરી ગયો. એને ખાતરી થઇ ગઇ કે બંદિશ વિવેક ખાતર પણ એની સંંમતિ માગશે નહિ.  કારણ હંમેશની માફક શ્રવણે માથુ નમાવીને આદેશ માની લીધો હતો!    એ નિરાશ થઇ. એને પોતાના ગર્ભમાં પાંગરતા બાળકના ભવિષ્યના વિચારો આવવા લાગ્યા,  એનુ બાળક પણ એના બાપની જેમ જ જન્મ લેશે ને  બાપની હયાતી છતા નબાપાની જેમ ઉછરશે.  એના જન્મ સમયે બંદિશ હાજર નહિ હોય ને એને કાઇક થઇ જાય તો બાળકની ભલામણ કોને કરશે?.એને એ સિવાય પણ ઘણુ પુછવાનુ  હતુ, ' એકલા જવાના કે મને સાથે લઇ જશો?  કેટલુ રહેવાનુ થશે? જવુ જ પડેએમ છે?વચ્ચે મને મળવા તો આવશો ને? કદાચ મને કાઇ થાય તો પાછા આવશો ને?     કાઇ નહી તો આપણા બાળકના જન્મ સમયે  તો આવશોને  ?  પ્રેમાળ પત્નિ માટે આવા સવાલો સહજ હતા. પણ એને સવાલ પુછવાનો મોકો જ નમળ્યો તો જવાબ કયાથી મળે?       સરોજબેને આ નવા સમાચારને ય પોતાના અભીપ્રાયની તરફેણમા ફેરવી દીધા. બંદિશ'
નો થોડો કેય વિચાર  સુમતિને સાથે લઇ જવાનો હોય તો. 'દિકરા, પારકા પરદેશમાં આવી હાલતમાં એને લઇ ન જવાય.અજાણ્યા મુલકમાં આવા પ્રંસગે  તમને કોણ સહાય કરે?સુવાવડ માં ગમેતે થઇ શકે. તુ કામ કરે કે આને સાચવે? 'એમની વાત અમુક અંશે વ્યવહારુ પણ હતી. ને ઉપરથી હૈયાધારણ પણ અાપી.' અમે સાસુ વહુ અહી રહીશુ ને બાલકને ઉછેરશુ. તારી રાહ જોઇશુ. માટે કાઇ ચિંતા કર્યા વિના ઉપડી જા' બંદિશ શું બોલે? મા આગળ બધી સમસ્યાના ઉકેલ હતા. સુમતિને મનમા જ થયુ. 'હા તમે જેમ તમારા  દિકરાને મોટો કર્યો એમજહવે મારા દિકરાને પણ ઉછેરવા માગો છો.  એક વખત  તમે પણ યુવાન હતા એ સમયની તમારી તડપન ને વસમો વિયોગ યાદ કરો. મનેય મારા પતિ સાથે જિવવાના કોડ તો હોય  ને' પણ આબધુ બહેરા જોડે વાત કરવા જેવુ હતુ!પોતાના માણસને જ સહજીવનનો ઉલ્લાસ ન હોય તો બીજાને કોસવાથી શું ફાયદો ?  હા, જતા જતા એટલો દિલાસો આપતો ગયો કે અત્યારે વહેલો જાઉ તો મારા બાળકના જન્મ સમયે વેકેશન  મંજુર થઇ જાય ને'     સુમતિને તો આમ પણ અહી જ રહેવાનુ હતું એના માબાપ તો વૃધ્ધાશ્રમમાં જતા રહ્યા હતા. કવચિત ભાઇની ટપાલ આવતી તો એ કયારેક માબાપની મુલાકાત  લેતી. એટલો જ પરિવાર, આ સિવાય એની ઉંમરની આસપાસની મહિલાઓ જોડે વાર તહેવારે તો પોતાની ખરીદી કરવા બહાર જતી. એસિવાય બહાર જવાનુ કોઇ કારણ ન રહેતુ. બંદિશનુ મિત્રમંડળ મોટુ હતુ. એ બધા આવો કોઇ પિકનિક કે પ્રવાસે જતા હોય કે મનોરંજન માટે સિનેમા નાટક માં જતા હોય ત્યારે સુમતિને આગ્રહ કરતા. પણ મિત્રદંપતિના સમુહમાં એ વધારે એકલતા અનુભવતી.ત્યારે એને બંદિશ બહુ યાદ આવતો.     આબધુ સરોજબેનની નજર બહાર નહોતુ. એને ચિંતા થવા લાગી કે આની નજર હવે બહાર ભટકવા લાગી છે, એવુ થાય તો દિકરાને કેવો આઘાત લાગે? ઘરનુ માણસ જ્યારે પરિવાર માટે ઘસાતુ હોય. ભુખ દુઃખ, ઉજાગરો વેઠતો હોય, ત્તારે એની પીઠની રક્ષા કરવાનો ભાર ઘરના લોકો ઉપર હોય. એણે પોતે પણ આવો જ ભોગ આપ્યો હતો.    એણે સુમતિને કડક જાપ્તામાં રાખવા માંડી.  બંદિશ અહી હતો ત્યારે એના મિત્રો એકલા કે પરિવાર  સાથે આવતા કે બધા સાથે બહાર જતા એ બરાબર હતુ. એ ગયો ત્યારે એના મિત્રોને ભલામણ કરતો ગયો હતો સુમતિનુ ધ્યાન રાખવાની ને જરુર પડેતો મદદ કરવાની. એ અનુસાર બંદિશના મિત્રો કયાય મળે તો સમાચાર પુછે કે કાઇ કામકાજ હોય કે કાઇ મુશ્કેલી હોય તો મદદ કરે. એમાટે ઘેરપણ આંટો મારી જાય. તો મિત્રપત્નિઓ પણ એમને ઘેર આવવા આગ્રહ કરે કે કયાય ગ્રુપમા જતા હોય તો જોડાવા આગ્રહ કરે.        પણ  સરોજબેનની શંકાની સોય સળવળી. એણે બંદિશના મિત્રોને એક યા બીજા બહાને બંધ કરી દીધા. સારા ઉપાય તરીકે કયાય એકલી મુકવાની જ નહિ. બજારની ખરીદીથી માંડી બધે સાસુવહુ સાથે જ જાય.

No comments:

Post a Comment