Thursday, December 29, 2016

થાપણ ભાગ ૧

  સોળે કળાએ ખીલેલો વૈશાખનો સુર્ય આખી દુનિયાને સગડીની માફક શેકીને અંતે થાકીને  ક્ષિતીજમાં ઢળ્યો ત્યારે આખો દિવસ  ઘરમાં પુરાયેલા ને કંટાળેલા  માનવીઓ ને ખાસ તો બાળકો બહાર  જવા માટે ઉતાવળા થવા લાગ્યા.        બહુમાળી ઇમારતના પહેલા માળે ફ્લેટમાં રહેતા સરોજબેને હજુ તો બારણુ ખોલ્યુ ત્યાજ એમનો ત્રણ વરસનો પૌત્ર સમીર એની મમ્મી સુમતિનો હાથ પકડીને બહાર ઘસડી ગયો.     આંગણામાં ઝાડની  નીચે હિંચકો મુકેલો હતો. સમીર હિંચકા પર ગોઠવાઇ ગયો. સુમતિએ એક હળવો હિંચકો નાખ્યો ત્યા એને પાછળથી સ્કુટરની ઘરઘરાટી સંભળાઇ. એણે પાછળ ફરીને જોયુ તો એનો પાડોશી અવિનાશ મહેતા. એણે પહેચાનભર્યુ સ્મિત કર્યુ તો સુમતિએ સ્મિત સાથે જવાબ આપ્યો.       સ્કુટરનો અવાજ સાંભળતા જ ફ્લેટનુ બારણૂ ખુલ્યુ ને અંદરથી સુરમ્યા મહેતા ને સમીરની ઉંંમરનો સાહિલ  ઉતાવળે બહાર આવ્યા. સાહિલે  અવિનાશ પાસે જવા હાથ લંબાવ્યા. અવિનાશૈ એને ઉંચકી લીધો. ને એક પ્રેમસભર નજર સુરમ્યા તરફ નાખી. જાણે નજરોથી એને પણ ઉંચકી લીધી. એની કમરે હાથ વિંટાળી હસતા રમતા ત્રણે જણ અંદર ગયા.
    કેવુ સુંદર પારિવારિક મિલન હતુ?એક સમર્પિત પિતા ને પતિ,  પ્રેમાળ પત્નિ ને માસુમ બાળક. એમના આનંદતી છલકાતા ચહેરા. સુમતિ એ બંધ બારણા સામે તાકી રહી.નિસાસો  નાખ્યો. પોતાની જિંદગીમાં આવો એકપણ દિવસ નથી આવ્યો ને આવશે કે કેમ.એ પણ શંકા હતી. અરે સરોજબેન જેવી સાસુ તો આવા દ્રશ્યની કલ્પના પર પણ કાતર ચલાવી દે!      સાચે જ સરોજબેન બારીમાથી કયારનાય એની હિલચાલ જોઇ રહ્યા હતા, જાણે નીતિનિયમના ચોકીદાર! મનમાં ધુંધવાતા હતા'.શું જોઇ રહી  હશે પરાયા મરદને?  લાજશરમ જેવુ કાઇ નથી.અરે, પતનના પગથિયા આમ જ શરુ થાય. નજર જ્યા ત્યા ભટકવા માંડે.લાગ મળે તો વાતચીત થાય. વાત આગળ વધે પછી મળવા માટે મન લલચાય નેઅનુકૂળ સમય શોધે. પછી તો જેણે મુકી લાજ એને નાનુ સરખુ રાજ.' મનમાં બબડતા હતા. એમાં ય પાછૂ આનુ તો વિશેષ ધ્યાન રાખવુ પડેે એવુ હતુ.કારણ એ એના દિકરા બંદિશની થાપણ હતી. દિકરો  મા ને ભંરોસે એની પત્નિ ને બાળકને મુકીને પરદેશ ખેડતો હતો.એટલે યુવાન પુત્રવધુની નજર ભુખી નજર ક્યા ફરતી હતી ને  હજુએ બંધ બારણે જઇને અટકી છે એ જોયા પછીએને ભય લાગ્યો કે આનો ચોકી પહેરો રાખવો પડશે. નહિતર કયારેક ભવાડો કરશે, એમ થાય તો દિકરાને તો પીઠ  પાછળ ખંજર ભોકવા જેવુ જ થાય.         એણે બહાર આવીને  જરા કડક ને સત્તાવાહી અવાજે એને ધમકાવી.'આમ પારકા મરદને તાકી તાકીને જોઇ રહેવુ એજુવાન બાઇમાણસ માટે  સારા લક્ષણ ન કહેવાય. આવી શંકા કુશંકા  પારકાનો તો ઠીક પણ તારો પોતાનો સંસાર સળગાવી દે.જા અંદર જઇને બેસ. હુ સાહિલને રમાડુ છુ'            એ અંદર ચાલી ગઇ. પણ નજર આગળ થોડીવાર પહેલા જોયેલુ મનોરમ દ્રશ્ય મનોપટ પર એવુ છવાઇ ગયુ હતુ કે જાણે   એનો પીછો  જ છોડતુ નહોતુ.જો આપી શકાતો હોત તો એણે સાસુને બધો જ ખુલાસો કર્યો હોત. કે એ  પુરુષને નહોતી તાકી રહી પણ એનામાં રહેલા પતિ ને પિતા તરીકેના પ્રેમને જોઇ રહી હતી. એવા જ મિલનનો તલસાટને એવી જ મધુર પળો જેએને સાંપડી જ નહોતિ.  એને માત્રપોતાના માટે પતિ જ નહિ પણ દિકરા માટે બાપ પણ જોઇતો હતો!  પણ આવુ મનોમંથન વ્યક્ત કરવાનો કોઇ અર્થ જ નહોતો. કારણ સાસુ આ બધુ સમજવા  કે સાંભળવા તૈયાર જ નહોતા. કે પછી આ બધુ એની સમજણ બહારની વાત હતી. કારણ કે એનામાં એટલી ય સંવેદના હોત તો યુવાન દંપતિને આમ અલગ અલગ જીવવા માટે દબાણ કર્યુ ન હોત.    બંદીશ તે સુમતિનો પતિ. સરોજબેનની એકમાત્ર ઓલાદ. આજ્ઞાંકિત ને શ્રવણનો અવતાર. તો સાસુની જોહુકમીને સરમુખત્યાર શાહીથી ત્રાસેલી સ્ત્રીઓના મતે માવડીયો. માતા તરફની અંધ ભકિતના બદલામાં પુરુષને પત્નિ તરફથી મળતો ઇલ્કાબ!           સુમતિ બંદીશને પરણીને ચારેક વરસથી આ ઘરમાં આવી હતી. લગ્ન પહેલા થોડો પરિચય હતો બન્ને સાથે ભણતા. સુમતિના માબાપ બન્ને શિક્ષક હતા ને હાલમાં નિવૃત થયા હતા, એને એક મોટો ભાઇ હતો જે મુંબઇમા નોકરી કરતો હતો. એ પોતાની જવાબદારી સમજતો હતો. તો માબાપ પણ સમજતા  હતા કે મુંબઇની ચારફુટની ખોલીમાં ચાર જણનો સમાવેશ શક્ય નહોતો. એનાથી વધારે મોટી જગ્યા એને પરવડે એમ નહોતી. નાહક દિકરા વહુને નડવા જવુ. એનાકરતા વતનમાં એકલા વધારે સારુ. એકવાર સુમતિ પરણી જાય એટલે આ ઘર વેચીને વૃધ્ધાશ્રમમાં જતા રહેવાની એમની ગણતરી હતી.       સરોજબેને પરિવાર જોયો. માણસો સારા ને સજ્જન હતા. પણ બંદિશને વારસામાં  ખાસ કશુ નહિ મળે એ એને જરા ખટક્યુ.તો સામે ભવિષ્યમાં દિકરાને સાસરીપક્ષે કોઇ ઘસારો વેઠવો નહિ પડે એ જમાપાસુ જોઇને વિવાહ માટે રાજી થયા. બંદિશ ખુશ થઇ ગયો. એને સુમતિ ગમતી હતી. જીવનમાં પ્રથમ વખત બંદિશની પસંદગી મા એ વિના વિરોધે સ્વીકારી હતી!આજેવો તેવો વિજય નહોતો. સુમતિ નમ્ર ને સુશીલ હતી. બાકી  સરોજબેનના  સતાવાહી શાસનમાં સુમતિ સિવાય કોઇ આધુનિક છોકરી  સમાઇ નહોત.    બંદિશે પહેલા દિવસથી જ એનુ ઘડતર કરવા માંડયુ. મા ને શુ ગમશે ને શુ નહિ ગમે એની યાદી ગોખાવી દીધી. જોકે ગમવા કરતા ન ગમવાની યાદી લાંબી હતી!મા ની દરેક ઇચ્છાને અનુકુળ થવાનુ, એને ખુશ રાખવાની વગેરે. અરે   બંદિશને તો પોતાની ઇચ્છા જેવુ કશુ જ નહોતુ તો સુમતિનો ભાવ તો કોણ પુછે?જાણે મા માટે એક કઠપુતળી જ  ખરીદી હતી! સુમતિએ સાસુની શાસન આનાકાની વિના સ્વીકારી લીધુ.એટલુ જનહિ,પોતાના સુખ દુઃખ, હર્ષ,શોક, અાંસુ  બધુ જ સાસુને સમર્પિત કરી દીધુ હતુ એટલે આવા  દુઃખના  પ્રસંગે વહેવા માટે સાસુની  સંમતિ હોવી જોઇએ ને! નવાઇની વાત એ લાગે કે  પોતે પણ સ્ત્રી હોવા છતા સુમતિના દુઃખનો કે પ્રિયના વિયોગનો અહેસાસ નહોતા કરી શકતા.  કે એને હિજરાતી જોઇને પણ સમજી નહોતા શકતા. કારણ કે એ પોતે જ આવી એકલી અટુલી જીંદગી જીવ્યા હતા. પતિ હયાત હોવા છતા એનાથી દુર રહીને. એ અલગ વાત હતીકે એણેપોતે જ આ પરિસ્થિતિ ઉભી કરી હતી ને સ્વીકારી લીધી હતી. પતિ પ્રભુદાસ તો રાજી હતા એમને પોતાની સાથે પરદેશ લઇ જવા. પણ સરોજબેને  ઇન્કાર કરી દીધો હતો. ન છુટકે પ્રભુદાસ જીવનના અંત સુધી એકલા જ જીવ્યા હતા. બન્ને પક્ષે  એકલતા  પછી તો સહજ બની ગયેલી કે એકેય ને વિરહની લાગણી કે મિલનના આનંદ કે સહવાસની ઝંખના  કશૂ  જ રહ્યુ નહોતુ. કોઇને કોઇની ખોટ સાલી નહિ.    એટલે જ પતિનો વિરહ કે એની ગેરહાજરી એ જીવનમાં ઉણપ ગણાય એવુ એને લાગતુ નહિ.એકલી જીંદગી પણ સુખથી જીવી શકાય એનુ એ પોતે જ ઉદાહરણ હતા.પતિ કે પુરુષનુ જેટલુ માની લેવામાં આવે છે એટલુ મહત્વ  નથી એ એણે સાબિત કર્યુ હતુ. કદાચ એ રસિક સ્વભાવના નહિ હોય, લાગણીઓને કાબુમાં રાખી શકતા હશે. એટલે પુત્રવધુનો  તલસાટ, એની ઉદાસી ને વિરહને નજરઅંદાઝ કરતા હતા. એના આંસુને  વેવલાવેડા ગણતા. એમના મતે આજની જુવાન પેઢી વધારે પડતી ઘેલી હતી.       હવે એક સ્ત્રીની જો આવી મનોદશા હોય તો  બદિંશ તો પુરુષ હતો ને એનુ ઘડતર કરવાવાળી તો આ જ મા હતી ને!         બંદિશના પિતા એટકે કે પ્રભુદાસ એમના લગ્ન પહેલા બિહારમાં કોલસાની ખાણમાં મહેતાજી તરીકે કામ કરતા હતા.વતનની સરખામણીમાં કમાણી સારી હતી ને એમને ત્યા ફાવી ગયુ હતુ.   ઉંમરે પહોચતા વતનમાં લગ્ન કરવા આવ્યા. સરોજબેન સાથે મેળ પડી ગયો.લગ્ન પછી  એકાદ બે મહિના વેકેશન માણી બધાની વિદાય લઇને બન્ને દેશાવર જવા નીકળ્યા. એસમયે તો સ્થળકાલના અંતર એટલા હતા કે બિહાર પણ દેશાવર જેવુ લાગતુ.  એમ તો સરોજબેન પણ ગભરાતા હતા પણ સાથે પ્રભૂદાસ હતા એટલે ઘરપત  હતી. લાંબી મુસાફરી,  નવા નવા પરણેલા, પતિનુ અતુટ સાનિધ્ય, એને  સુખદ લાગણી થઇ. પોતાની જાતને ભાગ્યશાળી માની હરખાયા. પ્રભુદાસ જે રીતે બહારના લોકો જોડે નીપટતા હતા એનાથી એ પ્રભાવિત થયાને પતિ પ્રત્યે અહોભાવ થયો.       અંતે એમનુ સ્ટેશન આવ્યુ. સ્ટેશન કોલસાની ખાણૌની નજીકમાં હતુ.  અહીથી કોલસો નિકાસ થતો હતો. એના વેગનોની લાંબી હારમાળા, માલની અવરજવર, મજુરોની દોડાદોડ,  સ્ટેશન  પ્રવૃતિઓથી ધમધમતુ હતુ. અજાણ્યા માણસો ને અજાણી ભાષા. બધા એકબીજાને મોટે મોટેથી સુચના ને ઓડર આપતા હતા.  સરોજબેને આટલી ધમાલ કયારેય જોઇ નહોતી. નાના ગામડામાથી આવતા હતા.એની હાલત મેળામાં ભુલા પડી ગયેલા બાળક જેવી થઇ ગઇ. એમનો ગભરાટ પ્રભુદાસના ધ્યાનમાં આવ્યો. એ હસી પડ્યા.' સરોજ, આ લોકો તને ગંદા ને બરછટ લાગશે, કારણકે એલોકોનુ કામ જ એવુ બરછટ ને શારીરિક શ્રમવાળુ છે. બાકી અંદરથી બધા ભીરુ ને ભોળા. એકવાર તમે એને જાણો એટલે બધા આપણા જેવા જ લાગવા માંડે. મુળ માણસને અંદરથી   ઓળખતા શીખવુ પડે. તુ  પણ ટેવાઇ જઇશ'. પ્રભુદાસે સધિયારો આપ્યો.        છેવટે ઘર આવ્યુ. પોતાનુ ઘર!  પ્રભુદાસે કોટના ખીસા ફંફોળી ચાવી શોધી ગૃહ સ્વામીની ને આપી.  થોડીક  મથામણ પછી તાળુ ખુલ્યુ ને નવદંપતિએ ગૃહપ્રવેશ કર્યો.   પણ સરોજબેને ઘરની હાલત જોઇ ને ગૃહસ્વામીની હોવાનો આનંદ ઓસરી ગયો. બે મહીનાથી અવાવરુ ઘર ને ભેજવાળી હવાને લીધે ઘરમાં કોહવાળની વાસ આવતી હતી. આખા ઘરમાં કોલસાની રજોટી  છવાઇ ગઇ હતી. દિવાલો પર જાળા ને બાવા બાઝી ગયા હતા. ઘરમાં એણે અછડતી નજર નાખી. મન લાગે એવુ કશુ જ ઘરમાં નહોતુ. એકલા માણસે વસાવ્યુ પણ શુંહોય? એ નિરાશ થઇ ગયા. પ્રભુદાસ એની નિરાશા સમજી ગયા.' એટલે તો તને પરણીને અહી લાવ્યો છું હવે તુ ધારેતો આ ઉજ્જડ ઘરને મહેલ બનાવી શકે. તારી પર જ બધો આધાર છે. તારી આવડત પ્રમાણે  ઘર સજાવ. પૈસાની ચિંતા  ન કરીશ.  આમ પણ ઘર બૈરાનુ કહેવાય. અમે તો મજુરી કરી જાણીએ'        સરોજબેન મનાઇ ગયા.પોતાના પદના ગૌરવને છાજે એ રીતે કામ શરુ કરી દીધુ. પ્રભુદાસ  મદદમાં આવ્યા.બન્ને મળીને  ઘર સાફ કરી નાખ્યુ.  હવે જરુર હતી બહારથી ગુજરાતી ભોજનસામગ્રી શોધવાની.      સરોજબેને એકાદ વાર એકલા બજારમાં જવાનો પ્રયત્ન કર્યો. પણ અઘરુ લાગ્યુ.  કારણમાં  અજાણી ભાષા, એટલે ભાવતાલ કરતા આવડેનહિ, પરસ્પર એકબીજા સમજે નહિ, એટલે છેતરાવાનો ભય લાગે. આડોશ પાડોશમાં લોકો પણ અજાણ્યા. કોનો ભરોસો કરવો? વસ્તુ કયાથી લાવવી ને એ માટે કોને પુછવુ? તો પ્રભુદાસ પણ કાયમ સાથે તો ન જ જઇ શકે. નોકરી તો કરવી પડે.       એ એકલા પડી ગયા. ઘરમાં મુંઝાવા લાગ્યા. જરુરી સામગ્રી વિના ઘરમાં ધાર્યુ કામ નથાય. પ્રભુદાસ સિવાય એની મુશ્કેલી સમજીશકે  એવુ એ અજાણ્યા દેશમાં કોણ હોય? પણ એ ય નોકરી પરથી આવીને થાકીને લોથ થઇને આવે. વાત કરવા કે સંાભળવાના  ય હોંશ ન રહ્યા હોય તો એને કેમ  ફરિયાદ કરવી કે ખુટતી સામગ્રી માટે બજાર  જવાનુ કહેવુ?      આ કંટાળો ને અસંતોષ  સામાન્ય વાતચીતમાં ,પછી ફરિયાદરુપે વ્યક્ત થવા લાગ્યો.  પ્રભુદાસે એને સ્ત્રીસહજ ગણી શાંતિથી સાંભળી હોત, ધીરજ બંધાવી હોત કે સહાનુભુતિ દર્શાવી હોત  તો રહેતા રહેતા બધુ થાળે પડી જાત.  પણ અત્યાર સુધી એકલરામની મસ્ત બેફિકર જીંદગી  જીવ્યા પછી  આ ઘર ને ઘરવાળીની જવાબદારી, શાતિને બદલે ફરિયાદો ને  કવચિત આંસુ એના થાકેલા તન ને મનને કકળાટ જેવા લાગતા. એમ કરતા નાના મોટા ઝધડા, આક્ષેપો, ટુંક સમયમાં બન્ને એકબીજાથી ઉબાઇ ગયા. નવજીવનને પાંગરતા પહેલા જ લુણો લાગી ગયો. સરોજબેનને પોતે છેતરાયા હોય એવુ લાગવા માંડ્યુ તો સામે પક્ષે પ્રભુદાસને પોતે જડભરત ને કજીયાળી  બૈરીને પરણીને ભુલ કરી છેએવુ લાગ્યુ.          જ્યારે સાથે જીવવાનુ અસહ્ય ને અશક્ય લાગવા માડ્યુ ત્યારે  છેવટના ઉપાય તરીકે એણે સરોજબેનને વતનમાં મોકલી દીધા.  એક સંગ્રામને શાંત કરી એ પાછા પરદેશમાં પુર્વવત એકલી જીંદગી. જીવવા લાગ્યા.તો સરોજબેને પોતે કેદમાથી છુટ્યા હોય એવી રાહત લાગી. એટલે સમાધાન માટે સમજાવતા માબાપ ને સાસરિયા ને કહી દીધુ.' એને ત્યા એકલા આખી જીંદગી જીવવુ  હોય તો ય મને વાંધો નથી. પણ મને ત્યા જવાનુ કહેશો જ નહિ. અરે એ તો જીવતુ નરક છે. તમને ખબર છે કે કોલસાની દલાલીમા હાથ કાળા થાય પણ અહી તો માણસ આખો કાળો થઇ જાય?' એની આટલી ચોખ્ખી વાત પછી બધા સમજી ગયા કે આ તલમા તેલ  નથી. હવે તો ફારગતિ એજ આખરી રસ્તો છે. પણ પ્રભુદાસે ફારગતી ન આપતા સંસાર ચાલુ રાખ્યો. એટલે  એમના સંસારનો ઘાટ કઇક આવો ઘડાઇ ગયો. સરોજબેન વતનમાં રહીને ઘરડા સાસુ સસરાને સાચવે ને પ્રભુદાસ એમની સગવડે આવજા કરે.  ને આર્થિક જરુરિયાતો પુરી પાડે.    એમ કરતા બેએક વરસમાં બંદિશનો જન્મ થયો.  દિકરાના આગમન પછી પણ બેમાથી કોઇએ મચક નઆપી. પિતા તરીકે એના ભરણ પોષણમા એણે કયાય કચાશ ન રાખી. પણ એના બાળપણમા કયાય પોતાની હાજરી ન પુરાવી શક્યા.

No comments:

Post a Comment